ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /
જામનગર તા.૧૦ ઃ જામનગરના કાલાવડ નાકા બહારથી પોલીસે મોટરમાં લઈ જવાતા બીયરના ચાર ટીન પકડી પાડયા છે. જ્યારે પોલીસને જોઈને નાસી ગયેલા શખ્સની શોધ શરૃ કરવામાં આવી છે.
જામનગરના કાલાવડ નાકા બહારના વિસ્તારમાં ગઈકાલે રાત્રે પોલીસ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમ્યાન ત્યાંથી પસાર થયેલી જીજે-૬-સીએન ૭૧૦૨ નંબરની મોટરને શકના આધારે રોકવામાં આવતા તેનો ચાલક મોટર ઉભી રાખી દોટ મૂકી નાસી ગયો હતો. આ મોટરની તલાશી લેવાતા તેમાંથી બીયરના ચાર ટીન મળી આવ્યા હતા. પોલીસે ટીન તથા મોટર ઝબ્બે લઈ મોટરના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.