ચિરવિદાય

જામનગર ઃ રમેશચંદ્ર નર્મદાશંકર રાવલના પત્ની શોભનાબેન (ઉ.વ.૬પ), તે સાગરભાઈ રાવલ, મિલનભાઈ રાવલના માતા તથા દિનેશભાઈ, મધુકાંતભાઈ, યોગેશભાઈના ભાભીનું તા. ૧૯-૩ ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ર૧-૩ને ગુરૃવારે સાંજે પ થી પ-૩૦ શ્રી હરસિદ્ધિ માતાજીના મંદિર, રણજીતનગર, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

ખંભાળીયા ઃ મૂળ ખંભાળીયા તાલુકાના સામોર ગામના વતની, સમસ્ત પ્રજાપતિ જ્ઞાતિના પૂર્વ પ્રમુખ, પૂર્વ પાલિકા  સદસ્ય ડુંગરશીભાઈ રણછોડભાઈ લાઠીયા (ઉ.વ.૭ર) નું તા. ૧૮-૩ ના અવસાન થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ર૧-૩-ર૪ ના સાંજે પ થી પ-૩૦ વાગ્યે પોરબંદર રોડ પર વરિયા પ્રજાપતિ જ્ઞાતિની વાડી, ખંભાળીયામાં રાખેલ છે.

close
Ank Bandh