ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /
અમદાવાદ તા. ૬ઃ કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે અમદાવાદના ગાંધીઆશ્રમથી ગાંધીનગર સુધીની બાઈક યાત્રા કાઢી છે. પેપર લીક કાંડ બાબતે ધારાસભ્ય અલ્કેશ ઠાકોરની અધ્યક્ષતામાં આ યાત્રા કાઢવામાં આવી છે. આ તકે અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, સરકારે આ મામલે કડક પગલા ભરવા જોઈએ. યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યાં છે. રાજ્યના યુવાનો અને ખેડૂતો બંને દુઃખી છે. પેપર લીક કરતા તમામ દોષિતોને કોઈ કાળે છોડવા જોઈએ નહીં. અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, આ કાંડમાં યોગ્ય તપાસ થઈ રહી નથી. માત્ર નાના લોકોને પકડીને મોટા માથાને સરકાર બચાવી રહી છે.