ખાલી થતા જળાશયો, વધી રહેલી ગરમી વચ્ચે લોકતંત્રનો મહોત્સવ થયો શરૂ... ગમે તેમ કરીને મતદાન જરૂર કરજો... હો...

રામ જન્મોત્સવ સંપન્ન થયો અને આજથી લોકતંત્રનો મહોત્સવ શરૂ થઈ ગયો છે. જામનગરમાં ગઈકાલે સાંજના સમયે ધાર્મિક, સામાજિક અને રાજકીય કાર્યક્રમોના અલગ-અલગ સ્થળે આયોજનો થયા હતા, અને તેના સંદર્ભે ચૂસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. આ દરમિયાન કેટલાક મુખ્ય માર્ગો તથા સર્કલો નજીક ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતાં, અને થોડા સમય માટે તો તંત્રોએ પણ હડિયાપટ્ટી કરવી પડી હતી.

આજે લોકતંત્રનો મહોત્સવ શરૂ થયો છે અને પહેલા તબક્કામાં ૧૦ર બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. બીજી તરફ ત્રીજા તબક્કા માટે આજે જામનગરના ભાજપના ઉમેદવારના નામાંકન પછી હવે હાલારમાં ચૂંટણી પ્રચાર વધુ વેગ પકડશે. કોંગ્રેસના ઉમેદવાર આ પહેલા - ઉમેદવારી પત્ર ભરી ચૂક્યા છે. આપણે પણ ૭ મી મે ના દિવસે ગમે તેમ કરીને મતદાન કરવાનું જ છે, એ ભૂલાય નહીં.... હો...

આજે એક તરફ પહેલા તબક્કા માટે દેશના કેન્દ્ર શાસિત પ્રદેશો સહિત ર૧ રાજ્યોમાં મતદાન થઈ રહ્યું છે, અને બીજી તરફ ત્રીજા તબક્કામાં મતદાન માટે ઉમેદવારી પત્રો ભરવાની આજે છેલ્લી તારીખ છે, તો ચૂંટણી પંચે ગઈકાલે જ ચોથા તબક્કાના મતદાન માટે પણ નોટિફિકેશન જાહેર કર્યું છે. ચોથા તબક્કાનું મતદાન પણ લોકસભાની ૧૦ૅર બેઠકો માટે થવાનું છે, જે નવ રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં થશે.

જામનગર બેઠકનું મતદાન ૭ મી મેના દિવસે ત્રીજા તબક્કામાં થવાનું છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા આજથી જ ખરાખરીનો પ્રચારજંગ જામશે, તેમ જણાય છે. આજે બપોરે ફોર્મ ભરાયા પછી પણ ચકાસણી અને ફોર્મ પાછા ખેંચાયા બાદ જ ગુજરાતમાં કુલ કેટલા ઉમેદવારો મેદાનમાં રહ્યા છે, તેનું ચિત્ર સોમવારે સાંજે સ્પષ્ટ થશે.

આજે પ્રથમ તબક્કામાં ૧૦ર બેઠકો પર ૧૬રપ ઉમેદવારો લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. આ લોકતંત્રના મહાપર્વમાં અવશ્ય મતદાન કરીને આ લોકતાંત્રિક  યજ્ઞમાં આહુતિ આપવા મહાનુભાવો, સેલિબ્રિટીઝ અને રાષ્ટ્રપતિ તથા પી.એમ. દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે.

ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ ર૬ સહિત કેન્દ્ર શાસિત પ્રદેશો સહિત ૧ર રાજ્યોની ૯૪ લોકસભા બેઠકો માટે મતદાન થવાનું છે. આવતીકાલે ફોર્મની ચકાસણી પછી રર મી એપ્રિલ સુધીમાં ઉમેદવારો પોતાનું ફોર્મ  પાછું ખેંચી શકશે. જેથી રર મી એપ્રિલની સાંજે એ સ્પષ્ટ થઈ જશે કે રાજ્યની ર૬ બેઠકો પર કોણ કોણ મેદાનમાં રહ્યું છે, આ વખતે રર મી એપ્રિલે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હોઈ, રાજકોટની બેઠક પરથી પરસોત્તમ રૂપાલા પોતાનું ફોર્મ પાછું ખેંચે છે કે નહીં, તેના પર પણ બધાની નજર રહેવાની છે. જો કે, અત્યારે તો એવું લાગે છે કે ભાજપ રૂપાલાનું ફોર્મ પાછું ખેંચાવવાના મૂડમાં નથી, પરંતુ રાજનીતિમાં કાંઈ પણ બની શકે છે, તેથી રરમી એપ્રિલ પછી ક્ષત્રિય સમાજનું વલણ કેવું રહે છે અને આંદોલનકારીઓની રણનીતિ કેવી રહે છે તે જોવાનું રહ્યું.... ખરું ને?

રાજકોટની બેઠક પરથી જ આજે કોંગ્રેસના પરેશ ધાનાણીની ઉમેદવારી નોંધાયા પછી હવે તેઓ પરસોત્તમ રૂપાલાને ટક્કર આપવાનું જાહેર કરી ચૂક્યા છે, ત્યારે મૂળ ફાઈટ ઘણી જ રસપ્રદ રહેવાની છે, તે ઉપરાંત ક્ષત્રિય સમાજનું રૂપાલાને લઈને હવે પછીનું વલણ પણ મહત્ત્વપૂર્ણ રહેવાનું હોઈ, રૂપાલાના વિરોધમાં ચાલી રહેલા આંદોલનની ચર્ચા પણ થઈ રહી છે, જોઈએ હવે શું થાય છે તે...

આ વખતે ધોમધખતો તડકો અને અસહ્ય ગરમી પણ ચૂંટણીતંત્ર, ઉમેદવારો અને પક્ષો માટે પડકારરૂપ બનવાની છે. ચૂંટણીપંચે તો મતદાન મથકો પર વિવિધ વ્યવસ્થાઓ કરવાની જાહેરાત કરી દીધી છે, પરંતુ ગરમીનો પ્રકોપ હોય, ત્યારે બપોરના બે-ત્રણ કલાક પાંખુ મતદાન થાય, તેવી શકયતા હોવાથી વહેલી સવારથી જ અગ્રતાક્રમે મતદાન કરી આવવાની અપીલો પણ જોરશોરથી કરવામાં આવી રહી છે.

એક તરફ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, તો બીજી તરફ જળાશયોમાં જળસંગ્રહ ઝડપભેર ઘટી રહ્યો છે. કેટલાક જળાશયો તો ખાલીખમ થવાના આરે છે. હાલારના ચાર-પાંચ જળાશયો સહિત સૌરાષ્ટ્રના ૧પ જેટલા ડેમો તો તદ્દન ખાલી થઈ ગયા છે. જ્યારે માંડ એકાદ ટકા જ જળસંગ્રહ વધ્યો હોય તેવા ખાલી થવાના આરે પહોંચેલા દસેક ડેમોમાં પણ હાલારના ચારેક જળાશયો છે. આમ, ચૂંટણી પ્રક્રિયાની સાથે સાથે તંત્રોએ પીવાના પાણીની જન-જરૂરિયાતો મુજબનો પાણી પુરવઠો જાળવી રાખવા નર્મદાના નીર લાવવા સહિતના પ્રયાસો પણ કરવા જ પડશે, ખરું ને ?

આજે પ્રથમ તબક્કાના મતદાનના અનુભવે એ પણ સ્પષ્ટ થઈ જશે કે ગરમીના પ્રકોપની વિપરીત અસરો મતદાન પર કેટલી અને દિવસ દરિમયાન કયારે થાય છે, અત્યારે દિવસ વહેલો ઉગી જતો હોવાથી વહેલી સવારથી જ મતદાનની લાઈનો લાંબી થતી જોવા મળે, તો નવાઈ જેવું નહીં હોય, અને તે જરૂરી પણ છે જ ને?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ઉડતા હાલાર કે ડ્રગ્સ જંકશન...? નશાકારક પદાર્થોની હેરાફેરી કયાં વધી ? જાગો.... સમાજ... જાગો...

હાલારમાં રામનવમીની ઉમંગભેર ઉજવણી થઈ, શોભાયાત્રાઓ નીકળી અને અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા. હાલારમાં આવેલા યાત્રાધામ દ્વારકા અને બેટ દ્વારકાની પાવનભૂમિ પર હનુમાનદાંડીનું મંદિર, દ્વારકાના અખંડ રામધૂન મંદિર અને જામનગરના બાલા હનુમાન મંદિરમાં ચાલતી અખંડ રામધૂન સાથે રામનવમીની ઉજવણી કાંઈક વિશેષ મહત્ત્વપૂર્ણ બની હતી.

હાલારની આ જ પાવન ભૂમિ પરથી હવે નશીલા પદાર્થોનો જથ્થો ઝડપાઈ રહ્યો હોવાથી ચિન્તાજનક સ્થિતિ ઊભી થઈ રહી છે, અને કયાંક 'ઉડતા પંજાબ'ની જેમ 'ઉડતા હાલાર' ની દિશામાં તો આ વિસ્તાર ધકેલાઈ રહ્યો નથી ને ? તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.

દેવભૂમિમાંથી લાખો રૂપિયાનો નશીલા પદાર્થોનો બિનવારસુ જથ્થો ઝડપાયાના અહેવાલો આવ્યા પછી એસ.ઓ.જી.એ ચરસનું સ્મગલીંગ કરનારાઓની શોધખોળ આદરી હતી. બીજી તરફ ખંભાળીયા નજીકથી પણ દારૂનો જંગી જથ્થો ઝડપાયો, ત્યારે એક શખ્સ પકડાયો અને ત્રણ શખ્સ ફરાર થઈ ગયા હોવાના અહેવાલો હતાં, તો દ્વારકા જિલ્લાના બાટીશા પાસેથી પણ શરાબનો જંગી જથ્થો ઝડપાયા પછી અને ભાણવડના મોરઝરમાંથી પણ એક મકાનમાંથી દારૂનો જંગી જથ્થો મળ્યા પછી એક શખ્સ ઝડપાયો હોવાના અહેવાલો હતાં. જામનગરમાંથી પણ તાજેતરમાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલા વઢવાણના શખ્સને ઝડપી લીધો હોવાના અહેવાલો હતા, અને તે શખ્સ જામનગરના જ કોઈ શખ્સને જથ્થો પહોંચાડવા આવ્યો હોવાનું કહેવાય છે.

તે પછી ગઈકાલે સાંજે એવા અહેવાલો આવ્યા કે રાજસ્થાન તરફથી જામનગર તરફ આવી રહેલી કોઈ કારમાંથી એક કિલોથી વધુ વજનનું એટલે કે ૧૦૪૭ ગ્રામ ડ્રગ્સ અમીરગઢ ચેકપોષ્ટ પર બનાસકાંઠા પાસે કડક ચેકીંગ દરમિયાન ઝડપી લેવામાં આવ્યું હતું, અને પકડાયેલા ત્રણ શખ્સો સામે એનડીપીએસ એકટ હેઠળ ગુન્હા નોંધાયો છે. એવું કહેવાય છે કે આ કારનું પાર્સીંગ પણ જામનગરનું હતું અને ઝડપાયેલા શખ્સોનું પગેરૃં પણ જામનગર તરફ નીકળ્યું હતું. ગુજરાત-રાજસ્થાન સરહદેથી ઝડપાયેલા આ જથ્થા અંગે ઉંડી અને વિસ્તૃત તપાસ તો થઈ જ રહી હશે, પરતુ સમગ્ર હાલારમાં ડ્રગ્સ, ગાંજો, ચરસ, શરાબ જેવા નશીલા પદાર્થો ઝડપાવાનું વધી રહેલું પ્રમાણ એક તરફ તો પોલીસ અને એસઓજીની ચોકસાઈ અને સક્રિયતા પુરવાર કરે છે તો બીજી તરફ છોટી કાશી, યાત્રાધામ દ્વારકા સહિતના વિવિધ યાત્રાસ્થળો જેવી પાવન ભૂમિ પર નશીલા પદાર્થોનો વેપલો અને તેનું સેવન વધી રહ્યું હોય તો તે ગંભીર ચિન્તાની બાબત પણ ગણાય. આ માત્ર કાયદો-વ્યવસ્થાની જ બાબત નથી પરંતુ આપણી જ નવી પેઢી કયાંક બરબાદી તરફ તો ધકેલાઈ રહી નથી ને ? તેવા ગંભીર પ્રશ્નો પણ ઊભા કરે છે.

રાજસ્થાનની ગુજરાત સરહદેથી ડ્રગ્સ પકડાયું હતું અને હવે એવા અહેવાલો પણ આવ્યા છે કે રાજસ્થાનમાં સુરક્ષાકર્મીઓને બોર્ડર નજીક તોડી પાડેલા ડ્રોનમાં ડ્રગ્સનો જથ્થો હતો. તેથી એવી આશંકા પણ જાગે છે કે પાકિસ્તાનથી આ બધો દોરીસંચાર થતો હોવો જોઈએ. પંજાબ અને કાશ્મીરની સરહદેથી ડ્રોન દ્વારા જે રીતે હથિયારો અને ડ્રગ્સ મોકલવાના કારસા થયા છે, તેવી જ રીતે રાજસ્થાનમા ડ્રોન દ્વારા ડ્રગ્સ ઘુસાડીને તેને ગુજરાત તરફ મોકલવામાં આવતું હોવાથી આ ડ્રગ્સ રેકેટ સમગ્ર રાજ્ય માટે તો ખતરનાક બનતું જ જાય છે પરંતુ હવે તેનું પગેરૃં હાલાર તરફ નીકળતા હાલાર અને સૌરાષ્ટ્રમાં પણ આ નેટવર્ક વિસ્તરી રહ્યું હોય, તો તેને તત્કાળ ભેદવું પણ જરૂરી છે, ખરું કરે નહીં ?

એવું પણ બની શકે કે ડ્રગ્સની હેરાફેરી માટે હાલાર જંકશન બની રહ્યું હોય અને હાલારના કાંઠાળ વિસ્તારો તથા જમીન માર્ગોનું સંયોજન કરીને સમગ્ર સૌરાષ્ટ્રમાં ડ્રગ્સની હેરાફેરી થઈ રહી હોય અથવા તે દિશામાં ડ્રગ્સ માફિયાઓ આગળ વધી રહ્યા હોય....

ડ્રગ્સ અને વિદેશી દારૂનો જંગી જથ્થો ઠેર-ઠેરથી ઝડપાય, તે જરૂરી છે અને તેને આપણા પોલીસતંત્ર તથા સરહદી સુરક્ષા દળો-પેરા મિલ્ટ્રી ફોર્સીસ તથા દરિયાઈ એજન્સીઓ, પોર્ટ, કોસ્ટગાર્ડ, કસ્ટમ્સ અને ફિશરીઝ વચ્ચે વધુ સુદૃઢ સંકલનથી ગુજરાતમાં પ્રવેશતું જ અટકાવવાના વ્યૂહાત્મક પ્રયાસો પણ આજના સમયની માંગ છે, પરંતુ ડ્રગ્સ અને શરાબની લતે આપણી જ નવી પેઢી અને હાલારીઓ સહિત ગુજરાતીઓ ન ચડી જાય, તે માટે આપણે સૌએ (સમાજ), પણ વાસ્તવિક અને અસરકારક પ્રયાસો કરવા પડે તેમ છે, ખરું કે નહીં ?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

રઘુકુલ રીતિ સદા ચલી આઈ પ્રાણ જાયે... પર વચન ન જાયે... રામનવમીનો પાવન સંદેશ...

આજે રામનવમી છે અને દેશ-વિદેશમાં વિવિધ સ્વરૂપે ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ રહી છે, અને અયોધ્યામાં રામજન્મભૂમિ પર નવનિર્મિત બાલસ્વરૂપ શ્રીરામના દર્શને પણ લાખો ભકતો પહોંચ્યા છે, જામનગર સહિત સમગ્ર હાલારના રામમંદિરો તથા અખંડ રામધૂનના સ્થળો પર આજે ભગવાન શ્રીરામના દર્શને પણ હજારો ભકતો પહોંચ્યા છે. જામનગર સહિત સમગ્ર હાલારના રામમંદિરો તથા અખંડ રામધૂનના સ્થળો પર આજે ભગવાન શ્રીરામનો જન્મોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાઈ રહ્યો છે, જેમાં જામનગરના બાલા હનુમાનજી તથા બેટ દ્વારકાના હનુમાનદાંડી તરીકે ઓળખાતા મંદિરોનો સમાવેશ થાય છે. બપોરે ૧ર વાગ્યે ભગવાન શ્રીરામના જન્મના પ્રસંગો વિશેષ દર્શન સાથે મહાઆરતીઓ પણ થઈ છે. આજે જામનગર સહિત સૌરાષ્ટ્રના ઘણાં સ્થળે રામનવમીના પર્વે વિશેષ શોભાયાત્રાઓ પણ નીકળી રહી છે.

રામાયણમાં માનવજીવનને સંબંધિત ઘણી પથદર્શક ઘટનાઓ વર્ણવાઈ છે અને શ્રીરામનામનો મહિમા ગણાવ્યો છે. રામાયણમાં વચનપાલનનો મુખ્ય સંદેશ સમગ્ર રામકથાની બુનિયાદ છે, અને મૌખિક રીતે અપાયેલું વચન પાળવા માટે પોતાના પ્રિય જયેષ્ઠપુત્રને વનમાં જવા દેવાના આઘાતમાં પ્રાણ ત્યજી દેનાર દશરથરાજા તથા પિતાના વચને વનમાં જનાર ભગવાન શ્રીરામની સમગ્ર કથા રઘુકૂળની વચનબદ્ધતામાંથી પ્રગટી છે, અને એક ઝટકામાં રાજપાટ છોડીને ૧૪ વર્ષનો વનવાસ સ્વીકારનાર રામ માટે પિતાનું 'વચન' કેટલું મૂલ્યવાન હશે, તે સ્વયંસ્પષ્ટ છે.

રામનવમીનો પાવન સંદેશ વચનપાલન પર નિર્ભર છે અને તેની સાથે સંકળાયેલી એક ચોપાઈ પણ ઘણી જ પ્રચલીત છે....

રઘુકુલ રીતિ સદા ચલી આઈ...

પ્રાણ જાય પર વચન ન જાઈ...

રઘુકુળમાં વચન પાલનનું મહત્ત્વ રાજપાટ અને પોતાના પરિવાર જ નહીં, પોતાના જીવન કરતાં પણ વધુ છે, તેવું આ ચોપાઈ સૂચવે છે.

આજના આ યુગમાં પણ વચનો અપાય છે, અને તેનું પાલન પણ થતું હોય છે, પરંતુ તેમાં બાંધછોડ પણ થતી હોય છે અને અપાયેલા વચનો પર પરિવાર, સ્વાર્થ, મોહ કે જીવનમાં સુખ-સુવિધાના પ્રલોભનો હાવી થઈ જતાં હોય છે, અને તે હવે સમગ્ર માનવજાત માટે પડકારરૂપ અને વિશ્વસનિયતા સામે ખતરારૂપ બનીને વિશ્વાસઘાતના ઉદ્દભવસ્થાનો બની રહ્યા છે, તેમ નથી લાગતું ?

અત્યારે દેશમાં ચૂંટણીની મોસમ છે અને કોઈપણ તહેવાર, પ્રસંગ કે ઘટના હોય, તેના પર ચૂંટણીઓના પ્રચારનો પ્રભાવ પડતો જ હોય છે, અને તેમાં રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભાગવત, ગીતાજી વગેરેના દૃષ્ટાંતો પણ અપાતા હોય છે... દાયકાઓથી અયોધ્યાની રામજન્મભૂમિ પણ ચૂંટણી પ્રચારનો એક મુદ્દો હતો અને હવે ત્યાં બાલ સ્વરૂપના ભગવાન શ્રીરામના નવનિર્મિત રામ મંદિરનો ઉલ્લેખ પણ કોઈન્ને કોઈ સ્વરૂપે રાજકીય પક્ષો કરી જ રહ્યા છે ને ?

ગયા અઠવાડિયાથી વિવિધ રાજકીય પક્ષોએ ઘોષણાપત્રો પ્રસિદ્ધ કર્યા, અને તેની હવે સમીક્ષાત્મક ચર્ચાઓ પણ થઈ રહી છે. આ ઘોષણાપત્રમાં મતદારોને રાજકીય પક્ષોએ ઢગલાબંધ વાયદાઆ કર્યા છે, અથવા 'વચનો' આપ્યા છે, ત્યારે આ વચનોનું પાલન રાજા દશરથ કે પિતાના વચને ૧૪ વર્ષ માટે જંગલમાં જનાર શ્રીરામની જેમ જ રાજકીય પક્ષો કરશે ખરા ? જે પક્ષ કે ગઠબંધનને સત્તા મળશે, તે આ ઢગલાબંધ વાયદાઓ મુજબ પ્રજાલક્ષી નિર્ણયો લેશે ખરા ? આઝાદી મળી, ત્યારથી અત્યાર સુધી થયેલી ચૂંટણીઓ દરમિયાન રાજકીય પક્ષોએ ચૂંટણી ઢંઢેરાઓમાં કરેલા વાયદાઓ પૂરા કર્યા છે ખરા ? વચનોનું પાલન થયું છે ખરું?  હવે ચૂંટણી ઢંઢેરાઓને રાજકીય જુદા જુદા નામો અપાઈ રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષો- ઉમેદવારો દ્વારા આડેધડ વાયદાઓ કર્યા પછી તેને ભૂલી જવાની કે પછી પૂરેપૂરું પાલન નહીં કરવાની કોઈ સજા કે દંડની જોગવાઈ પણ થવી જોઈએ તેમ નથી લાગતું ?

ગુજરાતમાં તો ક્ષત્રિયોની સંકલન સમિતિએ આજ (રામનવમી)થી જ બીજા તબક્કાના આંદોલનની શરૂ કરવાની જાહેરાત કરી હોવાના અહેવાલો પછી ભાજપ માટે રાજ્યમાં પ્રચારસભાઓ, રેલીઓ વગેરે કાર્યક્રમ દરમિયાન પણ રૂપાલાના વિરોધનો સામનો કરવો પડી શકે છે, તો બીજી તરફ ચૂંટણીતંત્ર સામે પણ આ નવો પડકાર હશે, કારણ કે ચૂંટણીપ્રક્રિયા શાંતિપૂર્વક સંપન્ન થાય, તેની જવાબદારી ચૂંટણીપંચની જ રહે છે. જો કે, ૧૯ મી સુધીમાં રૂપાલા ફોર્મ પાછું ખેંચી શકે, તેવી મુદ્દત પણ અપાઈ છે, ત્યારે આ મુદ્દે હવે 'દિલ્હી'થી શું નિર્ણય લેવાય છે તે જોવાનું રહેશે.

ચૂંટણીઓ તો આવે અને જાય, આપણી ભવ્ય પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાઓ મુજબ તમામ પ્રકારના ભેદભાવો ભૂલી જઈને સાથે મળીને આજે રામનવમી ઉજવીએ. નોબત પરિવાર અને માધવાણી પરિવાર 'નોબત' ની સાથે સંકળાયેલા તથા સૌકોઈને રામનવમીની શુભકામનાઓ પાઠવે છે... જય સીયારામ....

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

એક તરફી જણાતો ચૂંટણી જંગ બની રહ્યો છે રસપ્રદ... આંતરિક અસંતોષનો ચરૂ કે પોલિટિક્સ પ્રોપાગન્ડા...?

વર્ષ-ર૦ર૪ ની શરૂઆત થઈ, ત્યારે જાન્યુઆરી મહિનાથી જ લોકસભાની ચૂંટણીની આહટ સંભળાવા લાગી હતી અને તે પછી ગુજરાત સહિત દેશભરમાં એક એવી માન્યતા પ્રસરી રહી હતી કે, ઈન્ડિયા ગઠબંધનમાં બેઠકોની સમજૂતિ પણ થઈ શકશે નહીં, અને મોદી મેજીક પર રાષ્ટ્રીય કક્ષાએ તો એનડીએ બહુમતી મેળવી જ લેશે, પરંતુ ગુજરાતમાં પણ ફરીથી તમામ ર૬ બેઠકો ભાજપને મળશે, કારણ કે, વિધાનસભાની ર૦રર ની ચૂંટણીમાં ગુજરાતની જનતાએ ભાજપને ૧૮૨ માંથી ૧૫૬ બેઠકો આપી હતી.

તે પછી ગુજરાતમાં તમામ બેઠકો પાંચ લાખની લીડથી જીતવાનો ભાજપનો નવો લક્ષ્યાંક આવ્યો અને દેશમાં ભાજપની ૩૭૦ પ્લસ અને એનડીએની ૪૦૦ પ્લસના લક્ષ્યાંકને પાર પાડવા ભાજપ દ્વારા ટોપ-ટુ બોટમ માઈક્રો પ્લાનીંગ થવા લાગ્યું. તે પછી રાજય અને દેશમાં એકતરફી રાજકીય માહોલ ઊભો થઈ રહ્યો હોવાનો આભાસ પણ ઊભો થયો, તો ગુજરાતમાં કેટલીક બેઠક તો પાંચ લાખથી પણ વધુ લીડથી જીતવાના દાવા થવા લાગ્યા હતાં.

ચૂંટણીપંચે તારીખો જાહેર કરી અને ભાજપે તબક્કવાર ઉમેદવારોની જાહેરાતો શરૂ કરી, તે પછી કોંગ્રેસ અને અન્ય પક્ષોએ પણ ઉમેદવારો જાહેર કર્યા અને કેટલાક નેતાઓના પક્ષાંતરો પણ થયા.

ઉમેદવારોની જાહેરાત થયા પછી ભાજપમાં આંતરિક ખેંચતાણ હોવાના છૂટક-છૂટક અહેવાલો આવી રહ્યાં હતાં, પરંતુ પ્રારંભમાં કોઈએ ગંભીરતાથી લીધા નહીં, અને શિસ્તપાલનના નામે આ પ્રકારની આંતરિક ગડમથલોને છાવરી લેવામાં આવી.

તે પછી કેટલાક નેતાઓએ હિંમતપૂર્વક પોતાના અભિપ્રાયો સોશ્યલ મીડિયાના માધ્યમથી કે અન્ય પ્લેટફોર્મ પરથી વ્યક્ત કરવાનું શરૂ કર્યુ, તો કેટલાક નારાજ નેતાઓએ પણ અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો. ભાજપમાં ભરતી મેળો જામ્યો હોય, તેમ વિપક્ષના ઘણાં નેતાઓને ભાજપમાં સમાવાયા, અને તે પછી કેટલાક લોકોને વર્ષો જૂના કાર્યકર્તાઓ અને નેતાઓ કરતાં યે વધુ મહત્ત્વ મળ્યુ, તેથી પાર્ટીમાં ગુપચૂપ નારાજગી વધી રહી હોવાની ચર્ચાઓ પણ થવા લાગી.

કેટલાક પક્ષાંતર કરીને આવેલા નેતાઓને ભાજપે વર્તમાન ચૂંટણી-પેટા ચૂંટણીઓ માટે મહત્ત્વ આપ્યુ, તો કેટલાક નેતાઓને ટિકિટ ફાળવી. ભાજપમાં પણ સિનિયર નેતાઓની અવગણના કરીને જુનિયરોને ટિકિટો ફાળવી દેવાઈ હોવાની બૂમ ઉઠી, પરંતુ આ બધી જ નારાજગી શિસ્તબદ્ધ પાર્ટીના હાઈકમાન્ડના ઈશારે સમાપ્ત થઈ ગઈ અથવા તો દબાઈ ગઈ.

આ દરમિયાન રૂપાલા પ્રકરણે એક તરફી જણાતી ગુજરાતની ચૂંટણીઓને રસાકસીભરી બનાવી દીધી. ક્ષત્રિયોની એકજૂથતા અને રતનપુરના રણટંકાર પછી એવી સ્થિતિ ઊભી થઈ ગઈ કે હવે શું થશે...? તેવા સવાલોના જવાબ આજની તારીખે તો કોઈ પાસે નથી.

અત્યારે ચોતરફ ચર્ચાઈ રહેલા રૂપાલા પ્રકરણ ઉપરાંત ભાજપની અડધા ડઝનથી વધુ લોકસભાની બેઠકો પર ભાજપના જ નેતાઓ - કાર્યકરોનો છુપો અસંતોષ હવે સપાટી પર આવવા લાગ્યો છે. વડોદરાથી અસંતોષ અને નારાજગી પ્રગટ થવાની શરૂઆત થઈ, જે હવે સાત-આઠ લોકસભાની બેઠકો સુધી વિસ્તરી હોવાની વાતો વહેતી થઈ છે. ક્યાંક નેતાઓની અંગત વ્યક્તિએ જ પોલ ખોલી હોવાનું કહેવાય છે, તો કેટલાક વીડિયો, સીડી એન ઓડિયો ક્લીપો ફરતી થઈ હોવાની ચર્ચા પણ થઈ રહી છે, અને તેમાં તથ્ય હોય તો તે ભાજપ માટે પડકારરૂપ છે. અત્યારે કચ્છ, અમરેલી, રાજકોટ, વલસાડ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા વિગેરે બેઠકો પર ભાજપમાં પ્રગટેલો અસંતોષનો ચરૂ ઠારવાના પ્રયાસો થઈ રહ્યાં હોવાનું કહેવાય છે, અને પોરબંદર, જુનાગઢ સુધી અસંતોષની આ કથિત આગ ફેલાઈ હોવાનું કહેવાય છે, જેને વિપક્ષ તો પ્રોપાગન્ડા પણ ગણાવી રહ્યો છે.

જો કે, કોંગ્રેસમાં પણ બધું બરાબર તો નથી જ, કોંગ્રેસમાં પણ ઉમેદવારો જાહેર થયા પછી કેટલાક સ્થળેથી નારાજગી અને વિદ્રોહની આશંકાઓ ઉઠવા પામી હોવાનું ચર્ચાય છે, પરંતુ જંગી લીડથી તમામ બેઠકો જીતવાનો અભરખો લઈને ચાલી રહેલા ભાજપના નેતાઓ સામે નવા પડકારો તો ઊભા થયા જ છે ને...?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ચૂંટણી ઢંઢેરાઓના શોર વચ્ચે રતનપુરથી રણટંકાર... હવે શું થશે ?

ગઈકાલે ભારતીય જનતા પક્ષે ચૂંટણી ઢંઢેરો પ્રસિદ્ધ કર્યો જેને 'મોદી કી ગેરંટી-સંકલ્પપત્ર' તરીકે ઓળખાવાઈ રહ્યો છે તે પહેલા કોંગ્રેસે ન્યાયપત્રના નામે ચૂંટણી ઢંઢેરો પ્રસિદ્ધ કર્યો હતો. એવી જ રીતે જુદા જુદા રાજકીય પક્ષોએ ચૂંટણી ઢંઢેરાના જુદા જુદા નામકરણ કર્યા છે. ભાજપના ચૂંટણી ઢંઢેરા સાથે કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષોના ચૂંટણી ઢંઢેરાની સરખામણી થઈ રહી છે અને ભાજપના ચૂંટણી ઢંઢેરામાં નવી ગેરંટીઓ કરતાં યે વધુ વર્તમાન યોજનાઓના વિસ્તૃતિકરણ અને મજબૂતીકરણ પર ભાર મૂકયો છે તેવા તારણો સાથે ૭૦ વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટીઝનોને પણ આયુષ્માન ભારત કાર્ડની યોજના હેઠળ આવરી લેવાની કરાયેલી જાહેરાતની સર્વાધિક ચર્ચા થઈ રહી છે.

લગભગ અઠવાડિયા દસ દિ' પહેલા કોંગ્રેસે જાહેર કરેલા ન્યાયપત્ર નામક ચૂંટણી ઢંઢેરામાં દસ પ્રકારની ગેરંટી અપાઈ હતી. કોંગ્રેસે જાતિ આધારિત વસ્તીગણત્રી, એમએસપી, દેવામાફી, નવી નોકરીઓ, મહિલાઓને દર વર્ષે એક લાખ રૂપિયાની સહાયના ઢગલાબંધ વાયદા તેમના ઘોષણાપત્રમાં કર્યા હતાં.

સમાજવાદી પાર્ટીએ પોતાના ચૂંટણી ઢંઢેરાનું નામ 'જનતાનું માંગપત્ર, અમારો અધિકાર' રાખ્યું છે. સપાએ પણ જાતિ આધારિત જનગણના, ઓપીએસ એમ.એસ.પી., દેવામાફી, કિસાન આયોગ, આરક્ષણ, ઘઉંનો લોટનું વિતરણ, સ્વાસ્થ્યની ગેરંટી અને વર્ષ-ર૦ર૯ સુધીમાં ગરીબી નાબૂદીના વાયદા કર્યા છે.

ગઈકાલે ભારતીય જનતાપક્ષે જાહેર કરેલા ઘોષણાપત્રમાં સમાન સિવિલ કોર્ડ, ૭૦ વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને રૂ.  પાંચ લાખ સુધીની મફત તબીબી સારવાર, ગરીબો માટે ત્રણ કરોડ ઘર, ગરીબોને વર્ષ-ર૦ર૯ સુધી મફત અનાજ, વન નેશન વન ઈલેકશન, એમ.એસ.પી., વૃદ્ધિ, કિસાન સમ્માનનિધિ, મુદ્રા યોજનાની મર્યાદામાં વધારો, પેપરલીક સામે કડક કાનૂન, સી.એ.એ. નો અમલ અને બુલેટ ટ્રેનનું સમગ્ર દેશમાં નેટવર્ક વધારવા ઉપરાંત હાલની તમામ યોજનાઓ સુધારા-વધારા સાથે ચાલુ રાખવાની ઘોષણા કરવામાં આવી છે. તે ઉપરાંત પી.એમ. સૂર્યઘર યોજના હેઠળ ફ્રી વીજળીનો વાયદો કરાયો છે. આ ઘોષણાપત્રના એક ભાગમાં મોદી સરકારની ઉપલબ્ધિઓ અને યોજનાકીય સિદ્ધિઓ વર્ણવાઈ છે.

આ ઘોષણાપત્રમાં નારી સશક્તિકરણ, ગરીબોની યોજનાઓ, કિસાનો માટેની જાહેરાતો, સિનિયર સિટીઝનો માટેની જાહેરાતો તથા મિડલકલાસ, શ્રમિકો, ઉપરાંત દિવ્યાંગો, માછીમારો, ટ્રાન્સજેન્ડરો, દુનિયાની ત્રીજી અર્થવ્યવસ્થા બનવાના રોડ-મેપ તથા કેટલીક વિદેશી નીતિને લગતી ઘોષણાઓ પણ થઈ છે.

ભાજપના ઘોષણાપત્રની તત્કાળ પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ ટીકા કરી કે આ ઘોષણાપત્રમાં મોંઘવારી અને બેરોજગારી જેવા શબ્દો ભૂલાઈ ગયા લાગે છે. પહેલા જ્યારે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો, તે પછી ભાજપે પણ તેને જુઠાણાનું પોટલું ગણાવ્યું હતું, અને વડાપ્રધાને પણ ચૂંટણી સભાઓમાં શાબ્દિક પ્રહારો કર્યા હતાં.

કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં રપ ગેરંટી આપી હતી, તો ભાજપે ર૪ ગેરંટીઓ આપી છે. કોંગ્રેસે યુવાનો, મહિલાઓ, શ્રમિકો, આર્થિક વગેરેને આવરી લીધા હતા, અને સંવિધાનની રક્ષા તથા ન્યાયની ગેરંટી અપાઈ હતી.

એક તરફ ભાજપ, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આર.જે.ડી. સહિતના રાજકીય પક્ષોએ જાહેર કરેલ ચૂંટણી ઢંઢેરાઓની વિસ્તૃત ચર્ચા થઈ રહી છે, તો બીજી તરફ ચૂંટણી ઢંઢેરાઓની જાહેરાતો મુજબ આગામી શાસનગાળા દરમિયાન અમલવારી ન થાય, તો શાસનકર્તા પક્ષ કે ગઠબંધન સામે ચૂંટણીપંચ દ્વારા તે પછીની ચૂંટણી માટે આંશિક પ્રતિબંધ કે પછી કોઈ દંડાત્મક કાર્યવાહી જેવી સજા થઈ શકે કે કેમ ? તેવી પ્રશ્નાવલી સાથેની ચર્ચા ફરી એક વખત શરૂ થઈ ગઈ છે.

ગુજરાતમાં ભાજપના ઘોષણાપત્ર કરતાં યે વધુ ચર્ચા રતનપુરમાં યોજાયેલા ક્ષત્રિઓના સંમેલનમાં સમગ્ર રાજ્ય ઉપરાંત પડોશી રાજ્યોમાંથી પણ ક્ષત્રિયો પહોંચ્યા અને  જંગી મેદની એકઠી થઈ, અને જે તેજાબી ભાષણો થયા તેની જ ચર્ચા સર્વાધિક થઈ રહી છે.

આ સંમેલનમાં ૧૯ મી એપ્રિલ સુધીનું તમામ એલ્ટિમેટમ અપાયુ અને તે પછી ગુજરાતની તમામ ર૬ બેઠકો પર ભાજપને હરાવવાના અભિગમનો સંકેત આપ્યો, તે પછી એવો સવાલ ઉઠી રહ્યો છે કે હવે શું થશે ? રૂપાલા સ્વયં હટીને ભાજપને ક્ષોભજનક સ્થિતિમાં મુકાતુ અટકાવશે કે પછી અમરેલીના જ બે દિગ્ગજ રાજનેતાઓ વચ્ચે રાજકોટ બેઠક પરથી જંગ ખેલાશે ? કોંગ્રેસે રાજકોટ બેઠક પરથી પરેશ ધાનાણીને મનાવીને મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે જો રૂપાલા હટી જાય કે હારી જાય, તો ધાનાણીને તો બગાસુ ખાતા મોઢામાં પતાસું આવી જશે, તેમ કહી શકાય ખરું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

વિકાસના કામોની સાઈડ ઈફેકટ્સ... થીગડા મારવાના બદલે પાણી પહેલા પાળ બાંધવાનો અભિગમ રાખો..

હાલારમાં ઘણી જગ્યાએ માર્ગો, પુલ, ઓવરબ્રીજ, પાણી પુરવઠો, વીજકંપની, ભૂગર્ભગટર વગેરેના કામો ચાલી રહ્યા છે અને જામનગર શહેરમાં તો વિવિધ પ્રકારના વિકાસના કામોને લઈને વિવિધ માર્ગો પર ટ્રાફિક ડાયવર્ટ કરવાના કે પછી ચોક્કસ સમય માટે કેટલાક માર્ગો બંધ પણ કરવા પડી રહ્યા છે, અને તેના સંદર્ભે જાહેરનામાઓ પણ પ્રસિદ્ધ થઈ રહ્યા છે, આ પ્રકારના કામો ઝડપભેર સંપન્ન થાય  અને લોકો તે નવી સુવિધાઓની સાથે સાથે અત્યારની સ્થિતિ કારણે ઊભી થતી પરેશાનીઓમાંથી છુટકારો મેળવે તેવા પ્રત્યાઘાતો પણ સંભળાવા લાગ્યા છે.

આ વિવિધ પ્રકારના મેગા પ્રોજેકટોથી લઈને શેરી-ગલીઓ સુધીની માળખાકીય સુવિધાઓ માટે ઠેર-ઠેર ખોદકામો કરવા પડી રહ્યા છે અને આ ખોદકામોની સાઈડ ઈફેકટ સ્વરૂપે પ્રત્યક્ષ સ્વરૂપે તો પરિવહન, અવર-જવરમાં અવરોધ અને કામો પૂરા થયા પછી પૂર્વવત સ્થિતિમાં વ્યવસ્થાઓ અને માર્ગોને લાવવામાં બેદરકારીમાં વિલંબ જેવી હાલાકી લોકોને સ્વાભાવિક રીતે જ ભોગવવી જ પડતી હોય છે, પરંતુ આ ઉપરાંત ખોદકામના કારણે કે અન્ય કોઈ કારણે જ્યારે પ્રવર્તમાન ગેસ, પાણીની પાઈપલાઈનો તૂટી જાય, લીકેજ થાય કે ભૂગર્ભ ગટર જેવી જ ઊભી થતી હાલાકીના કારણો પણ છે. નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠતા હોય છે.

જો પાણીની પાઈપલાઈન કે કોઈના ઘરનું કનેકશન આ ખોદકામોના કારણે કે તે માટે વપરાતા વાહનોની ઠોકર, ઘરોની તદ્દન નજીક સુધી ટ્રેકટર-ટોલી જેવા વાહનો લઈ જવાના કારણે વ્હીલ ખૂંચી જતા કનેકશનો તૂટી જતા કે પછી ભૂગર્ભ પાઈપલાઈનો તૂટવાના કારણે ચોક્કસ વિસ્તારમાં જતો પાણી પુરવઠો કે ગેસ પુરવઠો ખોરવાઈ જતા અથવા ગટરો છલકાતા જે સ્થિતિ ઊભી થાય છે, તેની પરવાહ કદાચ આ પ્રકારના કામોનો ઈજારો લેતા કોન્ટ્રાકટરો કે તેના માણસોને નથી હોતી. આ કારણે મહાનગરપાલિકા કે અન્ય સંબંધિત સરકારી તંત્રોએ પબ્લિકને ઓછામાં ઓછી તકલીફ પડે તેવી રીતે કામો કરવા માટે કોન્ટ્રાકટરો-કે સંબંધિત વિભાગના ક્ષેત્રિય અધિકારી-કર્મચારીઓને કડક નિયંત્રણમાં રાખવાની સુરક્ષાઓ આપવી જોઈએ, તેમ નથી લાગતું ?

જો કે, પાણી પુરવઠો કે ગેસનો પુરવઠો ખોરવાઈ જાય, તે પ્રકારની ક્ષતિ ઊભી થાય કે ફોલ્ટ સર્જાય તો સંબંધિત તંત્રો કે કંપની તરફથી તત્કાળ કાર્યવાહી કરીને પુરવઠો તો મોટાભાગે ઝડપથી પૂર્વવત કરી દેવાતો હોય છે, પરંતુ આ પ્રકારની ક્ષતિઓ વારંવાર ન સર્જાય, તે માટે અનુભવો અને સૂચનો, ફરિયાદો આધારિત સુધારા-વધારા સાથે આગમચેતીના તમામ કદમ ઉઠાવીને તમામ વ્યવસ્થાઓ તથા માળખાકીય સુવિધાઓને વધુ ફૂલપ્રૂફ અને ગુણવત્તાયુવક કરવી જોઈએ તેમ નથી લાગતુ ? સમસ્યા ઊભી થાય પછી થીગડા મારવા દોડવા કરતા પાણી પહેલા મજબૂત પાળ બાંધવી એ વધુ શાણપણ ભર્યું ન ગણાય ?

અત્યારે શહેરમાં ચાલી રહેલા કામો માટે ઘણાં રહેણાંક વિસ્તારોમાં ઘણી વખત અચાનક પહોંચીને લોકોના ઉંબરા, ઓટલા અને ઘરઆંગણે ઉછરેલા નાના-મોટા વૃક્ષો વગેરેને જાળવવા માટે ખર્ચા કરીને સ્વખર્ચે લોખંડની નેટ નંખાવી હોય તેની ઓચિંતી તોડફોડ કરવાના બદલે આ પ્રકારનું કામ હાથ ધરવાનું હોય તેના એકાદ-બે દિવસ પહેલા તે વિસ્તારમાં માઈક ફેરવીને અને સાથે સાથે નોટીસ બોર્ડ મૂકીને લોકોને જાણ  કરી દેવામાં આવે, તો નગરજનો પોતે જ સ્વખર્ચે ઊભી કરેલી સુવિધાઓને અને વસ્તુઓને પોતાની રીતે ત્યાંથી હટાવીને સાચવી શકે, તે પ્રકારના જનસૂચનો પણ ધ્યાને લેવા અત્યંત જરૂરી છે, તેમ નથી લાગતું?

આ પ્રકારના કોન્ટ્રાકટ આપતી વખતે જે શરતો ટેન્ડર મંજુર કરતી વખતે રાખવામાં આવતી હોય, તેની પૂરેપૂરી અમલવારી કરાવાય, અને તેમાં આ પ્રકારની નવી શરતો પણ જરૂર પડ્યે ઉમેરીને પબ્લિકને ઓછામાં ઓછી પરેશાની થાય, તેવા કદમ ઉઠાવવા જરૂરી છે ખરું ને ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ચૂંટણી પ્રચારના અવનવા રંગ... ભૂતકાળમાં ઘેરાવ કરનારા ઘેરાયા... સમયની બલિહારી જ કહેવાય ને ?

લોકસભાની ચૂંટણીની વિધિવત પડઘમ વાગ્યા છે અને નોટિફિકેશન મુજબ આજથી રાજ્યમાં ઉમેદવારી નોંધાવવાની શરૂઆત સાથે જ જેને ટિકિટ મળી છે, તે ઉમેદવારો ઉપરાંત અપક્ષ ઉમેદવારો પણ ધીમે ધીમે વિધિવત રીતે ફોર્મ ભરીને ચૂંટણીજંગમાં ઝંપલાવશે. તા. ૧૯ મી સુધી ફોર્મ ભરાયા અને તે પછી તેની ચકાસણી થયા પછી પણ જે ઉમેદવારોનું મન બદલી જાય, કે ગોઠવણ થઈ જાય, તો તેઓ ફોર્મ ખેંચે, તે પછી તા. રર મી એપ્રિલની સાંજે એ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે વાસ્તવમાં કેટલા ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.

ઘણી વખત તો ઉમેદવારીપત્રો પરત ખેંચાઈ જાય, તે પછી પણ ઘણાં ઉમેદવારોનો 'અંતરાતમા' અચાનક જાગી ઉઠે અને પોતે મેદાનમાં નથી, તેવો પ્રચાર કરવા લાગે છે. જો કે, મતપત્રકમાં તો તેનું નામ પડી જ જાય છે, પરંતુ તે પછી ભાગ્યે જ કોઈ તેને મત આપતું હશે. આઝાદી પછી સતત આ પ્રકારની ભ્રમિત કરવાની પ્રવૃત્તિ થતી જ રહી છે, તેના પર પણ ચૂંટણી પંચની બાજ નજર રહેતી જ હશે ને ?

આજથી ત્રીજા તબક્કાના મતદાન માટે ઉમેદવારીપત્રો  ભરવાનું શરૂ થશે, તેમાં ગુજરાતની તમામ ર૬ બેઠકોનો સમાવેશ થાય છે. ત્રીજા તબક્કામાં ૭ મી મે ના દિવસે મતદાન થવાનું છે, ત્યારે ૧૯ એપ્રિલ પછી તમામ રાજકીય પક્ષોના ઉચ્ચ સ્ટાર પ્રચારકોના પ્રયાસો ગુજરાતમાં વધુ થવાના છે.

ગુજરાતમાં ઉમેદવારીપત્રો ભરાઈ જાય, અને રર એપ્રિલે ચિત્ર સ્પષ્ટ થઈ જાય, તે પછી હાલાર સહિત સમગ્ર રાજ્યમાં જોરશોરથી પ્રચાર શરૂ થઈ જશે અને ૮ મી મે પછી ત્રીજી જૂન સુધી ગુજરાતમાં પ્રચાર-પડઘમ શાંત થઈ જશે અને ઉમેદવારો ઉચાટ વચ્ચે એ દરમિયાન આરામ ફરમાવશે, રાજકીય પક્ષોના ઉચ્ચ નેતાઓ તથા કેટલાક ઉમેદવારો પણ બાકી રહેલા તબક્કાઓ દરમિયાન અન્ય રાજ્યોમાં પોતાના પક્ષ કે પછી કોઈ ઉમેદવારની તરફેણમાં પ્રચાર કરવા જશે. ટૂંકમાં આજથી પહેલી જૂને છેલ્લો તબક્કો પૂરો થતા સુધી દેશનો માહોલ ઝંઝાવાતી ચૂંટણી પ્રચારના કારણે ગરમાગરમ રહેશે. આ દરમિયાન જ આ વખતે બોર્ડની પરીક્ષાઓના પરિણામો પણ વહેલા આવવાના હોવાથી તે પછી ઉચ્ચ અભ્યાસ માટે એડમિશન વગેરેની હડિયાપટ્ટી પણ શરૂ થવાની છે.

એ સમયની બલિહારી જ કહેવાયને કે થોડા વર્ષો પહેલા ચૂંટણીમાં ભાજપને હરાવવા મેદાને પડેલા હાર્દિક પટેલ હવે ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટણી પ્રચાર માટે નીકળ્યા, ત્યારે તેને રૂપાલા વિરોધી આંદોલન કરનારા લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો. આ પ્રકારની ભાજપના નેતાઓની ઘેરાબંધી વખતે તેને પોતાના આંદોલનકાળની સ્મૃતિઓ પણ તાજી થઈ જ ગઈ હશે ને?

જુદા જુદા આંદોલનોમાંથી ઉભરેલા ઘણાં યુવાનો સહિતના નેતાઓ આજે જુદા જુદા પક્ષમાં જોડાઈ ગયા છે. હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર સહિતના યુવા નેતાઓ ભાજપમાં છે, તો કન્હૈયાકુમાર કોંગ્રેસમાં છે. અન્ના આંદોલનમાંથી ઉભેરલા કિરણ બેદી, યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ કુમાર વિશ્વાસ જેવા નેતાઓ હાંસ્યિામાં ધકેલાઈ ગયા છે, જ્યારે કેજરીવાલ, સિસોદીયા વગેરે ભ્રષ્ટાચારના કથિત આરોપો હેઠળ જેલમાં છે !

આ વખતે પ્રારંભથી જ લોકસભાની ચૂંટણીનો કાંઈક અલગ જ રંગ દેખાઈ રહ્યો છે, અને કેટલીક રમુજ ઉપજે તેવી ઘટનાઓ પણ રાજકીય પ્રચારનું કેન્દ્ર બની રહી છે. બિહારમાં તો લાલુ પ્રસાદ યાદવની દીકરી મીસા ભારતીએ કેન્દ્રમાં સત્તા પર આવ્યા પછી વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જેલમાં પૂરી દેવાની ચીમકીની ચર્ચા થઈ રહી છે, તો દીકરા તેજસ્વી યાદવે માછલી અને પછી સંતરુ ખાતા હોવાનો વીડિયો વાયરલ થયા પછી ભાજપ અને નિતીશ કુમારને વળતો જવાબ આપ્યો, તેની ચર્ચામાંથી જ બિહાર ને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો મુદ્દો પણ પ્રગટ્યો!

હજુ તો પ્રથમ તબક્કાનું મતદાન થયું નથી, ત્યાં જ આ પ્રકારનો માહોલ જામ્યો છે, ત્યારે ચૂંટણી સમાપ્ત થતા સુધીમાં હજુ ઘણું બધું અવનવું બોલાશે અને ઘણાં ખેલ થશે આ દરમિયાન ભાજપમાંથી કોંગ્રેસમાં થઈને તૃણમૃલ કોંગ્રેસમાં જોડાયેલા શત્રુધ્નસિંહાએ કહ્યું કે એનડીએ પરાજયના ભયથી ગભરાય છે...!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સ્વાદ, વાદ-વિવાદ, સંવાદની જનક 'જીભ' કાબૂ બહાર જાય, તો માનવ થાય બરબાદ.... જાહેરમાં જોડાવે હાથ....

માનવ શરીરમાં સૌથી કોમળ 'જીભ' એટલી તાકાતવાળી છે કે તે શરીરની ઈમ્યુનિટી વધારી પણ શકે છે, અને બગાડી પણ શકે છે. જીભના કારણે જ માનવીને સ્વાદની પરખ થાય છે. જીભ મારફતે ઉચ્ચારાતા શબ્દો પણ માનવીની જિંદગી સુધારી પણ શકે છે, અને બરબાદ પણ કરી શકે છે, ગમે તેટલી જીંદાદિલી, ઉદાર અને પ્રામાણિક વ્યક્તિ હોય,  પરંતુ તેની જીભ કડવી હોય અને હંમેશા કોઈને ન ગમે તેવા શબ્દો જ ઉચ્ચારતા હોય, તો તે કોઈને ન ગમે અને ઘણાં ચતુર લોકો મીઠું મીઠું બોલીને ધાર્યંુ કામ કઢાવી શકતા હોય છે. કારણ કે તેઓની 'જીભ' મીઠી હોય છે !

ઘણાં મોટા માણસો, નેતાઓ અને સેલિબ્રિટિઝની જીભ પણ ઘણી વખત લપસી જતી હોય છે, ત્યારે ઘણી વખત લોકો પોતાની 'જીભ'નો પણ દુરૂપયોગ કરીને જુઠાણાં ચલાવતા હોય છે, ઘણી વખત જીભ લપસી જાય, ત્યારે તેના કેવા પરિણામો આવતા હોય છે, તેના ઘણાં દૃષ્ટાંતો દરેક ક્ષેત્રમાં મળતા હોય છે, પરંતુ હમણાંથી રૂપાલા પ્રકરણ વાણી વિલાસના  દુષ્પરિણામોનું સૌથી તાજું દૃષ્ટાંત 'ટોક ઓફ ધ સ્ટેટ' માંથી હવે 'ટોક ઓફ ધ નેશન' બની રહ્યું છે.

સામાન્ય રીતે રૂડુ અને મોજ કરાવે તેવું બોલતા વ્યક્તિની પણ અનાયાસે જીભ લપસી જાય, તો તેના ગંભીર પરિણામો આવતા હોય, તેના અન્ય ઘણાં દૃષ્ટાંતો પણ છે અત્યારે જેલ ભોગવી રહેલા અરવિંદ કેજરીવાલે પણ કેટલાક બદનક્ષીના કેસોમાં અદાલતોમાં જઈને જાહેરમાં માફીઓ માંગવી પડી હતી, આવું અન્ય પણ ઘણાં રાજનેતાઓ તથા સેલિબ્રિટીઝ સાથે પણ થયું છે જે સર્વવિદિત છે.

જેવી રીતે જુદા જુદા સ્વાદ માણવા જતા બીમાર પડી જવાય અને 'સ્વાદ'નો ચટાકો ચડે અને કાયમી ધોરણે આહારમાં કાળજી ન રખાય તો ગંભીર પ્રકારના રોગ થઈ જાય, તેવી જ રીતે જો 'જીભ' લપસી જાય કે બેકાબૂ બની જાય તો ઘણી વખત બધાના અણમાનીતા થઈ જવાય, પ્રશ્ચાતાપ પણ સ્વીકૃત ન થાય, વારંવાર માંગવા છતાં માફી ન મળે અને ઘણી વખત તો મોટી તકરારો પણ થઈ જાય. મહાભારતની કથા મુજબ દુર્યોધનને કટાક્ષ કરતી વખતે દ્વૌપદીની જીભ લપસી ન હોત, તો કદાચ આ મહાયુદ્ધની બુનિયાદ જ રચાઈ ન હોત, ખરું ને ?

વર્ષ-ર૦૧૪ ની લોકસભાની ચૂંટણી પહેલા દેશભરમાં યોગાનો પ્રચાર-પ્રસાર કરીને ખ્યાતનામ બનેલા બાબા રામદેવ પણ આજકાલ કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે, અને તેઓને પણ સુપ્રિમ કોર્ટની કોઈ કેસમાં માફી માંગવી પડી છે, તે બધા જાણે છે. કોરોના સમયે પતંજલિની કોઈ દવાઓની જાહેર ખબરોને સંબંધિત કેસના ગુણદોષમાં આપણે પડવું નથી, પરંતુ પતંજલિ સામે સુપ્રિમ કોર્ટે અપનાવેલું કડક વલણ પોતાના પ્રોડકટ વેંચાણ માટે મોટી મોટી અને ખોટેખોટી જાહેરાતો કરતી અન્ય કંપનીઓ માટે પણ બંધનકર્તા બનવાનું છે. એવું કહેવાય છે કે સર્વોચ્ચ અદાલતે મોટી મોટી જાહેરાતો અને પબ્લિસિટી કરીને માત્ર દવાઓ જ નહીં, પરંતુ  અન્ય ખાવાપીવાના પ્રોડકટ્સ વેચતી એફએમસીજી કંપનીઓ એટલે કે ફાસ્ટ મૂવીંગ કન્ઝયુમર ગુડ્ઝ વેચતી તમામ કંપનીઓ-પેઢીઓ સામે પણ  આ પ્રકારની જ કાનૂની કાર્યવાહીના સંકેતો પણ આપ્યા છે. સુપ્રિમ કોર્ટે પતંજલિ દ્વારા કોરોનાની સારવારની જાહેરાતોના કેસમાં ઉત્તરાખંડ સરકારને પણ ફટકાર લગાવી છે.

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કે અન્ય સંસ્થા દ્વારા પતંજલિ પ્રોડકટ્સ અંગે થતી પબ્લિસિટી સામે વાંધો લેવાયો હોય તો તેનો અર્થ એવો નથી કે આઈએમએ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિનું વિરોધી છે. હકીકતે આઈએમએ માત્ર એલોપેથી નહીં, પરંતુ અન્ય ચિકિત્સા પદ્ધતિનું પણ સન્માન કરે છે તેવા પ્રકારનો દાવો થઈ રહ્યો છે, ત્યારે હવે જોવાનું એ રહે છે કે જેવી રીતે પતંજલિ દ્વારા થતી તેની કેટલાક પ્રોડકટ્સની પબ્લિસિટી સામે વિરોધ કરનારા અને કોર્ટમાં જનારા લોકો અથવા સંગઠનો હવે એફએમસીજી કંપની સામે પણ એટલી જ તીવ્રતાથી કદમ ઉઠાવે છે. કે નહીં, અને સરકારી તંત્રો આ મુદ્દે જાગૃત બને છે કે નહી.... કારણ કે નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ લોકોના આરોગ્ય તથા જીવનની સુરક્ષા સાથે ખીલવાડ થતો હોય તો કોઈપણ ગેરમાર્ગે દોરતી વ્યક્તિ કે કંપની સામે પતંજલિ ફેઈમ કડક વલણ નહીં અપનાવાય, તો તેના અર્થઘટનો અને આશંકાઓ ઘણાંના પગતળે રેલો પણ લાવી શકે છે. કેટલાક ઔષધો, પ્રોડકટ્સ અને ખાવા-પીવાની ચીજોથી બાળકોની લંબાઈ વધી જાય, બાળકો તંદુરસ્ત અને શક્તિશાળી બની જાય, ગંભીર બીમારીઓ મટી જાય, અમુક પ્રકારના પદાર્થો રસોઈમાં વાપરવાથી હૃદયરોગનો ખતરો ઘટી જાય, તેવા પ્રચારની વાસ્તવિકતા પણ તપાસવી જરૂરી જ ગણાયને ? સંબંધિત તંત્રો શું કરે છે?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ચૂંટણી ટાણે મતદાતા જ સર્વોચ્ચ વીવીઆઈપી ગણાય, .... ભૂલતા નહીં હો...!

દેશભરમાં ચૂંટણીપ્રચારનો માહોલ છે, અને તમામ રજકીય પક્ષો વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજીને મતદારોને રિઝવવાના પ્રયાસો કરી રહ્યા છે. ઉમેદવારો, નેતાઓ, સ્ટાર પ્રચારકો અને કાર્યકર્તાઓ દ્વારા રેલીઓ, રોડ-શો, જૂથ ચર્ચાઓ, ઘેર-ઘેર સંપર્ક, મેરેથોન મિટિંગો, બાઈક રેલીઓ, જાહેરસભાઓ ઉપરાંત ઈન્ટરનેટના માધ્યમથી લાઈવ ટેલિકાસ્ટ, સોશ્યલ મીડિયા દ્વારા વીડિયો, ઓડિયો, અને મેસેજીસ દ્વારા મતદારો સુધી પહોંચવાના પ્રયાસો અને ટ્રેડિશ્નલ મીડિયા, લોક-કલાકારો, અભિનેતાઓ-અભિનેત્રીઓ, ભજનિકો, સંગીતકારો, ચિત્રકારો તથા વિવિધ ક્ષેત્રના મહારથીઓને સાંકળીને દિવસ-રાત ધૂંઆધાર પ્રચાર થઈ રહ્યો છે. આ માહોલમાં કેટલાક સ્થળે ઘર્ષણ, સંઘર્ષ કે તકરારો જ્યારે હિંસક બને છે, ત્યારે સુરક્ષાકર્મીઓની કસોટી થાય છે, અને લોકતંત્રને કલંક પણ લાગે છે.

ચૂંટણીનો પ્રચાર થતો હોય, ત્યારે ઉમંગ હોય, ઉત્સાહ હોય, તંત્રોની મંજુરીઓ મેળવીને વિવિધ કાર્યક્રમો યોજાતા હોય. ત્યારે રોજીંદા માહોલમાં પરિવર્તન દેખાય, એ સ્વાભાવિક છે. થોડો-ઘણો કોલાહલ થાય, લોકોની અવર-જવર વધે, કેટલીક રોજીંદી પ્રક્રિયાઓેને ખલેંલ પહોંચે અને જાહેર વ્યવસ્થાઓ, પરિવહન, સામાન્ય સેવાઓમાં પણ થોડી-ઘણી અડચણો દેખાય, તેને લોકતંત્રના આ મહોત્સવનો હિસ્સો ગણીને આપણે અવગણીને ચૂંટણીઓના માહોલમાં ઓતપ્રોત થઈ જતાં હોઈએ છીએ, અને તે પ્રશંસનિય પણ છે. આપણા ઘરે કોઈ મંગલ પ્રસંગ હોય, ગામમાં કોઈ મોટો ઉત્સવ ઉજવાતો હોય કે તહેવારો હોય, ત્યારે આ જ પ્રકારની સ્થિતિ ઊભી થતી હોય છે, તેને આપણે ખૂબ જ સહજ રીતે સ્વીકારી લેતા હોઈએ છીએ, તેવી જ રીતે આ મહાપર્વમાં પણ રોજીંદા જીવનમાં થોડી તકલીફ પડે, તો ચલાવી લેવું જ પડે. આ આઝાદ ભારતના પ્રત્યેક દેશપ્રેમી નાગરિકની પવિત્ર ફરજ પણ છે, ખરું ને?

જો કે, આપણે જવાબદાર નાગરિક તરીકે વખતોવખત તંત્રો તરફથી અપાતી ગાઈડલાઈન્સ, સૂચનો અને સલાહોને લક્ષ્યમાં પણ લેવી જ જોઈએ, એટલું જ નહીં, પ્રચાર-પ્રસારના આ કાર્યક્રમો દરમિયાન સામાન્ય જનતાને ઓછામાં ઓછી તકલીફ પડે તેનું ધ્યાન પણ રાખવું જ જોઈએ, ચૂંટણી પ્રચાર દરમિયાન પણ ટ્રાફિકના નિયમોનું ચૂસ્તપાલન થાય, દર્દીઓ, બુઝુર્ગો, રાહદારીઓને પરેશાની ન થાય, વિદ્યાર્થીઓના અભ્યાસ અને વાચનમાં ખલેલ ન પહોંચે તેથી પૂરેપૂરી કાળજી પણ ઉમેદવારો,નેતાઓ, કાર્યકરો, સ્ટાર પ્રચારકો અને વિવિધ કાર્યક્રમોના આયોજકો-ઈવેન્ટ મેનેજરોએ રાખવી જ જોઈએ, ખરું કે નહીં ? આ અંગે ચૂંટણી તંત્રે પણ કડક વલણ કાયમ રાખવું જોઈએ, તેમ નથી લાગતું ?

ચૂંટણી પ્રચાર દરમિયાન નારેબાજી થાય, સુત્રોચ્ચાર થાય, પબ્લિક એડ્રેસ સિસ્ટમ મારફત લોકોને ઉદ્દેશીને એનાઉન્સીંગ થાય, રોડ-શો દરમિયાન ગીત-સંગીત, નાચ-ગાન વગેરે થાય, એ સ્વાભાવિક છે, પરંતુ એ બાબતની કાળજી લેવી જ જોઈએ, કે આ પ્રવૃત્તિઓ જન-સામાન્ય માટે અસહ્ય ઘોંઘાટ ન બને.

ખાસ કરીને રાજકીય પક્ષો-ઉમેદવારો-કાર્યકર્તાઓએ ભરબપોરે કે મોડી રાત્રે લોકોના રોજીંદા જીવનને અસર ન થાય, અને વિદ્યાર્થીઓને વાચન-અભ્યાસમાં ડિસ્ટર્બ ન થાય, તે માટે વિશેષ જાગૃત રહેવાની જરૂર હોય છે, ખરું ને ?

ચૂંટણીતંત્ર દ્વારા વખતોવખત જે કોઈ આદેશો થાય, જાહેરનામા પ્રસિદ્ધ થાય કે સૂચનાઓ-માર્ગદર્શિકાઓ અપાય, તેનું પાલન કરવું અત્યંત આવશ્યક છે, અન્યથા એ કવાયતનો કોઈ મતલબ જ રહેતો નથી. સાચી વાત છે ને ? કારણ કે તંત્રો મોટા ભાગે કાગળ પર જ દોડતા હોય છે.

પ્રચાર કાર્ય માટે રેલીઓ કે રોડ-શો યોજાય, ત્યારે ધ્વનિ નિયંત્રણ, કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટેની સાવચેતી, છાંયડો, પાણીની વ્યવસ્થા કરવાની સાથે સાથે તમામ નિયમ-કાનૂનોનું પાલન થવું પણ એટલું જ જરૂરી છે, દૃષ્ટાંત તરીકે રોડ-શો, બાઈક રેલીઓ, પ્રદર્શનો, સરઘસો વગેરે યોજાય, ત્યારે ટ્રાફિકના નિયમો વિસરાય ન જાય, અને સામાન્ય લોકોની પરેશાની વધી ન જાય, તેનું પણ ધ્યાન રાખવું જ પડે ને ?

ચૂંટણી પ્રચાર દરમિયાન ઉત્સાહના અતિરેકમાં અવિવેક ન થઈ જાય, ન બોલવાનું બોલાઈ ન જાય અને જીભ લપસી ન જાય, તેનું દૃષ્ટાંત તો આપણી સામે જ છે ને  ?

ચૂંટણી પ્રચાર દરમિયાન એ યાદ રાખવું જરૂરી છે કે લોકતંત્રમાં 'કોમન મેન' ટોચ ઉપર હોય છે અને વીઆઈપી કે વીવીઆઈપીની સરભરા-સુવિધા દરમિયાન સામાન્ય જનતાને કોઈ પણ પ્રકારની તકલીફ પડવી ન જોઈએ. ભલે ચૂંટાયા પછી નેતાઓ વીઆઈપી ટ્રિટમેન્ટ મેળવે અને મોજ કરે, પરંતુ ચૂંટણી ટાણે તો મતદાતા જ સર્વોચ્ચ વીવીઆઈપી હોય છે, તે ભૂલવું ન જોઈએ...!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ચૂંટણી ગરીબી વોટ-પ્રોડક્ટર છે? ગરીબો ભલે ઘટે, ગરીબી અમર હો! સમસ્યા અને સિયાસત પરસ્પર પૂરક!

લોકસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. વડાપ્રધાન મોદી દરરોજની ત્રણ-ચાર રેલીઓ, એકાદ-બે રોડ-શો તથા સંલગ્ન પ્રચારાત્મક કાર્યક્રમો માટે દેશના ખૂણે ખૂણે પહોંચી રહ્યા છે, તો હવે રાહુલ ગાંધીએ પણ રફ્તાર પકડી છે. ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને સ્ટાર પ્રચારકોની ચૂંટણીસભાઓ ગગન ગજવી રહી છે, તેવી જ રીતે એનડીએ, ઈન્ડિયા ગઠબંધનો તથા અન્ય રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષો વિવિધ રાજ્યોમાં ધૂંઆધાર પ્રચાર કરી રહ્યા છે, જ્યારે આમ આદમી પાર્ટી પણ અલગ જ અંદાજથી ચૂંટણી ઝુંબેશ ચલાવી રહી છે.

આ ચૂંટણી પ્રચારની સાથે સાથે મીડિયા-અખબારો અને સોશ્યલ મીડિયાના માધ્યમથી વિવિધ મુદ્દાઓને લઈને રાજકીય પક્ષો, ઉમેદવારો અને સમાજના વિવિધ વર્ગો, વિવિધ ક્ષેત્રોના દિગ્ગજો જ નહીં, પરંતુ સ્ટુડન્ટ્સ, યુવાવર્ગ, મહિલાઓ તથા બુદ્ધિજીવી વર્ગો અને નોકરિયાતોથી લઈને સ્ટ્રીટ થેન્ક્સ, લેબર્સ સુધીના વર્ગોમાં પણ જબરદસ્ત ચર્ચાઓ, કોમેન્ટો અને સંવાદ-વિવાદો પણ થઈ રહ્યા છે.

દેશમાં મોંઘવારી, બેરોજગારી, ગરીબી અને લોકોની વિવિધ સ્થાનિક સમસ્યાઓના કારણે જે જમીની હકીકતો છે, તેની ચર્ચા થઈ રહી છે, તો એનડીએના સ્ટાર પ્રચારકો અને પ્રવક્તાઓ છેલ્લા દસ વર્ષમાં દેશની પ્રગતિ, ભાજપે કરેલા વાયદાઓ અને એનડીએ સરકાર દ્વારા તેની પૂર્તતા, અયોધ્યામાં રામમંદિર, સર્જિકલ અને એરસ્ટ્રાઈક અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની સિદ્ધિઓ વર્ણવી રહ્યા છે, તો વિપક્ષો મોદી સરકારને તદ્ન નિષ્કામ ગણાવીને તાનાશાહી, એજન્સીઓના દુરૂપયોગ તથા ભાજપના પ્રોપાગન્ડાથી દેશની વાસ્તવિક સ્થિતિ ભિન્ન હોવાના દાવા સાથે એનડીએ પર પ્રહારો કરી રહ્યા છે.

વડાપ્રધાન ચૂંટણીસભાઓમાં ઘણીબધી વાતો કરે છે, તેમાં ગરીબી હટાવવાની વાત ભારપૂર્વક કરે છે. વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કરીને તેઓ કહે છે કે દેશમાંથી જ્યાં સુધી ગરીબી દૂર નહીં કરી દઉં, ત્યાં સુધી ઝંપીશ નહીં, વગેરે...

દાયકાઓ પહેલા કોંગ્રેસના શાસન દરમિયાન ઈન્દિરા ગાંધીએ પણ 'ગરીબી હટાવો'નો નારો આપ્યો હતો અને તેને મુદ્દો બનાવીને કેટલીક ચૂંટણીઓ પણ જીતી હતી. તે સમયે પણ ગરીબલક્ષી યોજનાઓ અમલી બની હતી અને ક્રમશઃ ગરીબી ઘટી રહી હોવાના દાવા પણ થયા હતાં, પરંતુ ગરીબી તો જાણે અમરપટ્ટો લગાવીને આવી હોય તેમ મોજુદ જ રહી હતી.

અત્યારે પણ ગરીબીમાં ઘટાડો થઈ રહ્યો હોવાના દાવા સાથે જણાવાઈ રહ્યું છે કે, છેલ્લા દાયકા દરમિયાન લગભગ ર૦ થી રપ કરોડ ગરીબો ગરીબીમાંથી બહાર આવ્યા છે. આ આંકડાઓની માયાજાળને કેન્દ્રમાં રાખીને પણ રસપ્રદ ચર્ચાઓ થઈ રહી છે.

તટસ્થ વિશ્લેષકો, રાજકીય પંડિતો, વિચારકો અને વિવેચકો દ્વારા એવું એક સર્વસામાન્ય તારણ નીકળી રહ્યું છે કે, આઝાદી મળી પછી તમામ સરકારોએ ગરીબી હટાવવાના દાવાઓ કર્યા, યોજનાઓ બનાવી અને ગરીબી ઘટાડવાના પ્રયાસો પણ કર્યા, એવી જ રીતે પ્રવર્તમાન સમયમાં પણ કેન્દ્ર અને રાજ્ય સરકારો ગરીબલક્ષી યોજનાઓ બનાવી રહી છે, અને અમલ પણ કરતી જ રહી છે. જુના સમયમાં સરકાર દ્વારા એક રૂપિયો મોકલાય, તો ૧પ પૈસા ગરીબો સુધી પહોંચતા હોવાના રાજીવ ગાંધીના નિવેદનને વારંવાર ટાંકવામાં આવે છે, પરંતુ હવે તો ડાયરેક્ટ બેનિફિટ પારદર્શક રીતે મળે, અને લાભાર્થીના બેંક ખાતામાં પૂરેપૂરી સહાય ડીબીટીથી જમા થઈ જાય, તેવી વ્યવસ્થા વિસ્તરી રહી છે, ત્યારે ગરીબોની સંખ્યા ઘટવા છતાં ગરીબી કેમ ઘટી રહી નથી, તેવા સવાલના રસપ્રદ અને સોલીડ તારણો પણ કાઢવામાં આવી રહ્યા છે.

આ તટસ્થ કારણો મુજબ હકીકતમાં 'ગરીબી' રાજકીય પક્ષો તથા ઉમેદવારો માટે પ્રચારનો મુદ્દો હોવા કરતા યે વધુ એક વોટ-પ્રોડક્ટર ઓજાર અથવા મશીન જેવી છે, જે મતોનું જથ્થાબંધ ઉત્પાદન કરીને ચૂંટણીઓ જીતાડે છે. તેથી રાજકીય પક્ષોનો કદાચ આ ગુપ્ત એજન્ડા પણ હોઈ શકે કે ગરીબોની સંખ્યા ભલે યોજનાકીય લાભો કે પછી તેઓના પોતાના પ્રયાસો અને પરિશ્રમના કારણે થોડી-ઘણી ઘટે, પરંતુ ગરીબી તો અમર જ રહેવી જોઈએ, કારણ કે આ વોટ-પ્રોડક્ટર યંત્રની બધાને જરૂર છે... હમામ મે સબ નંગે હૈ...

હકીકતે સમસ્યા અને સિયાસન પરસ્પર પૂરક ગણાય, સમસ્યા સર્જાય, ત્યારે તેને વગોવીને વિપક્ષો રાજનીતિ કરે, અને થોડી-ઘણી સમસ્યાઓ ઉકેલાય, ત્યારે તેનો ઢોલ પીટીને વાહવાહી કરીને શાસક પક્ષો રાજનીતિ કરે, અને ભોળી જનતા તેમાં અટવાયા કરે...

એક તરફ પચીસેક કરોડ લોકો ગરીબીની રેખાથી ઉપર આવ્યા હોય, બીજી તરફ દેશમાં ૮૦ કરોડ ગરીબ લોકોને મફત અનાજ આપવું પડતું હોય અને કરોડો ગરીબ લોકોને શૌચાલયો અને આયુષ્માન કાર્ડ જેવી યોજનાઓનો લાભ અપાતો હોવાના દાવા થાય ત્યારે સવાલ એ ઊઠે કે, આપણા દેશમાં હકીકતે ગરીબો કેટલા છે? આઝાદીનો અમૃત કાળ આવ્યો છતાં ગરીબી નાબૂદ કેમ થઈ નથી?... મતોનું મશીન છે એટલે?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

બળબળતા તડકા પડવા શરૂ... આઈએમડીની આગાહીઓ... ઈ.સી. સામે પડકાર... પક્ષો-ઉમેદવારો સાવધાન...

ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અને દેશના કેટલાક રાજ્યોમાં માવઠું થવાની આગાહી થઈ છે. એક તરફ કમોસમી વરસાદથી સામાન્ય જનજીવન તથા ખેતીવાડી પર વિપરીત અસર પડતી હોય છે, તો બદલતું રહેતું હવામાન જુદી જુદી બીમારીઓ પણ વધારતું હોય છે. આ ઉપરાંત અત્યારે લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે, ત્યારે ચૂંટણીસભાઓ, રેલીઓ, રોડ-શો સહિત વિવિધ પ્રકારે પ્રચાર કરતા નેતાઓ, કાર્યકર્તાઓએ પણ ભીષણ ગરમીના સમયે વધુ સાવધાન રહેવું પડે તેમ છે, એટલું જ નહીં, જનમેદની એકઠી કરતા રાજકીય પક્ષો તથા ઉમેદવારો વગેરે આયોજકો દ્વારા પણ ગરમીને લક્ષ્યમાં લઈને કાર્યક્રમોના સ્થળે પૂરતા પ્રમાણમાં છાંયડો, ગરમીમાં રાહત આપતા ઉપકરણો અને પીવાનું પાણી વગેરે વિવિધ વ્યવસ્થાઓ પણ કરવી જોઈએ. હકીકતે આ પ્રકારની વ્યવસ્થાઓ કરવાનું ફરજીયાત હોવું જોઈએ. અને આ મુદ્દાનો સમાવેશ આદર્શ આચાર સંહિતામાં કરીને ચૂંટણી પ્રચારના કાર્યક્રમો દરમિયાન ગરમીના કારણે થતી અસરો, દુર્ઘટના કે જન-સામાન્યના સ્વાસ્થ્યની જવાબદારી પણ સુનિશ્ચિત કરવા માટે ચોક્કસ પ્રબન્ધો થવા જોઈએ, તેમ નથી લાગતું !

અત્યારથી જ ધગધગતા તડકા પડવા લાગ્યા છે, ત્યારે એપ્રિલ એન્ડીંગ અને મે મહિનામાં કેવી ગરમી હશે, તેની કલ્પના જ ભયાવહ બની રહી છે, ત્યારે લોકસભાની ચૂંટણીના તમામ તબક્કા દરમિયાન ભીષણ ગરમી અને કમોસમી વરસાદની પણ સંભાવનાઓ-આગાહીઓ જોતા ઉમેદવારો, પક્ષો જ નહીં, ચૂંટણી તંત્રે પણ આ વખતે વિશેષ વ્યવસ્થાઓ ચોક્કસપણે કરવી જ પડશે, તે નક્કી જણાય છે.

આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગના વડા મહાપાત્રાને ટાંકીને આ મુદ્દે એક નવી જ ચર્ચા થઈ રહી છે અને તેને 'વન નેશન-વન ઈલેકશન'ના કોન્સેપ્ટ સાથે સાંકળીને વિવિધ અભિપ્રાયો પણ અપાઈ રહ્યા છે. આઈએમડી દ્વારા ચૂંટણીના તબક્કાઓ દરમિયાન તીવ્ર ગરમી, થશે, તેવી આગાહીઓ થઈ છે અને તેને લક્ષ્યમાં લઈને ચૂંટણીપંચ જરૂરી વ્યવસ્થાઓ કરશે, તેવી આશા સેવાઈ રહી છે. જો કે, આઈએમડીએ મતદાનના સમયમાં ફેરફાર કરવા કે પછી ચૂંટણી કાર્યક્રમો, રોડ-શો, જાહેરસભાઓ વગેરેને લઈને કોઈ ચોક્કસ દરખાસ્ત પણ કરી નથી, પરંતુ આ વર્ષે જો આટલી ભીષણ ગરમી પડવાની જ હોય તો ભરબપોરે બે-ત્રણ કલાકનો ભીષણ ગરમીનો સમયગાળો નક્કી કરીને તેટલા સમય માટે જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકીને તેટલો સમય વહેલી સવારે તથા મોડી રાત્રે છૂટછાટ આપીને સરભર કરી દેવો જોઈએ, તે દિશામાં ગંભીરતાથી વિચારીને ભારતીય ચૂંટણીપંચે (ઈસીએ) કોઈ નિર્ણય ઝડપભેર લેવો જોઈએ. ખરું કે નહીં ?

મૃત્યુંજય મહાપાત્રાએ તો 'વન નેશન - વન ઈલેકશન' નો નિર્ણય લેવાય તો તે માટે પહેલાં હવામાનની સ્થિતિ તથા વિવિધ પ્રદેશોમાં ચાલતા ઋતુચક્રને અનુરૂપ ચૂંટણીના (મતદાન અને પ્રચાર માટે) તબક્કાઓ નક્કી કરવા જોઈએ. જો કે, આ વખતે પણ લોકસભાની ચૂંટણીની જાહેરાત કરતા પહેલાં ચૂંટણીપંચે તારીખો જાહેર કરતા પહેલા આઈએમડી (હવામાન ખાતા)ની સલાહ લીધી હતી.

હીટવેવ કે માવઠા જેવા સંજોગોમાં મતદારો અને ઉમેદવારો, રાજકીય પક્ષો ઉપરાંત ગ્રાસ રૂટ સુધીના ચૂંટણીતંત્રોએ પણ વિવિધ પ્રકારની સાવધાનીઓ રાખવી જ પડે. ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા કર્મચારીઓના સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનું જોખમ પણ રહેતું હોય છે. તેથી ચૂંટણીપંચે તેને સંબંધિત સાવચેતી પણ વિશેષ રીતે રાખવી પડતી હોય છે. ગરમીની આગાહીને લઈને જાહેર રેલીઓ, રોડ-શો, સભાઓમાં શિતળ છાંયડો, ઠંડુ પીવાનું પાણી અને પ્રાથમિક સારવારની સુવિધાઓ રાખવાની તો હવામાન વિભાગના વડાએ જરૂર જણાવી જ હતી, સાથે સાથે ચૂંટણી પંચ દ્વારા પણ મતદારો, ચૂંટણી સ્ટાફ અને સુરક્ષાકર્મીઓ માટે આ જ પ્રકારની વ્યવસ્થાઓ કાળજીપૂર્વક કરવામાં આવે, તે આવશ્યક ગણાવ્યું હતું.

હવે દસેક દિવસ પછી મતદાનના તબક્કાઓ શરૂ થઈ  જશે અને પહેલી જૂન સુધીમાં સાત તબક્કામાં ચૂંટણીઓ માટે મતદાન થશે, ત્યારે જે રાજ્યોમાં હવામાન વિભાગે ભીષણ ગરમી કે માવઠાની આગાહીઓ કરી છે, અને હવે પછી સમયાંતરે જે આગાહીઓ થાય, તેને અનુરૂપ રાજકીય પ્રચાર અને ચૂંટણીતંત્ર દ્વારા મતદાન તથા તે પછીની પ્રક્રિયાઓ માટે કાળજીપૂર્વક પ્રબન્ધો થાય, તે અત્યંત જરૂરી હોવાથી આ મુદ્દાને આદર્શ આચારસંહિતાનો હિસ્સો ગણીને યોગ્ય કદમ ઉઠાવવા જોઈએ ખરું ને ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ચૂંટણીની તારીખો જાહેર થયા પછી પક્ષાંતર પર પ્રતિબંધ ન મૂકી શકાય ? વિચારવા જેવું ખરું.... નહીં ?

દેશમાં તો લોકસભાની ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે, પરંતુ ગુજરાતમાં પ્રથમ અને બીજા તબક્કાના મતદાનની તારીખો વચ્ચેના સમયગાળામાં ચૂંટણી પ્રચાર પરાકાષ્ટાએ પહોંચશે, તેમ જણાય છે. તેનું કારણ એ છે કે એક તરફ રૃપાલા પ્રકરણના કારણે ભાજપ અટવાયો છે, તો ભાજપ અને કોંગ્રેસમાં છુપા અસંતોષ અને નારાજગીના કારણે કદાચ આંતરિક રીતે રિસામણા-મનામણાનો દોર પણ ચાલી રહ્યો છે., આ ઘટનાક્રમો વચ્ચે અદાલતી કાર્યવાહીઓ, ચુકાદાઓ, નેતાઓની નિવેદનબાજી અને તેના પ્રત્યાઘાતોની ચર્ચાઓમાં અત્યારે દેશની રાજનીતિ વ્યસ્ત જણાય છે.

કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૃપાલાએ આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરીને ચૂંટણી પ્રચાર શરૃ કરી દીધો, પોતાનું રાજકોટનું નિવાસસ્થાન બદલ્યુ અને સુરક્ષા વ્યવસ્થામાં વધઘટ થઈ, તે પ્રકારન અહેવાલોની સાથે સાથે આજની અમદાવાદની પ્રેસ કોન્ફરન્સ, મેરેથોન મિટિંગ, ક્ષત્રાણીઓ દ્વારા જાહેર કરવાની વોર્નિંગ અને દેશભરના રાજધરાનાઓના કેટલાક પ્રતિનિધિઓના ગુજરાતમાં સંભવિત આગમનના અહેવાલો પછી ગુજરાતમાં રાજકીય માહોલ વધુ ગરમાયો છે અને રૃપાલાના સમર્થનમાં પાટીદારોએ પણ પ્રદર્શનો શરૃ કરી દેતા રાજ્યમાં કયાંક વર્ગવિગ્રહ શરૃ ન થઈ જાય, તેવી આશંકાઓ વચ્ચે આજે સવારથી જે કાંઈ આ મુદ્દે બની રહ્યું છે, તે આપણી સૌની સામે જ છે અને લોકોના મનમાં એવો સવાલ પણ ઉઠી રહ્યો છે કે હવે શું થશે ?

ગઈકાલે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કરીને તેને 'ન્યાયપત્ર' નામ આપ્યું છે. આ ઘોષણપત્રમાં પાંચ પ્રકારના ન્યાય સાથે ૨૫ પ્રકારની ગેરંટી અપાઈ છે. કેન્દ્ર સરકારના વિભાગોમાં ૩૦ લાખ નોકરીઓ, જાતિ જનગણના, અનામતનો દાયરો વધારવો, ખેડૂતોને સંતોષકારક એમએસટી, મનરેગાની દૈનિક મજુરી ૪૦૦ રૃપિયા, પીએમએસએ કાયદામાં ફેરફાર, કેન્દ્રીય એજન્સીઓનો દુરૃપયોગ થતો અટકાવવાના પ્રબન્ધો, ગરીબ મહિલાઓને વર્ષે એક લાખ રૃપિયાની સહાય, સ્વામીનાથન કમિટીની ભલામણો મુજબ ખેડૂતોને લાભો તથા સચ્ચર કમિટીની ભલામણો લાગુ કરવા સહિતના વાયદાઓ કરાયા છે. કોંગ્રેસે પાંચ પ્રકારની ન્યાયની વાત પણ કરી છે. આ ઘોષણાપત્રના મિશ્ર પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે. ખાસ કરીને ખેડૂતો, શ્રમિકો, યુવાનો, મહિલાઓનું ન્યાય તથા આર્થિક, સામાજિક પછાતવર્ગોને અનામત અંગે મહત્ત્વપૂર્ણ પાંચ વાયદાઓની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે.

આમ તો આઝાદી પછી ચૂંટણી ઢંઢેરા દરેક જનરલ ચૂંટણીઓમાં રાજકીય પક્ષો દ્વારા ઘણાં દાયકાઓથી રજૂ થતા રહ્યા છે. પરંતુ હવે ચૂંટણી ઢંઢેરાઓ, અથવા મેનિફેસ્ટો કે ઘોષણાપત્ર ને સંકલ્પપત્ર, ન્યાયપત્ર, ગેરંટીપત્ર જેવા નવા નામ પણ અપાઈ રહ્યા છે, તેની સાથે સાથે આ ચૂંટણી ઢંઢેરાઓમાંથી કેટલા વાયદાઓનું પાલન થાય છે અને કેટલા વચનો વર્ષોવર્ષ રિપિટ થતા રહે છે, તેની ચર્ચા પણ ઠેર-ઠેર થઈ રહી છે. અને આ ચર્ચાઓમાં વજુદ પણ છે. આ કારણે જ એવી માંગ પણ ઉઠી રહી છે કે આ પ્રકારના ચૂંટણી ઢંઢેરામાં આપેલા વાયદા પૂરા કરવા જ પડે, તેવો કોઈ કાયદો ઘડાયો કે કાનૂની પ્રબંધો થાય, તે દિશામાં વિચારવું જોઈએ. આ વિચાર (કોન્સેપ્ટ) પણ ચર્ચાની એરણે ચડ્યો છે.

અત્યારે પબ્લિકમાં એવી ચર્ચા પણ વેગ પકડી રહી છે કે ચૂંટણી ટાણે પક્ષાંતરો કરીને બીજા પક્ષમાં જતા નેતાઓ-કાર્યકરોનો આંતરાત્મા વહેલો કેમ નહીં જાગતો હોય ? પોતાને કે પોતાની ઈચ્છા મુજબની વ્યક્તિને ટિકિટ મળે નહીં, ચૂંટણી પ્રચારની કામગીરીમાં પોતે ધારેલી જવાબદારી કે ઈચ્છિત હોદ્દો મળે તેમ ન હોય કે પછી કોઈ દબાણ કે  પ્રલોભન લલચાવતું હોય, તેવા કારણોસર મોટાભાગે પક્ષાંતર બરાબર ચૂંટણી ટાણે જ થતું હોવાની એક સર્વસામાન્ય માન્યતા છે. તેથી એક એવું સૂચન પણ થઈ રહ્યું છે કે ચૂંટણીની તારીખો જાહેર થઈ ગયા પછી કોઈપણ નેતા કે કાર્યકરના પક્ષાંતર પર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડવો જોઈએ.... વિચારવા જેવું ખરું .... નહીં?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

શું લોકસભાની ચૂંટણી પણ આઈપીએલ જેવી રોચક બની રહી છે ?

ભારતીય જનતા પક્ષ સામે પડકાર ઊભો કરનાર રૂપાલા પ્રકરણના પડઘા જામનગરમાં પણ પડ્યા અને ક્ષત્રિય સમાજની બહેનો પણ મોટી સંખ્યામાં જોડાઈ, તથા સુત્રોચ્ચાર સાથે આવેદનપત્ર અપાયું, તે ઘટના પછી હાલારમાં વધી રહેલો આ વિરોધ ટોક ઓફ ધ હાલાર બન્યો છે. તો બીજી તરફ પ.બંગાળના મહિલા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઝેરી સાપ પર વિશ્વાસ કરી શકાય, પરંતુ ભાજપ નો ભરોસો થઈ શકે નહીં, તેવા શબ્દપ્રયોગો કરતા વિવાદ જાગ્યો છે, તેણીએ ચૂંટણીપંચને પણ કેન્દ્રીય એજન્સીઓને દુરૂપયોગ બદલ ભાજપ સામે પગલા લેવાની હિમાયત કરી, તે પછી પ.બંગાળમાં ભાજપ અને તૃણમૃલ કોંગ્રેસ વચ્ચે વાક્યુદ્ધ શરૂ થઈ ગયું છે.

મહારાષ્ટ્રમાં પૂર્વ કોંગી નેતા સંજય નિરૂપમે કોંગ્રેસમાં પાંચ પાવર સેન્ટરોની વાત કરીને તેમાં ગાંધી પરિવારને પણ સાંકળી લીધા પછી ત્યાં રાજકારણ ગરમાયુ છે, અને હેમામાલિની અંગે સુરજેવાલા પર અભદ્ર ટિપ્પણીનો મુદ્દો પણ ગરમાયો છે જો કે, રૂપાલાના વિરોધમાં ઠેર-ઠેર વિરોધ-પ્રદર્શનો પછી રાજ્યમાં તેમની તરફેણમાં પણ પ્રદર્શનો શરૂ થતાં ગુજરાતમાં રાજનીતિ ફરીથી જ્ઞાતિવાદના ભમ્મરમાં અટવાઈ જશે, તેવી આશંકાઓ વચ્ચે ક્ષત્રિયો આ મુદ્દો રાષ્ટ્રીયકક્ષાએ લઈ જશે, તેવી સંભાવનાઓ પણ ઊભી થઈ રહી છે, ત્યારે ભાજપનું મોવડીમંડળ, ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજ કેવું વલણ અપનાવે છે, તે જોવાનું રહે છે. કદાચ એવું પણ બને કે પાર્ટીને ધર્મસંકટમાંથી ઉગારવાના નામે ખુદ રૂપાલા જ ચૂંટણીમાંથી ખસી જાય... જસ્ટ વેઈટ એન્ડ વોચ !

રાષ્ટ્રીય કક્ષાએ રોબર્ટ વાડ્રા હવે સક્રિય રાજકરણમાં ઝંપલાવશે અને કોંગ્રેસ ટિકિટ આપે, તો તેઓ અમેઠીથી લડવા પણ  તૈયાર છે. તેવા સંકેતો તેમણે પોતે જ આપતા આ અહેવાલો ગઈકાલે 'ટોક ઓફ ધ નેશનલ પોલિટિકલ સેકટર' બની ગયા હતા અને રાયબરેલીથી પ્રિયંકા ગાંધી અને અમેઠીથી રોબર્ટ વાડ્રા લોકસભાની ચૂંટણી લડે, તો તેની અસરો કોંગ્રેસ અને રાષ્ટ્રીય રાજનીતિ પર કેટલી પડે અને ભાજપના અમેઠીના ઉમેદવાર સ્મૃતિ ઈરાની સામે કેટલો મોટો પડકાર ઊભો થાય તેની ચર્ચા પણ વ્યાપક બની છે.

આરબીઆઈએ આજે ક્રેડિટ પોલિસી જાહેર કરી છે, જેમાં રેપોરેટ યથાવત રખાયા છે તેવા અહેવાલો વચ્ચે સોનુ, ચાંદી અને ગુજરાતમાં સીંગતેલના ભાવોમાં ગઈકાલના ઉછાળાએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યુ હતંુ, તો શેરબજારમાં આવતી ભરતી-ઓટ વચ્ચે ગઈકાલની તેજીની ચર્ચા ઈન્વેસ્ટર્સ અને વ્યાપાર-ઉદ્યોગના ક્ષેત્રોમાં પણ થઈ રહી છે, એટલું જ નહીં, માર્કેટની આ તેથીને આશ્ચર્યજનક રીતે રાજકીય ક્ષેત્રની સંભાવનાઓ સાથે તથા જાહેર થઈ રહેલા કેટલાક ઓપિનિયન પોલના તારણો સાથે પણ સાંકળવામાં આવી રહી છે !

ચૂંટણી ટાણે કોલકાતા હાઈકોર્ટે સંદેશખાલીને લઈને કરેલી ટિપ્પણીઓ અને મમતા સરકારને કરેલી ટકોર પણ 'ટોક ઓફ ધ નેશન' બની છે અને આ મુદ્દે મમતા બેનર્જી બેકફૂટ હોય તેમ જણાય છે, તથા કોંગ્રેસ અને ભાજપ પ.બંગાળમાં ફ્રન્ટફુટ પર આવીને નિવેદનો આપી રહ્યા છે.

ચૂંટણી સમયે કોઈપણ હિલચાલ થાય, કાનૂની કાર્યવાહીના ફેંસલા આવે, અદાલતો દ્વારા ટિપ્પણીઓ થાય કે પછી સોશ્યલ મીડિયામાં કોમેન્ટ થાય, તો તે બધું જ ચૂંટણીપ્રચારના ઝંઝાવાતમાં લપેટાઈ જતું હોય છે. આ કારણે જ કેજરીવાલની ધરપકડ અને તેનો વિરોધ, કે.કવિતાની જામીન અરજી, પ.બંગાળમાં હાઈકોર્ટની ટકોર વગેરે કાનૂની કાર્યવાહીઓની સીધી અસર ચૂંટણી પ્રચાર પર પડી રહી હોય તેમ નથી લાગતું ?

એવા અહેવાલો પણ વહેતા થયા છે કે રૂપાલાના મુદ્દે રાજકોટમાં ક્ષત્રિય સમાજનું તા. ૬ અને ૭ એપ્રિલનું મહાસંમેલન મોકૂફ રહ્યું છે અને જો રૂપાલા ફોર્મ ભરે તો જ આ મહાસંમેલન યોજાશે, તેવું જાહેર થયું છે, તો ગઈકાલે યોજાનારી પાટીદાર સમાજની કોઈ બેઠક પણ રદ થઈ હોવાનું કહેવાય છે. આ તાજા ઘટનાક્રમો પણ ઘણાં સૂચક જણાય છે. જોઈએ એક અઠવાડિયામાં આ મુદ્દે ઉપરથી કોઈ નિર્ણય લેવાઈ જશે તેમ જણાય છે તેથી આગળ શું થાય છે તે....

અત્યારે ચૂંટણી પ્રચાર અને તેના અહેવાલો એટલા બધા વ્યાપક બન્યા છે કે અત્યારે ચાલી રહેલી આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રભાવ પણ થોડો ઘટી ગયો હોય તેમ જણાય છે. એવું કહેવાય છે કે જિવંત પ્રસારણોના વ્યૂસર્સમાં પણ આ વખતે ઝડપભેર વધઘટ થઈ રહી છે !

જો કે, ગઈકાલે ગુજરાત ટાઈન્ટન્સ અને પંજાબ વચ્ચેની રસાકસીભરી મેચની ચર્ચા ક્રિકેટ રસિયાઓ વચ્ચે જરૂરથી થઈ રહી છે, અને પોઈન્ટ ટેબલની રસપ્રદ સારણી પણ રજુ થઈ રહી છે, પરંતુ જો લોકસભાની ચૂંટણી પ્રચારની આંધી ફૂંકાતી ન હોત, તો આ ટુર્નામેન્ટના અહેવાલો પણ હેડલાઈન્સમાં હોત, ખરું કે નહીં ?

આ વખતે ચૂંટણી એકતરફી છે અને એનડીએ ૪૦૦ પ્લસનો લક્ષ્યાંક સિદ્ધ કરી લેશે, તેવી અટકળો ધીમે ધીમે બદલાઈ રહી છે, અને એનડીએ માંડ માંડ સરકાર રચી શકશે, તેવા દાવાઓ થવા લાગ્યા છે, ત્યારે ચૂંટણી આવતા આવતા લોકસભાની ચૂંટણી પણ આઈપીએલ ટુર્નામેન્ટની જેમ રોમાંચક, રોચક અને રસાકસી ભરી બની જાય, તો નવાઈ જેવું નહીં હોય.... રાઈટ ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

છુટી તિહાડ, સિંહની દહાડ, જેલ કે તાલે તૂટેંગે, સારે નેતા છૂટેંગે... પોલિટિકલ ટ્વીસ્ટ, નેરેટીવ શિફટ !

સુપ્રિમ કોર્ટના આદેશ પછી ગઈકાલે સાંજે તિહાડ જેલમાંથી આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહ છુટ્યા અને બહાર આવતા જ સિંહની જેમ ગર્જના કરી. તેમણે કહ્યું કે જેલના તાળા તૂટશે અને તમામ નેતા છૂટી જશે. તેમણે એમ પણ કહ્યું કે આ જશ્ન મનાવવાનો સમય નથી, પણ સંઘર્ષ કરવાનું ટાણું છે.

સંજયસિંહના આ આક્રમક વલણના કારણે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો તો જોશમાં જણાયા, પરંતુ ઈન્ડિયા ગઠબંધનના અન્ય પક્ષોના નેતાઓમાં પણ જુસ્સો વધ્યો, અને કેન્દ્ર સરકાર અને ભાજપ પર વધુ એગ્રેસીવ થઈને તડાપીટ બોલાવવા લાગ્યા.

દેશમાં છેલ્લા કેટલાક સમયથી એવો માહોલ ઊભો થવા લાગ્યો હતો કે આ વખતે ચૂંટણી એકપક્ષીય થવા જઈ રહી છે અને એનડીએ સામે વિપક્ષી એકતા નબળી પડી રહી છે. વિપક્ષો પાસે મોદી જેવો ચહેરો નથી અને કોમન મીનીમમ પ્રોગ્રામ કે તમામ રાજ્યોમાં પૂરેપૂરી બેઠકો માટે સમજૂતિ પણ થઈ નથી. આ કારણે ભાજપની ૩૭૦ પ્લસ અને એનડીએની ૪૦૦ પ્લસ બેઠકો જીતવાની જે મહેચ્છા, તે પૂરી ન થાય તો પણ એનડીએની જ સરકાર ફરીથી સત્તારૃઢ થવાની છે, અને તેની સામે વિપક્ષોમાં નિરાશા ફેલાઈ રહી છે, જેના કારણે લોકસભાની ચૂંટણી હવે માત્ર એનડીએનો ૪૦૦ પ્લસનો ટાર્ગેટ પૂરો થાય છે કે નહીં, અને દરેક બેઠક પરથી એનડીએના ઉમેદવારોને પાંચ લાખથી વધુ મતોથી જીતાડવાના લક્ષ્યો પૂરા થાય છે કે કેટલાક વિવાદાસ્પદ એપિસોડો અને કેટલીક કાનૂની પ્રક્રિયાઓમાં લાગતા ઝટકાઓના કારણે લીડ કપાય છે, તે જ જોવાનું રહે છે.

સંજયસિંહનું જામીન પર છુટવું, દેશના કેટલાક રાજ્યોમાં ઓછું વર્ચસ્વ હોવાથી એનડીએની કવાયત, ગુજરાત સહિત કેટલાક સ્થળે ભાજપે જેને ટિકિટો ફાળવી છે, તેની સામે અસંતોષ, બોલકા નેતાઓના બફાટના કારણે ગુજરાત સહિત કેટલાક સ્થળે ભાજપ સામે ઊભા થયેલા પડકારો અને ખાસ કરીને કેન્દ્રીય એજન્સીઓનો દુરૃપયોગ, બેરોજગારી, મોંઘવારી અને તાનાશાહી જેવા મુદ્દાઓ વગેરેના કારણે ધીમે ધીમે માહોલ બદલાઈ રહ્યો છે અને હવે કેટલીક બેઠકો પર ભાજપના પાંચ લાખની લીડથી વિજયના સપના અધૂરા રહી જવાના છે, તે પ્રકારના અનુમાનો પણ થવા લાગ્યા છે. જો કે ઈન્ડિયા ગઠબંધનમાં પણ તમામ રાજ્યોમાં બેઠકોની સમજૂતિ થઈ નથી, પરંતુ કેજરીવાલની ધરપકડ પછી ઈન્ડિયા ગઠબંધનમાં જે જુસ્સો વધ્યો છે અને સંજયસિંહને જામીન મળ્યા પછી કાર્યકરોમાં પણ જોશ વધી રહ્યું છે, તથા વિપક્ષો પરસ્પર વધુ નજીક આવવા લાગ્યા છે, તે જોતાં એવું કહીં શકાય કે રાજકીય ક્ષેત્રે હવે પોલિટિકલ ટ્વીસ્ટ આવ્યું છે અને પોલિટિકલ નેરેટીવ પણ સ્વીફટ થવા લાગ્યું છે.

જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે, તેમ તેમ કેટલાક રાજકીય પક્ષોમાં તીરાડો કે તૂટ તડવાની ઘટનાઓ પણ વધી રહી છે. બિહારમાં ચિરાગ પાસવાનની પાર્ટીના રર નેતાઓએ પાર્ટી છોડીને ઈન્ડિયા ગઠબંધનને સમર્થન જાહેર કર્યું હોવાના અહેવાલો આવ્યા, તો બીજી તરફ મહારાષ્ટ્રમાં બળવો પોકારનાર કોંગીનેતા સંજય નિરૃપમને કોંગ્રેસે તગેડી મૂક્યા અને ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી દીધી, વાયનાડમાં રાહુલ ગાંધીએ ફોર્મ ભર્યુ તો ઈન્ડિયાના સાથી પક્ષ સીપીઆઈના ઉમેદાર એની રાજાએ વિરોધી સૂર વ્યકત કર્યા તો રાષ્ટ્રીય કક્ષાના સામ્યવાદી નેતાઓએ પણ કોંગ્રેસની આલોચના કરી !

ચૂંટણીની તારીખો જાહેર થઈ તે પહેલા જ ભાજપે કેટલીક બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી દીધા હતા અને તેવું જ કેટલાક વિપક્ષોએ પણ કર્યું હતું, પરંતુ ગુજરાતમાં તમામ ર૬ બેઠકો જંગી લીડથી જીતવાનું ભાજપને જેટલું સરળ લાગતુ હતું, તેટલું જ હવે મુશ્કેલ બની રહ્યું છે, અને ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં કેટલીક બેઠકો પર જાહેર કરાયેલા ઉમેદવારો સામે અસંતોષનો ચરૃ ઉકળતો હતો તેમાં રૃપાલા પ્રકરણ પછી બળતામાં ઘી હોમાયું, હવે ડેમેજ કંટ્રોલના પ્રયાસો નિષ્ફળ ગયા પછી રાજકોટ બેઠકને લઈને ભાજપ કેવું વલણ અપનાવે છે, તે જોવાનું રહે છે. આમ પણ છેલ્લી ત્રણ ટર્મથી લોકસભાની ચૂંટણીમાં ક્રમશઃ ઘટી રહેલા પ્રતિનિધિત્વ અને કેટલાક દિગ્ગજોને હાંસિયામાં ધકેલાયા પછી ભાજપમાં અસંતુષ્ટોનો એક વર્ગ ઉભો થયો હોવાના તારણો વચ્ચે હવે ચૂંટણી સુધીમાં રાજ્ય  અને દેશમાં કેટલાક પોલિટિકલ ટ્વીસ્ટ આવેે છે, તે જોવું રહ્યું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સંજયસિંહ બનશે સંજીવની... ધ્રુજતી ધરતી, સુનામીની આહટ વચ્ચે સિયાસતની સટાસટી....

સુપ્રિમ કોર્ટે આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહને જામીન આપ્યા પછી મીડિયામાં નિવેદનોની જાણે સુનામી આવી ગઈ છે, અને ગુજરાતમાં રાજકીય ક્ષેત્રે ભૂકંપ જેવી સ્થિતિ સર્જનાર રૂપાલા એપિસોડને લઈને આજે બપોરની મિટિંગ પર સૌની નજર છે, તો તાઈવાનમાં આવેલા ૭.પ ની આજુબાજુની તીવ્રતાના ભૂકંપે સર્જેલી તારાજીની સાથે સાથે અડધો ડઝન  જેટલા દેશોમાં પણ ધરતી ધ્રુજી અને કેટલાક દેશોમાં સુનામીની ચેતવણી અપાઈ, તેવા અહેવાલોએ પણ ચિન્તા જગાવી દીધી છે.

તાઈવાનના તાઈપેમાં સંખ્યાબંધ ઈમારતો ધરાશાયી થઈ ગઈ, દેશમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો અને જે વિનાશ વેરાયો, તેના બિહામણાં દૃશ્યો પણ સામે આવી રહ્યા છે, અને ભારત સહિત વિશ્વના કેટલાક દેશોએ તાઈવાનની આ મૂશ્કેલ ઘડીમાં તાઈવાનની પડખે હોવાની હૈયાધારણ આપી હોવાના અહેવાલો પણ આવી રહ્યા છે.

આ વર્ષે એપ્રિલથી જ પ્રચંડ ગરમી અને લૂ લાગવાની આગાહીઓ થવા લાગી છે, અને દેશના કેટલાક સ્થળે તો હવે ગરમીનો પારો ૪૦ ડિગ્રીને આંબવા લાગ્યો છે, તેથી લોકસભાની ચૂંટણીની ગરમી સાથે કુદરતી મહત્તમ તાપમાનનો સંયોગ થતા આ વખતે ચૂંટણીપંચે મતદાન મથકોમાં છાયડો, પીવાનું પાણી અને જરૂરી પડ્યે મતદારોની મદદ માટે પ્રાથમિક સારવાર ઉપરાંત સ્થાનિક પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની વિશેષ વ્યવસ્થાઓ પણ કરવી પડશે તેમ જણાય છે. આ કારણે કદાચ ચૂંટણીતંત્રનું ટેન્શન પણ વધી રહ્યું હશે, ખરું ને ?

ભયંકર ભૂકંપ પછી સમુદ્રમાં સુનામી (ત્સુનામી) તો આવે, તેવી સંભાવના રહેતી હોય છે, પરંતુ ચૂંટણીનો પ્રચાર શરૂ થતાં જ નેતાઓના નિવેદનોની સુનામી તો આવી જ ગઈ છે અને સિયાસતની આ સુનામીમાં અવનવા વિવાદો તથા સંવાદોના ઊંચા ઊંધા મોજાઓ પણ ઉછળવા લાગ્યા છે.

ખાસ કરીને આડેધડ નિવેદનોની સુનામીમાં કેન્દ્રીય મંત્રી રૂપાલા બરાબરના સપડાઈ ગયા છે....ખરું ને ?

ગઈકાલે આમ આદમી પાર્ટીના સંસદસભ્ય સંજયસિંહને સુપ્રિમ કોર્ટે જામીન આપ્યા પછી, તો સિયાસતની સટાસટ પરાકાસ્ટાઓ પહોંચી ગઈ છે, અને સંજયસિંહ આજે જેલમાંથી બહાર આવ્યા પછી તેની આગવી ભાષા શૈલીમાં જે સિયાસતની સટાસટી બોલાવશે, અને તેજાબી ભાષણો કરશે, તેથી ભાજપ-એનડીએની જમીન ધ્રુજી જવાની છે, તેવા દાવાઓ પણ ગઈકાલથી જ થવા લાગ્યા હતા, તો બીજી તરફ કેજરીવાલની ગેરહાજરીમાં 'આપ'ની કમાન્ડ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંજયસિંહ સંભાળી લેશે, તેવી અટકળો પણ થવા લાગી છે. જો કે, સંજયસિંહને અદાલતે તેમના લીકર કેસ અંગે બોલવા પર મનાઈ ફરમાવી છે, પરંતુ તેને પાર્ટીનું કામકાજ કરતા કે સરકારની ટીકા કરતા અટકાવી શકાશે નહીં, તેવો સ્પષ્ટ અભિપ્રાય પણ વ્યકત થઈ રહ્યો છે.

લોકસભાની ચૂંટણી ટાણે જ સંજયસિંહ (ભલે જામીન પર પણ) જેલની બહાર આવી જશે. આમ આદમી પાર્ટીને સંજીવની મળી હોવાના અભિપ્રાયો વ્યકત થઈ રહ્યા છે તો બીજી તરફ એવી અટકળો પણ થઈ રહી છે કે આમ આદમી પાર્ટીની કમાન્ડ અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ પાસે જ રહેશે, તેમ માનવાનોપણ મોટો વર્ગ છે. ઘણાં એવું પણ માને છે મિસિસ કેજરીવાલ મુખ્યમંત્રી કેજરીવાલની જેલમાંથી મળતી સૂચના મુજબ રિમોટ કંટ્રોલથી સરકાર ચલાવશે, અથવા વિધિવત મુખ્યમંત્રી બની જશે, જ્યારે સંજયસિંહ 'આપ' ના ઈન્ચાર્જ વડા બની શકે છે, જે થાય તે ખરું, સુપ્રિમ કોર્ટે સંજયસિંહને જામીન આપી દીધા પછી ઈડી અને એનડીએ પર વિપક્ષો દ્વારા જબરદસ્ત પ્રહારો થઈ રહ્યા હોવાથી ભાજપ-એનડીએના નેતા-પ્રવકતાઓ બેકફૂટ પર આવી ગયા હોય તેમ નથી લાગતું ?

સંજયસિંહના જામીન પર છૂટ્યા પછી નેતાઓની નિવેદનોની જે સુનામી આવી છે, તે પણ ઘણી જ રસપ્રદ છે. આમ આદમી પાર્ટીના નેતા, પ્રવકતા અને મંત્રી આતિશીએ ઈડી પર પ્રહારો કર્યા અને ભાજપની પોલ ખુલી પડી ગઈ હોવાની વાત કરી તો સૌરભ ભારદ્વાજે પણ એવા જ તેજાબી આક્ષેપો કર્યા. અખિલેશ યાદવે ફરીથી કહ્યું કે ચૂંટણીમાં ભાજપની હાર નિશ્ચિત થઈ ગઈ હોવાનો ગભરાટ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, વિપક્ષી નેતાઓએ એક વખત ફરીથી મોદી સરકાર પર તાનાશાહીના આરોપો લગાવ્યા અને કહ્યું કે સંજયસિંહ સામે મની ટ્રેઈલ પુરાવા જ નહોતા, તો જેલભેગા કેમ કર્યા ?

એનડીએ-ભાજપના પ્રવકતાઓએ કહ્યું કે જે લોકો પીએમએલએ કાયદામાં જામીન મળે જ નહીં, તેવો ભ્રમ ફેલાવી રહ્યા હતા, તેઓ ને જવાબ મળી ગયો છે, અને જે લોકો ભાજપ, એનડીએની સરકાર એજન્સીઓનો દુરૂપયોગ કરતા હોવાની ભ્રામક વાતો કરી રહ્યા હતા, તેને પણ જવાબ મળી ગયો છે. એવું પણ કહેવાયું કે સંજયસિંહને જામીન મળ્યા છે, નિર્દોષ ઠર્યા નથી. અદાલતે પણ કહ્યું છે કે આ જામીનને દૃષ્ટાંત તરીકે ટાંકી નહીં શકાય. જોઈએ હવે શું થાય છે તે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

રોગચાળો શરૂ, દવાઓ મોંઘી, સ્વચ્છ પાણી દુર્લભ, હવે શું થશે ?

બળબળતો ઉનાળો શરૂ થયો છે, અને વાતાવરણમાં ગરમીનો પ્રકોપ ઉનાળાના પ્રારંભથી જ શરૃ થઈ ગયો છે. આ ઋતુપરિવર્તનની સાથે સાથે હાલાર સહિત રાજ્યમાં રોગચાળો પણ ઝડપભેર વધી રહ્યો છે, દવાખાના, હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રો અને કેમિસ્ટોને ત્યાં દર્દીઓ ઉભરાઈ રહ્યા છે, અને લેબોરેટરીઝમાં રિપોર્ટ કરાવનારા દર્દીઓની પણ લાઈનો લાગી રહી છે. આ કુદરતી ગરમીમાં ચૂંટણીની કૃત્રિમ ગરમીનો પણ સંયોગ થતા માહોલ ગરમાઈ રહ્યો છે.

રાજ્યમાં હોળી પહેલા શરદી-ઉધરસ-તાવ-કળતર સાથે વાયરલ બીમારી વધી રહી હતી અને હોળી પછી ઝાડા-ઉલટીના કેસોનો તેમાં ઉમેરો થયો હતો હવે અમદાવાદ સહિત રાજ્યના કેટલાક સ્થળે સ્વાઈનફલૂના કેસો ઝડપભેર વધી રહ્યા છે, તો કોરોનાના નવા કેસો પણ નોંધાવા લાગ્યા છે, તેથી સ્વાઈનફલૂના લક્ષણો તથા દર્દીને થતી તકલીફો વર્ણવીને તેનાથી સાવધ રહેવાની ચેતવણીઓ પણ તંત્ર દ્વારા અપાઈ રહી છે,અને આ પ્રકારના લક્ષણો જણાય તો તત્કાળ જરૂરી સારવાર લેવાની કાળજી રાખવા અંગે માર્ગદર્શન પણ અપાઈ રહ્યું છે. ખાસ કરીને બીમાર વ્યક્તિને બહાર નહીં નીકળવા અને માસ્ક તથા વારંવાર હાથ ધોવાની સલાહ પણ અપાઈ રહી છે.

મીડિયા અહેવાલો મુજબ ગઈકાલથી કેટલીક દવાઓના ભાવોમાં ૧ર ટકાનો વધારો થયો છે. એક તરફ બીમારીના ઘેર-ઘેર ખાટલા હોય અને ગરીબ-મધ્યમવર્ગના પરિવારો માંડ માંડ સારવાર કરાવી શકતા હોય અને તેમાં દવાઓના ભાવોમાં વધારો થાય તો પડ્યા પર પાટુ પડ્યા જેવું જ ગણાયને ? આ પ્રકારની સમસ્યાઓ  તરફ અત્યારે રાજનેતાઓનું ધ્યાન જવાનું નથી, કારણ કે નેતાઓ ચૂંટણી  પ્રચારમાં મસ્ત છે, અને મોટા ભાગના તંત્રો પણ ચૂંટણી પ્રક્રિયાની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ કારણે અત્યારે બીમારીના ભરડા વચ્ચે પીસાતી જનતા ત્રસ્ત છે.

જો કે, એપ્રિલમાં વાતાવરણ સામાન્ય રહેશે અને છેલ્લા અઠવાડિયામાં ગરમી વધુ વધશે, તેવી આગાહી થઈ છે, પરંતુ ચૂંટણીનો ઝંઝાવાતી પ્રચાર અને તેની જનજીવન પર થતી અસરોના કારણે એપ્રિલ મહિનો 'ગરમાગરમ' જ રહેશે, તે નક્કી છે.

જામનગરના માણેકપરમાં ઊભી થયેલી સ્થિતિની જેમ રાજ્ય અને દેશમાં હજુ પણ અનેક એવા સ્થળો હશે, જ્યાં સામાન્ય દિવસોમાં પણ પીવાનું સ્વચ્છ પાણી મળવું દુર્લભ હશે અથવા ઓછું મળતું હશે, અને તેમાં આ બળબળતા ઉનાળામાં પીવાના પાણીની વૈકલ્પિક વ્યવસ્થાઓ જાળવી રાખવાનું કામ તંત્રો માટે પણ પડકારરૃપ બનવાનું છે. કારણ કે ચૂંટણી તથા તેને સંલગ્ન કામગીરીમાં રોકાયેલા મહત્તમ સ્ટાફના કારણે અન્ય કામકાજ પર તેની અસરો પડતી જ હોય છે, જો કે, આવશ્યક સેવાઓના સ્ટાફને મોટાભાગે ચૂંટણીની કામગીરીમાં રોકવામાં આવતો હોતો નથી, પરંતુ નિર્ણાયક અને સંચાલનની જવાબદારી ધરાવતા ઉચ્ચ અધિકારીઓ ચૂંટણીની પ્રક્રિયામાં વ્યસ્ત હોય છે. જો કે, આ લોકતંત્રના મહાપર્વનું મહત્ત્વ જોતા થોડી ઘણી તકલીફ તો થોડા દિવસો માટે ચલાવી લેવી જોઈએ, ખરું ને ?

જો કે, જામનગર સહિત હાલારમાં આગામી ચોમાસાના પ્રારંભ સુધી પીવાનું પાણી મળતું રહે અને જરૃર પડ્યે નર્મદાના નીર આ હેતુ માટે ઉપલબ્ધ કરાવી શકાય, તેવી વ્યવસ્થાઓ તથા આગોતરા આયોજનો તંત્રોએ કરી રાખ્યા હોવાના દાવાઓ થયા છે, પરંતુ જોઈએ, આગામી દિવસોમાં આ દાવાઓ કેટલા સાચા પડે છે તે....!

જામનગરમાં પણ ધગધગતી ગરમી અને મચ્છરોનો ત્રાસ વધી જતાં રોગચાળો વધુ વકરવાની સંભાવના છે, જેથી મનપાના તંત્રે રિક્ષા દ્વારા ફોગીંગ શરૃ કર્યું છે. લોકોને ખુલ્લા વાસણોમાં પાણી ભરી રાખવા કે ટાંકીઓ ખુલ્લી રાખવાનું ટાળવા સલાહ અપાઈ રહી છે. જો કે, માત્ર લિમિટેડ ફોગીંગ કરીને બેસી રહેવાથી ચાલે તેમ નથી અને મચ્છરો મારવાની સાથે સાથે મચ્છરો ઉત્પન્ન થતા જ અટકાવવા સહિયારા, સક્રિય અને સાચુકલા પ્રયાસો કરવા જરૂરી છે, ખરૂ કે નહીં ?

આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગે ગુજરાત સહિત અડધોડઝન જેટલા રાજ્યોમાં આ વર્ષે એપ્રિલથી જૂન દરમિયાન સામાન્ય કરતા વધુ ગરમી પડશે અને લૂ નો પ્રકોપ રહેશે, તેવી જે આગાહી કરી છે, તેની સામે આગોતરી સાવચેતી અત્યંત જરૃરી છે, તેમ નથી લાગતું ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ચિપ્સનું ચક્કર અને ચીનનો ચક્રવ્યૂહ ચર્ચામાં... ટોક ઓફ ધ નેસન એન્ડ વર્લ્ડ

ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું એક મંતવ્ય ફરી એક વખત ભારતમાં ચર્ચાના ચાકડે ચડ્યું છે, અને ચૂંટણીની મોસમમાં કોઈપણ નિવેદન જ્યારે ચૂંટણીનો મુદ્દો બની જતું હોય છે, ત્યારે રઘુરામ રાજનનો આ અભિપ્રાય પણ ચૂંટણીમાં ચર્ચાશે, તે નક્કી છે, જો કે, આ અભિપ્રાયનો રિવર્સ ફાયદો શાસકપક્ષને પણ મળી શકે તેમ હોવા છતાં વિપક્ષી ગઠબંધન આ મુદ્દાને ચગાવશે, તેવા સંકેતો પણ મળી રહ્યા છે.

હકીકતમાં રઘુરામ રાજને આપણાં દેશમાં સેમિકન્ડકટરના ચિપ્સના ઉત્પાદનની શરૂઆત સામે સવાલો ઉઠાવ્યા છે, અને આડકતરી રીતે કહ્યું છે કે આ પ્રકારની ઘેલછાના સ્થાને આપણાં દેશમાં શિક્ષણની સિસ્ટમ સુધારવા પાછળ નાણા અને શક્તિનો ઉપયોગ કરવો જોઈએ.

રઘુરામ રાજને કહ્યું છે કે ભારતે સેમિકન્ડકટરના ઉત્પાદનની હરિફાઈમાં ઉતરવું ન જોઈએ, કારણ કે તેવું કરવા જતાં આપણો દેશ બરબાદ થઈ જશે, દેશમાં અગ્રતાક્રમે કરવા જેવા બીજા ઘણાં કામ છે તે કરવાના બદલે સેમિકન્ડકટરની ચિપ્સના ઉત્પાદનની પાછળ દોટ લગાવવી અનુચિત છે ભારતે ચિપ્સના પ્રોજેકટની બદલે શિક્ષણની સિસ્ટમ સુધારવી જોઈએ તેમ જણાવી રઘુરામ રાજને કહ્યું કે ભારત સરકાર ઉચ્ચ શિક્ષણના વાર્ષિક બજેટ કરતા પણ વધુ સબસિડી ચિપ મેન્યુફેકચરીંગ માટે આપી રહી છે, તે અયોગ્ય છે.

જો કે, તેમણે એમ પણ કહ્યું કે તેઓ એમ નથી કહેતા કે ભારતે કયારેય પણ ચિપ્સનું ઉત્પાદન ન કરવું જોઈએ, પરંતુ દુનિયાના ઘણાં દેશો આ ક્ષેત્રે હરિફાઈ કરી રહ્યા છે ત્યારે ભારતે આ રેસમાં જોડાવું ન જોઈએ. આ રેસમાં જોતરાવાથી દેશ બરબાદ થઈ શકે છે.

તાજેતરમાં જ ગુજરાતના સાણંદ અને ધોલેરા તથા આસામમાં એક મળીને ત્રણ સ્થળે સેમિકન્ડકટર પ્લાન્ટ મંજુર કરાયા છે. જેમાં સવાલાખ કરોડ રૂપિયાથી વધુ ઈન્વેસ્ટમેન્ટ થશે, જેમાં ભારત સરકાર ૪૮ હજાર કરોડની સબસિડી આપશે, તેવી જાહેરાત થઈ હતી, અને એવો દાવો કરાયો હતો કે આ ત્રણેય પ્લાન્ટ ચિપ ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ કદમ હશે, સેમિકન્ડકટર ઉદ્યોગમાં હજારો યુવાનોને રોજગારી મળશે, એટલું જ નહીં, ઈલેકટ્રોનિકસ, ટેલિકોમ્યુનિકેશન જેવા ક્ષેત્રોમાં પણ પુરક રોજગારીની વિપુલ તકો ઊભી થશે.

ગુજરાતના ધોલેરામાં ૯૧ હજાર કરોડના મૂડીરોકાણ સાથે બની રહેલા પ્લાન્ટ ઉપરાંત આસામના મોરીગાંવ અને ગુજરાતના આણંદમાં બીજા બે પ્લાન્ટ બની રહ્યા છે, જેને સેમિકન્ડકટર ક્ષેત્રે દેશની હરણફાળ ગણાવાઈ રહી છે અને આ પ્લાન્ટ સામેના તર્કોને વિદેશનો પ્રોપાગન્ડા ગણાવાઈ રહ્યો છે !

આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન પોતાના અભિપ્રાયો નિડરતાથી અને સ્પષ્ટ રીતે રજૂ કરવા માટે જાણીતા છે અને અત્યારે શિકાગો યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. તેમના આ અભિપ્રાયોના મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે, જેને કેટલાક વિવેચકો વિદેશી પ્રચાર (પ્રોપાગન્ડા) સાથે સાંકળી રહ્યા છે, જ્યારે ઘણાં વિવેચકો ભારત વિરોધી લોબીનો પ્રભાવ ગણાવી રહ્યા છે, તો ઘણાં વિવેચકો રઘુરામ રાજનની વાતમાં દમ છે, તેમ કહીને તેના પર વિચાર કરવો જોઈએ, તેવો અભિપ્રાય પણ વ્યકત કરી રહ્યા છે, કેટલાક લોકો સાહિત્યની ભાષામાં કહી રહ્યા છે કે મજબૂત ઈમારત બનાવવાનું લક્ષ્ય રાખવું જ જોઈએ, પરંતુ તે માટે (શિક્ષણ સિસ્ટમ જેવો) પાયો તો પાક્કો કરવો જ પડે ને ?

બીજી તરફ લદાખમાં ચીને ભારતની જમીન હડપ કરી લીધી હોવાનો મુદ્દો કરી એક વખત ગરમાયો છે, અને ચીનનો ચક્રવ્યૂહ ચર્ચામાં છે.

ગઈકાલે દિલ્હીમાં ઈન્ડિયા ગઠબંધનની તાકાત દેખાડાઈ અને વિપક્ષો એકજૂથ જોવા મળ્યા. તે પછી વિપક્ષી પ્રચારમાં પણ જુસ્સો વધ્યો છે અને ચિપ્સ તથા ચીનના મુદ્દા હવે ચૂંટણી પ્રચારમાં પણ જોરશોરથી ગુંજશે, તેમ જણાય છે. બીજી તરફ ગુજરાત ભાજપમાં અસંતોષનો ઉકળતો ચરૂ અને કેટલાક વિવાદો વચ્ચે રૂપાલા પ્રકરણ પણ હવે દિલ્હી દરબારમાં પહોંચ્યું હોય તેમ જણાય છે. આ તમામ ઘટનાક્રમો જોતા લોકસભાની ચૂંટણીમાં તિવ્ર રસાકસી વધી જશે, તેવા એંધાણ વર્તાઈ રહ્યા છેે. બીજી તરફ અમેરિકાએ એ.આઈ. ચિપ્સની ચીનમાં નિકાસ પર પ્રતિબંધ મૂક્યા પછી ચિપ્સનો મુદ્દો આંતરરાષ્ટ્રી ક્ષેત્રે પણ ગરમાયો છે.

ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મેરઠમાં જંગી રેલીને સંબોધન કર્યુ અને વિપક્ષ પર ચાબખા માર્યા, અને વિપક્ષી એકતાને ભ્રષ્ટાચારીઓ સામે કડક પગલાનું પરિણામ ગણાવ્યું હતું એકંદરે સુપર સન્ડેમાં ગઈકાલે ઈન્ડિયા ગઠબંધન અને એનડીએના ચૂંટણી લક્ષી શક્તિપ્રદર્શનો જોવા મળ્યા હતા, જેમાં તમિલનાડુના કચ્ચાથિવુ ટાપુનો મુદ્દો મુખ્ય રહ્યો હતો.

પર્યાવરણવાદી સોનમ વાંગચૂકે એવો દાવો કર્યો છે કે છેલ્લા એક દાયકામાં ચીને ભારતની ચાર હજાર કિલોમીટરથી વધુ જમીન પચાવી પાડી છે. લદાખના પશુપાલકોને ઢોર ચરાવવા ચીનાઓ જવા દેતા નથી, વાંગચૂકે ના આ દાવાથી ખળભળાટ મચી ગયો છે. વાંગચૂકે સત્યાગ્રહ કરી રહ્યા છે આ તાજેતરમાં ર૧ દિવસના ઉપવાસ કર્યા હતાં. તેમણે હજારો લોકો સાથે માર્ચ કાઢવાની પણ વાત કરી છે આમ, ચિપ્સ અને ચીન અત્યારે 'ટોક ઓફ ધ નેશનલ એન્ડ વર્લ્ડ' બની ગયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

નગરથી નેશન સુધી ટેકસ ટેરેરિઝમની રાવ... પોલિટિશ્યનો અને પબ્લિક પરેશાન...

દેશમાં એક તરફ લોકસભાની ચૂંટણીનો પ્રચાર ધીમે ધીમે વેગ પકડી રહ્યો છે અને રાજકીય પક્ષો દ્વારા જેમ જેમ ઉમેદવારો જાહેર થતા જાય છે, તેમ તેમ પ્રચાર અભિયાનના મંડાણ થઈ રહ્યા છે જો કે, માત્ર ભાજપ-કોંગ્રેસ જ નહીં, પરંતુ મોટાભાગના રાજકીય પ્રાદેશિક પક્ષોમાં પણ ટિકિટ વહેંચણી પછી આંતરિક અસંતોષ જોવા મળી રહ્યો છે, તેથી છેલ્લી ઘડીએ ટિકિટ નહીં મળતા કેટલાક અસંતુષ્ટો બળવો પોકારે અને અપક્ષ તરીકે અથવા અન્ય પક્ષમાંથી પણ ઉમેદવારી નોંધાવે તેવી સંભાવનાને લઈને રાજકીય પક્ષો પરેશાન છે.

કેટલાક વિરોધપક્ષોની પરેશાનીનું કારણ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા થતી કાર્યવાહી પણ છે. કેજરીવાલ સામે ઈડીની કાર્યવાહી ચર્ચામાં છે, તો યુપીમાં મુખ્તાર અન્સારીના મોતના મુદ્દાએ પણ હવે રાજકીય રંગ પકડી લીધો છે, આ ઘટનાક્રમો વચ્ચે કોંગ્રેસ સૌથી વધુ પરેશાન જણાય છે કારણ કે કોંગ્રેસને ઈન્કમટેક્ષ વિભાગે ૧૮ર૩ કરોડ રૂપિયા વસુલવા માટેની નોટીસ ફટકારી દીધી છે.

કેન્દ્રીય આવકવેરા વિભાગે નવી નોટીસ વર્ષ-ર૦ર૦-ર૧ સુધીના ત્રણ વર્ષ માટે ફટકારી છે. આ પહેલા ફેબ્રુઆરીમાં આઈટી વિભાગે રૂા. ર૧૦ કરોડની પેનલ્ટી ફટકારીને કોંગ્રેસના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા હતાં. આ મુદ્દે કોંગ્રેસે દિલ્હી હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતાં, પરંતુ સફળતા મળી નહીં, તે પછી કોંગ્રેસ આ મુદ્દો જનતા સમક્ષ પ્રસ્તૂત કરી રહી છે, અને બળાપો કાઢી રહી છે.

આ મુદ્દો ચૂંટણી પ્રચારમાં અગ્રીમ સ્થાને રહેશે, તેના સંકેત કોંગ્રેસની ગઈકાલની પ્રેસ કોન્ફરન્સમાંથી મળી ગયા હતાં. કોંગ્રેસ નેતા જયરામ રમેશ અને અજય માકન આ મુદ્દે કેન્દ્ર સરકાર પર ધગધગતા પ્રહારો કર્યા હતા અને કેન્દ્રીય એજન્સીઓની પણ ઝાટકણી કાઢી હતી. એવો આક્ષેપ કરાયો કે ભાજપે ઈલેકટોરલ બોન્ડ દ્વારા આઠ હજાર કરોડથી વધુ રૂપિયા શેલ કંપનીઓનો ઉપયોગ કરીને ભેગા કર્યા અને રેડ લાંચ પ્રિ-પોસ્ટ પેઈડ જેવા નુસખા અજમાવ્યા, તેની સામે આ કેન્દ્રીય એજન્સીઓ કોઈ કદમ ઉઠાવી રહી નથી અને પક્ષપાતી વલણ અપનાવી રહી છે.

કોંગ્રેસે તીખો તમતમતો આક્ષેપ કર્યો છે કે ટેકસ ટેરેરિઝમ દ્વારા કોંગ્રેસને ખતમ કરી દેવાના પ્રયાસો થઈ રહ્યા છે.

દિલ્હીના કોંગ્રેસના હેડકવાર્ટર પર પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કોંગી નેતાઓએ કહ્યું કે આ પ્રકારના જુલમ સામે અમે ઝુકવાના નથી, અને નોટીસોથી ડરવાના નથી. અને જનતા સમક્ષ વધુ આક્રમકતાથી આ મુદ મૂકીશું અને તાનાશાહીનો અંત લાવીશું વિગેરે.

અજય માકને આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસની સાથે રહેલા સમાન વિચારધારાના અન્ય રાજકીય પક્ષોને પણ ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ 'સિલેકટીવલી' ટાર્ગેટ બનાવીને પરેશાન કરી  રહ્યો છે.

તે પછી સુત્રોને ટાંકીને એવા અહેવાલો પણ આવ્યા કે સીપીઆઈને પણ ઈન્કમટેક્ષ વિભાગે જુના પાનકાર્ડનો ઉપયોગ કરવા બદલ મોટી રકમનો દંડ ફટકારીને જંગી રકમની ઉઘરાણી કરતી નોટીસ ફટકારી છે.

તૃણમુલ કોંગ્રેસના પ્રવકતાએ પણ કહ્યું કે ત્રણ દિવસમાં તેમના પક્ષને એક ડઝન જેટલી નોટીસો મળી છે, જે સૂચવે છે કે ભાજપના નેતૃત્વમાં ચાલી રહેલી એનડીએની સરકાર વિપક્ષોને ખતમ કરવા માંગે છે, અને ટેકસ ટેરેરિઝમ ફેલાવાઈ રહ્યો છે.

જામનગરમાં પણ ટેકસ ટેરેરિઝમ જેવી જ ફરિયાદો ઉઠી રહી છે, અને વિવિધ પ્રકારના વેરાના તોતીંગ બીલોએ નગરજનોને પરેશાન કરી દીધા છે. મિલકતો આધારિત મોટી રકમના બાકી બીલોની ફરિયાદો તો ટોક ઓફ ધ ટાઉન બની જ હતી, પરંતુ ગયા વર્ષનો વેરો ઓનલાઈન ભરપાઈ કરી દીધો હોવા છતાં તેને બાકી બતાવીને પૂરા થયેલા વર્ષના બીલમાં બાકી બતાવીને વ્યાજ સાથેના બેવડા બીલ ફટકારાયા હોય, તો તેને ટેકસ ટેરેરિઝમ જ કહેવાય ને ?

વેરા વસુલાત માટે ઝુંબેશો ચલાવતી અને ઢોલ વગડાવતી મનતા બેવડા અને જંગી બીલો સુધારીને નવા યોગ્ય બીલો મોકલવાની અથવા નગરજનોની આશંકાઓ દૂર કરવામાં તત્પરતા કેમ દેખાડતી નથી ? તેવો સવાલ ઉઠે છે.

જે નગરજનોને બીલો જંગી રકમના આવ્યા હોય કે જે નગરજનોને બેવડા બીલો આવ્યા હોય, તેઓને એડવાન્સ બીલો ભરવાની પ્રેરણા મળે, તે માટે સમયસર બીલો સુધારીને પેમેન્ટ સ્વીકારવા અને તેટલી મુદ્દત વ્યાજમાફી સ્કીમની વધારવાની જરૂર હોય, તેમ નથી લાગતું !!

આ મુદ્દે મનપાના તંત્રો ચૂપકીદી સેવે, તેના કરતા જે હકીકત હોય તે સ્વીકારીને સુધારા-વધારા કરે અને વિવાદના બદલે સંવાદનો અભિગમ અપનાવે તે અત્યંત જરૂરી છે. મહત્તમ વેરાવસુલાતની વાહવાહી કરવાની સાથે સાથે નગરજનોની ફરિયાદો આવે, તેની રાહ જોયા વગર ક્ષતિઓની સ્વયંભૂ સુધારણાની દરકાર પણ રાખવી જ જોઈએ, ખરું કે નહીં ?

એમ કહી શકાય કે દેશના મુખ્ય રાજકીય પક્ષો તથા મોટા નેતાઓ કેન્દ્રીય ટેક્ષ ટેરેરિઝમની બૂમરાણ મચાવી રહ્યા છે, જ્યારે નગરમાં ટેકસના તમામ બીલોની પુનઃ ચકાસણી કરવાની બાબતે જનમત ઘડાઈ રહ્યો છે.

રાહુલ ગાંધીએ તો ઈ.ડી. અને સીબીઆઈને વોર્નિંગ આપી રહ્યા હોય, તેમ કહી દીધુ કે ભવિષ્યમાં જ્યારે સત્તા પરિવર્તન થશે, ત્યારે આ એજન્સીઓ સામે પોતાની ફરજો યોગ્ય રીતે નહીં બજાવવા બદલ કાર્યવાહી થશે. તેમણે આ એજન્સીઓ ભવિષ્યમાં કયારેય આવું કરવાની હિંમત પણ નહીં કરી શકે તેવી ગેરંટી પણ આપી દીધી !

નેશનલ કક્ષાએ તો રાહુલ ગાંધી તથા કોંગી નેતાઓએ અવાજ ઉઠાવ્યો છે, પરંતુ નગરમાં આવી જ રીતે અવાજ કોઈ ઉઠાવશે ખરું ? તેની નગરજનો રાહ જોઈ રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સાઉન્ડ લિમિટર વિનાના સ્પીકરો પર પ્રતિબંધ.... ચૂસ્ત અમલ થશે ખરો ? આચારસંહિતાનો ભંગ ગણાશે ?

ગુજરાત સરકારના ગૃહ વિભાગે સાઉન્ડ લિમિટર ન ધરાવતા હોય, તેવા ડી.જે., લાઉડસ્પીકર, સાઉન્ડ સિસ્ટમ પર પ્રતિબંધ ફરમાવી દીધો હોવાના અહેવાલો પછી કાનફાડી નાંખે તેવા અવાજોથી પરેશાન જનતાએ હાશકારો અનુભવ્યો હશે. જો કે, સરકાર કે તંત્રો દ્વારા આદેશો, પરિપત્રો, જાહેરનામાઓ, પ્રસિદ્ધ કરી દેવાયા પછી તેનો કેટલો અને કેવો અમલ થતો હોય છે, તે પણ લોકો જાણે જ છે, અને તેથી જ એવા પ્રત્યાઘાતો પડી રહ્યા છે કે આ સૂચિત પ્રતિબંધોનો ચૂસ્ત અમલ થાય તો સારું...ધ્વનિ પ્રદુષણના માપદંડો અને તેના નિયમો ઉપરાંત હવે આ પ્રકારના સ્પષ્ટ આદેશો પણ થયા હોય, તો હવે આ ન્યુસન્સમાંથી લોકોને રાહત મળશે, તેવી આશા પણ જાગી છે.

જો કે, આ પ્રકારના સરકારે કોઈ આદેશો કર્યા હોય, તેમ જણાતુ નથી, કે પછી આ પ્રકારના સ્પષ્ટ આદેશો માત્ર કાગળ પર કરીને તેનો બહુ પ્રચાર ન કરાયો હોય, તેવું પણ બની શકે છે, પરંતુ રાજ્ય સરકારના ગૃહવિભાગે ગુજરાતની વડી અદાલતમાં કરેલા એક સોગંદનામામાં આ પ્રકારનો પ્રતિબંધ ફરમાવાયો હોવાનું જણાવતા આ અહેવાલો વાયુવેગે વહેતા થયા હોય તેમ લાગે છે.

અહેવાલો મુજબ રાજ્યભરમાં સાઉન્ડ લિમિટર વિનાના કોઈપણ સ્પીકર, પી.એ. (પબ્લિક એડ્રેસ) સિસ્ટમ, સાઉન્ડ સિસ્ટમ, ડી.જે. ટ્રક વગેરેના ઉપયોગ, વેચાણ કે ઈન્સ્ટોલેશન પર સરકારે પ્રતિબંધ ફરમાવી દીધો છે.

અહેવાલો મુજબ રાજ્ય સરકારે અદાલતને એવી બાહેંધરી પણ આપી છે કે, જાહેર સ્થળો, શાળા-કોલેજો, હોસ્પિટલો, રહેણાંક વિસ્તારોની નજીક આ પ્રકારના સાધનો દ્વારા ઘોંઘાટ કરીને ત્રાસ ઊભો કરતા પરિબળોને નાથવા અને કડક પગલાં લેવા નિર્દેશો અપાયા છે. જાહેર સ્થળો, રહેણાંક વિસ્તારોના લોકોને ડી.જે. સાઉડ સ્પીકર, સાઉન્ડ સિસ્ટમ કે સ્પીકર દ્વારા ઘોંઘાટ કરીને ખલેલ નહીં પહોંચાડવાની તાકીદ કરતી સૂચનાઓ સાથે સતત ધ્યાન રાખીને નિરીક્ષણ કરતા રહેવા પણ તંત્રોને સૂચના અપાઈ છે.

પોલીસતંત્રો દ્વારા સાઉન્ડ સિસ્ટમ, ડી.જે., લાઉડસ્પીકરો દ્વારા થતા અવાજની ચોક્કસ માપણી થઈ શકે તે હેતુથી વિવિધ પોલીસ સ્ટેશનોમાં ડિજિટલ સાઉન્ડ લેવલ મીટરો ફાળવવાની શરૂઆત પણ અમદાવાદથી થઈ ગઈ હોવાના અહેવાલો પણ આવી રહ્યા છે.

સરકારે રજૂ કરેલા એફિડેવિટને ટાંકીને આવી રહેલા વિસ્તૃત અહેવાલો મુજબ રાજ્યના ગૃહમંત્રાલયે રાજ્યના તમામ પોલીસ સત્તાધીશો, મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તથા ગ્રામપંચાયતોને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ડિસેમ્બર-ર૦૧૯ માં જાહેર કરાયેલી ગાઈડલાઈન્સ તથા નોટિફિકેશન્સનો ચૂસ્ત અને કડક અમલ કરવાની તાકીદ કરી છે, આ નિર્દેશો મુજબ સાઉન્ડ લિમિટર વિનાની કોઈપણ સાઉન્ડ સિસ્ટમ, લાઉડ સ્પીકર, મ્યુઝિક સિસ્ટમ, ડી.જે. ટ્રક વિગેરેના ઉત્પાદકો, ડિલર્સ, દુકાનદારો કે કોઈપણ એજન્સી ઉપયોગ, વેચાણ કે ઈન્સ્ટોલેશન નહીં કરી શકે. આ ઉપરાંત હાલમાં વપરાતા આ પ્રકારના તમામ સાધનો-સિસ્ટમ-સામગ્રીમાં પણ સાઉન્ડ લિમિટર ફીટ કરાવવાનું ફરજીયાત કરી દેવાયુ છે, જેથી હવે સાઉન્ડ લિમિટર વિના આ પ્રકારની કોઈપણ સાધન-સામગ્રી કે સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે જ નહીં.

આ મુદ્ે એટલા કડક આદેશો અપાયા છે કે જે કોઈ ટ્રક-ટેમ્પો-રિક્ષા કે અન્ય વાહનોમાં પણ જો સાઉન્ડ લિમિટર વિનાના સાઉડ-સ્પીકર્સ કે સિસ્ટમ હશે, તો તે વાહનો સહિત આ પ્રકારની તમામ સાધન-સામગ્રી તત્કાળ જપ્ત કરી લેવાશે.

આ પ્રકારની કાર્યવાહી ઉપરાંત આ પ્રકારનું વાહન ચલાવનાર ડ્રાઈવર લિમિટર વિનાની સાઉન્ડ સિસ્ટમ અને સંલગ્ન સાધન-સામગ્રીના ઉત્પાદકો, માલિકો, સંચાલકો સામે પણ કાનૂની પગલા લેવાશે, તેવું જાહેર કરાયું છે, હવે જામનગર, હાલાર સિહત રાજ્યમાં આ સૂચનાઓનો કેટલો અમલ થાય છે, તે જોવાનું રહે છે.

આ કાનૂની કાર્યવાહીનો અમલ અમદાવાદથી શરૂ થયો છે અને અમદાવાદના સંદર્ભે આ સુનાવણી પછી રાજ્ય સરકારના ગૃહવિભાગે આ અંગેના રાજ્યવ્યાપી આદેશો-નિર્દેશો કર્યા હોય તો તે આવકારદાયક ગણાય, પરંતુ સૌથી મોટો સવાલ જ એ છે કે આ આદેશો-નિર્દેશો માત્ર કાગળ પર જ નહીં રહી જાય ને ?

આવી આશંકા ઉઠવાનું કારણ એ છે કે અત્યારે ચૂંટણીની મોસમમાં વપરાતી આ પ્રકારની તમામ સાધન-સામગ્રીને પણ આ નિયમો લાગુ થવાના હોવાથી તેની અસર તમામ રાજકીય પક્ષોને પણ થવાની છે, તેથી 'તેરી બી ચૂપ... મેરી બી ચૂપ...' જેવો ઘાટ તો નહીં સર્જાય ને ? તેવી સ્વાભાવિક રીતે જ શંકાઓ ઉઠી રહી છે.

અમદાવાદ પોલીસે આ પ્રકારના આદેશો જાહેર કરી દીધા હોય તો તેનો અભ્યાસ કરીને હાલાર સિહત રાજ્યના તમામ પોલીસ સત્તાવાળાઓ તો આ પ્રકારના આદેશો કરશે જ, પરંતુ આ પ્રકારની હરકતને ચૂંટણીની આદર્શ આચારસંહિતામાં સમાવેશ કરી શકાય, તો અમલવારી વધુ અસરકારક અને સરળ બનશે, તેમ નથી લાગતું ?

જો કે, આ પ્રકારના પ્રતિબંધોનો ચૂસ્ત અને કડક અમલ થાય, તે બધા ઈચ્છે છે, પરંતુ જ્યારે પોતાના ઘરના આંગણે પ્રસંગ હોય, પોતાની સંસ્થા કે રાજકીય-સામાજિક પ્રવૃત્તિ માટે ઉપયોગ કરવાનો હોય, ત્યારે આ પ્રકારના સ્વયંભૂ અંકુશો રાખવાનું ભુલાઈ જવાતું હોય છે, તેથી કાનૂની પ્રબંધોની સાથે સાથે આ મુદ્દે વ્યાપક જનજાગૃતિ પણ જરૂરી છે, ખરું કે નહીં ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ધગધગતા તડકા... ચૂંટણી પ્રચારની ગરમી... ગુનાખોરો પર તવાઈ...

હુતાશણી પછી હવે ગરમી વધી રહી છે અને બપોરે ધગધગતા તડકા પડી રહ્યા છે. ગુજરાત સહિત દેશના ઘણાં વિસ્તારોમાં હીટવેવની આગાહીઓ થઈ રહી છે અને વિવિધ પ્રકારના એલર્ટ અપાઈ રહ્યા છે. બીજી તરફ ચૂંટણી પ્રચારની ગરમી પણ વધી રહી છે અને જેમ જેમ ઉમેદવારોની યાદીઓ જાહેર થતી જાય છે, તેમ તેમ કેટલાક રાજકીય પક્ષોનો આંતરકલહ પણ સપાટી પર આવી રહ્યો છે. કુદરતી ગરમીની સાથે ચૂંટણી પ્રચારની ગરમી ભળી જતા માહોલ વધુને વધુ ગરમાઈ રહ્યો છે, ત્યારે હાલાર સહિત સમગ્ર રાજ્ય અને દેશમાં ચૂંટણી પ્રચારની ગતિવિધિઓ જેટ ગતિએ વધી રહી છે. આ ગરમીના દિવસોમાં ચૂંટણી પ્રચાર માટે રેલીઓ યોજવી, ઘેર-ઘેર જઈને પ્રચાર કરવો અને મતદારોને રિઝવવાનું કામ પડકારરૂપ બનવાનું છે, એ નક્કી છે.

અત્યારે ચૂંટણી પ્રચાર અને કુદરતી ગરમીમાં કેટલીક તપાસ એજન્સીઓ દ્વારા ઠેર ઠેર પડી રહેલા દરોડાઓ તથા વીવીઆઈપી આરોપીઓ સામે ચાલી રહેલી અદાલતી કાર્યવાહીના અહેવાલો વધારો કરી રહ્યા છે, અને કાનૂની કાર્યવાહી તથા રાજકીય પ્રવૃત્તિઓની ભેળસેળ થઈ રહી છે, કારણ કે આ કાર્યવાહીની સીધી અસર દેશની રાજનીતિ પર પણ પડતી હોય છે, જો કે ન્યાયતંત્રની કાર્યવાહીને દેશની રાજનીતિ સાથે લેવાદેવા હોતી નથી, પરંતુ અદાલતી ફેંસલાઓને મુદ્દો બનાવીને ચૂંટણી પ્રચાર થતો હોવાથી અત્યારે ચાલી રહેલા હાઈ પ્રોફાઈલ કેસો પણ સતત ચર્ચામાં રહે છે, અને લોકતંત્રમાં તે સ્વાભાવિક પણ છે.

અત્યારે બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે, તે ઉપરાંત કેટલીક અન્ય પરીક્ષાઓ પણ દેશના વિવિધ રાજ્યોમાં ચાલી રહી છે. શાળા-કોલેજોની પરીક્ષાઓ પૂરી થઈ જાય, તે પછી ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને મતદાન મથકો, વગેરેની તૈયારીઓ ઝડપી બની જશે. ચૂંટણીઓની આદર્શ આચારસંહિતાનો અમલ, ચૂંટણી પ્રચારના કાર્યક્રમોમાં બંદોબસ્ત, વીઆઈપી, વીવીઆઈપી અને અન્ય સુરક્ષા વ્યવસ્થાઓ, અદાલતી કાર્યવાહી દરમિયાન જરૂરી સુરક્ષા અને રાજકીય પક્ષો દ્વારા યોજાતા રહેતા ધરણાં-પ્રદર્શનો તેમજ જુદા જુદા મુદ્દે જનઆંદોલનો વગેરેની સુરક્ષા વ્યવસ્થાઓમાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ વ્યસ્ત રહે છે, તથા આ માટે વ્યૂહાત્મક સ્થળે અર્ધલશ્કરી દળો પણ તૈનાત કરવામાં આવતા હોય છે. આ કારણે રાજ્યો તથા દેશની સુરક્ષા એજન્સીઓની કામગીરી વધી જતી હોય છે.

દેશના જુદા જુદા વિસ્તારોમાં હમણાંથી માર્ગ-અકસ્માતના ગમખ્વાર કિસ્સાઓ પણ વધી રહ્યા છે. એટલું જ નહીં, ગુજરાતમાં સ્વાઈનફ્લૂનો રોગચાળો વકર્યા પછી કેટલાક કોરોનાના કેસો નોંધાયા છે. તે ઉપરાંત સિઝનલ અને વાયરન બીમારીઓના કારણે તમામ દવાખાના-હોસ્પિટલો-આરોગ્ય કેન્દ્ર દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે.

આ પ્રકારના પડકારો વચ્ચે ચૂંટણી તંત્ર લોકસભાની ચૂંટણીઓની તૈયારીમાં વ્યસ્ત છે. ગુજરાતમાં વિધાનસભાની ખાલી પડેલી કેટલીક બેઠકો માટે પણ મતદાન થવાનું છે, ત્યારે આપણે સૌએ (ખાસ કરીને મતદારોએ) મતદાનના દિવસે પ્રાયોરિટીમાં મતદાન કરવાનું જ છે,તે અત્યારથી જ યાદ રાખી લેવાનું છે, તે ભૂલાય નહીં...

જો કે, હાલાર-સૌરાષ્ટ્ર સહિત રાજ્ય અને દેશમાં કેટલાક સ્થળે ગુનાખોરી વધી રહી છે. હમણાંથી ઘરફોડ ચોરીના બનાવો પણ સતત નોંધાઈ રહ્યા છે, અને આજે જ અમદાવાદમાં જાહેરમાં ફાયરીંગની ઘટના બની છે, તો મારામારી, જીવલેણ હુમલા, જુથ અથડામણો, હત્યા કે હત્યાનો પ્રયાસ, આત્મહત્યા, મહિલાઓ સંબંધિત અપરાધો ઉપરાંત સાયબર ક્રાઈમના કિસ્સાઓ પણ નોંધાઈ રહ્યા છે. તેથી ચૂંટણી ટાણે આ પ્રકારની ઘટનાઓ પણ ચર્ચાના ચાકડે ચડી રહી છે. આ પ્રકારની ઘટનાઓ વધી રહી હોય, તો તેના પર અંકુશ લાવવાની જવાબદારી પણ સંબંધિત તંત્રોની જ હોય છે, ખરૂ ને?

ચૂંટણી પંચ દ્વારા આદર્શ આચારસંહિતાનો અમલ થઈ રહ્યો છે, ત્યારે સુરક્ષા બંદોબસ્તો પણ વધુ કડક બની જતા હોય છે, તેથી વિદેશી શરાબના જંગી જથ્થા કે દેશીદારૂના અડ્ડાઓ પર તૂટી પડવાની સાથે સાથે નશો કરીને રાજપાઠમાં નીકળી પડતા નશાબાજો ઉપરાંત નિશાચરો-તસ્કરો પર પણ કડક અંકુશ જરૂરી છે, ખરૂ કે નહીં?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

કેજરીવાલની ધરપકડના દેશ-વિદેશમાં પડ્યા પડઘા... ભાજપ માટે બૂમરેંગની સ્થિતિ?

રાજનીતિમાં ઘણી વખત નેતાઓ સેલ્ફગોલ કરી લેતા હોય તેવું કદમ ઊઠાવી લેતા હોય છે કે પછી કોઈ વિવાદાસ્પદ નિવેદન કર્યા પછી તેમાં પોતે જ ફસાઈ જતા હોય છે. અત્યારે ભારતીય જનતા પક્ષમાં ગુજરાતમાં વિવિધ સ્થળે જોવા મળી રહેલી સ્થિતિ તથા છૂપો આંતરિક અસંતોષ બૂમરેંગ પૂરવાર થઈ રહ્યો હોય અને હવે આ અસંતોષ સપાટી પર આવી રહ્યો હોવાથી પ્રદેશ ભાજપની નેતાગીરી માટે આ નવો પડકાર ઊભો થઈ રહેલો જણાય છે, તો બીજી તરફ ઈ.ડી. દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી કાર્યવાહીનું ટાઈમીંગ લોકસભાની ચૂટણી સાથે સંકળાઈ ગયા પછી ભાજપની રાષ્ટ્રીય નેતાગીરીઓ સામે પણ નવો પડકાર ઊભો થઈ રહેલો જણાય છે.

ઈ.ડી. દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી સામે થઈ રહેલી કાર્યવાહી ચર્ચામાં છે અને શાસક પક્ષ માટે તે બૂમરેંગ પૂરવાર થઈ રહી હોય તેમ જણાય છે. કેજરીવાલની ધરપકડની વિરૂદ્ધમાં એક તરફ કાનૂની કાર્યવાહી થઈ રહી છે અને મામલો અદાલતોની અટારીએ પહોંચ્યો છે, તો બીજી તરફ ઈ.ડી.ની કસ્ટડીમાં હોવા છતાં બે દિવસમાં બે પ્રકારની સૂચનાઓ દિલ્હી રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોને મોકલીને તથા તે અંગેની જાહેરાત વિશેષ પ્રેસ કોન્ફરન્સ યોજીને જેલમાંથી સરકાર ચલાવવાની પહેલેથી કરેલી હુંકારને અનુરૂપ આમ આદમી પાર્ટીએ મોદી સરકારને જાણે પડકાર ફેંક્યો છે કે થાય, તે કરી લ્યો- અમે ડરવાના નથી!

બીજી તરફ રાજકીય વર્તુળોમાં પણ એવી વાતો વહેતી થઈ છે કે કેજરીવાલની સામે ચૂંટણી જાહેર થયા પછી થયેલી કાનૂની કાર્યવાહીનો રાજકીય ગેરફાયદો તો ભાજપને જ થવાનો છે, કારણ કે હવે જે કાંઈ બની રહ્યું છે, તેનો સીધો રાજકીય ફાયદો આમ આદમી પાર્ટીને જ મળી રહ્યો છે, અને કેજરીવાલના કારણે ઉત્તર ભારતમાં અને કે. કવિતાની સામે લેવાયેલ કાનૂની પગલાંના કારણે દક્ષિણ ભારતમાં સહાનુભૂતિની લાગણી ઉભરી રહી છે, જ્યારે વિપક્ષો સામે ચૂંટણી ટાણે કેન્દ્રિય એજન્સીઓ દ્વારા લેવાઈ રહેલાં પગલાંની વિપરીત અસરો સામાન્ય જનમાનસ પર પણ વિપરીત રીતે પડી રહેલી જણાય છે. આ સ્થિતિ ભાજપ અને એનડીએ માટે રાજકીય રીતે નુક્સાનકારક થઈ શકે છે, પરંતુ જો એનડીએ અને મોદી સરકાર લોકોને એવું સમજાવવામાં સફળ થાય કે આ તમામ કાનૂની પગલાં ભ્રષ્ટાચારી પરિબળોની વિરૂદ્ધમાં સરકારનું સાહસિક કદમ છે અને રાજકીય નુક્સાનની પરવાહ કર્યા વિના મોદી સરકાર ભ્રષ્ટાચારીઓને નાથવાનો પ્રયાસ કરી રહી છે. આ રીતે જનમાનસ બદલી પણ શકે છે. આમ પણ વિપક્ષી ગઠબંનના વિવિધ પક્ષોના મોટામાથાઓ સામે ઈ.ડી., સીબીઆઈ, આઈ.ટી. કે એનઆઈએ જેવી કેન્દ્રિય એજન્સીઓની તપાસ તો પહેલેથી ચાલી જ રહી છે, અને આ બધા ભ્રષ્ટાચારી પરિબળો એકત્રિત થઈ ગયા હોવાનો આક્ષેપ પણ એનડીએ તરફથી થતો રહ્યો છે, તેથી ચૂંટણી ઘણાં તબક્કામાં થનાર હોવાથી ત્યાં સુધીમાં કાંઈપણ થઈ શકે છે, તેવું માનનારા રાજકીય વિશ્લેષકો 'વેઈટ એન્ડ વોચ'ની સલાહ આપી રહ્યા છે.

માત્ર વિપક્ષી ભ્રષ્ટ નેતાઓની સામે જ કેન્દ્રિય એજન્સીઓ કેમ કદમ ઊઠાવી રહી છે, અને ભાજપમાં સામેલ થઈ જતાં વિપક્ષી નેતાઓની સામે થયેલા આક્ષેપો ક્યા વોશીંગ મશીનમાં ધોવાઈ જાય છે. તેવા સવાલો ઊઠી રહ્યા છે. કેજરીવાલની ધરપકડના દેશમાં જ નહીં, વિદેશમાં પણ પડઘા પડી રહ્યા છે.

જો કે, ભારત સરકાર કેજરીવાલની સામે ચાલી રહેલી કાનૂની કાર્યવાહીનો ભારતનો આંતરિક મામલો ગણી રહી છે, તેમ છતાં હવે વિશ્વની મહાસત્તા તરફથી પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરાયા પછી મોદી સરકાર સામે કેજરીવાલના મુદ્દે વૈશ્વિક જનમત પણ ઊભો થઈ રહેલો જણાય છે.

જર્મનીએ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની ધરપકડ સામે વિરોધ દર્શાવ્યા પછી ભારતના વિદેશ મંત્રાલયે જર્મનીના રાજદૂતને બોલાવીને વિરોધ નોંધાવી જર્મનીને ભારતની આંતરિક બાબતમાં હસ્તક્ષેપ નહીં કરવાની ચેતવણી આપી હતી, પરંતુ હવે અમેરિકાએ પણ આ મુદ્દો ઉછાળતા મોદી સરકાર અને ભાજપ સામે એક નવી વિટંબણા ઊભી થઈ ગઈ છે, કારણ કે આ મુદ્દો જો વૈશ્વિક જનમત ઘડવા લાગે તો તેની સીધી અસર મોદી સરકારે વિદેશોમાં ઊભી કરેલી ઝળહળતી છબિ અને ઝગમગતી આભા પર પડી શકે છે, ખરૂ ને?

અહેવાલો મુજબ જર્મની પછી અમેરિકાએ પણ કેજરીવાલની ધરપકડને લઈને નારાજગી વ્યક્ત કરી છે, જો કે, અમેરિકાએ સમતોલ નિવેદન આપતા કહ્યું છે કે, કેજરીવાલના કેસમાં અમે નિષ્પક્ષ, પારદર્શિક અને સમયસર કાનૂની પ્રક્રિયાની આશા રાખી રહ્યા છીએ, અને ઘટનાક્રમ પર સતત નજર રાખી રહ્યા છીએ.

ભારતનો આ મુદ્દે સ્પષ્ટ અભિગમ છે કે આ તમામ બાબતો અમારા દેશની આંતરિક છે, જેમાં અન્ય દેશોએ હસ્તક્ષેપ કરવો ન જોઈએ. ભાજપ કહે છે કે દારૂ વેંચનારાઓનું કમિશન વધારીને કરોડોની કટકી કરનાર કેજરીવાલ ભલે વિક્ટીમ કાર્ડ ખેલે, પણ સફળ નહીં થાય... જોઈએ... જનતા જનાર્દન શું ફેંસલો આપે છે તે...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

હાલારીઓના હૈયે વસેલા પ્રિય બંધુ શેખરને સ્નેહભરી શ્રદ્ધાંજલિ...

સ્વ. શેખર રતિલાલ માધવાણી

(દેહવિલય તા. ૨૫-૦૩-૧૯૯૬)

તા. રપમી માર્ચ-૧૯૯૬ નો એ દિવસ અમને સૌને આંચકો અને આઘાત આપનારો તો હતો જ, પરંતુ સમગ્ર હાલારમાં શોક વ્યાપી ગયો હતો કારણ કે મિલનસાર સ્વભાવના શેખરભાઈ હાલારીઓના હૈયે વસેલા હતાં.

શેખરભાઈએ અચાનક આ દુનિયામાંથી જ્યારે અંતિમ વિદાય લીધી ત્યારે માધવાણી પરિવાર પર જાણે પહાડ તૂટી પડ્યો હતો અને અશ્રૂઓનો દરિયો ઉભરાયો હતો. શેખરભાઈ નગરની સંખ્યાબંધ સેવાભાવિ અને સામાજિક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા હતા, અને બહોળું મિત્રમંડળ ધરાવતા હતાં. સૌ કોઈના સુખ-દુઃખમાં ભાગ લેવો અને જરૃર પડ્યે અડધી રાત્રે પણ વિના કહ્યે મદદે દોડી જવું તેવો તેમનો ઉમદા સ્વભાવ હતો.

તેઓએ પિતા સ્વ. રતિલાલ માધવાણીના પગલે ચાલીને 'નોબત'ની વિકાસની યાત્રાને આગળ ધપાવી હતી. તેમની કુશળતા અને ઓલ રાઉન્ડ કાબેલિયતના કારણે અખબારના તમામ વિભાગોની રોજીંદી જરૃરિયાતો પ્રક્રિયાઓ, સમસ્યાઓ અને રોજ-બ-રોજના કામકાજો તેઓ એટલી સરળતાથી નિપટાવી લેતા હતાં કે એકંદરે અખબારનું સંચાલન ઘણું જ સરળ બની જતું હતું. તેઓની સેવા પ્રવૃત્તિઓ પણ આજ પર્યંત ઘણાં બધા લોકોની સ્મૃતિઓમાં જિવંત હશે.

આ સાંધ્ય દૈનિકને લોકોના દિલ સુધી પહોંચાડવા અને તેની નિયમિતતા, ગુણવત્તા, આધુનિકતા તથા અબાલવૃદ્ધ, સૌને ગમે તેવી વાચનસામગ્રી પીરસવાની માધવાણી બંધુઓની સહિયારી પોલિસીમાં તેઓની મહત્તમ ભૂમિકા નોંધપાત્ર રહેતી હતી.

તેઓ એક સામાજિક જીવ પણ હતા અને સહૃદયતા અને સેવાભાવના તેમની રગ-રગમાં દોડતી હતી અને એવા ઘણાં લોકો અને પરિવારો હશે, જેને તેઓ વ્યક્તિગત રીતે મુશ્કેલીના સમયે મદદરૃપ થયા હશે, અને તેની કોઈને કાનોકાન ખબર પણ નહીં પડી હોય, તેઓ કોઈને મદદ કરતા તો પણ તેનું પૂરેપૂરું આત્મસન્માન જળવાઈ રહે તેની કાળજી રાખતા હતા, જે તેની વિશેષતા પણ હતી અને મહાનતા પણ હતી.

તેઓની કારમી વિદાયના સમયે માધવાણી પરિવાર અને નોબત પરિવાર, નગરજનો તથા હાલારીઓ જ નહીં, પરંતુ દેશ-વિદેશમાં વસતા તેમના ચાહકવર્ગ અને 'નોબત'ના વાચક વર્ગને પણ જબરો આંચકો લાગ્યો હતો.

તેઓની કારમી વિદાય કાયમી આઘાત આપી ગઈ હતી, પરંતુ કુદરતના ઘટનાક્રમ પાસે આપણું કાંઈ ચાલતું નથી, તેથી હૃદય પર પથ્થર રાખીને પણ આ વાસ્તવિકતા સ્વીકારી પડતી હોય છે. તેઓની પુણ્યતિથિ નિમિત્તે આપણે તેઓને હૃદયપૂર્વક સ્નેહભરી શ્રદ્ધાંજલિ અર્પીએ.

જામનગર. તા.૨૬-૦૩-૨૦૨૪

- માધવાણી પરિવાર,   નોબત પરિવાર

આતંકવાદનો વૈશ્વિક પડકાર... મોસ્કોમાં માનવ સંહાર... હત્યાની હોળી.... હવે શું ?

મોસ્કોના કોન્સર્ટ હોલ પર પાંચ આતંકીઓએ કરેલા હુમલામાં અનેક લોકો માર્યા ગયા અને સંખ્યાબંધ લોકો ઘાયલ થઈ ગયા પછી હાહાકાર મચ્યો અને તેના વૈશ્વિક પડઘા પડ્યા પછી દુનિયામાં ફરી એક વખત આતંકવાદને વૈશ્વિક પડકાર માનીને તેની સામે સમગ્ર વિશ્વે આંતરિક ભેદભાવ ભૂલી જઈને સહિયારી લડત આપવી જ પડશે, તેવો વૈશ્વિક જનમત ઊભો થઈ રહ્યો છે.

વિશ્વના કોઈપણ દેશમાં નિર્દોષ લોકોની સામૂહિક હત્યા કરીને આતંક ફેલાવવાના પ્રયાસને વખોડવો જ જોઈએ અને આતંકવાદીઓને લઈને વિશ્વમાં કોઈ સમાન વ્યૂહરચના ઘડીને સમગ્ર વિશ્વે કોઈપણ પ્રકારના આતંકવાદ સામે સમયબદ્ધ રીતે, સતત અને પ્રબળ ઈચ્છાશક્તિથી લડવું પડશે, તેવા અભિપ્રાયો પણ વ્યકત થવા લાગ્યા છે.

રશિયા જેવા શક્તિશાળી દેશની રાજધાનીમાં જ આ પ્રકારનો ખતરનાક આતંકી હૂમલો થાય અને આટલા બધા લોકોના જીવ જાય, તે દર્શાવે છે કે કોઈપણ દેશે આતંકવાદને અન્ડરએસ્ટિમેટ કરીને અવગણના કરવા જેવી નથી. એવું કહેવાય છે. કે અમેરિકાએ આ પ્રકારના આતંકી હૂમલાની આશંકા પહેલેથી જ વ્યકત કરી હતી પરંતુ રશિયાએ કદાચ આ પ્રકારની આશંકાની અવગણના કરી હોય કે પછી આતંકવાદીઓને અન્ડરએસ્ટિમેટ કર્યા હોય, તેથી આ હુમલો થતો અટકાવી શકાયો નહીં હોય, તેવા અનુમાનો થઈ રહ્યા છે. બીજી તરફ વિશ્વના દેશોએ આ આતંકી હુમલાની નિંદા કરી છે અને મૃતકો-ઘાયલો તથા તેના પરિવારો પ્રત્યે સંવેદના વ્યકત કરી છે. ભારત પણ રશિયાની પડખે ઊભું છે અને આતંકી હુમલાને વખોડીને દુઃખની ઘડીમાં ભારતીયો તરફથી સંવેદના વ્યકત કરવામાં આવી રહી છે.

આ હુમલા પાછળ યુક્રેનનો હાથ નથી, તેવી યુક્રેનના રાષ્ટ્રપતિની ચોખવટ તથા મોસ્કો ટાઈમસને ટાંકીને જણાવ્યું કે હુમલો આઈએસએસ દ્વારા કરાયો હતો, તેવા અહેવાલો પછી આ હુમલાની વૈશ્વિક અસરોની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે.

હકીકતે થોડા દિવસો પહેલા જ અમેરિકાએ પોતાના નાગરિકોને રશિયામાં સાવચેત રહેવા અને ભીડભાડ થતી હોય, તેવા સ્થળોમાં જવાનું ટાળવાની એડવાઈઝરી આપી હતી, અને આ પ્રકારના આતંકી હુમલાની સંભાવના જણાવી હતી, જેને ગંભીરતાથી લઈને જરૂરી સાવચેતીના પગલાં લેવાયા નહીં, તેની પણ ટીકા થઈ રહી છે.

એક તરફ પાંચેય આતંકવાદીઓ હુમલો કરીને સહી સલામત પોતાના દેશમાં પહોંચ્યા હોવાના અહેવાલો આવ્યા, તો બીજી તરફ એક સંદિગ્ધ પકડાયો હોવાની વાત પણ સામે આવ્યી. આ વિરોધાભાસી અહેવાલો પછી આજે રશિયામાં જે કાંઈ થઈ રહ્યું છે, તે આપણી સામે જ છે ને ?

રશિયામાં ભારત-અમેરિકા કે બ્રિટન જેવું લોકતંત્ર નથી, તેથી ખુલ્લેઆમ ટીકા થતી હોતી નથી, પરંતુ વૈશ્વિક ચર્ચાઓ મુજબ જ્યાં હજારો લોકો એકત્ર થવાના હોય ત્યાં મોસ્કોમાં શું તદ્દન પોલંપોલ ચાલતી હશે ? હજારો લોકો એકઠા થતાં હોય કે અવર-જવર રહેતી હોય, ત્યાં સુરક્ષા અને સલામતીના પ્રબન્ધો જ નહીં હોય, કે પછી આ વ્યવસ્થા એટલી તકલાદી હશે કે પાંચ બંદુકધારીઓ-આતંકીઓ આવીને માનવસંહાર કરીને સહી સલામત બહાર નીકળી જાય ? એવું પણ બની શકે કે આખી ઘટનાની સંપૂર્ણ વિગતો અને સત્ય તથ્યો પ્રારંભમાં બહાર જ આવી ન હોય ?

આ હૂમલાની જવાબદારી આઈએસઆઈએસ જેવા ખતરનાક સંગઠને લીધી હોય, તે ભારત સહિત અન્ય દેશોએ પણ એકદમ એલર્ટ થઈ જવા જેવું છે, અને ઓવર કોન્ફીડન્સમાં રહેવા જેવું નથી. આતંકવાદીઓને કયારેય અંડર એસ્ટીમેટ કરી શકાય નહીં. ભારતમાં આતંકવાદી હુમલાઓ ઘટી ગયા છે, અને જમ્મુ-કાશ્મીર સુધી સીમિત થઈ ગયા છે, તેમ છતાં રશિયાની આ ઘટના પછી ભારતીય એજન્સીઓએ પણ સતર્ક થઈ જવા જેવું ખરું...

રશિયામાં આતંકી હૂમલાએ નવો વૈશ્વિક પડકાર પણ ઊભો કર્યો છે. આઈએસઆઈએસના ચીફ માર્યા ગયા હોવાના અહેવાલો ઘણી વખત આવે છે, તેનું સ્થાન કોણે લીધું તે પણ જાહેર કરવામાં આવે છે અને ફરીથી મરેલા આતંકીઓ પ્રગટ થતા હોવાના ચોંકાવનારા અહેવાલો પણ આવતા હોય છે તેથી આઈએસઆઈએસના ખાત્મા માટે માત્ર આતંકીઓ કે તેના ચીફ, કમાન્ડરો કે માસ્ટર માઈન્ડ ને ઠાર કરવામાં આવે તે પૂરતું નથી, આ વિચારને જ જડમૂળથી ખતમ કરવો પડે તેમ છે. આ માટે વિશ્વે એકજૂથ થવું પડે અને નિર્દોષોને સંહાર કરનાર તમામ આતંકીઓને એક દૃષ્ટિએ મુલવીને જ સામૂહિક વૈશ્વિક પ્રહાર સતત કરતા રહેવું પડે, ખરું કે નહીં...?

ભારતમાં હોળીનું પર્વ ઉજવાઈ રહ્યું છે, તેવા સમયે રશિયામાં હત્યાની હોળી પ્રગટી છે, અને ખૂની ખેલ ખેલવામાં આવ્યો છે, ત્યારે મૃતકો અને ઘાયલોના પરિવારો પર આવી પડેલા દુઃખ સામે લડવાની તેઓને ઈશ્વર શક્તિ આપે અને વિશ્વના દેશો હવે આતંકવાદના અસુરનો સંહાર કરવા એકજૂથ થઈને નૃસિંહ સ્વરૂપ ધારણ કરે, તેવું ઈચ્છીએ....

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ક્રિકેટનો જંગ, હોળીના રંગ, ચૂંટણીનો જંગ, તહેવારોનો ઉમંગ... ...... પણ...... દેશની રાજધાનીમાં આવ્યો રાજકીય ભૂકંપ... લોકતંત્ર ખતરામાં ?

આજથી આઈપીએલની ટકાટક ટુર્નામેન્ટનો રોમાંચ શરૃ થશે, જામનગરની લોકસભા બેઠક માટે કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરતા હવે હાલારમાં હોળી-ધૂળેટીની સાથે ચૂંટણીનો જંગ પણ જામશે અને લોકોને ધૂળેટી પર્વે રંગભર્યા ઉત્સવની સાથે ચૂંટણીના અવનવા પ્રચારના કલર્સ પણ જોવા મળશે. બીજી તરફ દેશની રાજધાનીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગત રાત્રે ઈડી દ્વારા ધરપકડ કરાયા પછી આજે જે કાંઈ થઈ રહ્યું છે, તે આપણી સામે જ છે.

કેજરીવાલની ધરપકડ પછી ઈન્ડિયા ગઠબંધનના ધટકપક્ષો ફરીથી એકજૂથ થઈ રહ્યા છે અને ભાજપ સામે આકરા પ્રહારો કરી રહ્યા છે એટલું જ નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ બનાવીને તીખા-તમતમતા પ્રહારો કરી રહ્યા છે, તે જોતાં લોકસભાની ચૂંટણીમાં પણ વિપક્ષો આવી જ એકતા દેખાડીને ભાજપ સામે જંગ માંડશે, તેમ જણાય છે, એકંદરે કેજરીવાલની ધરપકડને તાનાશાહી અને રાજકીય ઈરાદાઓ સાથેની ગણાવાઈ રહી છે અને મોદી સરકાર પર વિપક્ષોને ખતમ કરવા માટે કેન્દ્રીય તપાસ એજન્સીઓના બેફામ દૂરૃપયોગની આક્ષેપબાજી થઈ રહી છે, તો બીજી તરફ કેજરીવાલની ધરપકડ વિપક્ષી ગઠબંધનને વધુ મજબૂત બનાવશે, તેવી સંભાવનાઓ પણ દર્શાવાઈ રહી છે. બીજી તરફ કેજરીવાલ મુખ્યમંત્રી પદેથી રાજીનામું નહીં આપે, તેથી મુખ્યમંત્રી જેલમાં હોય કે, કસ્ટડીમાં હોય તે પણ કદાચ સ્વતંત્ર ભારતની પ્રથમ ઘટના હશે નહીં ?

એક અભિપ્રાય એવો પણ છે કે લોકસભાની ચૂંટણીની જાહેરાત પછી કેજરીવાલની આ રીતે રાતોરાત ધરપકડ કરવાથી આમ આદમી પાર્ટી તથા કેજરીવાલને જનતાની સહાનુભૂતિનો રાજકીય ફાયદો પણ મળવાનો છે અને આમ આદમી પાર્ટીને તમામ વિપક્ષોની પણ સહાનુભૂતિ મળનાર હોવાથી તેને લોકસભાની ચૂંટણીમાં રાજકીય લાભ પણ થઈ શકે છે.

કેજરીવાલની ધરપકડના પ્રત્યાઘાતો દેશની રાજધાનીમાં પણ વ્યાપક સ્વરૃપમાં પડી રહ્યા છે. લગભગ તમામ વિપક્ષી નેતાઓએ આ ધરપકડને લોકતંત્રની હત્યા, રાજાની તાનાશાહી, બદલાની ભાવના, લોકસભાની ચૂંટણી સમયે જ વિપક્ષોને કચડી નાંખવાનું ષડયંત્ર અને ગેરબંધારણીય કૃત્ય ગણાવીને મોદી સરકારની આકરી ટીકા કરી છે,

હવે આમ આદમી પાર્ટી દ્વારા દેશની રાજધાની દિલ્હી અને દેશભરમાં ભાજપ સામે જે સંગ્રામ શરૃ કર્યો છે, તેની અસરો પણ દૂરગામી પડવાની છે અને વિરોધપક્ષો એકજૂથ થઈ જતાં એનડીએ સામે પણ રાજકીય પડકારો વધવાના છે. બીજી તરફ એનડીએના નેતાઓ - પ્રવકતાઓ પણ કેજરીવાલની ધરપકડ લીકર કૌભાંડમાં થયેલા ભ્રષ્ટાચારના કારણે થઈ છે, ત્યારે તેના સમર્થનમાં બોલી રહેલા તમામ રાજકીય પક્ષોનો ભ્રષ્ટાચારના સમર્થકો ગણાવી રહ્યા છે.

કેટલાક લોકો એવા અભિપ્રાયો પણ આપી રહ્યા છે કે દિલ્હીની હાઈકોર્ટે ગઈકાલે ઈડીની ફાઈલ જોયા પછી કેજરીવાલને ધરપકડ સામે સંરક્ષણ આપ્યું નહીં હોવાથી કાં તો દાળમાં કાળુ છે, અથવા તો આખી દાળ જ કાળી છે, તે હકીકત છે. આ જ પ્રકારના અભિપ્રાય સાથે કેટલાક લોકો આ કદમ ઉઠાવાયું, તેના ટાઈમીંગ સામે આશંકા વ્યકત કરી રહ્યા છે, અને ઘણાં સમયથી તોળાઈ રહેલી કેજરીવાલની ધરપકડ એવા સમયે કરવામાં આવી છે, જ્યારે એસબીઆઈ દ્વારા સુપ્રિમ કોર્ટમાં ઈલેકટોરલ બોન્ડની સંપૂર્ણ વિગતો આપ્યા પછી તેની પ્રસિદ્ધિ ચૂંટણીપંચ દ્વારા થવાની હતી. મતલબ કે ઈલેકટોરલ બોન્ડનું મહાકૌભાંડ છાવરવા અને આ ફંડમાંથી શાસક પક્ષોને કઈ કંપની-લોકો-સમૂહોએ કેટલું ચૂંટણીફંડ આપ્યુ છે તે જાહેર થયા પછી તેના તરફથી લોકોનું ધ્યાન ભટકાવવા આ ધરપકડનું ટાઈમીંગ નક્કી થયું હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.

જો કેજરીવાલની ધરપકડ ગઈકાલે થઈ ન હોત, તો આજે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવારોની ચર્ચા સર્વાધિક થઈ રહી હોત અને હાલારમાં પણ જામનગરની લોકસભાની બેઠકને લઈને ચર્ચા થઈ રહી હોત, એટલું જ નહીં, ગઈકાલે કોંગ્રેસે પોતાના બેન્કીંગ ખાતા ફ્રીઝ કરીને વિપક્ષના ચૂંટણીપ્રચારનું ગળું ઘોટવાના જે આક્ષેપો કર્યા તેના પણ વ્યાપક પડઘા પડી રહ્યા હોત, પરંતુ કેજરીવાલની ધરપકડ પછી આ બધું દબાઈ ગયું હોય તેમ જણાય છે અને તેથી જ એવો આક્ષેપ પણ થઈ રહ્યો છે કે કોંગ્રેસ તથા વિપક્ષોના ચૂંટણી પ્રચારને વેરવિખેર કરવા અને લોકોના મનમાં ભ્રમ પેદા કરવાનું સમયબદ્ધ અને સમજપૂર્વકનું આ ષડયંત્ર રચાયું છે !

જામનગરની બેઠક પરથી કોંગ્રેસે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જે.પી. મારવીયાને ઉમેદવાર બનાવ્યા પછી ભાજપના પૂનમબેન માડમ સાથે ચૂંટણી જંગ જામશે.... જોઈએ... આગે આગે હોતા હે કયા ?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

વૈદિક હોળીનો પ્રયોગ... આવી રહ્યો છે રંગ ભર્યો તહેવાર... આવો, મન ભરીને માણીએ...

હૂતાશણીનું પર્વ આવ્યુ અને હોળીની જાર બેસી ગઈ. લોકતંત્રના મહાપર્વ સમી લોકસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે આ વખતે આચારસંહિતાના અમલ દરમિયાન જ કેટલાક તહેવારોની ઉજવણી થવાની છે.

હૂતાશણી પ્રર્વે હોલિકાદહન થતું હોય છે, અને ગામેગામ હોળી પ્રગટાવવામાં આવતી હોય છે. છાણાં અને લાકડાથી પ્રગટતી હોળીમાં લોકો શ્રીફળ વગેરે પધરાવે છે. ધાણી-દાળીયા-ખજુર વગેરેની આહૂતિ સાથે હોળીની પરિક્રમા કરે છે અને તેમાંથી ઘેર-ઘેર સળગતો દેવતા લઈ જઈને ઘરના આંગણે પણ નાની હોળી પ્રગટાવીને તેનું પૂજન કરતા હોય છે. આ પરંપરા સૌરાષ્ટ્રમાં ગામેગામ જોવા મળે છે.

આ વર્ષે ભરૂચમાં પ્રગટતી વૈદિક હોવાનું અનુકરણ રાજ્યના અન્ય કેટલાક જિલ્લાઓમાં પણ થનાર હોવાની ચર્ચા થઈ રહી છે, ત્યારે વૈદિક હોળી અને તેના પર્યાવરણલક્ષી ફાયદાઓને લઈને પણ લોકોની ઉત્કંઠા વધી છે.

ભરૂચની એક સંસ્થા દ્વારા માત્ર ગૌવંશના ગોબરમાંથી બનાવાયેલા છાણાંઓની હોળી જ પ્રગટાવવામાં આવે છે, જેને વૈદિક હોળી તરીકે વર્ણાવવામાં આવે છે. લાકડાના બદલે માત્ર છાણાંઓ દ્વારા પ્રગટાવાતી આ હોળીના કારણે વાતાવરણ શુદ્ધ થાય છે અને વૃક્ષોના લાકડાઓની બચત થાય છે, તેવો દાવો કરવામાં આવે છે, આ પ્રકારની હોળીને વૈદિક હોળી ગણાવાય છે, જ્યારે આ પ્રકારની પર્યાવરણની સુરક્ષા સાથેના હોળી પ્રાગટ્યની દિશામાં રાજ્યમાં અન્ય કેટલાક જિલ્લાઓમાં પણ વિવિધ પ્રયોગો થતા હોવાના અહેવાલો પણ વિવિધ માધ્યમો દ્વારા આવતા હોય છે. એકંદરે આપણી પ્રાચીન સંસ્કૃતિને અનુરૂપ પરંપરાઓ પણ જળવાઈ રહે, જંગલો કપાતા અટકે, પર્યાવરણ જળવાઈ રહે અને લોકોની આસ્થા પણ જળવાઈ રહે, તેવા પ્રેરણાત્મક સુધારાઓ હવે મોટાભાગના લોકો સ્વીકારતા થયા છે, તે શુભસંકેત છે અને ભરૂચ તથા અન્ય કેટલાક જિલ્લાઓમાં થયેલા આ દિશાના પ્રયાસોને આ વર્ષે વધુ વેગ મળશે, તેમ જણાય છે.

આપણા પ્રાચીનકાળમાં હોળીને 'નવા ન્નેષ્ટિયજ્ઞ' કહેવામાં આવતી હતી, અને ખેતીમાંથી અનાજ છૂટુ પાડ્યા પછી આ તહેવાર ઉજવાતો હતો વૈદિક કાળમાં હોળીના વિવિધ વર્ગનો છે. હોળી ઉત્સવને 'મદનોત્સ' પણ કહેવાય છે.

જો કે, વૈદિક હોળીના ગૂઢાર્થ વીતી ગયેલી બુરી વાતોને ભૂલીને અને રાગ-દ્વેષને અગ્નિમાં હોમી દઈને અચ્છાઈ તરફ આગળ વધવાનો સંદેશ પણ આપે છે. હોળીમાં બુરાઈઓ હોમી દઈને બીજા દિવસે સુંદરતા અને નિખાલસતાના રંગો ઉડાડીને જીવનને આનંદમય બનાવવાનો ગૂઢ સંદેશ પણ આ ઉજવણીમાંથી મળે છે.

દેશમાં વિવિધ રીતે હોળી રમવામાં આવે છે, ગોકુલ-મથુરાની લઠ્ઠામાર હોળી, રાજસ્થાનના જાલૌરની કાંકરામાર (પથ્થરમાર) હોળી, ઢોલવાદન હોલી, ફૂલડોલ ઉત્સવ, ફાલ્ગુનિયા હોલી વગેરે પ્રચલીત હોળી ઉત્સવો છે.

અત્યારે આપણો દેશ એક તરફ લોકસભાની ચૂંટણીઓના માહોલમાં રંગાઈ રહ્યો છે, તો બીજી તરફ રંગભર્યો હોળીનો તહેવાર પણ આવ્યો છે. હોલિકા દહન પણ થવાનું છે, ત્યારે લોકલ માર્કેટમાં પણ હૂતાશણી પર્વને લઈને ધમધમાટ વધી રહેલો જોવા મળી રહ્યો છે.

જેમ જેમ સમય બદલાઈ રહ્યો છે, તેમ તેમ પરંપરાઓ, રીત-રિવાજો અને ઉજવણીની પદ્ધતિઓ પણ બદલતી રહી છે. વર્તમાન યુગ, હાલના સંજોગો, પ્રવર્તમાન પરિસ્થિતિઓ અને પડકારોને ધ્યાને રાખીને તમામ પ્રકારની ઉજવણીઓમાં બદલાવ થઈ રહ્યો છે, અને તે જરૂરી પણ છે, હવે પર્યાવરણને અનુરૂપ તથા બદલતા ઋતુચક્ર અને પૃથ્વી પર વધી રહેલા ભારણને ધ્યાને રાખીને જ આપણે વિવિધ ઉજવણીઓ કરવી પડશે, પરંતુ સાથોસાથ આપણી ગરિમામય પ્રાચીન સંસ્કૃતિ અને જીવોપયોગી પરંપરાઓ જળવાઈ રહે તથા જનસામાન્યની આસ્થા પણ અંકબંધ રહે, તેની કાળજી પણ રાખવી પડશે, ખરું ને ?

આપણી સહિયારી સંસ્કૃતિના તમામ તહેવારો, ઉત્સવો અને ઉજવણીઓની પાછળ મજબૂત ઉદ્દેશ્યો, આરોગ્યલક્ષી આયામો, સર્વજન હિતાય... સર્વજન સુખાય... ના હેતુઓ તથા વૈજ્ઞાનિક, સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ માનવકલ્યાણ અને જીવકલ્યાણના લક્ષ્યો રહેલા હોય છે અને તે પરસ્પર એવી રીતે સંકળાયેલા છે કે તે અંતે માનવકલ્યાણ, પૃથ્વી, પર્યાવરણ અને જીવસૃષ્ટિ માટે હિતવર્ધક જ પુરવાર થતા હોય છે, બસ, તેને પારખવાની દૃષ્ટિ હોવી જોઈએ, ખરું કે ખોટું ?

આજથી હોળી-ધૂળેટીના પર્વની ઉજવણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને તદ્દવિષયક ખરીદી માટે પણ બજારો ઉભરાઈ રહી છે ત્યારે હાલારીમાં પણ હૂતાશણી પર્વની ઉજવણીનો હર્ષોલ્લાસ વધી રહ્યો છે. દ્વારકાના જગતમંદિરમાં ફૂલડોલ ઉત્સવ માટે પદયાત્રીઓનો પ્રવાહ રાજ્યના મોટાભાગના માર્ગો પરથી વહીને દ્વારકા પહોંચી રહ્યો છે, સેવા કેમ્પો ધમધમી રહ્યા છે, અને અત્યારે તો હાલાર હૂતાશણીના રંગે રંગાવા જઈ રહ્યું છે... સૌરાષ્ટ્રમાં રંગભર્યો માહોલ સર્જાયો છે, ત્યારે આવો, આપણે પણ તહેવારોને મન ભરીને માણીએ....

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ચૂંટણી અને ધરતીનો ગરમાઈ રહ્યો છે માહોલ... પૃથ્વી રેડ એલર્ટ પર ?

અત્યારે દેશમાં રાજકીય માહોલ ગરમાયો છે અને ચૂંટણીપ્રચારની ધગધગતી ગરમી અનુભવાઈ રહી છે, તો પ્રચંડ ગરમીની શરૂઆત પણ થઈ ગઈ છે અને ઉનાળાના પ્રારંભે જ તાપમાનનો પારો સતત ઉંચકાઈ રહ્યો હોવાથી  લોકો ગરમીથી અકળાઈ રહ્યા છે.

કચ્છના કેટલા વિસ્તારોમાં તો ભારે પવનો સાથે વંટોળિયો સર્જાતા અફરાતફરીના દૃશ્યો જોવા મળ્યા અને કેટલીક વસ્તુઓ હવામાં ફંગોળાઈ રહી હોવાના વીડિયો પણ વાયરલ થયા છે. આંધી-વંટોળિયાના કારણે લોકોની ચીજવસ્તુઓ ઉડવા ઉપરાંત ખેતીપાકોને પણ નુકસાન થયું હોવાનું જણાવાઈ રહ્યું છે.

અત્યારે કચ્છ-સૌરાષ્ટ્ર અને ગુજરાત જ નહીં, સમગ્ર દેશ અને દુનિયામાં પણ મિશ્ર ઋતુ તથા બદલતા રહેતા હવામાનના કારણે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ રહી છે.

યુનોના વર્લ્ડ મિટિરોલોજીકલ ઓર્ગેનાઈઝેશનના તાજા રિપોર્ટમાં પૃથ્વી લૂપ્ત થઈ જવાની સંભાવના હોવાનો ખતરો મંડરાઈ હોવાની ચેતવણી આપ્યા પછી સમગ્ર વિશ્વમાં ચિન્તા પ્રસરી ગઈ છે અને આ રિપોર્ટનો ઉંડો અભ્યાસ પણ કરવામાં આવી રહ્યો છે.

આ રિપોર્ટમાં ઘણી જ ચિન્તાજનક સ્થિતિ તરફ વિશ્વ ધકેલાઈ રહ્યું હોવાની કડવી વાસ્તવિકતા જાહેર કરવામાં આવી છે. ગયું વર્ષ એટલે કે વર્ષ-ર૦ર૩ સૌથી ગરમ વર્ષ તરીકે નોંધાયું હતું અને રેકોર્ડબ્રેક ગરમી પડી હતી. વાતાવરણમાં ગરમીના મોજા એટલા ઉછળ્યા હતા કે તેની અસરો સમુદ્રથી લઈને ઊંચામાં ઊંચા ગ્લેશિયરો સુધી વર્તાઈ હતી અને ગ્લેશિયરો અસધારણ ઝડપે પીગળવા લાગ્યા હતાં. આ કારણે સમુદ્રની સપાટીમાં પણ વધારો નોંધાયો હતો, જે જીવસૃષ્ટિ માટે વોર્નિંગ એલાર્મ જેવી સ્થિતિ ગણાય.

આ રિપોર્ટ મુજબ ગયા વર્ષે સરેરાશ કરતા તાપમાનનું સ્તર ૧.૪પ ડિગ્રી સેલસિયસ વધુ હતું જેની મર્યાદા પૃથ્વીની સપાટીની સરેરાશ એવરેજ કરતા ૧.પ વધુની હોવાથી અત્યારે તાપમાનની દૃષ્ટિએ પૃથ્વી રેડએલર્ટ પણ ગણાય, તેવી ચેતવણી પણ તેમણે આપી છે.

ગયા વર્ષે દરિયાઈ હીટવેવથી વિશ્વના ત્રીજા ભાગના મહાસાગરો પ્રભાવિત થયા હતા, જે વર્ષના અંતે મહત્તમ સપાટીએ પહોંચી ગયા હતા અને મહાસાગરોનો મોટાભાગનો હિસ્સો દરિયાઈ હીટવેવ્ઝની લપેટમાં આવી ગયો હતો, જેને પણ ભયજનક સ્થિતિ ગણાવાઈ રહી છે.

આ રિપોર્ટ મુજબ વર્ષ ર૦૧૪-ર૦ર૩ ના દાયકામાં તે પહેલાના દાયકા કરતા ડબલ ઝડપે દરિયાની સપાટી વધી રહી છે, જેને પણ પૃથ્વી પર આવી રહેલા ખતરા તરીકે ગણાવાઈ રહી છે.

આ તમામ પ્રકારના ગ્લોબલ વોર્મિંગ અને કલાઈમેટ ચેઈન્જના કારણે જ ભારે ગરમી, ભારે પૂર, કયાંક જલપ્રલય તો કયાંક દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે અને ઋતુચક્ર પણ ખોરવાઈ રહ્યું છે.

એક તરફ યુનોના વડા કલાઈમેટ ચેઈન્જ અને ગ્લોબલ વોર્મિંગના કારણે પૃથ્વી ખતરામાં હોવાની ચેતવણી આપી રહ્યા છે, તો ભારતમાં વિપક્ષો લોકતંત્ર તથા બંધારણ ખતરામાં હોવાનો ઉહાપોહ મચાવી રહ્યા છે, અને તેની સામે શાસક એનડીએ દ્વારા થઈ રહેલા આક્રમક શાબ્દિક પ્રહારો અને વર્ણવાઈ રહેલી દેશની વિકાસયાત્રાના કારણે દેશનો રાજકીય માહોલ પણ ગરમાયો છે, અને દેશના પોલિટિકલ એન્વાયરમેન્ટમાં પણ ઈલેકટોરલ વોર્મિંગની અનુભૂતિ થઈ રહી છે.

ચૂંટણીનો માહોલ જામ્યો છે, અને રાજકીય પક્ષો દ્વારા પ્રચારનો પ્રારંભ થઈ ગયો છે, પરંતુ હજુ તમામ ઉમેદવારો જાહેર થઈ જાય, તે પછી જ ચૂંટણી ઝંઝાવાત વેગ પકડશે, તેમ જણાય છે. હજુ રાજકીય પક્ષો ઉમેદવારો જાહેર કરી રહ્યા છે, અને તેની સાથે રિસામણા-મનામણાની મોસમ પણ પુરબહારમાં ખીલી રહી છે. ઘણાં લોકોના અંતરાત્મા જાગે છે ત્યારે કોઈ કદમ ઉઠાવે છે, પરંતુ તે પછી એ કદમ પાછું ખેંચે, ત્યારે ઘણાં લોકો કટાક્ષમાં કહેતા સંભળાય છે કે, 'અંતરાત્મા પાછો ફરીથી પોઢી ગયો હશે, નહીં ?'

આ વખતે મીડિયાકર્મીઓની સેવાઓનો સમાવેશ 'આવશ્યક'માં ગણીને પોષ્ટલ બેલેટની જે જોગવાઈ થઈ છે, તેને સામાન્ય રીતે આવકાર મળી રહ્યો છે, અને હવે આ સુવિધાનો અવશ્ય લાભ લઈને ચોક્કસપણે પોષ્ટલ બેલેટની સમયોચિત ફરજો બજાવવાની જવાબદારી પણ રહેવાની છે, ખરું કે નહીં ?

ભરૂચમાં આમ આદમી પાર્ટીને બેઠક ફાળવી દેવાના અહેમદભાઈ પટેલના પરિવારને થયેલો અસંતોષ ખાળવા કોંગ્રેસ નવસારી બેઠક પરથી અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલને ટિકિટ ફાળવી શકે છે અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સામે મજબૂત પડકાર ઊભો કરી શકે છે, તેવા અહેવાલો પછી દક્ષિણ ભારતના રાજકારણના ગણિત નવેસરથી મંડાઈ રહ્યા છે, અને ચૈતર વસાવાને જીતાડવા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવવાની બુનિયાદ મજબૂત બની રહેલ જણાય છે, તો બીજી તરફ સતત ત્રણ વખતથી નવસારીની બેઠક પરથી ચૂંટાઈ રહેલા અને ગત ચૂંટણીમાં દેશમાં સૌથી વધુ લીડથી જીતવાનો રેકોર્ડ ધરાવતા પટેલને નવસારીની બેઠક પરથી હરાવવા મુશ્કેલ હોવાના તારણો પણ નીકળી રહ્યા છે, જોઈએ, શું થાય છે તે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ચંદા કા ધંધા.... એક હાથ દો, દુસરે હાથ લો.. હમામ મે સબ નંગે હૈ...!

'હમામ મે સબ નંગે હૈ..' જેવી જ ગુજરાતીમાં તળપદી કહેવત છે, 'આવ ભાઈ હરખા, આપણે બેય સરખા' અથવા 'કાચના ઘરમાં રહેનારા બીજા પર પથ્થર ન ફેંકે'...

અત્યારે કાંઈક આવું જ દેશ અને દુનિયાની રાજનીતિમાં બની રહ્યું છે. રશિયામાં ચૂંટણી થાય છે, રાષ્ટ્રપતિ પુતિનનો વિજય થાય છે, તેને અમેરિકા ડ્રામેબાજી ગણાવે છે. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થવાનું નામ જ  લઈ રહ્યું નથી. ચીનની અવળચંડાઈ અને પાકિસ્તાનની અકડાઈની અસરો દક્ષિણ એશિયાના દેશો પર વિપરીત રીતે પડી રહી છે, આ વૈશ્વિક અસમંજસની સ્થિતિ વચ્ચે કેટલાક દેશોમાં ચૂંટણીઓ થતાં સત્તા પરિવર્તનો કે પછી સત્તા પુનરાવર્તનોની સંભવિત અસરો પણ વૈશ્વિક રાજકરણ પર પડવાની જ છે, આ કારણે જ પાકિસ્તાનમાં ગઠજોડ કરીને રચાયેલી શાહબાજ સરકાર પણ અનેક પડકારોનો સામનો કરી રહી છે.

ભારતમાં તો હવે ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે અને પ્રચાર-યુદ્ધના મંડાણ થઈ ચુક્યા છે, ત્યારે દેશમાં કોઈપણ ક્ષેત્રે કોઈપણ ઘટના ઘટે, તો તેની રાજનૈતિક અસરો પણ થવાની જ છે અને ચૂંટણી પ્રચારના સમયગાળામાં મુદ્દાઓ પણ રોજ-બ-રોજ ફરતા જ રહેવાના છે, નેતાઓની બયાનબાજી પણ હવે મહત્ત્વપૂર્ણ બનવાની છે, અને એકાદ શબ્દપ્રયોગ કે વાક્યને પકડીને સમગ્ર ચૂંટણીસંગ્રામ તેના આધારે લડાયો હોય, તેવા અનેક દૃષ્ટાંતો આપણા લોકતાંત્રિક ઈતિહાસમાં મોજુદ છે, જેથી રાજનેતાઓ તથા તેના પ્રવકતાઓએ અને ખાસ કરીને સ્ટારપ્રચારકોએ ઘણું જ સમજી વિચારીને બોલવાની ટેવ પાડવી પડશે. અને ચૂંટણીના સમયગાળા દરમિયાન આચાર-વિચાર-વ્યવહાર અને રોજીંદી પ્રચાર શૈલીમાં પણ સાવધાની રાખવી પડશે.

અત્યારે પહેલેથી જ ઘણી બાબતો જુદા જુદા ન્યાયલયોમાં પેન્ડીંગ હશે, અને પીઆઈએલના માધ્યમથી કેટલીક અરજીઓ પણ વિચારાધિન હશે, કે પછી આગામી સમયમાં થશે. આ તમામ અરજીઓ, કેસો વગેરેની સુનાવણી અદાલતોમાં ચાલશે, અને જે કાંઈ નિર્ણયો આવશે, દલીલો થશે કે ટિપ્પણીઓ કે ઓફિડેવીટ થશે, તેની સીધી અસર રાજનીતિ પર પણ પડવાની છે, અને રાજકીય પક્ષો તેના આધારે પોતાના પ્રચારની રણનીતિ બદલતા રહેવાના છે, તે પણ નક્કી જણાય છે.

દૃષ્ટાંત તરીકે સુપ્રિમ કોર્ટની સૂચના મુજબ એસબીઆઈએ ચૂંટણીપંચને ઈલેકટોરલ બોન્ડ અથવા ચૂંટણી બોન્ડની વિગતો તો આપી, પણ અધુરી આપી, તેથી સુપ્રિમ કોર્ટે તેને ફટકાર લગાવી, હવે ફરીથી ચૂંટણીપંચને વિગતો આપવાની સાથે સાથે સર્વોચ્ચ અદાલતમાં એવું એફિડેવીટ પણ કરવું પડશે કે ચૂંટણીબોન્ડને લગતી કોઈ જ માહિતી આપવાની હવે બાકી રહી જતી નથી. એસબીઆઈ ગુરૃવાર સુધીમાં તમામ માહિતી પૂરી પાડે, તે પછી ચૂંટણીપંચ તે માહિતી વેબસાઈટ પર મૂકશે, તે પછી સ્પષ્ટ થશે કે કઈ પાર્ટીને કેટલું ફંડ મળ્યુ છે, અને કયારે મળ્યુ છે. આ માહિતી એટલી વિસ્ફોટક હશે કે ભારતીય રાજનીતિની બુનિયાદ હલાવી દેશે, તેવા દાવા પણ થઈ રહ્યા છે.

કેન્દ્ર અને રાજ્યોમાં સત્તામાં રહેલા રાજકીય પક્ષોને ચૂંટણી બોન્ડ દ્વારા ફંડ મળ્યુ છે અને એકાદ-બે અપવાદ સિવાય તમામ મુખ્ય મુખ્ય પક્ષોને આ પદ્ધતિ હેઠળ ફંડ  મળ્યુ છે, તેને લઈને મીડિયામાં 'ચંદા કા ધંધા' ની થીમ હેઠળ ચર્ચા પણ શરૃ થઈ ગઈ છે.

એવી ચર્ચા થઈ રહી છે કે કેન્દ્ર અને રાજ્યોની તપાસ અને અન્ય એજન્સીઓના વ્યાપક દરોડા પડ્યા હોય, અને તે પછીના સમયમાં તરત જ જેને ત્યાં દરોડા પડ્યા હોય, તે કંપનીઓ, વ્યક્તિઓ કે સંસ્થાઓ ઈલેકટોરલ બોન્ડના માધ્યમથી જંગી ચૂંટણી ફંડ જમા કરાવે, તો તેને શું સમજવું ?

જો ચૂંટણીબોન્ડ દ્વારા મોટી રકમ કોઈ રાજકીય પક્ષને દાનમાં આપી હોય અને તે પછી તેને જાયન્ટ કોન્ટ્રાકટ મળ્યા હોય તો તેને શું સમજવું ?

આ પ્રકારની ઘટનાઓ દરેક વખતે યોગાનુયોગ ન હોઈ શકે, અને તેમાં રાજ્યો અને કેન્દ્ર સરકારમાં સત્તામાં રહેલા રાજકીય પક્ષોનું કોઈ દબાણ કે પ્રભાવ બીલકુલ હોય જ નહીં, તેવું બની શકે ખરું ?

દેશવ્યાપી ચર્ચાઓ દરમિયાન એક એવો વેધક સવાલ પણ ઉઠી રહ્યો છે કે જો રાજકીય પક્ષો એટલા બધા ચોખ્ખાચણક હોય તો પોતે જ તેઓને મળેલા ફંડની વિગતો જાહેર કરી દેવાની પહેલ કેમ નથી કરી રહ્યા ? તમામ રાજકીય પક્ષોને પોતાને ચૂંટણીફંડ દ્વારા કોના તરફથી કેટલું ફંડ કયારે મળ્યુ તે તો ખબર જ હશે ને ? પરંતુ હમામ મેં સબ નંગે હૈ...

આ પહેલા એસબીઆઈએ જે કાંઈ માહિતી આપી છે, તેના આધારે પણ વિવિધ રાજ્યોમાં કેન્દ્રીય અને રાજ્યોની એજન્સીઓ દ્વારા પડેલા દરોડા પછી થયેલું ફંડીંગ, અપાયેલા કોન્ટ્રાકટરો, અન્ય લાભો તેમજ રાજકીય ક્ષેત્રે થયેલી ઉથલપાથલોને સાંકળીને જે અનુમાનો થઈ રહ્યા છે, તે જોતા એમ ચોક્કસ કહી શકાય કે એસબીઆઈ દ્વારા અપાયેલી સંપૂર્ણ માહિતી ચૂંટણીપંચ જાહેર કરે, તે પછી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે, પરંતુ યક્ષપ્રશ્ન એ પણ છે કે તે પછી શું થશે ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

એનડીએ વિરૂદ્ધ આઈએનડીઆઈએ ફરી ગુંજ્યો ઈવીએમનો મુદ્દો... અબકી બાર, ચારસો કે પાર ની સામે અબકી બાર-બીજેપી તડીપાર

ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ અને આદર્શ આસારસંહિતા લાગુ થઈ ગઈ, તેની સાથે જ ગઈકાલે મુંબઈ, મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રાના સમાપન પ્રસંગે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાનું જાણે શક્તિ પ્રદર્શન થયું અને જુદા જુદા પક્ષોના દિગ્ગજ નેતાઓએ કેન્દ્રમાંથી એનડીએની સરકાર હટાવવાનું આહ્વાન કર્યું. નારાઓ ગુંજ્યા કે, 'અબકી બાર... બીજેપી તડીપાર'...

હકીકતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે નારો 'અબકી બાર ચારસો કે પાર' નો નારો આપ્યો છે, તેની સામે આ નારો ગુંજતો થયો છે. વિપક્ષી નેતાઓએ આ રેલીમાં જે શક્તિ પ્રદર્શન કર્યું, તે પછી દેશમાં લોકસભાની ચૂંટણીનો વિપક્ષ તરફથી પણ મજૂત રણટંકાર થઈ ગયો છે, અને એનડીએ તો પહેલેથી જ 'ચારસો પાર'ના નારા સાથે મેદાનમાં જ છે.

વાસ્તવમાં ઈન્ડિયા ગઠબંધનની મુંબઈમાં જે એકજૂથતા દેખાઈ, તેમાં કોણ સાથે છે અને કોણ નથી,  તેના પણ પારખા થઈ ગયા હકીકતે તો રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રાનું સમાપન મહારાષ્ટ્રમાં થયું તે પ્રસંગે વિપક્ષી ગઠબંધનના દિગ્ગજોને મુંબઈમાં બોલાવાયા હતાં.

આ રેલીમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કોંગ્રેસના અન્ય દિગ્ગજ નેતાઓની સાથે ગઠબંધનના અન્ય રાજકીય પક્ષોના દિગ્ગ્જો પણ જોવા મળ્યા હતાં, જેમાં ઉદ્ધવ ઠાકરે, મહેબુબા મૂફતી, શરદ પવાર, એમ.કે. સ્ટાલિન, તેજસ્વી યાદવ, પ્રકાશ આંબેડકર સહિતના ઘણાં દિગ્ગજ વિપક્ષી નેતાઓ જોડાયા હતાં. આ રેલીમાં નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લહે જે નિવેદન આપ્યું તે રાજકીય વર્તુળોમાં ઘણું જ ચર્ચાસ્પદ બન્યું છે. તેમણે ઈવીએમને લઈને જે શબ્દપ્રયોગો કર્યા તે ચર્ચામાં છે.

બેલેટપેપરથી મતદાનની જરૂર જણાવતા ફારૂક અબ્દુલ્લાહે કહ્યું કે દેશની જનતા જો ઈન્ડિયા ગઠબંધનને જનાદેશ આપશે, અને કેન્દ્રમાં અમારી (ઈન્ડિયા ગઠબંધનની) સરકાર આવશે, તો ઈવીએમ હટી જશે, અને ચૂંટણીપંચ સ્વતંત્ર હશે, તેમણે આ લડત દેશવાસીઓ, બંધારણ અને દેશને બચાવવાની હોવાથી વિપક્ષી એકતાની મજબૂતી અંગે આશાવાદ વ્યકત કર્યો હતો.

રાહુલ ગાંધીએ તો સૌથી વધુ ભ્રષ્ટાચાર ઈલેકટોરલ બોેન્ડને ગણાવીને તીખા તમતમતા સવાલો ઉઠાવ્યા છે, રાજાનો અવાજ ઈવીએમ, સીબીઆઈ, ઈડી અને આઈટીમાં છે, તેવો નામ લીધા વગર કરવામાં આવેલો કટાક્ષ પણ ગઈકાલથી ચર્ચામાં છે, રાહુલ ગાંધીના મંતવ્ય મુજબ વિપક્ષી નેતાઓને ડરાવીને પક્ષાંતર કરાવાઈ રહ્યું છે તેમણે તો એક નવો વિવાદ પણ ઊભો કરી દીધો છે અને વડાપ્રધાનની કાર્યશૈલીની ટીકા કરી અને તેઓને મહોરું ગણાવ્યા, તે પછી તેના સંદર્ભે ભારતીય જનતા પક્ષના નેતાઓ પણ તેમનો જવાબ આપી રહેલા જણાયા હતાં એકંદરે ચૂંટણીના સંગ્રામમાં નિવેદનબાજી, આક્ષેપો-પ્રતિઆક્ષેપો અને પોષ્ટર યુદ્ધના મંડાણ હવે થઈ ચૂક્યા છે.

તેજસ્વી યાદવે કહ્યું કે અમારી લડાઈ મોદીજીને હરાવવાની નથી, પણ વિચારધારાની છે, અમે વિભાજનકારી વિચારધારાની વિરૂદ્ધમાં છીએ. બેરોજગારીઓ અને મોંઘવારીના મુદ્દે અમો લડી રહ્યા છીએ.

ઈવીએમ સામે આમ તો પહેલેથી જ સવાલો ઉઠતા રહ્યા છે, અને તેના જવાબો પણ અપાતા રહ્યા છે, પરંતુ ચંદીગઢના મેયરની ચૂંટણીમાં જે ગરબડ થઈ, તે પછી ફરીથી ઈવીએમનો મુદ્દો ઉછળ્યો છે, પરંતુ કેટલાક રાજ્યોમાં ભાજપને પછાડીને વિપક્ષોએ સત્તા મેળવી હતી, તેમાં ઈવીએમ સાચા અને ભાજપ જીતે ત્યાં ખોટા ? તેવા પ્રતિસવાલોનો સ્પષ્ટ જવાબ પણ મળી રહ્યો અને અદાલતની અટારીએ પણ આ મુદ્દો ફરી હજુ પહોંચ્યો નથી તેથી આ વિવાદ હવે માત્ર પ્રચારના મુદ્દોઓ પૈકીનો જ એક મુદ્દો બની ગયો હોય, તેમ જણાય છે.

વિરોધપક્ષો ઈવીએમ ઉપરાંત અન્ય કેટલાક મુદ્દે એનડીએને ઘેરી રહ્યા છે, તો એનડીએ બે ટર્મની સિદ્ધિઓ વર્ણવીને વિપક્ષ પર પરિવારવાદ, ભ્રષ્ટાચાર અને તુષ્ટિકરણની રાજનીતિના આરોપો લગાવી રહ્યું છે ત્યારે હવે જનતાએ નક્કી કરવાનું છે કે આમા સાચું કેટલું અને ખોટું કેટલું ?

ચૂંટણીપંચે ડેટા જાહેર કર્યા તે પછી ઈલેકટોરલ બોન્ડનો મુદ્દો પણ ચૂંટણીમાં પ્રચારનો મુદ્દો બન્યો છે. આ તમામ માહિતીનું હજુ ઉંડુ અધ્યયન થઈ રહ્યું છે, અને સૌથી વધુ ઈલેકટોરલ બોન્ડથી ભાજપને ફંડ મળ્યું છે, તેવી જ રીતે તૃણમુલ કે કોંગ્રેસ, સમાજવાદી સહિત અન્ય રાજકીય પક્ષોને પણ કેટલું ફંડ આ રીતે મળ્યું છે તેનું અધ્યયન થઈ રહ્યું છે, જોઈએ હવે શું થાય છે તે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

આવી ગયો ડેમોક્રેસી ફેસ્ટીવલ.... આદર્શ આચાર સંહિતાનો અમલ... રાજકીય ક્ષેત્રે વધી ગઈ હલચલ... જાગૃત મતદાર, દેશનું ભાવિ ઉજજવળ

લોકતંત્રનો મહોત્સવ આવી ગયો, હવે ડેમોક્રેસી ફેસ્ટીવલની ઉજવણી દેશના તમામ લોકોએ સાથે મળીને કરવાની છે, એટલું જ નહીં, કોઈપણ લોભ, લાલચ, ડર, પ્રલોભન કે આળસ વગર દરેક મતદારે મતદાન અવશ્ય કરવાનું છે, કારણ કે જેટલો મતદાર જાગૃત હશે, જેટલું વધુ મતદાન થશે અને જેટલી પારદર્શક, તટસ્થ, ન્યાયી અને મૂકત વાતાવરણમાં ચૂંટણી થશે, તેટલી લોકતાંત્રિક મૂલ્યોની સફળતા ગણાશે, તથા દેશનું ઉજજવળ ભાવિ નક્કી કરી શકાશે.

લોકસભાની ચૂંટણીની સાથે સાથે કેટલાક રાજ્યોની વિધાનસભાઓ તથા ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં પેટાચૂંટણીઓ પણ થવાની છે, ત્યારે મતદારો પાસે પોતાનું જ ઉજજવળ ભવિષ્ય અને મનપસંદ શાસન સ્થાપિત કરવાની સોનેરી તક મળવાની છે, જે કોઈપણ સંજોગોમાં મતદાન કરીને ઝડપી લેવાની જ છે, તેવો નિર્ધાર આજથી જ કરી લેવો જોઈએ, ખરું કે નહીં ?

આદર્શ આચાર સંહિતાનો અમલ થાય, તે પહેલાં જ છેલ્લા એક મહિનાથી ઘણી બધી જાહેરાતો થઈ, ઉપરાછાપરી બેઠકો યોજીને ધડાધડ વિવિધ પ્રકારની મંજુરી અપાઈ, લોકર્પણો અને ખાતમુહૂર્તો થયા, હવે તંત્રો ચૂંટણીના કામે લાગી જશે અને રાજકીય પક્ષોનો ધૂંવાધાર પ્રચાર શરૂ થઈ જશે. મતદારોને રીઝવવા અનેક પ્રકારની રીતરસમો ઉપરાંત મીડિયા, સોશ્યલ મીડિયાના માધ્યમથી પણ જોરદાર પ્રચાર થશે. હવે અખબારો, ન્યૂઝચેનલો અને સોશ્યલ મીડિયાના વિવિધ માધ્યમો દ્વારા ચૂંટણીપંચ દ્વારા થતી કામગીરી અને રાજકીય ગતિવિધિઓના અહેવાલો લોકો સુધી પહોંચશે, જેથી દેશમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ જશે.

લોકસભા ઉપરાંત કેટલીક વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ તથા કેટલાક રાજ્યોમાં પેટાચૂંટણી થવાની હોવાથી મતદારોએ રાજ્ય અને કેન્દ્ર માટે અલગ-અલગ પસંદગી કરવાની થશે, જેથી મતદારોએ પણ મતદાનનો દિવસ રિઝર્વ રાખીને પોતાનું તથા પોતાના પરિવારનું મતદાન સુનિશ્ચિત કરવાની માનસિકતા અત્યારથી જ કેળવવી પડશે, કારણ કે, અત્યંત અનિવાર્ય કારણો હોય,  તે સિવાય મતદાન અહીં કરનારને તે પછીથી કોઈપણ ફરિયાદ કરવાનો 'નૈતિક' અધિકાર નથી અને હોવો પણ ન જોઈએ, ખરું કે નહીં ?

આજે ચૂંંટણીની તારીખ જાહેર થવાની છે, તેવું ગઈકાલે જાહેર થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઉદ્દેશીને જે પત્ર લખ્યો છે, તેના પણ મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે. તદ્દપરાંત આજથી આદર્શ સંહિતા લાગુ થયા પછી જાહેર સહકારી કાર્યક્રમો, લોકાર્પણો, ખાતમુહૂર્તોનું સ્થાન હવે જંગી ચૂંટણી સભાઓ, રોડ-શો, રેલીઓ, યાત્રાઓ વગેરે લેશે, જો કે, તેની રાજકીય પક્ષ ઉમેદવારના ખર્ચમાં ચૂંટણીપંચ દ્વારા નોંધ અને નિગરાની પણ થશે.

આદર્શ આચાર સંહિતા લાગુ થયા પછી જિલ્લા મેજીસ્ટ્રેટો જિલ્લા ચૂંટણી અધિકારી બની જતા હોય છે અને તેની પાસે વ્યાપક સત્તાઓ આવી જતી હોય છે. આ સંજોગોમાં નાના-મોટા તમામ ચૂંટણી અધિકારીઓએ કોઈપણ રાજકીય પક્ષ, નેતા કે અન્ય પરીબળોના પ્રભાવમાં આવ્યા વગર મૂકત, ન્યાયી અને સુરક્ષિત ચૂંટણી પ્રક્રિયા કરાવવા માટે સજજ થવું પડતું હોય છે, અને તે માટે અલાયદી તાલીમ પણ વખતોવખત અને તબક્કાવાર અપાતી હોય છે. જિલ્લા ચૂંટણી અધિકારીઓની સત્તા એટલી વધી જતી હોય છે કે ચૂંટણીની સભાઓ, રોડ-શો કે રેલીઓ વગેરે માટે વડાપ્રધાન કે મુખ્યમંત્રી આવનાર હોય, તો પણ આયોજકોએ જિલ્લા ચૂંટણી અધિકારીની જ મંજુરી લેવી પડતી હોય છે. લોકસભાની ચૂંટણી સંપન્ન થયા પછી વિજેતા ઉમેદવારને ચૂંટાયેલા જાહેર કર્યા પછી સંસદસભ્ય તરીકે ચૂંટાયા હોવાનું ચૂંટણી પંચનું સર્ટિફીકેટ પણ જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી જ આપતા હોય છે, આમ આજથી જિલ્લા કલેકટરોની જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની સત્તાઓની સામે જવાબદારીઓ પણ વધી જવાની છે.

ગત ચૂંટણીમાં જામનગર લોકસભાની બેઠક પરથી પૂનમબેન માડમ ર.૩૬ લાખથી વધુ મતોના માર્જીનથી જીત્યા હતા, તે સમયે પૂનમબેન સામે હારેલા ઉમેદવાર મૂળુભાઈ કંડોરિયા અત્યારે ભાજપમાં સામેલ થઈ ગયા છે, અને વિપક્ષમાંથી કોણ ફાઈટ આપશે તેની ચર્ચા થઈ રહી છે, ત્યારે હવે ચૂંટણીનો પ્રચાર આજથી જ વેગીલો બની જશે, એટલું જ નહીં, નેતાઓ તથા કાર્યકરો પણ ચૂંટણી પ્રચારની નવી નવી રીતરસમો આજમાવતા જોવા મળશે, રાજકીય પક્ષો ચૂંટણીપ્રચાર માટે અદ્યતન ટેકનોલોજી અને ઈન્ટરનેટ આધારીત માધ્યમોનો પણ ભરપૂર ઉપયોગ કરતા હોવાથી આદર્શ આચાર સંહિતા હેઠળ નિરીક્ષણ માટે એમ.સી.સી.,એમ.સી.એમ.સી. અને ફલાઈંગ સ્કવોર્ડની સામે નવા પડકારો ઊભા થવાના છે, તે નક્કી છે.

આવો, આપણે બધા આજથી જ પોતપોતાના મતદાન ઉપરાંત પરિવાર અને અડોશી-પડોશી પણ પોતાની ઈચ્છા અને અંતરાત્માના અવાજ મુજબ સ્વસ્થ મતદાન કરે, તે માટે સજજ થઈને લોકતંત્રના આ મહોત્સવને ઉમંગભેર ઉજવવાનો નિર્ધાર કરી લઈએ....

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ગુજરાતમાં એડવોકેટ પ્રોટેકશન એકટ હવે કયારે....?

ગયા વર્ષે રાજસ્થાન સરકારે વકીલોની સુરક્ષા માટે એક કાયદો બનાવ્યો હતો. એ પહેલાં રાજસ્થાનના વકીલોએ આ માંગણીને લઈને કાનૂની કાર્યવાહીનો બહિષ્કાર કરવા સહિતની લડત આપી હતી. ગયા વર્ષે ર૧મી માર્ચે રાજસ્થાનના વકીલોએ આ સંદર્ભે ધન્યવાદ દિવસ પણ મનાવ્યો હતો. એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે આ પ્રકારનો કાયદો ઘડનાર રાજસ્થાન દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે. આ કાયદાનું વિહંગાવ લોકન કરતા જણાય છે કે વકીલો તેમની ફરજ નિડરતાથી બજાવી શકે અને વકીલાતની ફરજો સંદર્ભે તેની સાથે કોઈપણ પ્રકારની તકરાર, હૂમલો, મારપીટ, બળપ્રયોગ, અપહરણ કે અવમાનના થાય તો તેની સામે કડક સજાઓની જોગવાઈઓ કરવામાં આવી છે, અને આરોપીને ૭ વર્ષની જેલ ઉપરાંત દંડની જોગવાઈ પણ થઈ છે. જો વકીલની સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવે તો તેનું વળતર આરોપી દ્વારા અપાવાય તેવી વ્યવસ્થા પણ એ કાયદામાં કરાઈ હોય તેમ જણાય છે. આ પ્રકારની જોગવાઈમાં આખા રાજ્યમાં લાગુ કરવાના અહેવાલો પણ જે-તે સમયે દેશવ્યાપી ચર્ચાનો મુદ્દો બન્યા હતા, અને તેની અસરો હેઠળ અન્ય રાજ્યોમાં પણ આ જ પ્રકારનો કડક કાયદો વકીલોની સુરક્ષા માટે ઘડવાની માંગણી ઉઠવા લાગી હતી. રાજસ્થાન સરકારે આ પ્રકારના પહેલાના કાયદામાં આ ઉપરાંત પણ કેટલાક સુધારા-વધારા કર્યા હોવાના અહેવાલો પણ આવ્યા હતાં.

ઉત્તર પ્રદેશમાં પણ એડવોકેટ પ્રોટેકશન એકટ લાગુ કરવાની વકીલોની માંગણીને લઈને ત્રણ સભ્યોની એક કમિટી બનાવી હતી, જ્યારે કેન્દ્ર સરકારે પણ વર્ષ ૧૮૭૯ ના લીગલ પ્રેકટીશનરો એકટ રદ કરવા અને વર્ષ ૧૯૬૧ ના એડવોકેટ એકટમાં સુધારા વધારા માટે સંસદમાં પહેલ કરી હતી.

એડવોકેટ એકટ ૧૯૬૧ હેઠળ બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા, સ્ટેટ બાર કાઉન્સીલની વ્યાખ્યા, સ્થાપના અને તેની કાર્યપદ્ધતિ તથા વકીલની વ્યાખ્યા વગેરેની ચર્ચા થઈ હતી, અને તદ્દનુસાર નિયમો બન્યા હોવાનું કહેવાય છે તે ઉપરાંત વર્ષ-ર૦ર૧ મા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા દ્વારા એડવોકેટ પ્રોટેકશન અંગે તૈયાર કરાયેલો મુસદે પણ દેશના કાનૂની અને ન્યાય ક્ષેત્રમાં ચર્ચાયો હતો, અને આ માટે નિમાયેલી સમિતિની ભલામણોની વ્યાપક ચર્ચા થઈ હતી, અને વકીલોને કાનૂની, સામાજિક અને વ્યક્તિગત સુરક્ષાની જોગવાઈઓ સૂચવાઈ હતી.

સંયુકત રાષ્ટ્રસંઘની માનવાધિકાર પરિષદે પણ વર્ષ-ર૦૧૭ માં ન્યાયવિદ્દો, વકીલો, પક્ષકારો અને માનવાધિકારો સાથે સંલગ્ન અન્ય લોકો તથા સંબંધિત અધિકારીઓની સાર્વત્રિક સુરક્ષા માટે એક પ્રસ્તાવ મુકાયો હતો, જેમાં સભ્યદેશોને તદ્દવિષયક પ્રબન્ધો કરવાનું સૂચવાયું હોવાની વ્યાપક ચર્ચા થઈ હતી. અને તેના સંદર્ભે કેટલાક દેશોમાં પ્રક્રિયા શરૂ થઈ હોવાની સાથે સાથે મત-મતાંતરો પણ ચર્ચામાં આવ્યા હતાં.

જામનગરમાં વકીલ કિરીટ જોશીની સરાજાહેર હત્યા થયા પછી ભારે ઉહાપોહ થયો હતો, અને તે સમયે ગુજરાતમાં કડક એડવોકેટ પ્રોટેકશન એકટની જરૂર જણાવાઈ હતી અને ઉચ્ચસ્તરે રજૂઆતો પણ થઈ હતી. તે પછી હવે સિનિયર એડવોકેટ હારૂન પલેજાની હત્યા પછી તો માત્ર જામનગર કે હાલાર જ નહીં, પરંતુ રાજ્યભરના વકીલો તથા બાર એસોસિએશનોમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, અને જબરદસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર પણ જરૂરી સુધારા-વધારા સાથે કડક કાયદો ઘડે અને બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાનો વર્ષ ર૦ર૧ નો ડ્રાફટ, રાજસ્થાને ગયા વર્ષે ઘડેલો કાયદો તથા દેશ-દુનિયામાં આ પ્રકારના અસ્તિત્વમાં રહેલા કાયદાઓનો ઉંડો અભ્યાસ કરીને એડવોકેટ પ્રોટેકશન એકટ, ગુજરાત-ર૦ર૪ તત્કાલ વિધાનસભાના સત્રમાં રજૂ કરે, અને આ માટે જરૂર પડ્યે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવીને વકીલોની સુરક્ષા સુનિશ્ચિત કરે, તેવી લાગણી સમગ્ર રાજ્યમાં પ્રવર્તી રહી હોય, એ સ્વાભાવિક છે.

છેલ્લા ચાર-પાંચ વર્ષોથી દેશના જુદા જુદા રાજ્યોમાં વકીલો પર થઈ રહેલા હુમલાઓને લઈને દેશની ન્યાયપ્રણાલિ અને સિસ્ટમ સામે પણ પડકારો ઊભા થયા છે. આગ્રા, ગુજરાતના કચ્છ અને જામનગર, તેલંગાણાના પેડ્ડાપલ્લ, મધ્યપ્રદેશના જબલપુર સહિતના વિવિધ રાજ્યોના વકીલો પર હૂમલાઓ તથા હત્યાના બનાવો પછી જેવી રીતે પોલીસતંત્ર-સુરક્ષા ક્ષેત્રના અધિકારીઓના સુરક્ષાના વિશેષ પ્રબન્ધો અને કાનૂનો છે, તેવી જ રીતે એડવોકેટ પ્રોટેકશન એકટની પણ દરેક રાજ્યોમાં તથા કેન્દ્રીયસ્તરે પણ સતત માંગ ઉઠતી રહી છે, ત્યારે હવે ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર ઉપરાંત જે રાજ્યોમાં આ પ્રકારની માંગણી ઉઠી છે, તે રાજ્યો સહિત દેશવ્યાપી કડક કાયદાઓ ઘડાય અને એડવોકેટ પ્રોટેકશન એકટના છત્ર હેઠળ વકીલોને સુરક્ષા મળે તે અત્યંત જરૂરી છે, ખરું કે નહીં ?

જામનગરમાં હારૂન પલેજાની હત્યા પછી બારકાઉન્સીલ ઓફ ગુજરાત એન્ડ ઈન્ડિયાના સભ્ય મનોજભાઈ અનડકટ તથા જામનગર બાર એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ સુવાએ આ મુદ્દે જે આકરા પ્રત્યાઘાતો આપ્યા, તે પછી તેના ગાંધીનગર અને દિલ્હી સુધી પડઘા પડ્યા જ હશે, હવે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કડક જોગવાઈઓ સાથેના એડવોકેટ પ્રોટેકશન એકટને લઈને કેવા કદમ ઉઠાવે છે, તે જોવાનું રહ્યું....

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

વધુ જવાબદાર કોણ ? પરીક્ષા ચોરી કરનાર, કરાવનાર કે આંખ આડા કાન કરનાર ?

''વાડ ચીભડા ગળી જાય, ત્યારે કોઈ શું કરે ?'તેવી એક કહેવત છે, જે બોર્ડની પરીક્ષાઓમાં થતી ગરબડો તથા પરીક્ષાચોરીની ઘટનાઓને આબેહુબ લાગુ પડે છે, હવે તો ધોરણ ૧૦ અને ધોરણ ૧ર ના પરીક્ષાર્થીઓના ઘણાં બધા વાલીઓ તથા પરિવારજનો પણ પોતાના સંતાનો કે ભાઈ-બહેનોને પૂરેપૂરી તૈયારી અને મહેનત કરીને પરીક્ષા અપાવવા કરતાં યે વધુ તેને પરીક્ષાચોરી કરવાની સગવડ મળી જાય, તે માટે વધુ પ્રયાસો કરતા હોય છે જે ખરેખર ખૂબ જ શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે.

ગઈકાલે કરમસદ અને તારાપુરમાં સામૂહિક પરીક્ષાચોરીની જે ઘટના બની, તેની શાહી હજુ સુકાઈ નહોતી ત્યાં બપોર પછી પણ પરીક્ષા ચોરી પકડાઈ હોવાના અહેવાલો આવવા લાગ્યા અને જામનગરમાં પણ કોપીકેસ (પરીક્ષાચોરીનો કેસ) થયો હોવાના અહેવાલો પછી છોટીકાશી અને હાલારમાં પણ એ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો અને જામનગરના શિક્ષણ જગતને પણ કાળી ટીલી લાગી ગઈ.

કરમસદમાં તો ભૂગોળની પરીક્ષા ચાલી રહી હતી, ત્યારે પરીક્ષા કેન્દ્રની મુલાકાતે ત્યાંના જિલ્લા શિક્ષણાધિકારી પહોંચ્યા ત્યારે તેમણે જ 'લાઈવ' પરીક્ષાચોરી ઝડપી લીધી હતી. તેઓ પહોંચ્યા ત્યારે તેણીએ જોયુ કે કોઈ શખ્સ બારીમાંથી પ્રશ્ન પેપરના જવાબો લખાવી રહ્યો હતો. અધિકારી મેડમે તેને જોઈ લીધો, તેની ભનક પડતા જ તે શખ્સ ભાગી છુટ્યો. આ વર્ગમાં મોટાભાગના વિદ્યાર્થીઓ કાં તો રિપિટર હતા અથવા તો બાહ્ય (એકસ્ટનલ) પરીક્ષાર્થીઓ હતા, અને ત્યાં આ રીતે પરીક્ષાચોરી કરાઈ (કરાવાઈ) રહી હતી. એ ઉપરાંત તારાપુરના પરીક્ષા કેન્દ્રમાં પણ આ જ પદ્ધતિથી અનધિકૃત વ્યક્તિ દ્વારા ચોરી કરાવાઈ રહી હોવાની વાતો વહેતી થતાં ગઈકાલે આ મુદ્દો રાજ્યભરમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો.

જો કે, ખુદ શિક્ષણાધિકારી દ્વારા આ ચોરી ઝડપાઈ હતી, તેથી ત્વરિત કેટલાક કદમ પણ ઉઠાવાયા અને કેટલાક સ્ટાફને તત્કાળ બદલી નખાયો હતો, અને પોલીસ બંદોબસ્ત પણ વધારી દેવાયો હતો, પરંતુ આ બધું ઘોડા ભાગી ગયા પછી તબેલાને તાળા મારવા જેવા પુરવાર થયું હતું.

એ પછી 'ટોક ઓફ ધ સ્ટેટ' બનેલા આ મુદ્દે અનેક પ્રકારના સવાલો પણ ઉઠ્યા હતાં. પરીક્ષા કેન્દ્રમાં કોઈ અજાણ્યો કે બહારનો વ્યક્તિ પ્રવેશી શક્યો જ કેવી રીતે ? શું અહીં કોઈ સુરક્ષા વ્યવસ્થા જ નહોતી કે પછી તેમાં ગાબડું પાડવામાં આવ્યું હતું ?

આ ચોરી કરાવાઈ રહી હતી, ત્યારે પરીક્ષાખંડમાં નિરીક્ષક શિક્ષકો શું કરી રહ્યા હતાં ? શું તેઓ પણ આ હરકતમાં સંડોવાયેલા હતાં. એવા સવાલો પણ ઉઠી રહ્યા છે કે પરીક્ષા કેન્દ્રના ઈન્ચાર્જ, ઈન્સ્ટ્રકટર, સ્ટાફ દ્વારા આંખ આડા કાન શા માટે કરવામાં આવ્યા હતા ? પરીક્ષા કેન્દ્રના આચાર્ય, અન્ય સ્ટાફ, શિક્ષકોનું ધ્યાન નહોતું ગયું કે પછી પરીક્ષા કેન્દ્રનું પરિણામ સુધારવા માટે બધાએ સાથે મળીને પરીક્ષાચોરીનો માસ્ટર પ્લાન ઘડીને અમલમાં મૂક્યો હતો? આ પ્રકારે પરીક્ષાચોરી પરીક્ષા લેનાર શિક્ષકોની મદદ વગર સંભવ બને ખરી ?

હવે આ તમામ બાબતે શિક્ષણ વિભાગ તપાસ કરીને કડકમાં કડક શિક્ષાત્મક પગલાં લેવાશે, તેવા દાવા કરી રહ્યો છે અને ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ દ્વારા પણ કેટલીક માહિતી અપાઈ હતી, પરંતુ આ પ્રકારનું પરીક્ષાચોરીનું કલ્ચર વિસ્તરી રહ્યું હોય અને પરીક્ષા ચોરી થતી અટકાવવા નિમાયેલા પહેરેદારોની મીઠી નજર હેઠળ જ જો પરીક્ષાચોરી કરાવાઈ રહી હોય તો તે ગુજરાત  માટે લાંછનરૃપ છે, અને ભાવિ પેઢીની કારકીર્દિ સાથે પણ ચેડાં જ ગણાય, પરીક્ષાચોરી કરમસદ-તારાપુર-આણંદની હોય, જામનગરની હોય કે અન્ય કોઈપણ સ્થળની હોય, તેની જવાબદારી તો સંબંધિત તંત્રો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડ અને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની જ ગણાય ને ? આ મુદ્દે રાજ્યના શિક્ષણમંત્રી પણ ભવિષ્યમાં અને વર્તમાનમાં પણ આ પ્રકારની સામૂહિક કે વ્યક્તિગત ચોરી સદંતર થશે જ નહીં, તેવી 'ગેરંટી' આપી શકશે ખરા ?

ગુજરાતમાં આ બધું શું થઈ રહ્યું છે ? કયાંક પરીક્ષાચોરીનું કૌભાંડ થઈ રહ્યું છે, તો કયાંક ભરતીમાં ગરબડની રાવ ઉઠી રહી છે. જામનગરમાં ફરીથી એક વકીલની સરાજાહેર હત્યા થઈ છે તો પોરબંદર જિલ્લાનું સરકારી અનાજનું કૌભાંડ ચર્ચામાં છે. કયાંક 'નકલી' ના કારસા ઘડાયા છે તો રાજ્યમાં કયાંક લાખો રૃપિયાના ફ્રોડ થઈ રહ્યા છો.

પરીક્ષા ચોરીના મુદ્દે કોંગ્રેસના પ્રવકતા મનિષ દોશીએ પણ કહ્યું છે કે સ્ટાફની બદલી કરીને સંતોષ માનવાના બદલે સીસીટીવીના આધારે કડક પગલા લેવાય, ઉંડી તપાસ થાય અને આ પ્રકારની ગરબડો થતી અટકે, તે માટે સરકારે ઝડપી અને પારદર્શક પગલાં લેવા જોઈએ.

લોકો પણ આ અંગે ધારદાર અને અણીયાણા સવાલો વિવિધ માધ્યમો દ્વારા પુછી રહ્યા છે. લોકો પુછે છે કે પરીક્ષચોરી માટે જવાબદાર કોણ અને સૌથી વધુ જવાબદાર કોણ..પરીક્ષા ચોરી કરનાર, માથે રહીને પરીક્ષા ચોરી કરાવનાર, પરીક્ષાચોરી થતી હોય ત્યારે આંખ આડા કાન કરનાર કે પછી પકડાયા પછી 'ચોર' અને 'ચોરોના મદદગારો' ને છાવરનાર ? ... છે કોઈની પાસે કોઈપણ સવાલનો સાચો જવાબ ?

હકીકતે ગુજરાતમાં તંત્રો જાણે નિરંકૂશ થઈ રહ્યા છે... કાવતરાખોરો પેધી ગયા છે અને કર્મચારીઓ આંદોલનના મૂડમાં છે, નેતાઓ લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે.... કોણ જાણે શું થશે ગરવા ગુજરાતનું હવે?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

વોટર કનેકટેડ એક્ટિવિટી માટે નક્કર પોલિસી નક્કી થશે કે પછી કુલડીમાં ગોળ ? અખબારો-મીડિયા-સોશ્યલ મીડિયાના અભિપ્રાયો ધ્યાને લેવાશે ખરા...?

ગુજરાત સરકાર હવે બોટીંગ, અંડરવોટર એક્ટિવિટીઝ એડવેન્ચર્સ, રોપ-વે, એડવેન્ચર સ્પોર્ટસ, તરણસ્પર્ધાઓ, હોડી સ્પર્ધાઓ તથા ફેરી બોટ સર્વિસીઝ, ફીશીંગ વગેરે તમામ પ્રકારની વોટર કનેકટેડ એક્ટિવિટીઝને સાંકળીને નવી એડવેન્ચર એન્ડ વોટર કનેકટેડ સર્વિસિઝ - પોલિસી બનાવવાની તૈયારીમાં હોવાના સંકેતો મળી રહ્યા છે, જે વ્યક્તિગત અને રાષ્ટ્રીય સુરક્ષા તથા જનજિદગીઓ સાથે સંકળાયેલું અત્યંત મહત્ત્વપૂર્ણ અને અનિવાર્ય કદમ હશે.

હરણી તળાવની દુર્ઘટના પછી આ ક્ષેત્રે જે પોલંપોલ બહાર આવી અને જે લોલંલોલ ચાલી રહ્યું હતું, તે પછી સરકારી તંત્રો, પાલિકા-મહાપાલિકાઓના તંત્રો સાથે લેભાગુ ઈજારેદારો વચ્ચે કેવી સાઠગાંઠ હોય છે, અને તેમાંથી કેવી રીતે કરૂણાંતિકાઓ સર્જાઈ શકતી હોય છે, અને માનવજિંદગીઓ સાથે ખિલવાડ થતો હોય છે, તેનો પર્દાફાશ થઈ ગયો છે.

એ દુર્ઘટના પછી સરકાર સફાળી જાગી અને શિવરાજપુર સહિતના તમામ બીચ, દરિયાકાંઠાના વિસ્તારો, જળાશયો, નદીઓ અને સરોવરોમાં બોટીંગ, અંડરવોટર એક્ટિવિટીઝ અને વોટર કનેકટેડ એડવેન્ચર્સ પર અંકુશો મૂકયા, પરંતુ તેની સામે ગૂપચૂપ રીતે ખૂબ જ વગદાર અને ઉપર સુધીની પહોંચ ધરાવતી આ પ્રકારની જળ-એક્ટિવિટીઝ સાથે સંકળાયેલી સ્થાપિત હિતોની ટોળકીઓ એક્વિટ થઈ ગઈ અને હવે આ એક્ટિવિટીઝને કાનૂની સ્વરૂપનો માર્ગ શોધી કાઢવામાં આવ્યો હોવાની આશંકાઓ પણ જનમાનસમાં પ્રગટવા લાગી છે.

દ્વારકામાં વડાપ્રધાને ડૂબકી મારીને ડૂબેલી દ્વારકાના દર્શન કર્યા, અને તાજેતરમાં અમદાવાદમાં ગાંધીઆશ્રમના નવીનીકરણનો પ્રોજેકટ, રેલવે સુવિધાઓના પ્રોજેકટો તથા ૧૦ નવી વંદેભારત ટ્રેનોને લીલીઝંડી આપવાના પ્રસંગે વર્ચ્યુલ સંબોધનમાં ફરીથી તેનો ઉલ્લેખ કર્યો છે તે પછી દ્વારકાના દરિયાકિનારે ડૂબેલી દ્વારકા નિહાળવાનું એડવેન્ચર કરવાની તાલાવેલી ઘણાં લોકોને જાગી હશે, તેથી આ પ્રકારના સ્કૂબા ડાઈવીંગની પ્રવૃત્તિ માટે સરકાર સ્વયં જ પ્રવાસન નિગમ, કેન્દ્રીય ટુરિઝમ ડિપાર્ટમેન્ટ, ભારતીય નૌકાદળ અને મરીન એન્વાયર્મેન્ટ ડિપાર્ટમેન્ટ્સ વચ્ચે સંકલન કરાવીને કોઈ સુરક્ષિત યોજના બનાવે, અથવા સબમરીન દ્વારા ડૂબેલી દ્વારકાના દર્શનની સુરક્ષિત યોજના બનાવે, તેવી આકાંક્ષાઓ પણ લોકોમાં ઉઠી રહી છે.

ગુજરાત સરકાર જ્યારે આ પ્રકારની એક્ટિવિટીઝ માટે નવી પોલિસી નક્કી કરવા જઈ રહી છે, ત્યારે અંડરવોટર એડવેન્ચર્સ અને સ્કૂબા ડાઈવીંગ જેવી પ્રવૃત્તિઓ માટે પણ એવી નક્કર પોલિસી ઘડો કે જેથી આ પ્રકારની એક્ટિવિટી કે એડવેન્ચર કે પછી ડૂબેલી દ્વારકાના દર્શન કરવા જાય, તેની સુરક્ષા પણ જળવાઈ રહે, દુર્ઘટનાની કોઈ સંભાવના જ ન રહે અને આ પ્રકારની એક્ટિવિટી કરવા ઈચ્છતા તમામ લોકોને નફાખોરી, શોષણ કે મોનોપોલી કે જોહૂકમી, ઉઘાડી લૂંટ નો ભોગ બનવું ન પડે, સર્વસામાન્ય અભિપ્રાય એવો છે કે આ માટે સરકાર સ્વયં જ કોઈ અનુભવી અને પર્યાપ્ત સુવિધાઓ ધરાવતી જાયન્ટ અંડરવોટર ઓથોરિટી ઊભી કરીને અંડરવોટર દ્વારકા દર્શન તથા સ્કૂબા ડાઈવીંગ જેવી અંડરવોટર એક્ટિવિટીઝ ચલાવે.

હરણી તળાવ જેવી દુર્ઘટનાઓ ટાળવા માટે હવે સંબંધિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તથા રાજ્ય-કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગોએ પોતે જ હવે આગળ આવવું પડશે અને જવાબદારી ઉઠાવવી પડશે. માત્ર પ્રાઈવેટ ઈજારેદારોને પરવાના (લાયસન્સ) આપીને છુટી જવાના બદલે સંબંધિતોએ સ્વયં સામેલ થવું પડશે અને પીપીપી મોડેલથી કે સરકાર અથવા પંચાયત-પાલિકા-મહાપાલિકા દ્વારા જ આ પ્રકારની પ્રવૃત્તિઓ ચલાવાય, અને કોઈપણ ક્ષતિ, કચાશ કે દુર્ઘટના માટે સામૂહિક અને વ્યક્તિગત રીતે તંત્રો તથા સંબંધિત શાસકો-બોડીની જવાબદારી પણ નક્કી કરવી જોઈએ, તેમ નથી લાગતું ?

રાજ્ય સરકારે આ માટે ૧૩ સભ્યોની કમિટી બનાવી છે, જે ઈનલેન્ડ વોટર, અંડરવોટર એક્ટિવિટીઝ, બોટીંગ સહિતની જુદી જુદી પ્રવૃત્તિઓ માટે કાનૂની પ્રક્રિયા એટલે કે લીગલ ફ્રેમ વર્ક, નોંધણી, સર્ટિફિકેશન, એન્ફોર્સમેન્ટ, સંચાલન, જવાબદારીઓ અને શરતો-નિયમો તથા ખાસ કરીને નફાખોરી, શોષણ કે ઉઘાડી લૂંટ સામે ચોક્કસ કડક નિયમો, નિષ્ણાતો અને જવાબદારીઓની જોગવાઈઓ કરશે, તેવી આશા રાખવામાં આવી રહી છે અને જો એવું નહીં થાય, તો આ સઘળી પ્રક્રિયા એક પૂર્વઆયોજીત ડ્રામેબાજી જ પુરવાર થશે, તે પણ ભુલવું ન જોઈએ.

હરણી દુર્ઘટના પછી તત્કાળ તો જે પગલાં લેવાયા હોય, તે ખરા, પરંતુ રાજ્યના તમામ જળાશયોમાં ચાલતા બોટીંગસહિતની જળસંબંધિત પ્રવૃત્તિઓનું ફરીથી ઈન્સ્પેકશન કરાઈ રહ્યું છે, તે સારી વાત છે એવું પણ બહાર આવ્યું છે કે અત્યાર સુધીમાં ર૭ જળાશયોમાં ચાલતું બોટીંગ બંધ કરાવાયું છે. આ ઉપરાંત હવે દરિયાકિનારે, કચ્છના અખાતમાં, મરીન નેશનલ પાર્કના વિસ્તારોમાં, બીચ પર કે ચોપાટીઓ, ટાપુઓ નજીક કોઈપણ સ્થળે વોટર કનેકટેડ પ્રવૃત્તિઓ ચાલતી હોય, તો તે પણ અંકુશમાં લેવી અત્યંત જરૂરી છે તેમ નથી લાગતું ?

જો કે, રાજ્ય સરકારે આ સઘળી માહિતી હાઈકોર્ટને આપી, ત્યારે ખબર પડી કે સરકાર આ પ્રકારની કોઈ નક્કર પોલિસી અને ચોક્કસ કાયદો ઘડવા જઈ રહી છે. હાઈકોર્ટે પણ સરકારને ટકોર કરી છે કે જે કાંઈ નીતિ-નિયમો ઘડાય, તે જનરલ નહીં, પરંતુ ચોક્કસ હેતુ ધરાવતા, નક્કર, પરિણામલક્ષી અને સ્પષ્ટ હોવા જોઈએ, મતલબ કે તેવા સ્થાપિત હિતોના હિતાર્થે કોઈ છટકબારી ન હોવી જોઈએ. આ તમામ મુદ્દાઓને લઈને એપ્રિલમાં થનારી સુનાવણી દરમિયાન અદાલત સમક્ષ આ સમિતિએ પણ કુલડીમાં ગોળ ભાંગવાના બદલે રાજ્યભરમાં ઠેર-ઠેર લોક-સુનાવણી જેવા કાર્યક્રમો યોજીને, ઈ-મેઈલ, પત્રો દ્વારા, સોશ્યલ મીડિયા દ્વારા ઓનલાઈન અભિપ્રાયો મેળવવા ખાસ મિકેનિઝમ ઊભું કરવું જોઈએ, અને નાના-મોટા તમામ અખબારો તથા ન્યુઝ ચેનલોના માધ્યમથી વ્યકત થતા વિચારો-અભિપ્રાયોની ખાસ નોંધ લેવી જોઈએ, ખરું ને ?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

લોકસભાની ચૂંટણી ટાણે શાસક-વિપક્ષના ગઠબંધનો અને તેની સામેના પડકારો...

'કહીં કી ઈંટ ઔર કહીં કા રોડા, ભાનુમતીને કૂનબા જોડા' તેવો કટાક્ષ કરતા રાજકીય પક્ષોએ હવે કેન્દ્રીય કક્ષાએ લોકસભાની ચૂંટણીને લઈને પોતપોતાના ગઠબંધનો વિસ્તાર્યા છે. એનડીએ અને આઈએનડીઆઈએ (ઈન્ડિયા) ગઠબંધનોમાં જે પક્ષો સામેલ નથી થયા, તેઓ ત્રીજા છુટછવાયા ગઠબંધનોની ભૂમિકામાં હશે. બન્ને મુખ્ય ગઠબંધનોમાં હજુ સીટ શેરીંગની પ્રક્રિયા સંપન્ન થઈ નથી, પરંતુ જેમ જેમ ઉમેદવારોનું લિસ્ટ જાહેર થતું જાય છે, તેમ તેમ છુપો અસંતોષ બહાર આવતા કેટલાક દિગ્ગજ નેતાઓ વિદ્રોહ કરી રહેલા પણ જણાય છે.

એક તરફ ભાજપનો ભરતી મેળો ચાલી રહ્યો છે, તો બીજી તરફ ભાજપના કેટલાક દિગ્ગજ નેતાઓ પણ પાર્ટી સાથે છેડો ફાડીને પક્ષાંતર કરી રહ્યા છે. રાજસ્થાનના ચુરૂ મત વિસ્તારમાં બે ટર્મથી ભાજપના સાંસદ રહેલા રાહુલ કસ્વા અને હરિયાણાના હિસારના ભાજપના સાંસદ બૃજેન્દ્રસિંહ ચૌધરીએ ભાજપને રામરામ કરીને કોંગ્રેસનો ખેસ ધારણ કરી લેતા ભારતીય જનતા પક્ષ અને એનડીએને બન્ને રાજ્યોમાં જબરો ફટકો પડ્યો છે અને તેની અસરો આજુબાજુની અન્ય લોકસભા બેઠકો તથા પડોશી રાજ્યોમાં પણ થવાની છે. હજુ જેમ જેમ ઉમેદવારોની યાદી જાહેર થતી જશે, અને નવા આગંતુકોને એટલે કે અન્ય પક્ષમાંથી તાજેતરમાં જ પક્ષપલટો કરીને આવેલા નેતાઓને ભાજપ ટિકિટ આપશે અથવા ભાજપના સાંસદ તરીકે કે પક્ષના કાર્યકર્તા કે નેતા તરીકે વર્ષોથી પ્રામાણિકતાથી નિષ્ઠાપૂર્વક કામ કરનારની અવગણના થશે, તો હજુ પણ ભાજપમાંથી અન્ય પક્ષમાં જોડાનાર શાસક પક્ષના નેતાઓની સંખ્યા વધશે, તેમ જણાય છે.

આ બન્ને નેતાઓએ પોતાની ટિકિટ કપાયા પછી જે વેદના વ્યકત કરી છે, અને ભાજપ સામે સવાલો ઉઠાવ્યા છે, તેનો સારાંશ એ જ નીકળે છે કે તેઓની ટિકિટ કપાઈ જતાં તેઓએ પક્ષપલટો કર્યો છે, અને તેની સેવાઓની યોગ્ય કદર થઈ નહીં હોવાનો તેઓને વસવસો છે.

બીજી તરફ કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષો, તટસ્થ પક્ષો અને એનડીએની સાથે રહેલા પક્ષોમાંથી ભાજપમાં પણ ઘણાં બધા નેતાઓ પક્ષાંતર કરી રહ્યા છે, અને તેઓનો પોતાની પાર્ટી પ્રત્યેનો અસંતોષ પણ આવી જ રીતે પ્રગટ થઈ રહ્યો છે.

બીજી તરફ વડાપ્રધાન મોદી વિવિધ વર્ચ્યુલ કાર્યક્રમો તથા જનસભાઓ દરમિયાન લોકો સાથે સીધો સંવાદ કરવાની રણનીતિ અપનાવી રહ્યા છે અને પરોક્ષ રીતે એનડીએનો પ્રચાર થઈ રહ્યો હોવાના કટાક્ષો પણ થઈ રહ્યા છે, ત્યારે સોશ્યલ મીડિયામાં મિકસ માર્શલ આર્ટ ખેલાડી (એમએમએ ફાઈટર) ચૂંગરેંગ કોરેન વડાપ્રધાનને ઉદ્દેશીને કરેલ અપીલ પણ વાયરલ થઈ રહી છે, અને આ અપીલને વિપક્ષના નેતાઓ શેર અને ટેગ કરીને મોદી સરકાર પર વાક્યપ્રહારો પણ કરી રહ્યા છે, જેમાંથી એક નવી જ ચર્ચા જન્મી છે.

હકીકતે ચંુગરેંગે વડાપ્રધાનને એક વખત મણીપુરની મુલાકાત લેવાની દર્દભરી અપીલ કરતા કહ્યું હતું કે, મણીપુરમાં છેલ્લા એક વર્ષથી હિંસા થઈ રહી છે, લોકો મરી રહ્યા છે, બાળકો યોગ્ય રીતે અભ્યાસ પણ કરી શકતા નથી. મોદીજી, તમે એક વખત મણીપુર આવીને અમારી મદદ કરો, રાહત શિબિરોમાં ભોજન પાણીની પણ અછત છે, ઝડપથી મદદ કરો, પ્લીઝ !

એકસ પર આ વીડિયોને શેર કરીને વિપક્ષી નેતાઓએ ભાજપ અને વડાપ્રધાન પર નિશાન સાધ્યું છે, તો કોંગ્રેસ આ વીડિયો સંદર્ભે કહ્યું કે તેઓ મણીપુરનું દુઃખ સમજી જ શકયા નથી. આમ આદમી પાર્ટીએ પણ વડાપ્રધાનને મણીપુરની મુલાકાત લઈને કહ્યું કે ખેલ સ્પર્ધામાં વિજય મેળવીને મેડલ મેળવનાર ખેલાડીઓ પણ આ મુદ્દે રડી રહ્યા છે, આખા દેશની મોદીજીએ આવી જ હાલત કરી નાંખી છે, વગેરે.'

આ આક્ષેપો તથા ભાજપની નેતાઓના પક્ષાંતરના મુદ્દે એનડીએ તથા ભાજપના નેતાઓ વળતા પ્રહારો કરી રહ્યા છે, અને ટિકિટ નહીં મળતા કોંગ્રેસમાં જોડાનાર નેતાઓને મહત્વાકાંક્ષી ગણાવીને વધુ કાંઈ કહી રહ્યા નથી, જે ઘણું જ સૂચક છે.

કેન્દ્ર સરકારે સીએએના અમલીકરણ માટે નોટિફિકેશન બહાર પાડ્યું, તેનો શાસક અને વિપક્ષી ગઠબંધનોને કેટલો ફાયદો થશે, અને કેટલું નુકસાન થશે, તેની ચર્ચા પણ જોરશોરથી થઈ રહી છે.

ગઈકાલે સુપ્રિમ કોર્ટે આપેલા આદેશ મુજબ એસબીઆઈએ આજે સાંજ સુધીમાં ઈલેકટ્રોરલ બોન્ડની તમામ વિગતો રજુ કરવા આદેશ આપ્યો અને તે પછી ચૂંટણીપંચને તમામ વિગતો વેબસાઈટ પર મૂકવા આદેશ આપ્યો, તેથી આ બોન્ડ દ્વારા કયા રાજકીય પક્ષને કોના તરફથી કેટલું ફંડ મળ્યું, તે વિગતો જાહેર થઈ જશે. આ ભરેલા નાળિયેર જેવી સ્થિતિમાં સૌથી વધુ ચિન્તા શાસક પક્ષોના ગઠબંધનને હશે, કારણ કે સૌથી વધુ ફંડ શાસક પક્ષના ગઠબંધનને અને તેમાં પણ સૌથી વધુ ફંડ ભારતીય જનતા પક્ષને જ મળ્યું હોવાનું તો પહેલેથી જ જાહેર થઈ ગયું છે, હવે આ ફંડ કોણે આપ્યુ તેના પર સૌ કોઈની નજર મંડાયેલી હશે, જોઈએ હવે શું થાય છે તે....

યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશને ભારત સાથે મહત્ત્વપૂર્ણ કરારો કર્યા, તેને પણ વિશ્લેષકો મોદી સરકારની મોટી સિદ્ધિ ગણાવી રહ્યા છે, કારણ કે સામાન્ય ચૂંટણીઓ પહેલા આ પ્રકારના કરારો થાય, તેનો મતલબ એવો થાય કે વર્તમાન સરકાર જ ફરીથી સત્તામાં આવશે, તેવો કરાર કરનાર ફોરેન કન્ટ્રીઝ અથવા વિદેશી જૂથોને પ્રબળ વિશ્વાસ હોય....! જોઈએ, હવે શું થાય છે તે....

વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા સામે પણ પડકારો વધી રહ્યા છે. ગુજરાત જેવા રાજ્યમાં તો કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના પક્ષાંતર પછી રાજકીય અસ્તિત્વ ઉપરાંત વિશ્વસનિયતાનો પડકાર પણ કોંગ્રેસ સામે ઊભો થયો છે, તો કાર્યકરો પણ મોટી સંખ્યામાં પક્ષાંતર કરી રહ્યા હોવાથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે લોકસભાની ચૂંટણી માટે ગ્રાસરૂટ લેવલ સુધી પ્રચાર અને પરિણામો સુધીનું નેટવર્ક નવેસરથી ઊભું કરવાનો પડકાર પણ ઉભો થયો છે. દેશના અન્ય કેટલાક રાજ્યોમાંથી પણ કોંગ્રેસના કાંગરા ખડી રહ્યા છે, ઈન્ડિયા ગઠબંધનને મમતા બેનર્જીએ ફટકો આપ્યા પછી અન્ય કેટલાક રાજ્યોમાં પણ સીટ શેરીંગ અટકી પડ્યું હોવાની સ્થિતિમાં એનડીએ સામે એકજૂથ થઈને એક જ સંયુકત ઉમેદવાર ઊભો કરવાનું લક્ષ્ય સિદ્ધ થશે કે કેમ, તેમાં પણ શંકા ઊભી થઈ છે, ત્યારે જોઈએ, શું થાય છે તે .....

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સમય સમય બલવાન હૈ... વિદ્યાર્થીઓ પછી કોની કસોટી ? પરીક્ષાર્થીઓને શુભકામનાઓ...

જામનગરના પૂર્વ રાજવી જામ વિભાજીએ વર્ષ ૧૮૮૦ માં રાજકોટમાં બંધાવેલો જામટાવર અદ્યતન બનશે અને તેનું મૂળસ્વરૃપ જાળવી રાખીને ફરીથી ડંકા વગાડશે તેવા અહેવાલો પછી જામનગરના તમામ ટાવરો પણ સાચો ટાઈમ બતાવશે અને આપણી રાજવીકુળની ભવ્ય સંસ્કૃતિને પ્રજજવલિત કરતા આ ટાવરોના ડંકા ફરીથી ગુંજતા થશે, તેવી આશા નગરજનોને જાગી જ હશે, અને વખતોવખત ઐતિહાસિક અને પૌરાણિક, પ્રાચીન સ્થળોનું નવીનીકરણ કરીને ભવ્ય કલાત્મક વારસો જાળવી રાખવાની યોજનાઓમાં આ પ્રકારની ઘડિયાલો સાથેના ટાવર્સનો પણ સમાવેશ થશે, તેવા સંકેતો જોતા માત્ર જૂની સમયદર્શક ઘડિયાલો ધરાવતા ટાવર્સ જ નહીં, પરંતુ નગરો-મહાનગરોના નાના-મોટા તમામ હેરિટેજ સ્થળોના નવીનીકરણ અને મૂળસ્વરૃપ જાળવી રાખીને તેનું આધુનિકરણ કરવાની દિશામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તથા સરકાર આગળ વધશે તેમ જણાય છે.

આ ટાવર્સ ત્યારે ઊભા કરાયા હતાં, જ્યારે દેશના પ્રત્યેક પરિવાર પાસે સમયદર્શક ઘડિયાલો નહોતી અને સમયની ગણતરી વૃક્ષોના પડછાયા, સૂર્ય-ચંદ્રના પ્રકાશ અને ઘરના છાંયડાના આધારે થતી હતી. એ સમયમાં આ પ્રકારની ઘડિયાલો સામૂહિક સમય દર્શાવતી હતી, હવે સમય પણ બદલાયો છેઘ ઘડિયાલો પણ બદલાઈ છે અને લગભગ પ્રત્યેક વ્યક્તિના હાથમાં રહેલા મોબાઈલ સેલફોનમાં સમય નિહાળવવામાં આવી રહ્યો છે.. અને આજના સ્પર્ધાત્મક યુગમાં નવી પેઢીની કારકીર્દિની બુનિયાદ સમી ધોરણ-૧૦ અને ધોરણ-૧ર ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓ પણ આજથી જ શરૃ થઈ રહી છે, ત્યારે આ પરીક્ષાઓમાં બેસનાર તમામ પરીક્ષાર્થીઓને હૃદયપૂર્વક સફળતાની શુભેચ્છાઓ પાઠવીએ, અને પરીક્ષાઓ બિનજરૃરી હાઉ રાખ્યા વિના પરીક્ષા આપીને પરીક્ષાર્થીનો સફળતાપૂર્વક પોતાની ભાવી કારકીર્દિમાં આગળ વધે, તેવા અંતઃકરણપૂર્વકના આશીર્વાદ આપીએ.

અત્યારે બોર્ડની પરીક્ષાઓની સાથે સાથે રાજકીય પક્ષો અને નેતાઓ માટે પણ આકરી કસોટીનો સમય શરૃ થયો હોય, તેમ જણાય છે. ખાસ કરીને વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા ગઠબંધનમાં બધું બરાબર જણાતું નથી અને બીજી તરફ ભાજપમાં ભરતીય મેળો જામ્યો હોય તેમ વિપક્ષના દિગ્ગજ નેતાઓ સહિતના નેતાઓ-કાર્યકરો કેસરિયા કરી રહ્યા છે, ત્યારે ઘણાં લોકો એવો કટાક્ષ પણ કરી રહ્યા છે કે હવે ભાજપનું કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે.... જોઈએ હવે શું થાય છે તે... કારણ કે સમય સમય બલવાન હૈ... નહીં પુરૃષ બલવાન...

રાજ્યમાં ૧પ લાખથી વધુ પરીક્ષાર્થીઓના ભાવિનું આજે ઘડતર થવાનું છે, અને તેની સાથે જ જાણે કે સપનાંઓનું વાવેતર પણ થઈ રહ્યું છે, ત્યારે અત્યારે માત્ર પરીક્ષા પર જ લક્ષ્ય કેન્દ્રીત કરીને એકાગ્રતાથી પેપર આપવાના છે, અને એક પેપર આપ્યા પછી તેમાં કેટલા માર્કસ આવી શકે છે, તેની અટકળો કરવાના બદલે પછીના પેપરની તૈયારી કરવામાં લાગી જવું જ હિતાવહ વે, કારણ કે બધા પેપર પૂરા થઈ જાય, તે પછી પણ આ પ્રકારનો અંદાજ તો લગાવી જ શકાય છે ને ?

બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થતાં જ તમામ સરકારી તંત્રો લોકસભાની ચૂંટણીઓની તૈયારીમાં લાગી જશે અને ચૂંટણી પ્રચારની આંધી ફૂંકાઈ રહી હશે, તેવા માહોલમાં આ પરીક્ષાઓના પરિણામો આવશે, અને ભવિષ્યની યોજનાઓ પરીક્ષાર્થીઓએ પણ ઘડવી પડશે. બીજી રીતે કહીએ તો પહેલા બોર્ડની પરીક્ષાઓમાં  પરીક્ષાર્થીઓનું ભાવિ નક્કી થવાનું છે, તેવી જ રીતે તે પછી જનતાની કસોટીએ ચડીને નેતાઓનું ભાવિ પણ નક્કી થવાનું છે. મતદારો માટે પણ ચૂંટણીમાં મતદાન કરવું, એ એક પ્રકારનો અવસર પણ હોય છે અને બીજી દૃષ્ટિએ યોગ્ય ઉમેદવાર અને યોગ્ય રાજકીય પક્ષની પસંદગી કરવાની કસોટી પણ હોય છે. તફાવત એટલો હોય છે કે બોર્ડની પરીક્ષાના પરીક્ષાર્થીઓ પોતાનું ભાવિ ઘડતા હોય છે, જ્યારે મતદારો લોકસભાની ચૂંટણીમાં આખા દેશનું ભાવી ઘડતા હોય છે તેની સાથે સાથે પોતાના પરિવારનું ભાવિ પણ ઘડતા હોય છે, તેથી જેવી રીતે પ્રશ્નપેપરમાં પુછાયેલા પ્રશ્નોના જવાબ વિદ્યાર્થીભાઈ-બહેનોએ સમજી વિચારીને આપવા પડે, તેવી જ રીતે તમામ મતદારોએ પણ પોતાનો અમુલ્ય મત સમજી વિચારીને યોગ્ય પક્ષ અને યોગ્ય ઉમેદવારને જ આપવો જોઈએ, ખરું કે નહીં ?

જો કે, પરીક્ષાર્થીઓ પરીક્ષાના પરિણામો પછી ચોક્કસ નિયમોને આધિન રહીને પેપર ખોલાવી શકે છે, જ્યારે એક વખત જનાદેશ આપી દીધા પછી પોતાની આશાઓ પર ખરા નહીં ઉતરનાર કે પછી જનાદેશને ઠુકરાવીને અયોગ્ય નિર્ણય લેનાર ચૂંટાયેલા જન-પ્રતિનિધિને એ જ મતદારો હટાવી શકતા નથી, તેથી જ કદાચ દેશમાં 'રાઈટ ફોર રિકોલ' એટલે કે ચૂંટાયેલા પ્રતિનિધિને પાછો બોલાવવાનો મતદારોને અધિકાર આપવાની માંગણી બળવત્તર બની રહી હશે, તેમ નથી લાગતું ?

જે હોય તે ખરું, અત્યારે જે પરીક્ષાર્થીઓ બોર્ડની પરીક્ષાઓ આપી રહ્યા છે, તેઓને રાજકીય ઘોંઘાટ ડિસ્ટર્બ ન કરે, અને તમામ પરીક્ષાર્થીઓ પૂરેપૂરી તૈયારી સાથે પરીક્ષા આપીને ઉજજવળ કારકીર્દિની દિશા પકડે, તેવું પ્રાર્થીએ. ....

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ઓપરશેન ડિમોલીશન.... નમો લક્ષ્મી, નમો સરસ્વતી... પ્રબળ ઈચ્છા શક્તિની જરૂર...

હવામાન ખાતાએ આગાહી કરી છે કે ઠંડી ઘટશે અને ગરમી વધશે, જ્યારે દેશમાં ચૂંટણીલક્ષી રાજકીય ક્ષેત્રમાં પણ માહોલ ગરમાઈ રહ્યો છે, જામનગરમાં મેગા દબાણહટાવ ઝુંબેશની ગરમાગરમ ચર્ચા થઈ રહી છે અને મહાશિવરાત્રિ પછી હવે લોકો હુતાશણી પર્વે હોળી પ્રગટાવીને હોલિકાદહન કર્યા પછી ધૂળેટીનો કલરફૂલ ઉત્સવ ઉજવવા સમગ્ર રાજ્ય થનગની રહ્યું છે.

બેડી વિસ્તારમાં એસ.પી. ના નેતૃત્વમાં ગોઠવાયેલા બંદોબસ્ત હેઠળ જે ડિમોલીશન થયું, તેની હકારાત્મક પ્રતિક્રિયાઓ પણ લોકો વ્યક્ત કરી રહ્યા છે, અને મુખ્યમંત્રી-ગૃહમંત્રીની સૂચના મુજબ જિલ્લામાં કોઈપણ ગેંગ કલ્ચરને પનપવા નહીં દેવાય અને આ પ્રકારના દબાણો દૂર કરવાની ઝુંબેશ ચાલતી રહેશે તેવી એસ.પી. ની ખાતરી પછી નાના-મોટા ગૂન્હા કરતા અપરાધીઓથી માંડીને જંગી ગેરકાયદે બાંધકામો સહિતનો ગુનાખોરીનું માનસ ધરાવતા લોકોમાં પણ ફફડાટ ફેલાયો હશે. આ પ્રકારની કડકાઈ કાયમી ધોરણે જળવાઈ રહે તો જ નવા ગેરકાનૂની કૃત્યો તથા દબાણો થતાં અટકી શકે, તે પણ હકીકત છે.

આ પ્રકારના દબાણો હટાવાય, ત્યારે હંમેશાં એવો પ્રશ્ન પણ ઉઠતો હોય છે કે જ્યારે સરકારી ખરાબાઓ કે જાહેર સ્થળોમાં આ પ્રકારના ગેરકાયદે કૃત્યો કે દબાણો થતાં હોય ત્યારે સંબંધિત તંત્રો શું ઊંઘતા હતા ? આટલા મોટા તોતીંગ બાંધકામો કાંઈ રાતોરાત તો નહીં જ ઊભા થયા હોય ને ? કોઈપણ પ્રકારના દબાણો ગેરકાયદે જ ગણાય, પછી ભલે તે સરકારી જમીન પર હોય, ટ્રસ્ટો કે સંસ્થાઓની જગ્યામાં થાય કે પછી ખાનગી પ્લોટો કે ખેતર-વાડીઓમાં પેશકદમી થતી હોય, તે તમામ પ્રકારની દાદાગીરીને ખતમ કરવા પ્રિવેન્ટીવ એપ્રોચ અપનાવવો અત્યંત જરૂરી હોય છે, કારણ કે જંગી દબાણો થઈ ગયા પછી હટાવાય, તે તોતીંગ વૃક્ષની માત્ર ડાળીઓ તોડવા જેવું જ ગણાય,અને તેના જમીનની અંદર રહી ગયેલા મૂળિયામાંથી ફરીથી તે જ સ્થળે દબાણો ઊભા થઈ જતાં હોય છે, અને એવું ઘણાં સ્થળે થતું હોય છે, તે આપણે સૌ જાણીએ જ છીએ ને ?

આ પ્રકારના દબાણો હટાવ્યા પછી તે જ સ્થળે તેનું સ્વરૂપ બદલીને, ગમે-તેમ કરીને કાચી-પાકી મંજુરીઓ મેળવીને કે પછી પુનઃ તંત્રને (જાગતી આંખે) અંધારામાં રાખીને ફરીથી દબાણો ઊભા થઈ ન જાય, તે માટે વિશેષ કાળજી રાખવી જરૂરી હોય છે, અને એવું થાય, તો જે-તે વિસ્તારના સંબંધિત તમામ તંત્રોના અધિકારી-કર્મચારીઓને જવાબદાર ઠેરવીને તેની સામે પણ કડક પગલાં લેવાની કાર્યવાહી સરકારે કોઈપણ ભેદભાવ વગર  કરવી જોઈએ, તેવા જન-પ્રતિભાવોમાં પણ તથ્ય છે અને આ માટે પણ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીએ યોગ્ય કદમ ઉઠાવવા જોઈએ, તેમ નથી લાગતું ?

બીજી તરફ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જે 'નમો લક્ષ્મી' અને 'નમો સરસ્વતી' યોજનાઓની જાહેરાત કરી છે, તેને અનુલક્ષીને પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને કન્યા કેળવણીને લઈને રાજ્ય સરકારના અભિગમના હકારાત્મક પ્રતિભાવો પણ સાંપડી રહ્યા છે. આ યોજનાનો લાભ તમામ દીકરીઓને સાંપડશે, તેવી મુખ્યમંત્રીએ જાહેરાત કરી હને બજેટમાં શિક્ષણના ક્ષેત્રે જંગી જોગવાઈ કરી હોવાનો દાવો પણ કર્યો, ત્યારે રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા સુધરશે, તેવી આશા રાખી શકાય ખરી.

શૈક્ષણિક સુવિધાઓ અદ્યતન બને, મોટા શૈક્ષણિક સંકુલો ઊભા થાય, નવી નવી યોજનાઓ જાહેર થાય અને ઝુંબેશો ચાલે, તે આવકાર્ય છે, પરંતુ સાથે સાથે શાળાઓમાં ગુણવત્તાલક્ષી અને સંસ્કારો સાથેનું શિક્ષણ મળે, પૂરતા પ્રમાણમાં શિક્ષકો હોય અને તમામ શાળાઓમાં નિયમિતતા જળવાઈ રહે તે પણ એટલું જ જરૂરી છે, ખરું ને ?

શિક્ષણ હોય કે સરકારી સેવાઓ હોય, કન્યા કેળવણી ઝુંબેશ હોય કે સર્વશિક્ષા અભિયાન હોય, ગુંડાગીરી નાબૂદ કરવાનું અભિયાન હોય રખડતા ઢોર પકડવાની ઝુંબેશ હોય, ટ્રાફિકની ડ્રાઈંવ હોય કે દબાણો હટાવવાના ડિમોલીશન ઓપરેશનો હોય, આ તમામ ક્ષેત્રે સરકારની પ્રબળ ઈચ્છા શક્તિ અને તેમાં જન વિશ્વાસ તથા સાર્વત્રિક જનસહયોગનો સમન્વય થવો પણ એટલો જ જરૂરી હોય છે. અન્યથા આ પ્રકારના અભિયાનો, ઝુંબેશો તથા ઓપરેશનો એકંદરે નિરર્થક અને માત્ર ફોર્ર્માલિટી જેવા જ બની રહેતા હોય છે, અથવા તેના પર પબ્લિસિટી સ્ટંટનો ધબ્બો લાગી જતો હોય છે.

બૂટલેગરો, ગેંગસ્ટરો અને નામચીન ગુનાખોરોની પાંખો કાપવા માટે તેના આ પ્રકારના ગેરકાયદે દબાણો હટાવીને તેની ગેરકાનૂની પ્રવૃત્તિઓ પર પ્રહાર કરીને અનુચિત આવકના માર્ગો બંધ કરીને અને નેટવર્કને ભેદીને જ કાયમી ધોરણે શાંતિ અને સૌહાર્દની સ્થિરતા જળવાતી હોય છે, સાચી વાત છે ને ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

તહેવારોનો ત્રિવેણી સંગમ... હર હર મહાદેવ હર.... કેન્દ્ર-રાજ્યના મહત્ત્વપૂર્ણ નિર્ણયો 'ડોડા'ની મંજુરીના પ્રતિભાવો...

ગઈકાલે કેન્દ્ર અને રાજ્ય સરકારે લીધેલા કેટલાક નિર્ણયોની ચર્ચા વચ્ચે આજે ધાર્મિક રાષ્ટ્રીય અને સામાજિક ક્ષેત્રોને સાંકળતો ત્રિવેણી સંગમ સર્જાયો છે. આજે મહાશિવરાત્રિ છે, જેથી સવારથી જ હરહર મહાદેવની ગુંજથી શિવાલયોમાં ભાવિકોની ભીડ જોવા મળી રહી છે. આજે ૮ મી માર્ચ હોવાથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પણ ઉજવાઈ રહ્યો છે. તે ઉપરાંત ગાંધીજીની સ્વાતંત્ર્ય ચળવળની સ્મૃતિઓને સાંકળતો રાષ્ટ્રીય ભાવના અને દેશભક્તિના સંયોજન સાથે દેશમાં ત્રિવિધ વિશેષતાઓ સાથે ઉજવણીઓ થઈ રહી છે. આ ઉપરાંત ગઈકાલે રાજ્ય સરકારે દ્વારકા-ઓખા પંથકને સાંકળીને 'ડોડા' વિકાસ મંડળની રચના માટે નિર્ણય લીધો છે, તથા કેન્દ્ર સરકારે કર્મચારીઓનું ચાર ટકા મોંઘવારી ભથ્થુ મંજુર કરવા સહિતના કેટલાક નિર્ણયો લીધા છે, તેના પ્રતિભાવો પણ આવી રહ્યા છે, અત્યારે જૂનાગઢના ગીરનારમાં ભક્તિમેળો જામ્યો છે અને સોમનાથ દ્વારકાના નાગેશ્વર, ભડકેશ્વર સહિતના યાત્રાધામોમાં પણ મહાશિવરાત્રિનો ભક્તિમેળો જામ્યો છે.

આજે મહાશિવરાત્રિની ઉજવણીનો રંગ દેશભરમાં જામ્યો છે આજે મહાશિવરાત્રિનું મહાત્મય સમજાવાઈ રહ્યુ છે અને દ્વારકા જયોતિર્લીંગ સહિત દેશભરના શિવાલયોમાં શિવપૂજન થઈ રહ્યું છે. મહાશિવરાત્રિને સાંકળતી ઘણી કથાઓ પ્રચલીત છે. આમ તો દર મહિને વદ ચૌદશના દિવસે શિવરાત્રિ હોય છે, પરંતુ મહાવદ ચૌદશને મહાશિવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે. અને કહેવાય છે કે જે દિવસે સૃષ્ટિનું સર્જન થયું છે, આ દિવસે શિવ-પાર્વતીના વિવાહ થયા હતા, તેવી માન્યતામાં મતમતાંતરો છે. તે ઉપરાંત સમુદ્ર મંથન પછી ભગવાન શિવશંકરે હળાહળ વિષ કંઠમાં ધારણ કર્યું અને નિલકંઠ કહેવાયા તે કથા સાથે પણ મહાશિવરાત્રિને સાંકળવામાં આવે છે. આ ઉપરાંત ચિત્રભાનુ નામના શિકારી સાથે પણ મહાશિવત્રિને સાંકળવામાં આવે છે. મહાશિવરાત્રી ભારત ઉપરાંત નેપાળ, બાંગ્લાદેશ સહિતના વિવિધ દેશોમાં પણ ઉજવાય છે.

આજે આઠમી માર્ચ હોવાથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પણ મનાવાઈ રહ્યો છે. વર્ષ-ર૦ર૪ ની આ ઉજવણીની થીમ છે. 'મહિલાઓ માટે નિવેશઃ પ્રગતિ વેગીલી બનાવીએ' એ પ્રકારની રાખવામાં આવી છે. આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી વર્ષ ૧૯૧૦ માં કોપનહેગનમાં એક મહિલા સંમેલન દરમિયાન શરૃ થઈ હોવાનું મનાય છે, પરંતુ આ ઉજવણીની બુનિયાદ વર્ષ ૧૯૦૮ માં ન્યૂયોર્કમાં મહિલાઓની કૂચ દરમિયાન પડી હતી અને વર્ષ ૧૯૦૯ મા સોશ્યાલિસ્ટ પાર્ટી ઓફ અમેરિકા દ્વારા ર૮ ફેબ્રુઆરીના મનાવ્યા પછી જુદા જુદા દિવસે થતી ઉજવણીને એકરૃપતા આપવા આ ઉજવણી વર્ષ-૧૯૧૦ માં ચર્ચાઓ થઈ, અને વર્ષ ૧૯૧૧ માં ૧૯ મી માર્ચે આ ઉજવણી થઈ, તે પછી જુદા જુદા દિવસોએ થતી આ વૈશ્વિક ઉજવણી ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ આઠમી માર્ચે ઉજવવાનું નક્કી થયું, જેને વર્ષ ૧૯૭પ માં સંયુકત રાષ્ટ્રસંઘે માન્યતા આપી હતી, અને વર્ષ ૧૯૯૬ થી મહિલા કલ્યાણ, મહિલા જાગૃતિ અને મહિલાઓના અધિકારોના વિષયોને સાંકળતી વિવિધ થીમ આધારિત ઉજવણીઓને વેગ મળ્યો. અત્યારે આપણા દેશમાં જ્યારે મહિલા કલ્યાણ, મહિલા સુરક્ષા અને મહિલા જાગૃતિના ક્ષેત્રે ઘણી ચર્ચાઓ પણ થઈ રહી છે અને ઘણું કામ પણ થઈ રહ્યું છે. આખો માર્ચ મહિનો વિશ્વમાં મહિલા ઈતિહાસ મહિનો અથવા મહિલા ઉત્કર્ષ માસ તરીકે પણ ઉજવાય છે.

આઠમી માર્ચ-૧૯૩૦ થી જ મહાત્મા ગાંધીજીએ અંગ્રેજો સામે સવિનય કાનૂની ભંગની ઘોષણા કરી હતી, અને ૧ર મી માર્ચથી ૬ઠ્ઠી એપ્રિલ સુધી દાંડીયાત્રા કાઢી હતી અને મીઠા સત્યાગ્રહ તરીકે ઓળખાતી આ અહિંસક ચળવળે બ્રિટિશ સલતનતના પાયા હચમચાવી નાખ્યા હતા, તેથી આજના દિવસે એક રાષ્ટ્રય તવારીખ પણ નોંધાયેલી છે. આમ આજે તહેવારોનો ત્રિવેણી સંગમ પણ કહી શકાય ખરો....

યાત્રાધામ દ્વારકાના વિકાસ માટે વિવિધ પરિયોજનાઓ જાહેર થઈ છે અને કેટલીક ધમધમી રહી છે, તેમાં હવે દ્વારકા-ઓખા શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ (ડોડા)ને રાજ્ય સરકારે મંજુરી આપતા સુદર્શન બ્રીજથી જોડાયેલા બેટ દ્વારકા, ઓખા, સુરજકરાડી, શિવરાજપુર, વરવાળાના દસ હજાર હેકટરથી વધુ વિસ્તારનો વિકાસ વેગીલો બનશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયને પ્રારંભિક આવકાર મળી રહ્યો છે, અને આ જાહેરાતના વિગતવાર અહેવાલનો અભ્યાસ કર્યા પછી કેટલીક બાબતો વધુ સ્પષ્ટ થઈ જશે, તેવી આશા સેવાઈ રહી છે. અત્યારે પ્રારંભિક તબક્કે આ મુદ્દે મિશ્ર પ્રતિભાવો વ્યકત થઈ રહ્યા છે. આ સાથે સુદર્શન બ્રીજના નિર્માણ પછી ફેરી બોટ સર્વિસ દ્વારા બેટ-દ્વારકા-વચ્ચે મુસાફરોને લાવવા-મૂકવાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને વૈકલ્પિક રોજગારીની ઉઠી રહેલી માંગ સંદર્ભે પણ કોઈ ચોક્કસ યોજના અંગે વિચારણા થશે, તેવી આશા સેવાઈ રહી છે.

ગઈકાલે મોદી સરકારની વર્તમાન ટર્મની કદાચ છેલ્લી કેબિનેટ હતી, કારણ કે હવે ગણતરીના દિવસોમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ આદર્શ આચારસંહિતા લાગુ પડી જવાની છે, ત્યારે છેલ્લે કેબિનેટે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા છે, જેને ચૂંટણીલક્ષી ગણાવાઈ રહ્યા છે.

આજે જ વડાપ્રધાને એલપીજીમા સિલિન્ડર દીઠ મહિલા દિવસને સાંકળીને રૃા. ૧૦૦ ના ઘટાડાની જાહેર કરી છે. તે પહેલા કેબિનેટમાં પણ સબસિડી ચાલુ રાખવાનું નક્કી કરાયું છે, અને આ સબસિડી વધુ એક વર્ષ સુધી મળતી રહેશે તેમ પણ જાહેર થયું છે.

તે ઉપરાંત કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ ૪૬ ટકાથી વધારીને પ૦ ટકા કરાયુ, ઈન્ડિયા, એ.આઈ. મિશન માટે ૧૦ હજાર કરોડથી વધુના ફંડની ફાળવણી, શણના  ટેકાના ભાવોમાં વધારો, કોસ્ટગાર્ડ માટે ૩૪ નવા ધ્રુવ હેલિકોપ્ટર તથા ઉત્તર-પૂર્વના ક્ષેત્રોમાં ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટો માટે પણ રૃા. ૧૦ હજાર કરોડથી વધુના પ્રોજેકટોને મંજુરીના નિર્ણયો પણ કેન્દ્રીય કેબિનેટે લીધા છે. બીજી તરફ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રાને લઈને પણ ગુજરાતમાં ભારે ઉત્કંઠા છે, ત્યારે જોઈએ, શું થાય છે તે....

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

જનતાની આશા... યાત્રિકોની આકાંક્ષા.... બસ, આટલી 'ગેરંટી' આપો....

બેટ દ્વારકાને જોડતો સુદર્શન સેતુ ખુલ્લો મુકાયા પછી દ્વારકાના યાત્રાધામો તરફ યાત્રાળુઓનો પ્રવાહ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. દ્વારકાના જગત મંદિર પર દરરોજના ૬ ધ્વજારોહણ, બેટ દ્વારકામાં ધ્વજારોહણ, મહાશિવરાત્રિને લઈને નાગેશ્વર તરફ વધનારો ભાવિકોનો પ્રવાહ અને નાતાલના મીની વેકેશનમાં પર્યટકોની સંખ્યામાં થનારા સંભવિત વધારાને લક્ષ્યમાં લઈને આજથી જ જામનગર, રાજકોટ, પોરબંદરથી દ્વારકા તથા બેટ દ્વારકા માટે ખાસ વધારાની એસ.ટી. બસો તો દોડાવવી જ જોઈએ, પરંતુ સાથે સાથે રાજ્યભરમાંથી લાંબી અંતરની બસ સેવા વધારવાની પણ તાતિ જરૃર જણાય છે. આ માટે કોર્પોરેશનો રાજકોટ ડિવિઝનને પણ ૧૦૦ થી વધુ નવી બસો ફાળવવી જોઈએ, તેમ નથી લાગતું ?

અત્યારે દ્વારકા તરફ જતા તમામ પ્રાઈવેટ ટ્રાવેલ્સની બસો પણ મોટાભાગે હાઉસફૂલ જાય છે, તે ઉપરાંત સૌરાષ્ટ્રના યાત્રાધામો અને હરવા-ફરવાના સ્થળોને પરસ્પર જોડતી વાહન-વ્યવસ્થાની ખાનગી ટ્રાવેલ્સની બસો તથા ટેકસીઓ પણ ભરપૂર હોય છે, ત્યારે યાત્રિકો-પ્રવાસીઓને સુખ-સગવડ-સુવિધા સાથે રાજ્ય સરકારના એસ.ટી. કોર્પોરેશનની વધુમાં વધુ બસો મળે, તેવી અપેક્ષા પણ ૧પ૬ બેઠકો આપનારા ગુજરાતીઓ જ નહીં, પરંતુ દ્વારકાની મુલાકાતે આવતા તમામ પ્રવાસીઓ રાખી રહ્યા છે. ઘણાં લોકો યાત્રાધામોમાં સ્થાનિક પરિવહનમાં થતી નફાખોરીને નિયંત્રિત કરવાની જરૃર પણ જણાવતા હોય છે, આ દિશામાં રાજ્ય સરકાર તથા એસ.ટી. કોર્પોરેશન જ નહીં, પરંતુ સ્થાનિક વહીવટીતંત્રો અને દ્વારકા-બેટ દ્વારકાના સંચાલક મંડળો, દેવસ્થાન સમિતિઓએ પણ સક્રિય રહેવું જોઈએ તેમ નથી લાગતું ?

એસ.ટી. બસોની જેમ જ રેલવે તંત્રે પણ રાજકોટથી દ્વારકા અને પોરબંદર વચ્ચે વધુમાં વધુ ટ્રેનો દોડે, જરૃરિયાત મુજબ અવાર-નવાર સ્પેશ્યલ ટ્રેનો પણ દોડાવાય અને લાંબા અંતરની વધુમાં વધુ ટ્રેનો શરૃ થાય તે માટે ફૂલપ્રૂફ અને સમયબદ્ધ આયોજન કરીને અમલી બનાવવું જરૃરી છે, કારણ કે વડાપ્રધાને સુદર્શન સેતુ ખુલ્લો મુક્યો, સ્કૂબા ડાઈવીંગ કર્યુ અને હવે જે રીતે આ યાત્રાસ્થળોની કાયાપલટ થઈ રહી છે, તે જોઈને દેશભરમાંથી વધુમાં વધુ યાત્રિકો, પ્રવાસીઓ, અભ્યાસુઓ ઉમટી પડવાના છે, જેને પહોંચી વળવા રેલવે-બસ સેવા જ નહીં, પણ તમામ સંબંધિત તંત્રોએ પણ અત્યારથી જ તૈયારી રાખવી પડશે તેમ નથી લાગતું ?

દ્વારકા, નાગેશ્વર, બેટ દ્વારકા, હર્ષદ, પોરબંદર અને સોમનાથની રિલિજિયસ ટુરિઝમની શ્રૃંખલા હવે ગ્લોબલ મેપ પર અગ્રીમ હરોળમાં મુકાઈ ગઈ હોવાથી હવે વિશ્વભરમાંથી માત્ર ભારતીયો જ નહીં, પરંતુ વિદેશી પર્યટકો, દર્શનાર્થીઓ, ભાવિકો અને અભ્યાસુઓ પણ દિન-પ્રતિદિન વધવાના જ છે, આ સંભવિત વૈશ્વિક ધસારાને ધ્યાને રાખીને હવે દ્વારકાને આંતરરાષ્ટ્રીય અને ડોબેશિયલ વિમાનોની સુવિધાઓ સાથે તત્કાળ સાંકળીને ઈન્ટરનેશનલ કક્ષાનું એરપોર્ટ ઝડપથી મળે, તે પણ સમયની માંગ છે, હવે હવાઈ યાત્રા સુગમ, સરળ બની છે, અને થોડી વધુ સસ્તી થઈ જાય, તો સામાન્ય નાગરિકો પણ હવાઈ યાત્રા કરી શકે તેમ છે, ત્યારે તે દિશામાં પણ રાજ્ય અને કેન્દ્ર સરકારના સંબંધિત તંત્રો તત્કાળ કોઈ આયોજન સુનિશ્ચિત કરે તે જરૃરી છે.

અત્યારે લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે, અને એનડીએ વિરૃદ્ધ ઈન્ડિયાનો સંગ્રામ ખેલાવા જઈ રહ્યો છે, ત્યારે ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા  તથા ભાજપ તરફથી 'મોદી કી ગેરંટી'ની જોરદાર ચર્ચા થઈ રહી છે. રાજકીય પક્ષો ચૂંટણી જાહેર થયા પહેલાં જ ઉમેદવારોના નામો જાહેર કરવા લાગ્યા છે, અને જામનગરની બેઠક પરથી પૂનમબેન માડમ રિપિટ થયા છે, તે આપણે સૌ જાણીએ જ છીએ, અને હવે તેની સામે વિપક્ષના કયા નેતા મેદાનમાં ઉતરશે તેની અટકળો થઈ રહી છે.

આ બધા ઘટનાક્રમો વચ્ચે દ્વારકા-બેટદ્વારકાને સડક, રેલવે અને હવાઈ માર્ગે વધુને વધુ સુખ-સુવિધા સાથે પરિવહનની સેવાઓ મળે, બસો અને ટ્રેનોમાં કોઈ પણ યાત્રિકને ઊભા ઊભા મુસાફરી કરવી ન પડે, સિટી બસો સહિતની સ્થાનિક દર્શન બસ સેવાઓ વધે તથા રિક્ષા-ટેકસી જેવા સ્થાનિક પરિવહનમાં બેફામ નફાખોરી ન થાય, તેવા પ્રબંધો કરવાની 'ગેરંટી' પણ ચૂંટણી પ્રચાર દરમ્યાન મળશે, તેવી આશા રાજકીય પક્ષો અને નેતાઓ પાસેથી લોકો રાખી રહ્યા હશે, રાઈટ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 

ચૂંટણી ટાણે જ 'અંતરાત્મા' જાગે ? નેતાઓના તીખા-તમતમતા નિવેદનો

માવઠાની આગાહીઓ, હિમાલયના પ્રદેશોમાં હિમવર્ષા અને બદલાતા ઋતુચક્ર વચ્ચે એક તરફ તો વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાઓની તૈયારીઓ કરી રહ્યા છે, તો બીજી તરફ માર્ચના અંતિમ સપ્તાહ સુધીમાં કદાચ લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ જાય, તેવી સંભાવનાઓના કારણે ટોપ ટુ બોટમ રાજનેતાઓ અને કાર્યકરો પણ હડિયાપટ્ટી કરવા લાગ્યા છે.

દેશમાં રાજકીય ચહલ-પહલ પણ વધી ગઈ છે, અને કેટલાક નેતાઓનો ચૂંટણી ટાણે જ અચાનક જ આશ્ચર્યજનક રીતે 'અંતરાત્મા' જાગૃત થતા પક્ષપલટો કરી રહ્યા છે, તમે બીજી તરફ રાજકીય પક્ષોની વિવિધ રાજકીય ગતિ વિધિઓની સાથે સાથે ઉભય પક્ષે નેતાઓના તીખાતમતમતા નિવેદનો તથા આરોપ-પ્રત્યારોપોનો સીલસીલો પણ વધી રહ્યો છે.

થોડા મહિનાઓ પહેલાના સમયગાળા સુધી ગુજરાતની વિધાનસભામાં કોંગ્રેસ તરફથી સરકારને અણીયાળા સવાલો પુછતા અને દાયકાઓથી કોંગ્રેસને વફાદાર રહેલા પોરબંદરના ધારાસભ્ય ભાજપમાં જોડાતા જ બદલાયેલા સ્વરૂપમાં જોવા મળી રહ્યા છે. અર્જુનભાઈ મોઢવાડિયાએ કહ્યું કે જ્યારે કોંગ્રેસે રામમંદિરમાં રામલલ્લાની પ્રતિષ્ઠાનું આમંત્રણ ઠુકરાવ્યુ, ત્યારપછી મેં તેના સંદર્ભે મારો સંદેશ (હાઈકમાન્ડ સુધી) પહોંચાડવાની કોશિશ કરી હતી, પરંતુ તેમાં સફળતા નહીં મળતા પક્ષાંતર કરવું પડી રહ્યું છે.

આ મુદ્દે મીડિયામાં જોરદાર ચર્ચા થઈ રહી છે. મીડિયા અહેવાલો મુજબ મોઢવાડિયાએ છેક આઝાદી મળી ત્યારે મહાત્મા ગાંધીએ જે સામાજિક અને આર્થિક આઝાદી મળવાની બાકી હોવાની વાત કરી હતી, તેને ટાંકીને કહ્યું કે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ ગાંધીજી અને સરદાર પટેલની જેમ દિવસ રાત જોયા વગર દેશ માટે કામ કરી રહ્યા છે અને વિકસિત ભારતનું સપનું લઈને નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે તેઓ ભગવાન શ્રીરામની ખિસકોલોની જેમ કામ કરવા ભાજપમાં જોડાયા છે !

આમ તો અર્જુનભાઈએ ઘણી બધી વાતો કરી, અને કોંગ્રેસ છોડવાના કારણો પણ વર્ણવ્યા, પરંતુ વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી દેશ માટે મહેનત કરી રહ્યા છે, તે સમજતા અર્જુનભાઈને આટલા બધા વર્ષો કેમ લાગી ગયા? પક્ષાંતર ના અસલ કારણો શું છે ? વગેરે સવાલો પણ લોકોમાં ઉઠવા લાગ્યા છે. આ મીડિયા-સોશ્યલ મીડિયામાં ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે.

અર્જુનભાઈ મોઢવાડિયાની સાથે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર ભાજપમાં જોડાયા, તે તો અપેક્ષિત જ હતું અને ઘણાં સમયથી તે પ્રકારની અટકળો પણ થઈ રહી હતી, પરંતુ ગત ચૂંટણીમાં લોકસભાની જામનગરની બેઠક પરથી પૂનમબેન માડમની સામે ચૂંટણી લડીને પરાજીત થયેલા કોંગ્રેસના હાલારના દિગ્ગજ નેતા અને કલ્યાણપુર તાલુકાના આહિર સમાજના અગ્રણી મૂળુભાઈ કંડોરિયાએ પણ કેસરિયા કર્યા હોવાથી હવે હાલારમાં કોંગ્રેસના તમામ સમીકરણો પણ બદલી ગયા છે, અને કોંગ્રેસ સામે લોકસભાની જામનગરની બેઠક માટે મજબૂત ઉમેદવાર ઊભો કરવાનો પડકાર ઊભો થઈ ગયો છે. હજુ તો ચૂંટણી જાહેર પણ થઈ નથી, ત્યાં કોંગ્રેસના કાંગરાઓ ખરવા લાગ્યા છે ત્યારે ડેમેજ કંટ્રોલ માટે કોંગ્રેસની હાઈકમાન્ડ પણ કોઈ નક્કર પગલાં લેશે, તેવો આશાવાદ કોંગ્રેસના વર્તુળોમાં વર્તાઈ રહ્યો છે, જ્યારે ઘણાં લોકો પાંચ લાખની લીડ ભાજપનો લક્ષ્યાંક હવે સરળ થઈ જશે, તેવા અનુમાનો પણ કરવા લાગ્યા છે.

રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાયયાત્રા દરમિયાન પેપરલીકનો મુદ્દો ઉઠાવીને ભાજપ સરકારને ઘેરી છે. તેમણે કહ્યું કે પેપરલીક માત્ર ઉત્તરપ્રદેશ જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે અભિશાપરૂપ છે. છેલ્લા ૭ વર્ષમાં ૭૦ થી વધુ પેપરલીકની ઘટનાઓએ બે કરોડથી વધુ વિદ્યાર્થીઓના સપના તોડી નાંખ્યા છે અને તેઓના પરિવારો માનસિક અને આર્થિક બોજ અનુભવી રહ્યા છે.

રાહુલ ગાંધીએ આ મુદ્દે એવું સૂચન પણ કર્યું હતું કે ભ્રષ્ટ, બેદરકાર અધિકારીઓ, નકલ કરનારા માફિયાઓ તથા પ્રિન્ટીગ પ્રેસ વચ્ચેની સાઠગાંઠ ખતમ કરીને દરેક કક્ષાએ (ટોપ ટુ બોટમ) જવાબદારી નક્કી કરવાની જરૂર છે. તેમણે ગૌણ પસંદગી સેવા મંડળ તથા સરકાર પણ આ માટે જવાબદાર હોવાનો અભિપ્રાય વ્યકત કરીને કહ્યું કે કોંગ્રેસ લોકોના સૂચનો, તરફથી નિષ્ણાતોના અભિપ્રાયો તથા બનેલી ઘટનાઓના અભ્યાસના આધારે એક ફુલપ્રૂફ પ્લાન તૈયાર કરી રહી છે, અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખિલવાડ ન થાય તથા મહેનતુ અને પ્રામાણિક વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તેવી પદ્ધતિ અમલમાં મૂકવાનું વિઝન ટૂંક સમયમાં રજુ કરવાની તેમણે પ્રતિબદ્ધતા દર્શાવી, તેના મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે.

ગુજરાતમાં રાહુલ ગાંધીના આગમન પહેલાં જ જે રીતે કોંગ્રેસના દિગ્ગજોના રાજીનામા પડી રહ્યા છે, અને ભાજપમાં જોડાઈ રહ્યા છે, તે પ્રિ-પ્લાનેડ હોય અને વિપક્ષને નામશેષ કરવાની દિશામાં શાસક ગઠબંધન આગળ વધી રહ્યું હોય તેવી આશંકાઓ પણ વ્યકત થઈ રહી છે. કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન અત્યારે પક્ષાંતર કરી રહેલા નેતાઓને સ્વાર્થી ગણાવ્યા અને કહ્યું હતું કે પોતાના ધંધા-રોજગાર સાચવવા, કોઈ ડર થી કે પ્રલોભનથી અત્યારે કોંગ્રેસ છોડી રહેલા આ જ નેતાઓ જ્યારે કોંગ્રેસનું પલડું ભવિષ્યમાં ભારે હશે ત્યારે તેઓ પણ આ તરફ ફરીથી આવશે. અમિત ચાવડાએ કહ્યું કે ભાજપ પાસે શક્તિશાળી નેતાઓ કે કાર્યકરો નહીં હોવાથી તે વિપક્ષને તોડી રહી છે, પરંતુ કોંગ્રેસ પાસે વફાદાર કાર્યકરો અને નેતાઓની ફોજ છે !

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સુપ્રિમ કોર્ટના દૂરગામી ચુકાદા પછી પણ 'સ્વચ્છ રાજનીતિ'ની આશા રાખી શકાય ખરી ?

સુપ્રિમ કોર્ટે વર્ષ-૧૯૯૮ નો પોતાનો જ એક ફેંસલો પલટાવીને ગઈકાલે એ પ્રતિપાદિત કર્યુ છે કે લોકતંત્રમાં હંમેશાં જનહિત અને સમાનતા ને પ્રાધાન્ય અપાતું હોય છે અને પરિવર્તનો થતા રહેતા હોય છે. ભૂતકાળમાં કોઈ અલગ પરિપ્રેક્ષ્ય કે સંજોગોમાં અપાયેલા ચુકાદા વર્તમાન સમયને સુંસંગત ન હોય કે પછી ભૂતકાળમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય, તો તે જાહેર હિત, જનહિત અને લોકતંત્રની સુરક્ષા માટે સુધારી શકાતી હોય જ છે, પછી ભલે સરકાર હોય, અદાલત હોય કે સંસદ હોય.... પરિવર્તન તો કુદરતનો પણ નિયમ છે, ખરું ને ?

ચૂંટાયેલા ધારાસભ્યો અને સંસદસભ્યોને કેટલાક વિશેષાધિકારો મળેલા છે, જ્યારે કેટલીક બાબતોમાં પ્રજાના ચૂંટાયેલા જનસેવકોને કાયદાની દૃષ્ટિએ સામાન્ય નાગરિકની જેમ જ સમાન ગણવામાં આવ્યા છે. બંધારણની જુદી જુદી કલમો હેઠળ આ તમામ વિશેષાધિકારો અને તેની મર્યાદાઓ સ્પષ્ટ રીતે વર્ણવવામાં આવી જ છે, અને તેનું અર્થઘટન દેશના ન્યાયતંત્ર દ્વારા થતું રહેતું હોય છે. આ માટે સુપ્રિમ કોર્ટમાં બંધારણીય બેન્ચની વ્યવસ્થા છે, અને એક લાર્જર બેન્ચનો ગઈકાલે આવેલો એક નિર્ણય આજે દેશભરમાં વ્યાપક સ્વરૃપમાં ચર્ચાઈ રહ્યો છે. લગભગ  અઢી-ત્રણ વર્ષ પહેલા દેશની અને અદાલતોમાં સંસદમાં જે કાંઈ થયેલંુ અને તે પછી જે પ્રક્રિયા થઈ અને કાનૂની જંગ ખેલાયો, તેની સ્મૃતિઓ પણ તાજી થઈ ગઈ, એટલું જ નહીં, દેશની સર્વોચ્ચ અદાલતે પોતાનો જ ભૂતકાળનો એક ફેંસલો પલટાવીને એક ઉમદા દૃષ્ટાંત પણ બેસાડ્યું છે. હવે આ ફેંસલાની દેશના રાજકરણ પર પણ દીર્ધકાલિન અસરો થવાની છે.

આ ચુકાદો આપતા દેશના ચીફ જસ્ટીસ ડી.વાય. ચંદ્રચુડે કહ્યું કે ભ્રષ્ટાચાર અને લાંચ-રૃશ્વત ભારતીય સંસદીય લોકશાહીની પ્રક્રિયા અને મૂળ ભાવનાને નષ્ટ કરે છે, સુપ્રિમ કોર્ટની સાત જજોની બેન્ચે આ ઐતિહાસિક અને દૂરગામી ચુકાદો આપતા કહ્યું છે કે સંસદસભ્યો કે ધારાસભ્યો ગૃહમાં મતદાન માટે લાંચ લઈને બચી શકે નહીં, તેઓને કાનૂની કે બંધારણીય રક્ષણ મળી શકે નહીં, લાંચ-રૃશ્વત-ભ્રષ્ટાચારના કેસમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને કોઈ વિશેષ છૂટ આપી શકાય નહીં, તેવા અર્થઘટનો આ ચુકાદાના નીકળી રહ્યા છે.

સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીશ ડી.વાય.ચંદ્રચુડની સાત સભ્યોની બેન્ચે સર્વાનુમતે નિર્ણય આપતા કહ્યું કે ધારાસભ્ય કે સંસદસભ્ય દ્વારા ભ્રષ્ટાચાર થાય કે લાંચ-રૃશ્વત સ્વીકારાય તો તેથી ઈમાનદારી (ઓનેસ્ટી)નો છેદ ઉડી જાય છે. લાંચ, રૃશ્વત કે ભ્રષ્ટાચારને સંસદીય વિશેષધિકાર હેઠળ સુરક્ષા આપી શકાય નહીં.

વર્ષ-૧૯૯૮ માં ઝારખંડ મૂક્તિ મોરયા લાંચ કેસમાં સુપ્રિમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચે ૩ વિરૃદ્ધ ર ની બહુમતીથી એવો નિર્ણય લીધો હતો કે 'નોટ ફોર વોટ'ના કિસ્સામાં ધારાસભ્ય કે સંસદસભ્ય સામે કેસ દાખલ થઈ શકે નહીં, કારણ કે તેઓને વિશેષાધિકારો મળેલા છે. ગઈકાલે એક ઐતિહાસિક નિર્ણય લઈને સુપ્રિમ કોર્ટની સાત જજોની બેન્ચે ૩ વિરૃદ્ધ ર ની બહુમતીથી આપેલો ચુકાદો સર્વાનુમતિથી પલટાવી દીધો હતો. હવે જો કોઈ સંસદસભ્ય કે ધારાસભ્ય 'વોટ ફોર નોટ' જેવું કોઈપણ કૃત્યુ કરે અને તે પુરવાર થાય, તો તેને કોઈ કાનૂની રક્ષણ કે વિશેષાધિકાર મળશે નહીં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નિર્ણયને આવકાર્યો અને સોશ્યલ-મીડિયાના માધ્યમથી સુપ્રિમ કોર્ટની બેન્ચના ચુકાદાને 'મહાન' ગણાવીને કહ્યું કે આથી સ્વચ્છ રાજનીતિ સુનિશ્ચિત થશે અને લોકોને સિસ્ટમમાં વધુ ઉંડો વિશ્વાસ મળશે. તે પછી વિપક્ષી વર્તુળોમાંથી કેટલાંક દૃષ્ટાંતો સાથે કટાક્ષો પણ થઈ રહ્યા છે.

આ ચુકાદાને આમ તો સાર્વત્રિક આવકાર મળી રહ્યો છે, પરંતુ દેશભરમાં મોટાપાયે થઈ રહેલા પક્ષાંતરોને સાંકળીને લોકો એવો કટાક્ષ કરી રહ્યા છે કે જ્યાં સુધી 'આયારામ....ગયારામ'ની રાજનીતિને છુપું પ્રોત્સાહન મળતું બંધ નહીં થાય, ત્યાં સુધી 'સ્વચ્છ રાજનીતિ'ની  આશા રાખવી નકામી છે અને લોકોને 'સિસ્ટમ'માં કેટલો વિશ્વાસ બચ્યો છે, તે તો હવે 'ઓપન સિક્રેટ' જ છે ને ?

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા ગુજરાતમાં પ્રવેશે, તે પહેલાં જ એકાદ-બે કોંગીનેતાઓએ રાજીનામા આપ્યા, તેને કેન્દ્રમાં રાખીને જે માહોલ ઊભો કરાઈ રહ્યો છે, તે આપણી સામે જ છે... એક તરફ વિપક્ષી નેતાઓ ભાજપમાં જઈ રહ્યા છે, તો બીજી તરફ દાયકાઓથી ભાજપ સાથે જોડાયેલા કેટલાક સિનિયર નેતાઓ નિવૃત્તિ જાહેર કરવા લાગ્યા છે અથવા તો ચૂંટણી લડવાનો ઈન્કાર કરી રહ્યા છે, તે જોતાં એમ જણાય છે કે, આ તમામ ઘટનાક્રમો પાછળ કોઈ ચોક્કસ રણનીતિ કામ કરી રહી હોવી જોઈએ.... જોઈએ... ચૂંટણી આવતા સુધીમાં કેવા કેવા નવા નવા ખેલ રચાય છે તે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

વ્યસન મુક્તિ ઝુંબેશ કેટલી સફળ...? કેફી દ્રવ્યોની બદી કેમ નિરંકુશ છે...? કોઈની પાસે છે કોઈ જવાબ...?

પટણામાં જનવિશ્વાસ સંમેલનમાં વિરાટ જનમેદની જોઈને અને વિપક્ષી દિગ્ગજોના જુસ્સેદાર ભાષણો પછી દેશમાં લોકસભાની ચૂંટણી એક તરફી બની રહી હોવાનો ભ્રમ તૂટી ગયો હોવાના દાવાઓ થવા લાગ્યા છે, તો બીજી તરફ ભાજપની પ્રથમ યાદી બહાર પડ્યા પછી અને બીજી યાદી બહાર પડે તે પહેલાં ભાજપના કેટલાક દિગ્ગજો તથા વર્તમાન સાંસદોએ રાજનીતિમાંથી નિવૃત્તિ જાહેર કરી અને ગુજરાતમાં નીતિનભાઈ પટેલે દાવેદારી પાછી ખેંચી, તેને ટાંકીને અટકળો ઉપરાંત કટાક્ષો પણ થવા લાગ્યા છે. આ બધા ઘટનાક્રમો વચ્ચે રાજનીતિથી અલગ ગણી શકાય તેવું કેન્દ્રીય ગૃહમંત્રી શાહનું એક નિવેદન પણ ધ્યાનાકાર્ષક બન્યું છે.

અમિતભાઈએ ગઈકાલે એવો દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકારે નાર્કોના નેટવર્ક અને શરાબના માર્કેટને ભેદવા અસરકારક કદમ ઉઠાવ્યા છે. જેથી સંખ્યાબંધ પેડલર્સ ઝડપાયા છે, અને ડ્રગ્સ, માદક દ્રવ્યો અને નશીલા પદાર્થોનો જંગી જથ્થો ઝડપાઈ રહ્યો છે. આ માટે ઝુંબેશ ચાલી રહી છે.

અમિતભાઈના આ દાવાની ચર્ચા ભલે રાજકીય રીતે મુલવાઈ રહી હોય, પણ કેન્દ્રના સ્ટેટેસ્ટિક્સ અને યોજનાકીય ઈમ્પ્લીમેશન વિભાગ (એનએસએસઓ) દ્વારા પ્રસિદ્ધ થયેલા આંકડાઓ મુજબ પાન, તમાકુ, નશીલા દ્રવ્યો અને નશાકારક ચીજવસ્તુઓ પર લોકોનો એવેરજ ખર્ચ શિક્ષણ પર થતા ખર્ચ કરતા પણ વધી ગયો છે. આ આંકડા ઘણાં જ ચોંકાવનારા અને ચિંતાજનક છે, અને એટલે જ આ વિષયને માત્ર રાજકીય રીતે મુલવી શકાય તેમ નથી.

વર્ષ-ર૦રર થી વર્ષ-ર૦ર૩ દરમિયાન ઓગસ્ટથી એક વર્ષના સમયગાળા માટે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. અને તેમાં ઘરવપરાશ માટે થતો ખર્ચ (એચસીઈએસ) અને પરિવાર દીઠ માસિક માથાદીઠ વપરાશ ખર્ચ (એમપીઈસી) વિષે ઝીણવટપૂર્વક વિગતો એકત્રિત કરવામાં આવી હતી. આ સર્વે હેઠળ દેશના ગ્રામ્ય વિસ્તારો, શહેરી વિસ્તારો, રાજ્યો - કેન્દ્રશાસિત પ્રદેશો તથા દેશના વિવિધ આર્થિક અને સામાજિક જૂથોના જીવનધોરણનો કયાસ કાઢવા અને વલણો નક્કી કરવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે.

આ સર્વે મુજબ દેશમાં પાન, તમાકુ, ધુમ્રપાન અને માદક દ્રવ્યો તથા નશાકારક પદાર્થો (ડ્રગ્સ વિગેરે) પર લોકોનો ખર્ચ ઉત્તરોતર વધી રહ્યો છે. છેલ્લા દસ વર્ષમાં માત્ર શેહરી વિસ્તારો જ નહીં, પરંતુ દેશના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ પ્રકારનો ખર્ચ વધ્યો છે.

આ સર્વે મુજબ દેશના ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષ-ર૦૧૧-૧ર માં આ પ્રકારનો ખર્ચ એવરેજ ૩.ર૧ ટકા હતો, જે વર્ષ-ર૦રર-ર૩ માં ૩.૭૯ ટકા થયો હતો. તેવી જ રીતે શહેરી વિસ્તારોમાં આ ખર્ચ-ર૦૧૧-૧ર માં ૧.૬૧ ટકા હતો જે વર્ષ-ર૦રર-ર૩ માં વધીને ર.૪૩ ટકા થયો હતો.

બીજી તરફ શહેરી વિસ્તારોમાં શિક્ષણ પર થતા ખર્ચનું સરેરાશ પ્રમાણ આ સમયગાળામાં વર્ષ-ર૦૧૧-૧ર માં ૬.૯૦ ટકા હતુ, જે વર્ષ-ર૦રર-ર૩ માં ઘટીને પ.૭૮ ટકા થયું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં આ ખર્ચનું પ્રમાણ વર્ષ-ર૦૧૧-૧ર માં ૩.૪૭ ટકા હતું. જે વર્ષ-ર૦રર-ર૩ માં ૩.૩૦ ટકા થઈ ગયું હતું.

એક અન્ય ઉપયોગી વિગતો પણ આ સર્વે દરમિયાન સપાટી પર આવી છે. આ ડીપ સર્વે મુજબ શહેરી વિસ્તારોમાં પીણાં અને પ્રોસેસ્ડ ફૂડ પરનો ખર્ચ-ર૦૧૧-૧ર માં ૮.૯૮ ટકા હતો, જે વર્ષ-ર૦રર-ર૩ માં વધીને ૧૦.૬૪ ટકા થયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં આ ફિગર્સ મુજબ વર્ષ-ર૦૧૧-૧ર માં ૭.૯૦ ટકા હતો, જે વર્ષ-ર૦રર-ર૩ માં વધીને ૯.૬ર ટકા થઈ ગયો હતો. આ તમામ આંકડાઓ ચિંતાજનક છે.

જો વ્યસનો અને બીનજરૃરી પીણાંઓ તથા ફાસ્ટફૂડનો ખર્ચ અંકુશમાં આવી જાય તો લોકોની માથાદીઠ આવકનો સારો એવો હિસ્સો બચી જાય, જેથી લોકોની આર્થિક સ્થિતિ તો પહેલાની સરખામણીમાં મજબૂત બને જ, પરંતુ સાથોસાથ સામાજિક સ્થિતિ, પ્રતિષ્ઠા અને જીવનધોરણમાં પણ મોટો હકારાત્મક તફાવત આવી જાય તેમ છે. આ દૃષ્ટિએ માત્ર સરકારે જ નહીં, પરંતુ સમાજે પણ વિચારવું પડે તેમ છે, અને બિનજરૃરી ખર્ચાઓ તથા વ્યસનો સાથે જનજાગૃતિ ઝુંબેશ ચાલતી રહેવી જોઈએ, તેમ નથી લાગતું...?

આ સંદર્ભે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કરેલી વ્યસનમુક્તિની વાત સુસંગત છે, અને અનેક જિંદગીઓને બરબાદ કરતા તથા સ્વાસ્થ્યનું નિકંદન કાઢીને દર્દભર્યુ મોત આપતા વ્યસનોથી સમાજ મુક્ત થાય, તે દિશામાં સાર્વત્રિક પ્રયાસો જરૃરી પણ છે, પરંતુ ડ્રગ્સ અને અન્ય નશાકારક દ્રવ્યો કરતાં પણ વધુ ખતરનાક કટ્ટરતા, નફરત અને સત્તા કે સંપત્તિનો નશો પણ જનજીવનને બરબાદ કરનારો હોય છે, અને તેનો ભોગ બની ન જવાય, તે માટે પણ સૌ કોઈએ જાગૃત રહેવું જોઈએ, ખરૃં કે નહીં...?

અત્યારે લોકસભાની ચૂંટણીઓના પ્રચારની આંધી વચ્ચે કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પણ ઉડી જાય તેમ છે. હકીકતે સરકારી વ્યસનમુક્તિ ઝુંબેશ અને અનેક સંગઠનો, સંસ્થાઓ, સમાજો અને જાગૃત નાગરિકોના તદ્દવિષયક અભિયાનો કેટલા સફળ થાય છે...? આટલા બધા પ્રયાસો છતાં વ્યસનો નાબુદ કેમ થતા નથી...? કેફી દ્રવ્યોનો વેપલો કેમ વધી રહ્યો છે...? ગુજરાત જેવા રાજ્યોમાં પણ દારૃબંધી તદ્દન નિષ્ફળ કેમ થઈ રહી છે...? તેવા સવાલોના જવાબ પણ મેળવવા જ પડે તેમ છે... પણ તેમાં કોઈની પ્રબળ ઈચ્છાશક્તિ કેમ જોવા મળતી નથી...? છે કોઈ જવાબ...?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

હાલાર બન્યુ ગ્લોબલ.... નગરનું ભાવિ ઉજ્જવળ... નેતાઓની હડિયાપટ્ટી, તંત્રોની કસોટી...

ગુજરાતનું મંત્રીમંડળ આજે અયોધ્યામાં રામલલ્લાના દર્શને જશે, તેની ચર્ચા ગઈકાલથી જ થઈ રહી હતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ગઈકાલના જામનગરના કાર્યક્રમો દરમિયાન પણ આ પ્રકારના સંકેતો મળી રહ્યા હતાં.

હમણાંથી હાલાર ગ્લોબલ લેવલે ઝળકી રહ્યું છે અને 'છોટીકાશી' તરીકે ઓળખાતું રજવાડી નગર જામનગર, વિશ્વકક્ષાનું હિન્દુઓનું યાત્રાધામ દ્વારકા, વિવિધ ધર્મસ્થળો, ટુરીઝમ ડેસ્ટિનેશન સમુ બેટ દ્વારકા અને બન્ને જિલ્લાઓના પ્રવાસ-પર્યટન સ્થળોને સાંકળીને હાલાર વિકાસની હરણફાળ ભરી રહ્યું હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે, જ્યારે જામનગરના ઉજ્જવળ ભવિષ્યની કામનાઓ પણ કરવામાં આવી રહી છે.

બીજી તરફ બન્ને જિલ્લાઓનું વહીવટીતંત્ર અત્યારે કસોટીની એરણે ચડયું હોય તેમ વિવિધ પ્રકારની તૈયારીઓ તથા ફરજોમાં વ્યસ્ત છે. માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષાઓ ઉપરાંત શાળા-કોલેજોની અન્ય પરીક્ષાઓને લઈને તમામ પ્રકારની કાળજી સાથે તૈયારીઓ થઈ રહી છે અને ઉત્તરપ્રદેશની જેમ 'પેપરલીક' થઈ ન જાય, તે માટેની કાળજી સાથે ચૂસ્ત બંદોબસ્ત અને પર્યટન વ્યવસ્થાઓ ઊભી કરવાની કવાયત કરવામાં આવી રહી છે. કેટલીક શાળાઓ તથા સંસ્થાઓ વિદ્યાર્થી ભાઈ-બહેનોને પરીક્ષાનો 'હાઉ' નહીં રાખવા અને પરીક્ષાઓ દરમિયાન કેવી રીતે તૈયારી કરી શકાય તેનું માર્ગદર્શન આપવાની સાથે સાથે પ્રયોગાત્મક પરીક્ષાઓ યોજીને વિદ્યાર્થીઓને પરીક્ષાઓની પૂર્વ તૈયારીઓ પણ કરાવી રહી છે.

બીજી તરફ ચૂંટણીપંચ દ્વારા લોકસભાની ચૂંટણીઓને લઈને પણ જિલ્લાતંત્રોને વિવિધ સૂચનાઓ મળી રહી છે. ચૂંટણી પંચે રાજકીય પક્ષોને પણ ચૂંટણીપ્રચાર દરમિયાન કઈ કઈ કાળજી રાખવી અને કઈ કઈ મર્યાદાઓ રાખવી તેની એડવાઈઝરી જાહેર કરી દીધી છે. ચૂંટણીની આચારસંહિતા લાગુ થઈ જાય, તેને ગણત્રીના દિવસો જ બાકી રહ્યા હોવાથી દેશભરમાં ફટાફટ વિકાસકામોના લોકાર્પણો અને ખાતમુહૂર્તો થઈ રહ્યા છે, અને ગુજરાતમાં પણ રાજ્યભરમાં મંત્રી મહોદયો (ચૂંટણીલક્ષી) સરકારી પ્રવાસો કરી રહ્યા હોય, તેમ ઉદ્ઘાટનો, શિલાન્યાસો સાથે નવા નવા વાયદાઓ કરી રહેલા સંભળાય છે. આ કારણે હાલારના બન્ને જિલ્લાઓમાં પણ વીઆઈપી અને વીવીઆઈપીની અવર-જવર વધી રહી છે, જેના બંદોબસ્ત, વ્યવસ્થાઓ અને આગતા-સ્વાગતા-સરભરાની સાથે સાથે વિશેષ ઢબે સફાઈ-દવા છંટકાવ અને ક્ષતિઓ ઢાંકવાની ગતિવિધિઓ-પ્રવૃત્તિઓ વધી જતાં તમામ તંત્રોને હડિયાપટ્ટી કરવી પડી રહી છે, લોકો સાફ-સુથરા માર્ગો અને રોડના કાંઠે પાથરેલી ડીડીટી પાવડર દવાઓ જોઈને સમજી જાય છે કે કોઈક મોટંુ માથું આવવાનું લાગે છે !

હાલારમાં યાત્રાધામ દ્વારકામાં પણ વડાપ્રધાન સુદર્શન બ્રીજનું ઉદ્ઘાટન અને સ્કૂબા ડાઈવીંગ કરી ગયા પછી ત્યાં એક તરફ યાત્રિકો-પ્રવાસીઓનો પ્રવાહ વધી રહ્યો છે, તો બીજી તરફ ઓખાથી બેટ દ્વારકા વચ્ચે પેસેન્જર બોટ ચલાવીને ગુજરાન ચલાવતા હજાર-બારસો શ્રમિકો-સંચાલકોની રોજગારીનો પ્રશ્ન પણ ઊભો થયો છે. જો કે, બેટદ્વારકા જમીન માર્ગે જોડાઈ ગયા પછી હવે ત્યાં પૂરક વ્યવસાયો, ધંધા-રોજગારની વિપુલ તકો હોવાથી આ લોકોને ત્યાં ડાઈવર્ટ કરી શકાશે, પરંતુ તે માટે સરકારી તંત્રોએ હસ્તક્ષેપ કરવો પડે તેમ જણાય છે, ખરું કે નહીં ?

આમ તો, જામનગર ભારતીય સેનાની ત્રણેય પાંખો છે, જામસાહેબના વારસા સમુ રજવાડી નગર લાખોટાતળાવ, ભુજીયો કોઠો, મ્યુઝીયમ અને વિશ્વકક્ષાના ધાર્મિક સ્થળો-મંદિરો ધરાવે છે, તેમ જ બાંધણી, કંકુ-સુરમો-કાજલ, સુડી જેવી ચીજવસ્તુઓ તથા બ્રાસ ઉદ્યોગ જેવી વિશેષતાઓના કારણે વૈશ્વિક કક્ષાએ પહેલેથી જ ઝળકી રહ્યું છે, અને યાત્રાધામ દ્વારકા પણ ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ અને બેટદ્વારકા ભગવાન શ્રીકૃષ્ણના નિવાસસ્થાન તરીકે ગ્લોબલ મેપમાં જ હતું, અને હવે તેમાં સુદર્શન બ્રીજ, શિવરાજપુર, ઓખામઢી, ડન્ની પોઈન્ટ અને હર્ષદ જેવા વિવિધ બીચ તથા રિલિજિયસ અને ઈકો ટુરિઝમના સંયોજનના કારણે હવે આખું હાલાર ગ્લોબલ ઈમ્પોરટન્ટ ડેસ્ટિનેશન્સની અગ્રીમ હરોળમાં આવી ગયું છે.

બીજી તરફ અંબાણી પરિવારના આંગણે અનંતના લગ્નોત્સવના કારણે લગભગ આખી દુનિયા જાણે જામનગર તરફ આવી રહી હોય તેમ જણાય છે, અને બોલીવુડ, હોલીવુડ, ખેલજગતના સેલિબ્રિટીઝ જ નહીં પરંતુ વિવિધ રાષ્ટ્રોના વડાઓ, પૂર્વવડાઓ, રાજ્ય કેન્દ્ર-સરકારના પ્રતિનિધિઓ-મહાનુભાવો, સંતો-મહંતો, ઉદ્યોગ-વ્યાપાર, સાયન્સ, ટેકનોલોજી-કોર્પોરેટ સહિત વિવિધ ક્ષેત્રોના ગ્લોબલ લીડર્સ, દિગ્ગજો અને વૈશ્વિક ખ્યાતનામ હસ્તીઓ પણ અંબાણી પરિવારના પ્રિ-વેડીંગ સેરેમનીમાં પહોંચી રહ્યા છે, આ જ નેશનલ હાઈવે પર ડબ્લ્યુ.એચ.ઓ.નું ગ્લોબલ મેડિસિન સેન્ટર પણ આકાર લઈ રહ્યું છે, આ બધાના કારણે કહી શકાય કે હાલાર 'ગ્લોબલ' બની રહ્યું છે. ગુજરાતનું ગૌરવ વધી રહ્યું છે... ભારતની ગરિમા વધી રહી છે....

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ગ્લોબલ વોર્મીંગ, કલાઈમેટ ચેઈન્જ રિન્યુએબલ એનર્જી સ્કીમ્સ... દાવાઓ અને હકીકતો....

રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓનું ૪ ટકા મોંઘવારી ભથ્થુ ચૂકવવાનો નિર્ણય કર્યો છે, માવઠાની આગાહી સાથે કેટલાક સ્થળે કમોસમી વરસાદ થયો છે. કોમર્શિયલ એલપીજીમાં ભાવવધારો કરાયો છે અને ઉનાળાના પ્રારંભે જ દેશના કેટલાક વિસ્તારોમાં જળસંકટના એંધાણ વર્તાયા છે, તેવા અહેવાલો વચ્ચે દેશની આબોહવા પર ગ્લોબલ વોર્મીંગ વિષે થયેલા નવા અભ્યાસના ચોંકાવનારા તારણો આવ્યા છે.

ભારતનું સરેરાશ તાપમાન જો ત્રણ ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી જશે, તો હિમાચલની મહત્તમ નદીઓ, ઝરણાં, જળસ્ત્રોતો સુકાઈ જતા આ પહાડી વિસ્તારોમાં પણ દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાશે. કલાઈમેટ ચેઈન્જ જર્નલમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ જે પેરિસ સમજૂતિ મુજબ દોઢ ડિગ્રી સેલ્સિયસથી વધતું નહીં અટકાવાય તો દેશમાં ભયંકર દુષ્કાળ પડવાની સંભાવના છે. આ સ્થિતિનું નિર્માણ ગ્લોબલ વોર્મીંગના કારણે થઈ શકે છે, ત્યારે કલીન ઉર્જાના નિર્માણને પ્રોત્સાહિત કરીને ગ્લોબલ વોર્મીંગ અને કલાઈમેટ ચેઈન્જના ક્ષેત્રે રાહત મળી શકે છે.

ભારતમાં કલીન ઉર્જાનું નિર્માણ કરીને ગ્લોબલ વોર્મીંગ અટકાવવા કે ઘટાડવા માટે રિન્યુએબલ એનર્જીની પોલિસી અપનાવાઈ રહી છે, અને કેન્દ્ર સરકારે આ માટે એક નવી યોજના બનાવી છે. ગઈકાલે કેન્દ્રીય કેબિનેટ પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાને મંજુરી આપી દીધી છે, જે અંતર્ગત દેશના એક કરોડ ઘરો પર સોલાર પ્રોજેકટ સ્થાપીને એક કરોડ પરિવારોને ૩૦૦ યુનિટ સુધી મફત વીજળી મળશે, તેવો દાવો કરવામાં આવ્યો છે, આ યોજનાનું લોન્ચીંગ ૧૩ મી ફેબ્રુઆરીના થયુ હતું અને તે માટે રૂ. ૭પ હજાર કરોડથી વધુ રકમની જોગવાઈની માહિતી કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આપી હતી. આ યોજના અંતર્ગત એક કિલોવોટની સ્કીમ માટે રૂ. ૩૦ હજાર અને બે કિલોવોટની સ્કીમ માટે રૂ. ૬૦ હજાર તથા ૩ કિલોવોટની સ્કીમ માટે રૂ. ૭૮ હજારની સબસીડીની મંજુરી ૧.૭ લાખ લોકોને રોજગારીની તકો મળશે, તેઓ દાવો પણ કરવામાં આવી રહ્યો છે. આ રૂફટોપ યોજનાનો લાભ લેવા માટે પોર્ટલ દ્વારા કેવી રીતે ઓનલાઈન અરજી કરી શકાય છે, તે અંગે પણ માર્ગદર્શન અપાઈ રહ્યું છે. બિન પરંપરાગત અને કલીન ઉર્જાના ક્ષેત્રે આ યોજના એક વિરાટ મહત્ત્વપૂર્ણ કદમ હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.

કેટલાક રાજ્યોએ પણ રિન્યુએબલ એનર્જી નો અભિગમ અપનાવ્યો છે. ગુજરાતના બજેટમાં વર્ષ ર૦ર૪-રપમાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ રૂ. ૮૭૩૮ કરોડની જોગવાઈ થઈ છે, જેમાં કિસાન સર્વોદય યોજના માટે રૂ. ૧પ૭૦ કરોડ તથા કૃષિવિષયક વીજ જોડાણો વધારવા માટે રૂ. ૧૦૧૦ કરોડનો સમાવેશ થાય છે. આ યોજના ઉપરાંત વીજકંપનીના સબસ્ટેશનોની આજુબાજુની સરકારી ફાજલ જમીન પર રપ૦૦ મેગાવોટની ક્ષમતાના સોલાર પી.વી. પ્રોજેકટની જોગવાઈ પણ થઈ છે, જે બિનપરંપરાગત ઉર્જાના ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ કદમ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકારની નવી રિન્યુએબલ એનર્જી પોલિસી-ર૦ર૩ હેઠળ પણ સોલાર, વિન્ડ તથા હાઈબ્રીડ ટેકનોલોજી આધારિત રિન્યુએબલ એનર્જી પ્રોજેકટસની સ્થાપનાને ઉત્તેજન આપવાના દાવાઓ થયા હતાં અને આ પોલિસી હેઠળ ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર, રૂફટોપ સોલાર, ફલોટીંગ સોલાર, રૂફટોપ વિન્ડ તથા વિન્ડ-સોલાર હાઈબ્રીડ પ્રોજેકટસને આવરી લેવાયા હોવાની જાહેરાત કરવામાં આવી હતી એ તેનો ઓપરેશનલ સમયગાળો વર્ષ-ર૦ર૮ સુધીનો રાખવામાં આવ્યો છે.

જો કે, વિપક્ષી નેતાઓ કેન્દ્ર-રાજય સરકારની ઉર્જાનીતિ સહિતના દાવાઓ સામે સવાલો ઉઠાવી રહ્યા છે, અને ભાજપ સરકારના ખાવાના અને દેખાડવાના દાંત જુદા જુદા હોવાનો કટાક્ષ થઈ રહ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજ્ય સરકાર નાણાકીય વ્યવસ્થાપનમાં સદંતર નિષ્ફળ ગઈ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો અને ચાલુ નાણાકીય વર્ષના અંતે ગુજરાત પર રૂ. સવા ચાર લાખ કરોડને દેવુ આંબી જશે, તેમ જણાવી સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે રાજ્યની આવકના ૪પ ટકા નાણા દેવા પર વ્યાજ, કર્મચારીઓના પગાર અને પેન્શન પર ખર્ચાઈ જાય છે, ત્યારે રાજ્ય સરકાર આવક વધારવાના પ્રયાસો કરવાના બદલે ખોટ જાય, તેવા કદમ કેમ ઉઠાવી રહી છે.

રિન્યુએબલ એનર્જીના મુદ્દે મોઢવાડિયાએ આકરી ટીકા કરતા કહ્યું કે ગુજરાત સરકાર પાવર પ્લાન્ટસના આધુનિકરણ અને લિગ્નાઈટ વગેરે પાવર પ્લાન્ટ્સના તકનીકી અપગ્રેડેશનના બદલે તેને બંધ કરીને ખાનગી કંપનીઓ પાસેથી મોંઘીદાટ વીજળી ખરીદી રહી હોવાથી સરકારી તિજોરીને કરોડોની ખોટ જાય છે, જે પબ્લિક મની છે. લિગ્નાઈટ પ્લાન્ટની પ્રોડકશન કેપેસિટી ૧ર૦૦ મેગાવોટ હતી, તે ઘટાડીને ૭૦૦ મેગાવોટની આજુબાજુ કરીને તેની પૂર્તતા ખાનગી કંપનીઓની મોંઘી વીજળી દ્વારા કરવાના કારણે સરકાર પર બોજ વધ્યો છે. મોઢવાડિયાએ વિધાનસભામાં કેટલીક જાણીતી ઔદ્યોગિક કંપનીઓને હાઈડ્રોજન પ્રોજેકટ માટે બે લાખ હેકટર જમીન ફાળવી હોવા છતાં એક પણ કામ શરૂ થયું નહીં હોવાનો સણસણતો આક્ષેપ પણ કર્યો હતો.

આમ, કેન્દ્રની યોજનાઓ અને રાજ્ય સરકારે ઉર્જાક્ષેત્રે જે કાર્યપદ્ધતિ અપનાવી છે, તેના મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે. ઘણાં લોકો પી.એમ. સુર્યઘર યોજનાને લોકસભાની ચૂંટણીમાં રાજકીય લાભ લેવાનો કારસો ગણાવી રહ્યા છે, જ્યારે ઘણાં લોકો આ યોજનાને દૂરગામી સારા ફળો આપનારી ગ્લોબલ વોર્મીંગ ઘટાડનારી, પર્યાવરણની રક્ષક, કલાયમેટ ચેઈન્જમાં રાહત આપનારી અને મધ્યમવર્ગ માટે લાભકારી ગણાવી રહ્યા છે, બીજી તરફ અર્જુનભાઈ મોઢવાડિયા જેવા વિપક્ષી દિગ્ગજ નેતાઓ દ્વારા જે અંગૂલીનિર્દેશ કર્યો હોય, તેને લક્ષ્યમાં લઈને પણ સરકારે પોલિસીમાં જરૂરી સુધારા-વધારા કરવા જોઈએ અને ગુજરાતની જનતાના ગજવા પરથી ભાર ઓછો થાય, તેવા પારદર્શક કદમ ઉઠાવવા જોઈએ, તેમ નથી લાગતું? 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ટોક ઓફ ધ ટાઉન... ટોક ઓફ ધ હાલાર... ટોક ઓફ ધ નેશન... મોરારજીભાઈને સ્મરણાંજલિ...

આવતીકાલે જામનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે મીલેટ્સ એકસ્પોનો ઉદ્ઘાટન ઉપરાંત લગભગ ત્રણ અબજના વિકાસકામોના લોકાર્પણ, ખાતમુહૂર્તો થશે,, સ્પોર્ટકોમ્પ્લેક્ષનું ખાતમુહૂર્ત અને પોલીસ હેડકવાર્ટરમાં સ્પોર્ટસ - ક્રિકેટ ગ્રાઉન્ડના લોકાર્પણ પછી શહેરની રમત-ગમત પ્રવૃત્તિઓને વેગ મળશે. આ પ્રકારના વિકાસના કામોના નિર્માણ પછી તેના સંચાલન નિભાવ, દેખરેખ અને વખતોવખત નવીનીકરણ-આધુનિકરણ વ્યવસ્થાઓ પણ અત્યારથી જ સંપૂર્ણપણે સુનિશ્ચિત કરી લેવામાં આવી હોય તો તે સમયોચિત કદમ ગણાશે, કારણ કે ઘણી વખત આ પ્રકારની દૂરંદેશીમાં ત્રુટિ રહી જાય, તો કેટલીક સુવિધાઓનો મૂળ ઉદ્દેશ્ય જ માર્યો જતો હોય છે.

જામનગર સહિત હાલારમાં અત્યારે ખાવડી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં અંબાણી પરિવાર દ્વારા પારિવારિક પ્રસંગની ઉજવણીના ભાગરૃપે ગ્રામ્ય વિસ્તારો તથા ગ્રામજનોને સાંકળીને યોજાઈ રહેલા કાર્યક્રમો, ભોજન સમારંભો અને ઈત્તરપ્રવૃત્તિઓની જબરદસ્ત ચર્ચા થઈ રહી છે. એવું કહેવાય છે કે જામનગરની મુલાકાતે આવી રહેલા મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી પણ અનંત અંબાણીના પ્રિ-વેડીંગ સેરેમનીમાં જવાના છે. અંબાણી પરિવાર દ્વારા આ પ્રસંગને સાંકળીને કેટલીક સેવા પ્રવૃત્તિઓ થઈ રહી છે, અને સંખ્યાબંધ સેલિબ્રિટીઝ આવી રહ્યા છે અને દિગ્ગજ ઉદ્યોગપતિઓ તથા મોટા નેતાઓ આવી રહ્યા હોવાથી આ પારિવારિક પ્રસંગે સમગ્ર દેશનું પણ ધ્યાન ખેંચ્યું છે, તો આ ઈવેન્ટ્સ 'ટોક ઓફ ધ હાલાર' પણ બન્યા છે.

જામનગરમાં તા. પહેલી માર્ચથી ત્રણ દિવસ માટે એમ્યુઝમેન્ટ પાર્ક પાસે ખેતીવાડી ખાતા દ્વારા મીલેટ્સ એકસ્પો યોજાનાર છે, તેમાં સાંસ્કૃતિક, લોક-સાહિત્યના કાર્યક્રમોની રંગત સાથે ૪૦ જેટલા વિવિધ સ્ટોલ્સના માધ્યમથી પ્રાકૃતિક ખેતી, મીલેટ્ દ્વારા લાઈવફૂડ અને મીલેટ પાકના કીટ્સ, હસ્તકલા વગેરેનો લાભ લોકો લઈ શકશે, અને અહીં આયુર્વેદ અંગે પણ માર્ગદર્શન અપાશે, તેમ જાહેર થયું છે, ત્યારે તંત્રો હડિયાપટ્ટી કરી રહ્યા છે, આ પ્રકારના કાર્યક્રમો માત્ર સિમ્બોલિક ન બની જાય, અને વધુમાં વધુ લક્ષિત લોકો વાસ્તવિક રીતે આ પ્રકારના કાર્યક્રમો-એકસ્પો-વર્કશોપ્સ વગેરેનો લાભ લે, તે અત્યંત જરૃરી છે, અને કાર્યક્રમો પૂરા થયા પછીના દિવસોમાં તેની થયેલી અસરોનું ફોલોઅપ અને ફિડબેક મેળવવાનું નેટવર્ક વિસ્તારવું જોઈએ, તેમ નથી લાગતું ? જો કે, આ નવતર સુવિધાઓનો મુદ્દો 'ટોક ધ ટાઉન' જરૃર બન્યો છે.

આજે ગુજરાતના પનોતાપુત્ર અને ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની જયંતી ઉજવાઈ રહી છે, અને દર ચાર વર્ષે આવતી ર૯ મી ફેબ્રુઆરીના દિવસે જન્મેલા ગાંધીવાદી નેતા મોરારજીભાઈને શ્રદ્ધાંજલિઓ અપાઈ રહી છે, ત્યારે તેઓના સિદ્ધાંતો, આદર્શો અને જીવનશૈલીને લઈને પણ દેશવ્યાપી ચર્ચાઓ થઈ રહી છે, અને ખાસ કરીને તેઓના 'શિવામ્બુ'ના કોન્સેપ્ટની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. મોરારજીભાઈ દેસાઈની વિશેષતાઓ અને નાણામંત્રી તરીકેની તે સમયેની તેમની પોલિસીઓની ચર્ચા પણ વ્યાપક રીતે થઈ રહી છે, અને સાથે સાથે નોટબંધીના કદમને પણ યાદ કરવામાં આવી રહ્યું છે.

આજે જેવી રીતે દેશમાં રાજકીય ઘટનાક્રમો સર્જાઈ રહ્યા છે અને પક્ષાંતરો થઈ રહ્યા છે, તે વર્ષ ૧૯૭૦ ના દાયકાની યાદ અપાવી રહ્યા છે. ઈન્ડિકેટ અને સિન્ડકેટે નામના જૂથો અને શાસક અને સંસ્થા કોંગ્રેસના સ્વરૃપમાં થયેલા પાર્ટીના વિભાજન પછી મોરારજીભાઈ દેસાઈએ વિપક્ષી નેતા તરીકે શરૃ કરેલી યાત્રા અને વર્ષ -૧૯૭૭માં જનતાપાર્ટીની સરકારમાં વડાપ્રધાન બન્યા, ત્યાં સુધીની તેઓની પ્રગતિયાત્રાના ઘટનાક્રમો આજે તેઓની જયંતીના પર્વે વર્ણવાઈ રહ્યા છે, તેઓએ વર્ષ ૧૯૮૦માં જનતાપાર્ટીના પતન પછી સ્વીકારેલો રાજકીય સંન્યાસ પણ જે-તે સમયે ચર્ચામાં રહ્યા હતો. આજે તેઓની જન્મજયંતી પ્રસંગે તેઓને સ્મરણાંજલિઓ અપાઈ રહી છે.

આજે જ્યારે સત્તા મેળવવા કે ટકાવવા માટે સિદ્ધાંતોને નેવે મૂકી દેવાની માનસિકતા વધી રહી છે, ત્યારે મોરારજી દેસાઈ જેવા અનેક ગાંધીવાદી નેતાઓની યાદ તાજી થઈ જાય, જેઓ સત્તા માટે સિદ્ધાંતો સાથે જરાયે બાંધછોડ કરવા તૈયાર નહોતા...

અત્યારે દેશમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલો અને લોકસભાની ચૂંટણીઓના વ્યૂહાત્મક પ્રચારના ઝંઝાવાતના કારણે માહોલ ગરમાયો છે, અને સિદ્ધાંતો, આદર્શો, નીતિનિયમોનું સ્થાન હવે 'વિનેબિલિટી' ફેકટરે લીધું છે, તેના વિશ્લેષણો પણ 'ટોક ઓફ ધ નેશન' બન્યા છે.

ગુજરાત માટે ગૌરવ લેવા જેવી બાબત એ છે કે વિવિધ ક્ષેત્રોમાં ટોચના શિખરે પહોંચેલા અનેક મહાનુભાવો ગુજરાતી મૂળના છે અને તેમાંથી ઘણાં પોતાની જન્મભૂમિ, માતૃભૂમિ અને કર્મભૂમિને ભૂલ્યા નથી. મોરારજીભાઈ અને મુનશીથી લઈને મોદી સુધીના રાજનેતાઓ, ઉપરાંત સાયન્સ, વ્યાપાર-ઉદ્યોગ અને કૃષિ-સિંચાઈ-ગ્રામિવકાસના ક્ષેત્રે ઉત્તમ યોગદાન આપનાર સંખ્યાબંધ વૈજ્ઞાનિકો, ઉદ્યોગપતિઓ, બિઝનેસમેનો, શિક્ષણવિદે, ઈતિહાસકારો અને બ્યુરાક્રેટ્સ પણ ગુજરાતી મૂળના છે. અમેરિકા, બ્રિટન, આફ્રિકા, કેનેડા, જાપાન, ઓસ્ટ્રેલિયા સહિતના અનેક દેશોમાં પણ રાજકીય વ્યાપાર ઉદ્યોગ અને સાંસ્કૃતિક ક્ષેત્રે ઉચ્ચ કક્ષાએ પહોંચેલા મૂળ ગુજરાતીઓ ભારત માતાનું ગૌરવ પણ વધારી રહ્યા છે... જય, જય, ગરવી ગુજરાત...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

પૂરબ સે પશ્ચિમ... ઉત્તર સે દક્ષિણ... 'ખેલા' હોતા રહેગા ? જસ્ટ, વેઈટ એન્ડ વોચ...

ગઈકાલે રાજ્યસભાની ચૂંટણી થઈ, જેમાં જબરદસ્ત 'ખેલા' હો ગયા, અને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર હોવા છતાં તેના ઉમેદવાર હિમાચલની એકમાત્ર રાજયસભાની બેઠકની ચૂંટણીમાં હારી ગયા. જો કે, સૌજન્યતાથી અને સભ્યતાથી કોંગી ઉમેદવાર અભિષેક મનુ સિંઘલએ હાર સ્વીકારી, અને વીજયી પ્રતિસ્પર્ધીને અભિનંદન આપ્યા, સાથે સાથે ભાજપની રાજનીતિની ટીકા કરી, તેથી સૌ કોઈ પ્રભાવિત થયા હશે.

હિમાચલમાં ભારતીય જનતા પક્ષના રપ અને કોંગ્રેસના ૪૩ ધારાસભ્યોના મતો હોવા છતાં ક્રોસ વોટીંગ થતાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોને સરખા ૩૪-૩૪ મતો મળ્યા, પરંતુ લક્કી ડ્રોમાં ભાગ્યે ભાજપનો સાથ આપ્યો અને કોંગ્રેસના ઉમેદવાર હારી ગયા. હવે હિમાચલ પ્રદેશની કોંગી સરકાર પર ખતરો તોળાઈ રહ્યો છે.

ઉત્તરપ્રદેશમાં પણ ભાજપના ૭ જ ઉમેદવારો જીતે તેમ હોવા છતાં ભાજપે આઠમો ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો અને સમાજવાદી પાર્ટીના ૬ તથા કોંગી સમર્થિત ૩ અપક્ષ ધારાસભ્યોએ ક્રોસ વોટીંગ કરતા ભાજપનો આઠમો ઉમેદવાર જીતી ગયો અને સમાજવાદી પાર્ટીને બે જ બેઠકો પર વિજય મળ્યો. આમ હિમાચલ પ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં જબરદસ્ત ઉલટફેર થયો અને રાજકરણની દુનિયાની વ્યંગ્યવણીમાં અવાજ ઉઠ્યો છે, 'ખેલા હો ગયા...' ખેલા હો ગયા...'

ઉત્તર ભારતમાં ગઈકાલે ભાજપની બલ્લે બલ્લે થઈ રહી હતી ત્યારે દક્ષિણ ભારતની કર્ણાટક વિધાનસભા દ્વારા કોંગ્રેસના ૩ અને ભાજપના ૧ ઉમેદવારનો વિજય થયો, અને ત્યાં પણ ભાજપના એક ઉમેદવારે કોંગ્રેસ તરફી ક્રોસ વોટીંગ કર્યું.

ઉત્તરથી દક્ષિણ ભારત તરફ રાજકીય માહોલ ગતિશીલ બન્યો છે, રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે પંદરમાંથી દસ બેઠકો મેળવ્યા પછી હવે તમામ ગતિવિધિઓ લોકસભાની ચૂંટણીઓને કેન્દ્રમાં રાખીને જ થવાની છે. કોંગ્રેસની દક્ષિણ ભારતમાં કર્ણાટક અને તેલંગાણામાં સરકારો છે, અને રાહુલ ગાંધી વયડનના સંસદસભ્ય છે. ડી.એમ.કે સાથે કોંગ્રેસનું ગઠબંધન છે, તેથી કોંગ્રેસે દક્ષિણ ભારત પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવું પડે તેમ છે.

બીજી તરફ ભારતીય જનતા પક્ષે પણ દક્ષિણ ભારતમાં પગપેસારો કરીને લોકસભાની ચૂંટણી દરમિયાન દક્ષિણ ભારતમાંથી પણ શકય તેટલી વધુ બેઠકો જીતવાની રણનીતિ અપનાવી હોય તેમ જણાય છે, અને તેથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના દિગ્ગજોએ છેલ્લા કેટલાક મહિનાઓથી દક્ષિણ ભારતનો પ્રવાસ વધારી દીધો છે અને સંખ્યાબંધ સરકારી કાર્યક્રમો પણ યોજ્યા છે. ભાજપનો ઉત્તર ભારતમાં મજબૂત જનાધાર જણાય છે અને તાજેતરની વિધાનસભાની ચૂંટણીઓ પછી પશ્ચિમ ભારતમાં પણ ભાજપ વધુ મજબૂત બન્યો છે, અને એક મંત્રીએ રાજીનામું આપી દીધું ત્યારે જો હિમાચલ પ્રદેશની સરકાર ગબડે, તો ઉત્તર ભારતમાં પંજાબ અને દિલ્હી, ઉપરાંત ઝારખંડ (ગઠબંધન સરકાર) અને પ.બંગાળમાં મમતા બેનર્જીની સરકાર સિવાયના રાજ્યોમાં ભાજપ મજબૂતીથી ચૂંટણી લડી શકે તેમ છે. ઓડિસામાં ભાજપ અને બીજેડી વચ્ચે પણ ફ્રેન્ડલી ફાઈટ થવાની છે, આમ, ભાજપ ઉત્તરથી માંડીને દક્ષિણ ભારત સુધી પાર્ટીનો પ્રભાવ, મોદી મેજીક અને ભાવનાત્મક મુદ્દાઓ સાથે આક્રમક પ્રચાર કરીને છવાઈ જવાની રણનીતિ અપનાવી રહ્યો છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ મણીપુરથી આદરેલી ભારત જોડો ન્યાય યાત્રા પશ્ચિમ તરફ આગળ વધી રહી છે, અને તેમાં ઉત્તર ભારતના કેટલાક રાજ્યોને આવરી લીધા છે, અને માર્ચ મહિના સુધીમાં ગુજરાત સહિત પશ્ચિમ ભારત રાજ્યોને પણ આવરી લેશે. કોંગ્રેસે પણ વ્યાપક અને પ્રભાવી ચૂંટણી પ્રચારની રણનીતિ અપનાવી છે, તથા કેટલાક રાજ્યોમાં ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષો વચ્ચે સીટ શેરીંગ સુનિશ્ચિત થઈ ગયું છે, તેથી એમ કહી શકાય કે કોંગ્રેસે રાહુલ ગાંધીના માધ્યમથી પૂરબ સે પશ્ચિમ અને મલ્લિકાર્જુન ખડગેના માધ્યમથી દક્ષિણ ભારતમાં પણ વ્યૂહાત્મક ઢબે ચૂંટણી લડવાનું મન બનાવ્યું છે. ઉત્તરભારતમાં પણ બે-ત્રણ રાજ્યોમાં 'આપ' નો પ્રભાવ હોવાથી તેના માટે કોંગ્રેસ ઉદારનીતિ અપનાવશે, તેમ જણાય છે, જો કે, ગુજરાતમાં ભરૂચની બેઠક પરથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને લઈને કોંગ્રેસમાં આંતરિક ઘૂંઘવાટ શરૂ થયાના અહેવાલો પછી એમ કહેવાય છે કે ચૈતર વસાવા કોંગ્રેસ તરફથી પણ ચૂંટણી લડવા તૈયાર છે.

હિમાચલ પછી હજુ પણ ઝારખંડ, કર્ણાટક અને વિપક્ષી ગઠબંધનની અન્ય રાજ્ય સરકારોમાં પણ ભાંગફોડ થાય અને 'ખેલા હો જાય' તેવી સંભાવનાઓ નકારી શકાય તેમ નથી.

ભાજપે ભરતી મેળો શરૂ કર્યા પછી ગુજરાત સહિત જુદા જુદા રાજ્યોમાંથી કદાવર વિપક્ષી નેતાઓ પણ ભાજપમાં જઈ રહ્યા છે, ત્યારે વિપક્ષો કહે છે કે ભાજપે નીતિમત્તાને નેવે મૂકી દીધી છે,અને સામ, દામ, દંડ, ભેદ, કેન્દ્રીય એજન્સીઓનો દુરૂપયોગ તથા મનીપાવર દ્વારા ગમે તેમ કરીને વિપક્ષોને નબળા પાડવાનો જે પ્રયત્ન કર્યો છે, તે લોકતંત્રના આત્મા પર હૂમલા સમાન છે, અને આ બધું ગુપચૂપ નિહાળી રહેલી જનતા વખત આવ્યે જવાબ પણ આપી દેશે. આ પ્રકારના નિવેદનોના જવાબમાં એનડીએના પ્રવકતાઓ કહે છે કે પહેલાં આત્મ નિરીક્ષણ કરો...

આ ખેલ હવે લોકસભાની ચૂંટણી સુધી ચાલ્યા જ કરવાનો છે.... એન્જોય....!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

જોઈએ, હવે શું થાય છે તે....

આજે દેશના ૩ રાજ્યોમાં રાજ્યસભાની ૧પ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે અને સાંજ સુધીમાં પરિણામો આવી જશે. ક્રોસ વોટિંગ અને બદલતા સમિકરણો વચ્ચે આ ચૂંટણીજંગ એટલા માટે રસપ્રદ બન્યો છે કે, ઉત્તરપ્રદેશમાં 'ખેલા હોગા' ની અટકળો વચ્ચે કેટલાક ધારાસભ્યો 'ગાયબ' એટલે કે સંપર્ક વિહોણા થઈ ગયા હતા. જો કે, આજે સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ભારતીય જનતા પક્ષે મહત્તમ બેઠકો જીતવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું છે. ગુજરાત સહિત કેટલીક રાજયસભાની બેઠકો પર નિર્વિરોધ ચૂંટાયેલા સાંસદો સહિત આજની ચૂંટણી પછી રાજ્યસભામાં કયા પક્ષની કેટલી બેઠકો વધશે, તેની ચર્ચા પણ થઈ રહી છે અત્યારે તો એનડીએનું પલડુ ભારે હોય તેમ જણાય છે. કારણ કે ક્રોસ વોટિંગની સંભાવનાઓ પહેલેથી જ જણાવાઈ રહી હતી. જોઈએ, હવે શું થાય છે તે...

બીજી તરફ ભારતીય જનતા પક્ષ દ્વારા હાલાર સહિત ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે સેન્સ લેવાની કવાયત શરૃ થઈ ગઈ છે અને જામનગર બેઠક માટે નવેક નેતાઓએ ઉમેદવારી માટે દાવેદારી નોંધાવી છે, તેમ કહેવાય છે હવે હાલાર સહિત રાજ્યમાં સેન્સપ્રક્રિયા સંપન્ન થયા પછી કોને કોને ટિકિટ મળશે, તે જોવાનું રહ્યું. કેટલાક ઉમેદવારોની ટિકિટ પાક્કી થઈ ગઈ હોવાની અટકળોની સાથે સાથે નો રિપિટ થિયરી અપનાવાય તો તેમાં પણ કેટલાક અપવાદો હશે, તેમ કહેવાય છે. જો કે ભાજપમાં સર્વોચ્ચ નેતાગીરી જ અંતિમ નિર્ણય લેતી હોવાથી જ્યારે ફાઈનલ યાદી બહાર પડે.. ત્યાં સુધી બધાએ રાહ જ જોવી રહી, બીજી તરફ વિપક્ષી ગઠબંધન ઈન્ડિયામાંથી ભરૃચ અને ભાવનગર બેઠકો પરથી 'આપ' ના ઉમેદવારો ચૂંટણી લડશે, તેવી આમ આદમી પાર્ટીની જાહેરાત પછી જે કાંઈ હલચલ અને હિલચાલ થઈ રહી છે, તે આપણી સામે જ છે, પરંતુ મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, ગુજરાત તથા દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં ઈન્ડિયા ગઠબંધન વચ્ચે સીટ શેરીંગ ફાઈનલ થઈ ગયા પછી હવે ધીમે ધીમે ઈન્ડિયા ગઠબંધનનું ચિત્ર પણ સ્પષ્ટ થવા લાગ્યું છે. જો કે, પં.બંગાળમાં કોંગ્રેસની રાષ્ટ્રીય નેતાગીરી ટીએમસી સાથે ગઠબંધન કરવાની પેરવી કરી રહ્યું છે. ત્યારે જ પં.બંગાળના કોંગી નેતા અધીરરંજન ચૌધરીએ પોતાની રીતે જ ડાબેરીઓ સાથે એક પક્ષીય રીતે સીટ શેરીંગની વાત કરતા મામલો ગુંચવાયો છે. એ પછી હવે પં.બંગાળમાં મમતા બેનર્જી સાથે કોંગ્રેસ ગઠબંધન નહીં કરે, કે પછી અધીર રંજન ચૌધરીના વલણને લઈને આંતરિક નિર્ણય લેવાશે, તે અંગે પણ અનુમાનો થવા લાગ્યા છે. જોઈએ, હવે શું થાય છે તે...

ભારતીય જનતા પક્ષ તરફથી ગુજરાતની તમામ ર૬ લોકસભા બેઠકો પર વિજય મેળવવાનું તો લક્ષ્ય હતું જ, હવે એવો દાવો કરાઈ રહ્યો છે કે મહત્તમ બેઠકો પાંચલાખ થી વધુ મતોના માર્જીનથી જીતવાનું લક્ષ્યાંક પણ રખાશે. ભાજપ દ્વારા જે રીતે સેન્સ લેવાઈ રહી છે અને પ્રિ-ઈલેકશન પ્રક્રિયાત્મક  મેરેથોન મિટિંગોનો ધમધમાટ ચાલી રહ્યો છે, તો જોતા એમ જણાય છે કે માર્ચ મહિનામાં જ કદાચ લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. બોર્ડની પરીક્ષાઓ તથા અન્ય મહત્ત્વની પરીક્ષાઓ પૂર્ણ થતાં જ આચારસંહિતા લાગુ થઈ જાય, તેમ હોવાથી જયાં જેનું શાસન છે, ત્યાં તે પક્ષ દ્વારા ઝડપભેર વિકાસના કામો થઈ રહ્યા છે, અને વડાપ્રધાન તોે દેશભરમાં ફરી ફરીને જંગી રકમના શ્રેણીબદ્ધ-અસંખ્ય પ્રોજેકટોના શિલાન્યાસ અને લોકાર્પણો કરી રહ્યા છે. અને આગામી જૂન મહિનામાં ફરીથી એનડીએની સરકાર રચાશે, તેવો દાવો પણ ગઈકાલે એક ટીવી ચેનલના કાર્યક્રમમાં તેઓએ કરી દીધો છે, ત્યારે જોઈએ, હવે શું થાય છે તે...

ગઈકાલે એવા અહેવાલો પણ આવ્યા હતાં કે દ્વારકા સહિત ગુજરાતના ૧૧ સ્થળો પર એરસ્ટ્રીપ બનાવવાનું આયોજન છે, દ્વારકા માટે જે જમીન નક્કી કરાઈ છે, તેનો પ્રિ-ફિઝિબિલિટી અંગે એરપોર્ટ ઓથોરિટી કક્ષાએ પ્રક્રિયા ચાલી રહી હોવાનું પણ કહેવાય છે. દ્વારકા પાસે એરસ્ટ્રીપના મુદ્દે હજુ ફાઈનલ નિર્ણય લેવાયો નહીં હોવાની અટકળો પણ છે. આ વિસ્તારમાંથી નહીં, પણ દેશ-વિદેશના પ્રવાસીઓ દ્વારા પણ દ્વારકામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ બને, તેવી આકાંક્ષા ઘણાં સમયથી રાખવામાં આવી રહી છે, જોઈએ, હવે શું થાય છે તે....

ભાજપ 'અબ કી બાર, ચારસો કે પાર' ના સુત્ર સાથે 'મોદી કી ગેરંટી'નો વ્યાપક પ્રચાર કરી રહ્યા છે, તો કોંગ્રેસ મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, આપખુદશાહી અને મહિલા સુરક્ષા સહિતના મુદ્દાઓની સાથે સાથે ચીન-પાકિસ્તાનની સરહદોને લગતા મુદ્દાઓ ઉઠાવી રહી છે અને ઓબીસી ઉત્થાન માટે નવા વાયદાઓ કરી રહી છે આમ આદમી પાર્ટી કેન્દ્રીય એજન્સીઓના દુરૃપયોગ અને વિપક્ષી રાજ્ય સરકારોને અસ્થિર કરવાના પ્રયાસો થઈ રહ્યા હોવાની કાગારોળ મચાવી રહી છે, જ્યારે સમાજવાદી પાર્ટી, ડાબેરીઓ, એનસીપી (શરદ પવાર) શિવસેના ઉદ્ધવ, ડીએમકે સહિતના પ્રાદેશિક પક્ષો મોદી સરકાર પર વિવિધ મુદ્દે તડાપીટ બોલાવી રહ્યા છે, ત્યારે આગામી લોકસભાની ચૂંટણી પણ ઘણી જ રસપ્રદ થવાની છે, તેવા સંકેતો મળી રહ્યા છે, જોઈએ હવે શું થાય છે તે...

સૌરાષ્ટ્રની કઈ લોકસભા બેઠકો માટે કોણે ઉમેદવારી નો દાવો કર્યો અને કોને ટિકિટ મળશે, તેની અટકળો વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વમંત્રી નારણભાઈ રાઠવા કોંગ્રેસ છોડીને ભાજપમાં જઈ રહ્યા હોવાની ચર્ચાઓ ગઈકાલથી જ થઈ રહી હતી, જ્યારે ઉત્તરપ્રદેશના સમાજવાદી નેતા અખિલેશ યાદવે ચૂંટણીપ્રક્રિયા પર જ સંદેહ વ્યકત કરતા કહ્યું હતું કે રાજ્યસભાની ચૂંટણીમાં તેમની પાર્ટીના ઉમેદવારો જીતે તેમ છે, પરંતુ ચૂંટણી જીતવા કોઈ પણ હદે જઈ શકતો ભાજપ ' ચંદીગઢ' ફેઈમ ગરબડ ન કરે તો સારું, તેમ જણાવી અખિલેશે પરોક્ષ રીતે તો ચૂંટણી પ્રક્રિયા સામે જ આશંકા ઊભી કરી દીધી, જોઈએ હવે શું થાય છે તે...

રાજકારણમાં જેવી રીતે દિવસે દિવસે માહોલ બદલી રહ્યો છે, તેવી જ રીતે કુદરતી ઋતુચક્ર પણ બદલાઈ રહ્યું હોય તેમ અત્યારે કમોસમી વરસાદની શકયતાઓ વચ્ચે ગરમી-ઠંડીના સંયોજનના કારણે અને પલટાતા રહેતા હવામાનના કારણે વાયરલ બીમારીઓ પણ વધી રહી છે અને સરકારી આરોગ્ય કેન્દ્રો તથા હોસ્પિટલો ટૂંકા પડી રહ્યા છે... જોઈએ, હવે શું થાય છે તે...

અત્યારે તો દેશભરમાં લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર-પ્રસારની આંધી શરૃ થવા જઈ રહી છે અને દેશવ્યાપી રાજકીય રણનીતિઓ બદલાઈ રહી છે, ત્યારે ચૂંટણી આવતા સુધીમાં કાંઈ પણ થઈ શકે છે, જોઈએ, હવે શું થાય છે તે....

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દ્વારકા મંડળનો દબદબો.... ઝળકી ઉઠી કૃષ્ણની કર્મભૂમિ... હાલાર બન્યુ ગ્લોબલ.... પણ .... હવે?

દ્વારકામંડળનો પશ્ચિમી દરિયાઈ સરહદે દબદબો વધી રહ્યો છે, અને દ્વારકાનો દાયકો જ નહીં પણ પુનઃ સુવર્ણ યુગ શરૃ થયો છે.

ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિની સુવર્ણાક્ષરે નવી તવારીખ ઝળહળી રહી હોય, તેમ ભગવાન દ્વારકાધીશની રાજધાની અને નિવાસસ્થાન-રાણીવાસીને જોડતા સુદર્શન સેતુના લોકાપંર્ણની સાથે જ બેટદ્વારકા વૈશ્વિક રિલિજ્યસ ટૂરિઝમ ઉપરાંત બહુલક્ષી આયામો સાથેનું ગ્લોબલ ડેસ્ટિનેશન બની ગયુ છે. આ ઉપરાંત દ્વારકા અને બેટદ્વારકાના દરિયાના પેટાળમાં પ્રાચીન સુવર્ણનગરી દ્વારકાના દર્શનની ભવ્યતા નિહાળવાની દિશાઓ પણ ખુલી ગઈ છે. આ સાથે વૈવિધ્યપૂર્ણ પ્રાચીન સંસ્કૃતિ, ઈતિહાસ અને પૌરાણિક ભવ્યતા સાથે પશ્ચિમ ભારતની સરહદે આવેલું હાલાર હવે ગ્લોબલ મેપની અગ્રીમ હરોળમાં પ્રસ્થાપિત થઈ ચુકયું છે તેથી હાલારીઓને ગૌરવ સાથે આત્મસંતોષની અનુભૂતિ થાય, તે સ્વાભાવિક જ છે ને ?

હવે દ્વારકા સહિત સૌરાષ્ટ્રમાં વૈશ્વિક પ્રવાસીઓ સહિત દેશભરમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટશે ત્યારે આપણા સૌરાષ્ટ્રની પ્રાચીન ગરિમા કાઠીયાવાડી દરિયાદિલી, પરાણાગત 'અતિથિદેવો ભવઃ' ની આપણી ભવ્ય પરંપરા ચૂસ્તપણે જાળવી રાખવાની છે. આપણાં યાત્રા-પ્રવાસ-પર્યટન સ્થળોમાં દર્શન કરવા, હરવા-ફરવા કે અભ્યાસ-સંશોધન અર્થે આવતા કોઈપણ મુલાકાતીઓને જરાયે તકલીફ પડે નહીં, મહિલાઓ-બાળકો, વયોવૃદ્ધ અને દિવ્યાંગ, અશકત યાત્રિકો પ્રત્યે સહાનુભૂતિ સાથે મદદ કરીને તેઓની ગરિમા જળવાઈ રહે અને ખાસ કરીને નફાખોરી કે અસુરક્ષાની અનુભૂતિ કોઈપણ મુલાકાતીને કોઈપણ સમયે ન થાય, તેની કાળજી પણ આપણે સૌએ સાથે મળીને રાખવાની છે, એટલું જ નહીં, મુખ્ય મંદિરોમાં શકય તેટલું વીઆઈપી કલ્ચર ઘટાડીને તમામ યાત્રિકો-પ્રવાસીઓને સમાન ધોરણે દર્શન-પૂજનની તકો પ્રાપ્ત થાય, તેવી વ્યવસ્થાઓ પણ વિકસાવવી પડશે અને આ માટે તંત્રો અને સ્થાનિક નેતાઓએ પણ વધુ ધ્યાન આપવું પડશે, ખરું કે નહીં ?

પીએમ મોદીએ આજે ભારત મંડપમ્માંથી ટેકસ્ટાઈલ ક્ષેત્રે જે કાર્યક્રમોનો પ્રારંભ કરાવ્યો છે અને પીએલઆઈના માધ્યમથી અઢીલાખ નવી નોકરીઓની સંભાવનાઓ જાહેર થઈ છે, તેના સંદર્ભે ગુજરાતના નાના શહેરોમાં પણ ટેકસ્ટાઈલ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે અને જામનગર-પોરબંદર પંથકની ભૂતકાળમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત  કાપડમીલો ધમધમતી હતી, તે પુનઃ ગરિમામય સ્થાન પ્રાપ્ત કરશે તેવી આશા રાખીએ. એ પહેલાના ત્રણ-ચાર દિવસ સુધી વડાપ્રધાને ગુજરાતમાં જે લોકાર્પણો -શિલાન્યાસ ખાતમુહૂર્તો કર્યા અને શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજયા, તેને લોકસભાની ચૂંટણી સાથે સાંકળીને કેટલો રાજકીય ફાયદો થશે તેની ચર્ચાઓ ભલે શરૃ થઈ ગઈ હોય, પરંતુ સામાન્ય લોકોમાં વડાપ્રધાન મોદીના આ પ્રવાસની આડઅસરોની ચર્ચા પણ એટલી જ થઈ રહી છે, અને જ્યારે જ્યારે વીઆઈપી કે વીવીઆઈપીનો કાર્યક્રમ હોય, ત્યારે ત્યારે જે-તે વિસ્તારના માર્ગોની મરામત, સાફસફાઈ અને રંગરોગાન-સુશોભન રાતોરાત થઈ જતા હોવાથી ઘણાં લોકો એવું કહેતા પણ સંભળાયા છે કે ખૂબ મહત્ત્વપૂર્ણ મહાનુભાવો (વીવીઆઈપી) વારંવાર મુલાકાત લેતા રહેતા હોય તો કેવું સારું !?

જો કે, ચૂસ્ત વ્યવસ્થાઓ છતાં કયાંક થોડી ઘણી ગંદકી દેખાઈ જાય, કયાંક આવારા આખલાથી બચવા કોઈ વીઆઈપીને પણ મથામણ કરવી પડે કે કયાંક વ્યવસ્થાઓ કે સુરક્ષામાં ચૂક રહી જાય, ત્યારે ઘણાં લોકો એવું પણ કહેતા સંભળાય છે કે સચ્ચાઈ છુપ નહીં શકતી, બનાવટ કે હુસુલોસે, ખૂશ્બૂ આ નહીં શકતી, કભી કાગઝ કે ફૂલો સે...!!!

સત્ય ભલે કડવું લાગે, પરંતુ તે આત્મીય સ્વાસ્થ્યને લાભદાયક હોય છે, એ સત્ય છે કે વીઆઈપી મૂવમેન્ટથી લોકોને થોડી તકલીફ પડે, પરંતુ એ પણ હકીકત હોય છે કે આ પ્રકારના પ્રવાસો પછી જો જનસામાન્યની સુવિધાઓ ભવિષ્યમાં વાસ્તવમાં વધતી હોય, જનકલ્યાણની દિશાઓ ખુલતી હોય કે દેશાપ્રદેશ કે સ્થાનિક સ્થળોનો વિકાસ વેગ પડકતો હોય તો શું વાંધો ? કુછ પાને કે લીયે કુછ ખોના ભી પડતા હૈ...?!

હવે ફેબ્રુઆરી પૂરો થવા આવ્યો છે અને લોકસભાની ચૂંટણી માટે આચારસંહિતા જાહેર થઈ જાય, તેને બહુ જાજા મહિના બચ્યા નથી, ત્યારે ફટાફટ લોકાર્પણો અને ખાતમુહૂર્તો થાય, રાજ્ય-કેન્દ્ર સરકારો નવી યોજનાઓ જાહેર કરે અને જુના વાયદાઓ પૂરા કર્યા હોવાના દાવાઓ થાય, કે નવી મુદ્દત અપાય, એ તો સ્વાભાવિક છે, પરંતુ રાજનેતાઓમાં ઉત્કંઠા, ઉત્તેજના અને ઉચાટ પણ વધી જાય, ખાસ કરીને વિવિધ પક્ષોના વર્તમાન લોકસભાના સાંસદો પોતાને ફરીથી ચાન્સ મળશે કેમ ? તેની મથામણ અનુભવતા હોય અને ખાસ કરીને શાસક પક્ષમાં 'નો રિપિટ' થિયરીની વાતો વિશ્વસનિય ઢબે વહેતી થવા લાગે, ત્યારે આ પ્રકારનો માહોલ સર્જાય, તે પણ સ્વાભાવિક જ છે ને ?

વિધાનસભાઓની છેલ્લી ચૂંટણીઓ પછી નવા ચહેરાઓને સ્થાન મળવા લાગ્યુ અને વર્તમાન ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી જે રીતે 'જૂના જોગીઓ' ને મુકત મને મળ્યા, તે જોતાં 'નો રિપિટ' થીયરી પછી કાર્યદક્ષ નેતાઓ નારાજ ન થાય, તે માટે પાણી પહેલા પાળ બાંધી હશે, તેવા અભિપ્રાયો પણ ચર્ચાવા લાગ્યા છે. આ પ્રકારની રાજકીય પરામર્શોમાં ઘણી વખત ઉંડા તથ્યો પણ છુપાયેલા હોય છે, જોઈએ... શું થાય છે તે.....

એકંદરે પીએમનો છેલ્લો ગુજરાત પ્રવાસ રાજ્ય માટે વાસ્તવમાં ફળદાયી નિવડે અને વિકાસયાત્રા વેગ પકડે... વધુ વેગીલી બને તેવું ઈચ્છીએ..

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સુદર્શન સેતુ... બેટ શંખોદ્ધાર માટે સુવર્ણ યુગના મંડાણ... પણ...

ભગવાન શ્રીકૃષ્ણની રાજધાની દ્વારકા હતી અને નિવાસસ્થાન અથવા રાણીવાસ બેટ દ્વારકામાં હતો, અને ભૂતકાળમાં બેટદ્વારકા જમીન માર્ગે જોડાયેલું હતું તથા ભગવાન શ્રીકૃષ્ણ તથા દ્વારકાવાસીઓ જમીનમાર્ગે રથ મારફતે પગપાળા અવર-જવર કરતા હોવાની કથાઓ પ્રચલીત છે. આ બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુના લોકાર્પણ સાથે જ બેટ દ્વારકામાં લોકો હળવા વાહનો દ્વારા પહોંચી શકશે, જેથી પ્રવાસીઓ તથા દર્શનાર્થીઓની સંખ્યા પણ વધશે અને આ યાત્રા-પર્યટન સ્થળનું મહત્ત્વ પણ વધશે અને આ કારણે નહીં ટુરિઝમ ડેવલપમેન્ટની સાથે સાથે આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસ પણ વેગ પકડશે, તેમાં સંદેહ નથી.

બેટ-શંખોદ્ધાર ભગવાન શ્રીકૃષ્ણના નિવાસસ્થાન તરીકે તો વિખ્યાત છે જ, પરંતુ આ ટાપુ પર ગુરૂ ગોવિંદસિંહના પંજપ્યારે પૈકીના એક ભાઈ મોહકમસિંહજીનું જન્મસ્થાન પણ છે, જેની પાસે ભવ્ય ગુરૂદ્વારા છે, ભગવાન શ્રીકૃષ્ણને સાંકળતા ઘણાં મંદિરો, પુષ્ટિ સંપ્રદાયના બેઠકજી, ચોર્યાંસી ધૂણા, વિશ્વવિખ્યાત હનુમાન દાંડી, શંખ નામના અસુરનો ઉદ્ધાર થયો, તેના પરથી ઓળખાતું શંખતળાવ, ભવ્ય મંદિરો, રમણીય બીચ, ડન્ની પોઈંટ, હાજી કિરમાણીની દરગાહ તથા અંગ્રેજોના સમયગાળા સાથે સંકળાયેલી કેટલીક સ્મૃતિઓના કારણે આ ટાપુમાં અનેક વિશેષતાઓ છે. ચારે તરફથી દરિયાથી ઘેરાયેલા આ ટાપુ પર આઠ-દસ હજારની વસતિ ઉપરાંત દરરોજ સેંકડો પ્રવાસીઓની અવર-જવરના કારણે ફલોટીંગ પોપ્યુલેશન પણ રહે છે, પરંતુ તેની સરખામણીમાં અહીં અદ્યતન સુવિધાઓનો થવો જોઈએ તેવો વિકાસ થયો નહોતો, કારણ કે અહીં યાંત્રિક હોડીઓ સિવાય આવગમન કે પરિવહનનો કોઈ વિકાસ જ ઉપલબ્ધ નહોતો.

હવે જ્યારે જમીન માર્ગે આ સુદર્શન સેતુના માધ્યમથી પરિવહનની સુવિધ મળી છે, ત્યારે આ ઐતિહાસિક, પૌરાણિક, ધાર્મિક, ભૌગોલિક અને નૈસર્ગિંક મહત્ત્વ ધરાવતા પર્યટન સહ-યાત્રાસ્થળે ખૂબ જ મોટી સંખ્યામાં પ્રવાસીઓની સંખ્યા વધશે, જેની ખૂબ જ મોટી અસર સ્થાનિક રોજગારી, વ્યાપાર-ધંધા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ક્ષેત્રે થશે, જે એકંદરે બેટદ્વારકા જેવા છેવાડાના ટાપુ માટે વિકાસની હરણફાળ સમાન હશે, આ ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ એવા આ સુદર્શન સેતુના નિર્માણ પછી બેટ દ્વારકા બારેય માસ ધમધમતું રહેનાર હોવાથી અહીં અભેદ્ય સુરક્ષા કવચ ઊભું થશે. જેથી ફરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનશે. અહીં ટુરિઝમ ડેવલમપેન્ટની સાથે સાથે હોટલ-મોલ, રિસોર્ટ ઉદ્યોગ અને દરિયાઈ પ્રવાસન (મરીન ટુરીઝમ)ની સંભાવનાઓ પણ વધશે.

એક રીતે આ સુદર્શન સેતુ બેટ દ્વારકા માટે નવા સુવર્ણયુગની શરૂઆત થશે, તેમ કહેવું અસ્થાને નથી, પરંતુ આ સુદર્શન સેતુના નિર્માણ પછી કેટલીક સાવચેતીઓ, નિયમનો અને નિયંત્રણોની પણ જરૂર રહેશે અને ખાસ કરીને દરિયા વચ્ચે આવેલા ટાપુને સ્વચ્છ-સુઘડ અને બીચને રમણીય રાખવા માટે પ્રવાસીઓ તથા સ્થાનિક લોકો દ્વારા સ્વયં શિસ્તની પણ જરૂર પડશે.

જો બેટદ્વારકામાં આંતરિક પરિવહન માટેની સાર્વજનિક સુવિધાઓ વધશે અને ઓખા નગરપાલિકા દ્વારા બેટ દ્વારકામાં આંતરિક દર્શનીય અને પર્યટન સ્થળોને સાંકળતી સાર્વજનિક સ્થાનિક પરિવહનની સુવિધા અપાશે, તો યાત્રિકોને સમૂહમાં બેટ દ્વારકાનો પ્રવાસ મર્યાદિત સમયમાં અને કિફાયતી ભાડામાં કરવાની સુવિધા મળી રહેશે. આ માટે ઈલેકટ્રીક રિક્ષા, ઈલેકટ્રીક કાર કે મીની બસ જેવા વાહનોની સુવિધા આપી શકાય, જેથી પર્યાવરણીય દૃષ્ટિએ સુરક્ષિત, સુવિધાજનક અને ઈઝી અવેલેબલ લોકલ ટ્રાવેલીંગની સગવડ ઉપલબ્ધ થઈ શકે.

બેટ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના નિવાસસ્થાન રાણીવાવ ઉપરાંત શંખતળાવ, બેઠકજી, ગુરુદ્વારા, ચોર્યાસીધૂણા, હનુમાનદાંડી, ડન્ની પોઈન્ટ, બીચ વગેરે સ્થળોએ સ્થાનિક પરિવહન માટે હાલમાં પણ કેટલીક સુવિધાઓ વિસ્તરી રહી છે, જેને ઈલેકટ્રીક વાહનો અને દ્વારકાથી ઓખા વચ્ચે ચાલતી દ્વારકા નગરપાલિકા સંચાલિત દ્વારકાદર્શન બસ સેવા સાથે સાંકળીને પણ યાત્રાળુઓ-પ્રવાસીઓને વધુ સુવિધાઓ આપી શકાય તેમ હોવાના સૂચનો ધ્યાને લેવા જેવા ખરા...

આ સુદર્શન સેતુ ખુલ્લો મુકાયા પછી દરિયાઈ અને ટાપુની જમીની સ્વચ્છતા જળવાઈ રહે, ગંદકી જરાયે ન થાય અને લોકોને જરૂરી રોજીંદી સુવિધાઓ ઉપરાંત બેટદ્વારકાના તમામ દર્શનીય અને પર્યટન તમામ સ્થળોની નજીક શુદ્ધ પીવાનું પાણી અને સેનીટેશનની લેડીઝ અને જેન્ટસ માટે પૂરતી સુવિધાઓ મળી રહે, તેવી વધુ વ્યવસ્થાઓ પણ જરૂરી છે.

એકંદરે વિશ્વભરના શ્રદ્ધાળુઓ-ભાવિકોનું સપનું જ્યારે પૂરૃં થવા જઈ રહ્યું છે અને બેટદ્વારકા એક વખત ફરીથી જમીન માર્ગે જોડાવાનું છે, ત્યારે આ બ્રિજ વાસ્તવમાં સમગ્ર દેશ માટે શુક્રનિયાળ નિવડે અને દ્વારકામંડળનો સુવર્ણયુગ દશેય દિશાઓમાં ઝળહળતો રહે તેવી શુભેચ્છાઓ અર્પીએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ત્રિસ્તરિય પંચાયતી વ્યવસ્થામાં ભ્રષ્ટાચારનો ભોરીંગ... પ્રામાણિક પદાધિકારીઓ કેટલા ?

ગામના મુખી, ગામના પટેલ અને ગ્રામપ્રધાન તરીકે સરપંચની પ્રથા અને પરંપરા પ્રાચીન કાળથી આપણાં દેશમાં ચાલતી રહી છે અને દેશ આઝાદ થયા પછી ગુજરાત સહિત કેટલાક રાજ્યોએ ત્રિસ્તરિય પંચાયતી રાજની પદ્ધતિ અપનાવી છે. આ ત્રિસ્તરિય શાસન વ્યવસ્થા લોકો દ્વારા જ તેના ગામોને વિકાસ અને સુખ-સુવિધાઓના અધિકારો આપે છે. આ વ્યવસ્થાને પણ ભ્રષ્ટાચારનો ભયંકર ભોરીંગે ભરડો લીધો હોવાના દૃષ્ટાંતો વધવા લાગતા ચર્ચા જાગી છે કે શું ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતોમાં પણ ભ્રષ્ટાચારનો ભોરીંગ એટલો પ્રભાવશાળી બની ગયો છે કે, પૈસા વિના લોકોના કોઈ કામ જ થતાં નથી ? શું ગ્રામપંચાયતોમાં મંજુરી લેવા માટેના લાંચ-રૃશ્વતના ચોક્કસ ભાવો નિર્ધારિત થયેલા હોય છે ? શું પંચાયત ક્ષેત્રે પણ ચૂંટાયેલા કેટલાક પ્રતિનિધિઓ કરપ્ટ બ્યુરોક્રેટ્સ જેવા જ થઈ ગયા છે ?

રાજ્યના કોઈ ગામના સરપંચ કે ઉપસરપંચ કોઈ કામે લાંચ લેતા ઝડપાય કે એસીબી કેસ કરે ત્યારે સ્વાભાવિક રીતે જ લોકોને દુઃખ થાય, કારણ કે પોતાના જ ગામના ચૂંટાયેલા હોદ્દેદારો દ્વારા જ્યારે લાંચ-રૃશ્વત માંગવામાં આવે, ત્યારે એવો પ્રશ્ન ઉઠે કે શું આ દિવસો જોવા માટે જ આપણાં વડવાઓએ સ્વાતંત્ર્ય ચળવળ ચલાવી હતી ?  શું આ સ્થિતિ જોઈને હયાત અને દિવંગત થઈ ગયેલા સ્વાતંત્ર્ય સેનાનીઓને અફસોસ થતો હશે ? તેઓ દુઃખથી એવું વિચારતા હશે કે આપણે લોકતંત્રને લાયક જ નથી, અને ગુલામીને જ લાયક હતા ?

એન્ટી કરપ્શન બ્યુરો, વિજિલન્સ, સીબીઆઈ જેવી સંસ્થાઓ તંત્રોમાં વ્યાપક ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે કાર્યરત છે, અને ઉચ્ચકક્ષાના ભ્રષ્ટાચારને ડામવા કેન્દ્રીય તપાસ એજન્સીઓ ઉપરાંત લોકપાલ જેવી વ્યવસ્થાઓ છે. રમત-ગમતના ક્ષેત્રે ભ્રષ્ટાચારની તપાસ માટે પણ વિશેષ વ્યવસ્થાઓ છે, પરંતુ તે પરિણામલક્ષી કેમ બની શકતી નથી,તે મોટો પ્રશ્ન છે.

તાજેતરમાં મોરબી જિલ્લાના એક ગામના સરપંચે એક ગેરકાયદે કામ માટે લાંચ માંગી હોવાનો ઓડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો અને તેના સંદર્ભે મીડિયામાં ડિબેટીંગ પણ શરૃ થયું હતું, એ પછી આ કિસ્સામાં ત્યાંથી પોલીસે પણ ફરિયાદ નોંધી હોવાની વાતો વહેતી થઈ હતી અને આ મુદ્દે તથ્યો તપાસીને જરૃર પડ્યે એન્ટી કરપ્શન બ્યુરોની તપાસ પછી રાજ્ય સરકારનો પંચાયત વિભાગ પણ અનુસંધાન લેશે, તેવી આશા વ્યકત કરાઈ હતી, એ ઓડિયોની પુષ્ટિ થઈ નથી, પરંતુ તેમાં ગેરકાયદે એક બાંધકામ દીઠ ચાલીસ હજાર રૃપિયાનો ભાવ ચાલતો હોવાની વાત સાંભળીને કોઈપણ પ્રામાણિક નાગરિકને આંચકો લાગી જાય. આ પછી એવો સવાલ પણ ઉઠે કે આ રીતે ગેરકાયદે  બાંધકામો થવા દેવા, તેને નહીં હટાવવા અને અંતે પાડતોડ કરવા, વ્યવસ્થિત કૌભાંડ છેક છેવાડાના ગામડાઓ સુધી પહોંચ્યું હશે ?

ગુજરાતમાં પંચાયતીરાજની શરૃઆત ગુજરાત પંચાયતસ એકટ-૧૯૬૧ થી થઈ અને તેમાં ૧૯૬૩માં સુધારા-વધારા થયા. તે પહેલાં રાજ્યમાં ગામના મુખી, ગામના પટેલ અને ગ્રામપ્રધાન જેવી વ્યવસ્થાઓ પણ હતી, પરંતુ બંધારણીય દિશાનિર્દેશો મુજબ આઝાદ ભારતમાં પંચાયતરાજનો અમલ થયા પછી ગુજરાત રાજ્ય નવું બન્યા પછી તેમાં ગુજરાત રાજ્ય માટે નવો પંચાયતી એકટ બન્યો, અને તેમાં વખતો વખત સુધારા વધારા થયા. વર્ષ-૧૯૯૩માં ધ ગુજરાત પંચાયતસ એકટ અમલમાં આવ્યો. તે પછી વર્ષ- ૧૯૯૭ માં પંચાયતી રાજના નિયમો બન્યા અને વર્ષ ૧૯૯૮ માં પંચાયત સેવા નિયમો ઘડાયા.

ગુજરાતમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, એમ ત્રિસ્તરિય પંચાયતી શાસન વ્યવસ્થા અમલમાં છે. ગ્રામપંચાયતોને સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવાય છે અને તેમાંથી ગ્રામવિકાસ અને લોકકલ્યાણના કામો સરપંચ અને સભ્યો દ્વારા કરવામાં આવે છે આ માટે ગ્રામસભાનો કોન્સેપ્ટ પણ હવે અમલી બન્યો છે.

તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોને પણ કેટલીક ગ્રાન્ટ સરકાર ફાળવે છે. તે ઉપરાંત ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોને સાંકળીને જિલ્લા આયોજન મંડળો દ્વારા પણ વિકાસ અને લોકસુખાકારીના સુવિધાઓ માટે આયોજનો થાય, તેવી વ્યવસ્થા અમલમાં છે.

ગ્રામ વિસ્તારો વિકાસથી વંચિત રહી ન જાય અને ગામડાઓના લોકો પોતાના ગામના વિકાસ અને ગ્રામજનોના કલ્યાણાર્થે પોતે જ આયોજન અને અમલ કરી શકે તેવા ઉમદા આશયથી ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાએ સરકારી ગ્રાન્ટ, ફંડ ઉપરાંત કેટલીક સત્તાઓ પણ આપવામાં આવી છે, પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેનના મંતવ્ય મુજબ આ વિકાસના કામોમાં જો ગ્રામ્યકક્ષાએથી જ ૪૦ ટકા જેટલો એકંદરે કમિશનિયો ભ્રષ્ટાચાર થતો હોય, અને તેમાં તંત્ર સાથે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની પણ સાંઠગાંઠ રહેતી હોય તો ફરિયાદ કયાં કરવી ? વાડ જ ચીમડાં ગળી જાય તો કોને ફરિયાદ કરવી ?

એવું પણ નથી કે બધા જ સરપંચો અને પંચાયતી રાજના ક્ષેત્રે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ભ્રષ્ટ હોય કે આ માટે જ જાહેર ક્ષેત્રમાં હોય, ઘણાં એવા સરપંચો અને જનપ્રતિનિધિઓ છે કે જેઓ પોતાના ખિસ્સાના ખર્ચે ગામની સેવા કરતા હોય, લોકફાળો સ્વયં ભરીને કેટલીક યોજનાઓને અમલી બનાવતા હોય, અને પોતે ઘસારો વેઠીને પણ ગામ અને ગ્રામજનોનું ભલું કરતા હોય, માત્ર કેટલાક ભ્રષ્ટ પદાધિકારીઓના કારણે જાહેર જીવનમાં રહેલા અને પંચાયતી કે સહકારી ક્ષેત્રે સેવારત હોય તેવા ઘણાં લોકો બદનામ થતા હોય છે.

હકીકતે ગ્રામ પંચાયત કક્ષાની ચૂંટણીમાં જ્યારે લાખ્ખો રૃપિયાનો ખર્ચો થતો હોય, ત્યારે સત્તામાં આવ્યા પછી તેને વસુલવાની મજબુરી રહેતી હશે તેવી પણ એક માન્યતા છે, જે હોય તે ખરું, પણ થાય છે ખોટું... બરાબરને ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ભારતનું ન્યાયતંત્ર એટલે નાગરિક અધિકારો અને લોકતાંત્રિક વ્યવસ્થાઓનું અભેદ્ય સુરક્ષાકવચ...

ભારતમાં ન્યાયતંત્ર તટસ્થ છે અને જ્યારે બંધારણ અને લોકતાંત્રિક વ્યવસ્થાઓનું ઉલ્લંઘન થાય, ત્યારે અદાલતો ગમે તેટલી મોટી શક્તિઓ કે સત્તા હોય, તેની શાન ઠેકાણે લાવીને બંધારણીય માર્ગે લોકતાંત્રિક વ્યવસ્થાઓનું પુનઃ સ્થાપન કરી શકે છે, તેના ઘણાં દૃષ્ટાંતો દેશની સર્વોચ્ચ અદાલત અને વિવિધ રાજ્યોની હાઈકોર્ટે તથા અન્ય અદાલતોએ આપેલા દૂરગામી ચુકાદાઓના સ્વરૃપે મળે છે, અને કેટલાક અદાલતી ચુકાદાઓ તો ઐતિહાસિક બની જાય છે, અને શાસકોના તાનાશાહી, મનસ્વી કે ગેર-બંધારણીય નિર્ણયોને પલટાવ્યા પછી કાયમી ધોરણે સ્થાપિત થઈ જતાં હોય છેે.

સામાન્ય રીતે અદાલતો કેન્દ્રીય ચૂંટણીપંચ, રાજ્યના ચૂંટણીપંચો કે સથાનિક સ્વરાજ્યની તથા સહકારી સંસ્થાઓની ચૂંટણી પ્રક્રિયામાં આક્ષેપ કરતી હોતી નથી કે રાજકીય પક્ષોની આંતરિક ચૂંટણી પ્રક્રિયામાં દખલ દેતી હોતી નથી, પરંતુ જ્યારે બંધારણીય, કાનૂની કે નીતિનિયમોનો ભંગ થાય, ત્યારે તે અદાલતો સમક્ષ રજૂ થતાં આ અદાલતો તત્કાળ હસ્તક્ષેપ કરીને યોગ્ય નિર્ણયો આપતી હોય છે, અને ન્યાયસંગત ચૂકાદા આપતી હોય છે, ઘણી વખત તો માત્ર જાહેર હિતની અરજીઓ જ નહીં પરંતુ સ્વયં અનુસંધાન (સુઓમોટો) લઈને પણ તાકીદની સુનાવણીઓ કરીને બંધારણ, કાનૂન અને નીતિનિયમોનું રક્ષણ કરતી હોય છે અને લોકતાંત્રિક નિર્ણયોનું પુનઃ સ્થાપન કરતી હોય છે. ભારત આઝાદ થયા પછી આ પ્રકારના અનેક દૃષ્ટાંતો મળે છે.

તાજેતરમાં જ ભાજપને ભોંઠપ અનુભવવી પડે, તેવો ચુકાદો દેશની સર્વોચ્ચ અદાલતે આપ્યો અને અસાધારણ રીતે અદાલત દ્વારા જ મતગણતરી પણ કરાવી, તે પછી ચૂંટણી પ્રક્રિયા સાથે છેડછાડ કેટલી ભારે પડી શકે છે. તે ઘણાંને સમજાઈ જ ગયું હશે.

ચંદીગઢના મેયરની થોડા દિવસો પહેલા ચૂંટણી થઈ હતી અને તેમાં કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના ગઠબંધનના મેયરની જીત પાકી હતી, પરંતુ તે ચૂંટણીમાં પરંપરા મુજબ બેલેટ પેપરથી મતદાન થયા પછી રિટર્નીંગ ઓફિસરે જે રીતે આઠ મત પર ચોકડી મારીને રદ કર્યા, અને તે હરકત સીસીટીવી સામે જોતા જોતા કરી, તે નિહાળીને જે-તે સમયે જ સાર્વત્રિક ભારે નારાજગી વ્યકત થઈ હતી અને તેને લોકતંત્રની હત્યા ગણાવાઈ હતી.

તે પછી આખો મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો અને ત્યાં રિટર્નીંગ ઓફિસર સામે કાનૂની કાર્યવાહી કરવાની સાથે સાથે મતગણરીની પ્રક્રિયા જ અદાલતે પોતાના તાબામાં લઈ લીધી, અને ફેર-મતગણતરીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને મેયર તરીકે વિજેતા જાહેર કરાયા, જો કે, તે પહેલાં જ ભાજપના મેયરે બે-ત્રણ દિવસ પહેલાં રાજીનામું આપી દીધું હતું, પરંતુ આ ઘટના પછી આબરુંના કાંકરા થઈ ગયા, અને અન્ય ચૂંટણીઓમાં પણ કેટલી ગરબડ થતી હશે, તેના અંદાજો પણ નીકળવા લાગ્યા !

આવું જ બીજુ દૃષ્ટાંત પં. બંગાળનું છે, જ્યાં એક નામચીન શખ્સ સામે સંદેશખાલીની મહિલાઓએ ગંભીર ફરિયાદો કરી હતી. પં. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ નેતાને છાવરવાની ઉઘાડે છોગ કોશિશ કરી, સંદેશખાલી વિસ્તારમાં કોઈને જવા નહીં દેવાનું વલણ અપનાવાયું, અને આ પ્રકારનો પ્રયત્ન કરનાર પત્રકારની ધરપકડ કરીને હાંકી કઢાયો. રાજકીય પક્ષો કોલકાતાની હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટે પં.બંગાળ સરકારની ઝાટકણી કાઢી નાંખી, તે પછી રાજકીય પક્ષોને સંદેશખાલી જવાની છૂટ મળી, અને ભાજપ તથા લેફટના નેતાઓ ત્યાંની મહિલાઓની વેદના સાંભળવા પહોંચ્યા. આ ઘટના પણ કોઈપણ શાસક મનમાની કરીને લોકતાંત્રિક વ્યવસ્થાઓનું ઉલ્લંઘન કરે કે નાગરિકોના હક્કોનું ઉલ્લંઘન કરે તો અદાલતો ત્વરીત હસ્તક્ષેપ કરીને બંધારણીય અધિકારોનું રક્ષણ કરે છે, તે પુરવાર કરે છે.

જો કે, પં.બંગાળના કોઈ પોલીસ ઓફિસરે પોતાને ખાલીસ્તાની તરીકે વર્ણવવાનો વળતો આક્ષેપ પણ કર્યો છે, તે વિવાદ અલગ છે, પરંતુ આ ઘટનાક્રમો એ પુરવાર કરે છે કે, દેશના નાગરિકોને અધિકારો અને લોકતાંત્રિક વ્યવસ્થાઓ માટે દેશનું ન્યાયતંત્ર સુદૃઢ સુરક્ષા કવચ છે, જે કયારેય ભેદી શકાય તેમ નથી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સરકારનો પ્રસ્તાવ ફગાવી ખેડૂતોની દિલ્હી કૂચ... હવે શું ?

રવિવારે સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે થયેલી સકારાત્મક વાટાઘાટો પછી એવી આશા જાગી હતી કે કાંઈક વચલો રસ્તો નીકળશે અને ખેડૂતોની માંગણીઓ મહ્દઅંશ. સંતોષાઈ જશે. સરકારે દાળ, કપાસ, તુવેર, અડદ અને મકાઈના પાકો ટેકાના ભાવે ખરીદવાની ગેરંટી આપવનો પ્રસ્તાવ મૂકયો હતો.

આગામી પાંચ વર્ષ માટે નેશનલ કો.આપરેટીવ કન્ઝયુમર ફેડરેશન અથવા નેશનલ એગ્રીકલ્ચર માર્કેટીંગ ફેડરેશન જેવી સહકારી ક્ષેત્રની કેન્દ્રીય સોસાયટીઓ, આ પાંચ પાકો માટે કરાર કરે, અને તે મુજબ સરકારી એજન્સીઓ, ટેકાના ભાવે ખરીદી કરે, તેવી વ્યાવસ્થા ગોઠવાય, અને તેમાં ખરીદીની કોઈ મર્યાદા રાખવામાં ન આવે, તે પ્રકારના આ પ્રસ્તાવમાં આ હેતુથી એક પોર્ટલ બનાવવાની પણ વાત હતી.

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું હતું કે સરકારના આ પ્રસ્તાવથી પંજાબની ખેતીની વૃદ્ધિની સાથે સાથે ભૂગર્ભ જળ સુધરશે, તથા વેરાન જમીન પણ નવસાધ્ય થશે. બેઠક દરમિયાન અપાયેલા પ્રસ્તાવમાં કયા પાક કઈ એજન્સી ખરીદશે, તે પણ સુનિશ્ચિત કરી દેવામાં આવ્યું હોવાનો દાવો કરાયો હતો.

જો કે, ખેડૂત નેતાઓએ સરકારનો આ પ્રસ્તાવ ફગાવી દીધો છે, તે પહેલા ખેડૂતોએ બે દિવસ માટે કૂચ સ્થગિત કરીને સરકારના પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવશે, તેમ જાહેર કરાયુ હતું અને રવિવારની વાટાઘાટો સકારાત્મક માહોલમાં થઈ હોવાનું પણ જાહેર કરાયું હતું. જેથી આ અંદોલનને લઈને કોઈ નક્કર પરિણામ આવી જશે, તેવી આશા જાગી હતી., પરંતુ ખેડૂતોએ પરામર્શ કર્યા પછી સરકારના પ્રસ્તાવને ફગાવી દીધો હતો અને પાંચ પાકો માટે પાંચ વર્ષ સુધી એમએસપીની ગેરંટીના બદલે ર૩ જેટલા પાકો માટે એમએસપીની કાયમી ગેરંટી આપતો કાયદો ઘડવાની વાત કરી હતી.

હવે ખેડૂતોએ એમએસપી પર કાયદો ઘડીને ગેરંટી આપવા અને સ્વામીનાથન આયોગની ભલામણો લાગુ કરવાની માંગણી સાથે ફરીથી આંદોલન આગળ વધારવાના નિર્ધાર સાથે આવતીકાલથી દિલ્હીકૂચની જાહેરાત કરી દીધા પછી આજનો ઘટનાક્રમ આપણી સામે જ છે. કેન્દ્ર સરકાર માટે આ સ્થિતિ કદાચ સાપે છંછુદર ગળ્યા જેવી થઈ ગઈ છે.

હકીકતે કેન્દ્ર સરકારે જે સુત્રના આધારે એમએસપીનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે ખેડૂતોએ ના મંજુર કરીને સી-ટૂ પ્લસ ફિફટીની ફોર્મ્યુલા મુજબની ટકાવારીથી એમએસપી નક્કી કરવાનો આગ્રહ રાખ્યો હતો, તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. તેવું પણ કહેવાય છે કે સરકારે જે પાંચ પાકો માટે પાંચ વર્ષ સુધી એમએસપી આપવાનું નક્કી કર્યું હોવાનો પ્રસ્તાવ મૂક્યો, તેમાં કઈ ફોર્મ્યુલા અપનાવાશે, તેની સ્પષ્ટતા કરી નહોતી, અને કેન્દ્ર સરકારે એ-ટુ પ્લસ એફએલ પ્લસ ફિફટીની ટકાવારી મુજબની ફોર્મ્યુલાના આધારે અધ્યાદેશ (વટહૂકમ અથવા ઓર્ડિનેન્શ) ની તૈયારી કરી હતી, જે ખેડૂતોને મંજુર નથી.

ખેડૂતોએ એમએસપી ઉપરાંત બીજી કેટલીક માંગણીઓ પણ કેન્દ્ર સરકારના ત્રણ મંત્રીઓ સમક્ષ રજૂ કરી હતી, જેમાં દેવાઓ માફ કરવાનો મુદ્દો પણ હતો, તે ઉપરાંત વિદ્યુત કંપનીઓનું ખાનગીકરણ નહીં કરવા અને જાહેર ક્ષેત્રની પાક વીમા યોજના હેઠળ ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા ખેડૂતોને સમાન ધોરણે પેન્શન, આંદોલનકારી ખેડૂતો સામે થયેલા કેસો પાછા ખેંચવા અને લખમીપુર ખેરીના પીડિતોને ઝડપી ન્યાય આપીને કેન્દ્રીય મંત્રી ટેનીને ડીસમીસ કરવા સહિતની માંગણીઓ ખેડૂતોએ રજૂ કરી હતી., જેનો સરકાર તત્કાળ અમલ કરી શકે તેમ નથી, અને તેના માટે જરૃરી પ્રક્રિયા, વાટાઘાટો અને કાર્યવાહી કરવી પડે તેમ છે. આ નીતિવિષયક બાબતો અંગે તબક્કાવાર વિચારણા થઈ શકે છે, તેવો સરકારનો અભિગમ રહ્યા પછી હવે ખેડૂતોએ ફરીથી આંદોલન ચાલુ રાખીને જો હજુ પણ સરકાર યોગ્ય નિર્ણય નહીં લ્યે, તો આવતીકાલથી 'દિલ્હી કૂચ'નું એલાન કરી દેવામાં આવ્યું છે.

બીજી તરફ ખેડૂત આંદોલનના કારણે પંજાબ-હરિયાણા-દિલ્હીના માર્ગો એક પછી એેક સીલ કરવામાં આવી રહ્યા હોવાથી સામાન્ય જનતાને ભારે હાડમારી ભોગવવી પડી રહી છે, અને બાળકોના શિક્ષણ અને નોકરી-ધંધાથી માંડીને વ્યાપાર-ઉદ્યોગ અને ખેતીવાડીને પણ ભારે નુકસાન વેઠવું પડશે, તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે.

ખેડૂતોના આંદોલનને કોંગ્રેસે ટેકો આપ્યો છે, અને આમ આદમી પાર્ટી તો પહેલેથી જ આ આંદોલનની પેરવી કરી રહી છે, અન્ય વિપક્ષી પાર્ટીઓનું પણ આ આંદોલનને સમર્થન મળી રહ્યું છે, તો બીજી તરફ આંદોલનકારી ખેડૂત નેતાઓએ આ આંદોલન તદ્દન બિન-રાજકીય હોવાનો દાવો કર્યો છે. મીડિયામાં ખેડૂતોની માંગણીઓ નહીં સ્વીકારાય તો સત્તાપરિવર્તનની જરૃર, મોદીનો ગ્રાફ ઘટાડવા અને કેન્દ્રમાંથી મોદી સરકારને હટાવવાના મુદ્દા આ આંદોલન સાથે સાંકળતા કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે, તે જોતાં હવે 'દિલ્હી કૂચ'પછી આ આંદોલન કેવું સ્વરૃપ પકડશે, તે અંગે અટકળો થઈ રહી છે. એવા વિશ્લેષણો પણ, થઈ રહ્યા છે કે આ આંદોલન જો રાજકીય સ્વરૃપ ધારણ કરે તો તેથી સત્તાધારી એનડીએને કેટલો ફટકો પડે, અને વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાને કેટલો ફાયદો થાય.

આ ખેડૂત આંદોલનની અસર હેઠળ સરકારે ડુંગળીની નિકાસબંધી હટાવી લેતાં જ ડુંગળીના ભાવોમાં મણદીઠ ચાલીસથી પચાસ રૃપિયાનો ઉછાળો આવ્યો હોવાના અહેવાલો પણ આવ્યા છે. એકંદરે, આ કિસાન આંદોલન હવે ટૂંક સમયમાં સમેટાઈ જાય, તેમ જણાતું નથી, જે મોદી સરકાર માટે પડકારરૃપ હશે, એટલું જ નહીં પંજાબ અને હરિયાણાની સરહદેથી હવે આ આંદોલન દેશની રાજધાની તરફ આગળ વધશે. જોઈએ, હવે શું થાય છે તે....

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

close
Ank Bandh