close

Mar 19, 2024
બીઆરએસ મહિલા નેતાએ પોતાની ધરપકડને સુપ્રિમ કોર્ટમાં પડકારીઃ નવી દિલ્હી તા. ૧૯ઃ ઈ.ડી.એ દાવો કર્યો છે કે કેજરીવાલ અને મનિષ સિસોદિયાને દક્ષિણ ભારતની મહિલા નેતા કે. કવિતાએ પોતાને અનુકૂળ શરાબનીતિ દિલ્હી સ્ટેટ માટે ઘડવાના હેતુથી રૃા. ૧૦૦ કરોડ આપ્યા હતાં. સૂત્રોના જણાવ્યા મુજબ આ અંગે ઈ.ડી.એ ર૪પ દરોડા પાડીને અત્યાર સુધી ૧પ ની ધરપકડ કરી છે. દક્ષિત ભારતની મહિલા નેતા કે. કવિતાએ અરવિંદ કેજરીવાલ, મનિષ સિસોદીયા સહિતના આપના ટોચના નેતાઓ ... વધુ વાંચો »

Mar 19, 2024
સ્વીસ સંસ્થાના વર્લ્ડ એર કર્વોલિટી રિપોર્ટમાં દાવો નવી દિલ્હી તા. ૧૯ઃ દુનિયામાં પ્રદૂષણના મામલે દેશની રાજધાની દિલ્હી વિશ્વભરની રાજધાનીઓમાં પ્રથમ સ્થાને રહી છે. સ્વીસ સંસ્થાના એર ક્વોલિટી રિપોર્ટ મુજબ ૧૩૪ દેશોમાં ભારતનું પ્રદૂષણના મામલે ત્રીજુ સ્થાન છે, જ્યારે શહેરોમાં બિહારનું બેગુસરાય સૌથી વધુ પ્રદૂષિત ગણવામાં આવ્યું છે. સ્વીસ જુથ આઈક્યુ એરએ વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરો અને દેશની રાજધાનીઓની યાદી બહાર પાડી છે. જેમાં ભારતની રાજધાની દિલ્હી ફરી એકવાર વિશ્વની સૌથી ... વધુ વાંચો »

Mar 19, 2024
મંગળની અમંગળ પ્રભાતઃ મુંબઈ તા. ૧૯ઃ શેરબજારની શરૃઆત આજે પણ શુભ રહી ન હતી. અઠવાડિયાના બીજા જ દિવસે બજારમાં કડાકો જોવા મળી રહ્યો છે. આજે બીએસઈ સેન્સેકસ અને એનએસઈ નિફટીની શરુઆત નુકસાન સાથે થઈ હતી. જેથી મંગળવારની સવાર શેરબજાર માટે અમંગળ રહી હતી. સવારે બીએસઈ સેન્સેકસ ર૮પ પોઈન્ટના જંગી ઘટાડા સાથે ૭ર૪૬ર પર ખુલ્યો હતો, જ્યારે એનએસઈ નિફટીએ ૧૦૯ પોઈન્ટ ઘટાડા સાથે ર૧૯૪૬ ના સ્તર પર આજના કારોબારની શરૃઆત કરી ... વધુ વાંચો »

Mar 19, 2024
એકલી લોકસભાની ચૂંટણીમાં જ રૃા. ૧.ર૦ લાખ કરોડના ખર્ચની ધારણા નવી દિલ્હી તા. ૧૯ઃ ભારતમાં પંચાયતથી પાર્લામેન્ટ સુધીની ચૂંટણીઓ પાછળ અંદાજે પ્રત્યેક મુદ્ત દીઠ રૃા. ૧૦ લાખ કરોડથી વધુનો ખર્ચ થતો હોય છે. આનો કોઈ ઉપાય શોધવો જોઈએ, તેવા જનપ્રત્યાઘાતો છે. વિશ્વની સૌથી મોંઘી ચૂંટણી ભારતમાં યોજાય છે. આ સમયગાળા દરમિયાન રાજકીય પક્ષો પાણીની જેમ પૈસા ખર્ચે છે. જો આપણે ગ્રામ પંચાયતથી લઈને લોકસભા સુધીની ચૂંટણીઓ માટેનો એક વખતનો ખર્ચ ... વધુ વાંચો »

Mar 19, 2024
વાડીનાર તા. ૧૯ઃ જામનગર-ખંભાળીયા ધોરીમાર્ગ પર કજુરડાના પાટીયા પાસે વાડીનાર જવા માટે ડિવાઈડરમાં જગ્યા રાખવામાં આવી હતી. તંત્ર દ્વારા અચાનક આ ડિવાઈડર ઉપર પથ્થરો, બેરીગેટ મૂકીને જગ્યા બંધ કરવામાં આવી છે. જેથી વાડીનાર, ભરાણા, નાના આંબલા, મોટા આંબલા, ટીંબડી, કજુરડા સહિતના ગામ લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. હવે ખંભાળીયા જવા માટે રોંગસાઈડમાં જઈને દોઢ કિમી દૂર સિંહણના પાટીયા પાસે ઊભું રહેવું પડે છે. વાહનોને પણ જીવના જોખમે રોંગ સાઈડમાં અવરજવર કરવી પડે ... વધુ વાંચો »

Mar 19, 2024
ઉનાળાએ પકડી રફ્તાર... રહેજો તૈયાર... જામનગર તા. ૧૯ઃ જામનગરમાં ઉનાળાએ ગતિ પકડી લીધી છે. આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો વધુ ૧.પ ડીગ્રી ઊંચકાયને ૩૬.પ ડીગ્રીએ પહોંચી ગયો હતો. જામનગરમાં માર્ચ માસના મધ્યાંતર પછી ઉનાળાએ હવે ગતિ પકડી લીધી છે. ૪ દિવસમાં તાપમાન ૬ ડીગ્રી વધ્યા પછી આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો વધુ ૧.પ ડીગરી ઊંચકાયને ૩૬.પ ડીગ્રીએ પહોંચી ગયો હતો. ... વધુ વાંચો »

Mar 19, 2024
ગુજરાતમાં ધારાસભ્ય ઈનામદારના રાજીનામાથી હલચલ વધીઃ નવી દિલ્હી તા. ૧૯ઃ દેશમાં લોકસભાની ચૂંટણીમાં સમીકરણો ગોઠવાઈ રહ્યા છે, ત્યારે એનડીએમાં સખળડખળ ચાલી રહ્યું હોવાના અહેવાલોએ ચર્ચા જગાવી છે. આજે વહેલી સવારે જ અહેવાલો આવ્યા હતાં કે કેન્દ્રિય મંત્રી પશુપતિ પારસે આજે પ્રેસકોન્ફરન્સ બોલાવી છે, તેમાં ધમાકો થવાનો છે. એવું કહેવાય છે કે સ્વ. રામવિલાસ પાસવાન જે સીટ પરથી ચૂંટણી લડીને જીતતા રહ્યા છે, તે બેઠક પરથી જ લડવા ચિરાગ પાસવાન અને કાકા પશુપતિ પારસ ... વધુ વાંચો »

Mar 19, 2024
પાકિસ્તાનના હવાઈ હુમલાનો જડબાતોડ જવાબ આપતું અફઘાનિસ્તાનઃ કાબુલ તા. ૧૯ઃ તાલિબાને હવાઈ હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે, અને પાક. આર્મીની ચોકીઓ નષ્ટ કરી દીધી છે. તાલિબાને જવાબી કાર્યવાહીની ચેતવણી આપતા કહ્યું કે અમે અમારી સંપ્રભૂતા અને અખંડિતતાનું ઉલ્લંઘન સહન નહીં કરીએ. તે પહેલા પાકિસ્તાનના હવાઈ હુમલામાં આઠ અફઘાની માર્યા ગયા હતાં. તાલિબાને અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની હવાઈ હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે. તાલિબાન દળોએ અનેક પાકિસ્તાની સૈન્ય ચોકીઓને નષ્ટ કરી દીધી. અફઘાન ... વધુ વાંચો »

Mar 19, 2024
આ પહેલા પણ રાજીનામું આપ્યું હતું, પણ સમાધાન થતા પાછું ખેંચ્યું હતું વડોદરા તા. ૧૯ઃ વડોદરા ભાજપમાં ભડકો થયો છે, અને ધારાસભ્ય પદેથી કેતન ઈનામદારે ઈ-મેઈલથી વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું ધરી દીધા પછી તાલુકા પંચાયતના ઉપપ્રમુખે પણ રાજીનામું આપ્યું હોવાના વાવડ છે. તે પછી કેતન ઈમાનદારને ગાંધીનગરનું તેડું આવ્યું હોવાના અહેવાલો આવ્યા છે. લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન થઈ ચૂક્યું છે અને ગુજરાતમાં ૭ મે ર૦ર૪ ના ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાશે. ગુજરાતની ... વધુ વાંચો »

Mar 19, 2024
જેના પર ૩૬ લાખનું ઈનામ હતુ તેવા રાયપુર તા. ૧૯ઃ છતીસગઢમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટર દરમિયાન ૩૬ લાખનું ઈનામ ધરાવતા ચાર નકસલીને ઠાર કર્યા છે. છત્તીસગઢ-મહારાષ્ટ્ર સરહદે આ એન્કાઉન્ટર થયું હતું. છતીસગઢમાં નકસલવાદીઓને મોટો ઝટકો લાગ્યો છે. મંગળવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં ૩૬ લાખ રૃપિયાનું ઈનામ ધરાવતા ચાર નકસલવાદી કમાન્ડર માર્યા ગયા હતાં. મંગળવારે સવારે છતીસગઢ અને મહારાષ્ટ્રની સરહદ પર આ એન્કાઉન્ટર થયું હતું. મળતી માહિતી મુજબ, સી૬૦ કમાન્ડોને નકસલવાદીઓની હિલચાલની માહિતી ... વધુ વાંચો »

Mar 19, 2024
રાજ્યના મુખ્ય નિર્વાચીન અધિકારી શ્રીમતી પી. ભારતીએ અમદાવાદ તા. ૧૯ઃ રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં રાજકીય પક્ષોને આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે આદર્શ આચારસંહિતાના અમલીકરણ, ખર્ચ નિરીક્ષણ, વિવિધ આઈટી ઍપ્લિકેશન્સ સહિતની બાબતો અંગે અવગત કરવામાં આવ્યા હતાં. આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદમાં મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચૂંટણી ... વધુ વાંચો »

Mar 19, 2024
મૃતદેહનો નિકાલ કરવાનો પણ કરાયો હતો પ્રયાસઃ જામનગર તા. ૧૯ઃ જામજોધપુરના જામસખપુર ગામના એક ખેતરમાં છ મહિના પહેલાં રાત્રિના સમયે પાણી વાળતા એક પરપ્રાંતિય શ્રમિક બાજુના જ ખેતરની ફેન્સીંગને અકસ્માતે અડકી ગયા હતા. તે ફેન્સીંગમાં વહેતો કરાયેલો વીજ પ્રવાહ આ શ્રમિકને ભરખી ગયો હતો. વીજ પ્રવાહ વહેતો મુકનાર ખેડૂત સામે મૃતકના પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ખેડૂતે શ્રમિકના મૃત્યુ પછી મૃતદેહને નજીકમાં આવેલી બાવળની ઝાળીઓમાં ફેંકીને પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન પણ કર્યાે હતો. વધુ વાંચો »

Mar 19, 2024
જામનગર તા. ૧૯ઃ જામનગરના એડવોકેટની હત્યામાં સંડોવાયેલા સાયચા ગેંગના ૧૫ આરોપીને પકડી  પાડવા એસઆઈટીની રચના કરવામાં આવી છે. તેમાં રચવામાં આવેલી સાત ટૂકડી આરોપીઓના સગડ દબાવી રહી છે. જામનગરના બેડી વિસ્તારમાં ગયા બુધવારે સાંજે સાડા છએક વાગ્યે બુલેટ મોટર સાયકલ પર રોઝુ છોડવા જઈ રહેલા એડવોકેટ હારૃનભાઈ પલેજાની ૧૫ શખ્સના ટોળાએ પથ્થરમારો કર્યા પછી પાઈપ, છરી, લોખંડના ગોળા ઝીંકી કરપીણ હત્યા નિપજાવી હતી. આ બનાવના ઘેરા પડઘા પડયા પછી પોલીસે તમામ આરોપીઓને પકડી પાડવા શરૃ કરેલી તજવીજ દરમિયાન રેન્જ આઈજી અશોકકુમાર યાદવની ... વધુ વાંચો »

Mar 19, 2024
૭ કિલો ૯૪૬ ગ્રામ ગાંજો કરાયો ઝબ્બેઃ જામનગર તા. ૧૯ઃ ખંભાળિયાના સલાયાથી માંઢા વચ્ચેના રોડ પર ગઈકાલે પુર્વ બાતમીના આધારે વોચમાં ગોઠવાયેલી એસઓજી ટીમે એક બાઈકને રોકાવી ચેક કરતા તેના પર જઈ રહેલા સલાયાના શખ્સ પાસેથી ૭ કિલો ૯૪૬ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. સિક્યુરિટી તરીકે નોકરી કરતા આ શખ્સે અન્ય ત્રણ સાગરિતના નામ પોલીસને આપ્યા છે. ખંભાળિયા તાલુકાના સલાયા નજીક માંંંઢા રોડ પર એક શખ્સ ગાંજાની હેરાફેરી કરતો હોવાની ... વધુ વાંચો »

Mar 19, 2024
ગયા સપ્તાહે નાઘેડી પાસે પડાયો હતો દરોડોઃ જામનગર તા. ૧૯ઃ જામનગર નજીકના નાઘેડી પાસેના ઔદ્યોગિક વિસ્તારમાં એક કારખાનામાં ગયા અઠવાડિયે દરોડો પાડી ખેતીમાં વપરાતું નીમ કોટેડ યુરિયા ખાતર પકડી પાડવામાં આવ્યું હતું. તેનો નમૂનો પરીક્ષણમાં મોકલાયા પછી કારખાનેદાર પિતા-પુત્ર સામે ખેતીમાં વપરાશના ખાતરનો ઔદ્યોગિક વપરાશ કરવા અંગે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા નાઘેડી ગામના ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં લક્ષ્મી એન્ટરપ્રાઈઝ નામના કારખાનામાં ગયા સપ્તાહે જામનગરની નાયબ ખેતી નિયામક ... વધુ વાંચો »

Mar 19, 2024
જામીનની શરતનો ભંગ કરી ઘરમાં આવ્યો હતોઃ જામનગર તા. ૧૯ઃ સલાયાના એક શખ્સને હાઈકોર્ટે હત્યા પ્રયાસના ગુન્હામાં દ્વારકા જિલ્લામાં નહીં પ્રવેશવાની મુદ્દતે જામીન આપ્યા પછી આ શખ્સ ગઈકાલે પોતાના ઘરેથી મળી આવ્યો હતો. તેને પકડવા ગયેલી પોલીસ સાથે આ શખ્સ તથા તેના પત્નીએ ધમાલ કરી ફરજમાં રૃકાવટ સર્જી હતી. આ શખ્સે પોતાના હાથમાં બ્લેડથી છરકા પણ મારી દીધા હતા. ખંભાળિયા તાલુકાના સલાયામાં ગોદી૫ાડામાં રહેતા રીઝવાન રઝાક સંઘાર નામના શખ્સ સામે ... વધુ વાંચો »

Mar 19, 2024
ગઈકાલે કંડકટરના ઘેર ધસી જઈ હાથ પકડી લીધોઃ જામનગર તા. ૧૯ઃ દ્વારકાના એસટી વિભાગમાં આસી. ટ્રાફિક ઈન્સ. તરીકે ફરજ બજાવતા એક અધિકારીએ સોમવારે સવારે મહિલા કંડકટરના ઘેર જઈ તેણીનો હાથ પકડી લઈ આબરૃ લેવાનો પ્રયત્ન કરતા આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે કંડકટરની ફરિયાદ પરથી ગુન્હો નોંધ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસટી વિભાગમાં આસીસ્ટન્ટ ટ્રાફિક ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા દેવાભાઈ હાથીયા નામના કર્મચારીએ ગઈકાલે સવારે સાડા પાંચેક વાગ્યે એસટી ... વધુ વાંચો »

Mar 19, 2024
અપીલ અંગેની વધુ સુનાવણી આવતા મહિને થશેઃ જામનગર તા. ૧૯ઃ જામનગરના ઉદ્યોગપતિએ રૃા.૧ કરોડ ૧૦ લાખના ૧૧ ચેક પરત ફર્યાની ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષી સામે કરેલી ફરિયાદમાં આરોપીને બે વર્ષની કેદ અને રૃા.ર કરોડ ૨૦ લાખનો દંડ ફટકારાયો છે. તે હુકમ સામે અપીલમાં જવા આરોપી ગઈકાલે જામનગર કોર્ટમાં ઉપસ્થિત થયા હતા. અદાલતે રૃા.૨૨ લાખ જમા કરાવવા અને વિદેશ ન જવા સહિતની શરતો મૂકી છે અને આવતા મહિને વધુ સુનાવણી મુકર્રર કરી છે. વધુ વાંચો »

Mar 19, 2024
બસ, ટ્રક તથા મોપેડ વચ્ચે ત્રિપલ અકસ્માતઃ જામનગર તા. ૧૯ઃ જામનગરના ઠેબા બાયપાસ પાસે ગઈકાલે સાંજે એસટીની એક બસ ટ્રક સાથે ટકરાયા પછી વચ્ચે એક મોપેડ આવી જતાં તેના પર જઈ રહેલા કારખાનેદારનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્રએ બસના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જામનગર-કાલાવડ માર્ગ પર આવેલા ઠેબા બાયપાસ પાસેથી ગઈકાલે સાંજે છએક વાગ્યે જીજે-૧૮-ઝેડટી ૫૩૪ નંબરની દ્વારકા રૃટની બસ પસાર થતી હતી. ત્યારે આ બસ ... વધુ વાંચો »

Mar 19, 2024
ટ્રકની એનઓસી બાબતે અંબર ચોકડી પાસે યુવકને ધોકાવાયોઃ જામનગર તા. ૧૯ઃ જામનગરના ભીમવાસમાં ગઈકાલે એક યુવાને પિતા પાસે વાપરવાના પૈસા માગતા અને માતાએ કામ-ધંધો કરવાનું કહેતા પુત્રએ ગાળો ભાંડી ધમકી આપી હતી. જ્યારે એક ટ્રકની એનઓસી બાબતે બોલાચાલી પછી અંબર ચોકડી પાસે યુવાન પર ત્રણ શખ્સે ધોકા, પાઈપથી હુમલો કરી ફ્રેક્ચર કરી નાખ્યા હતા. ઉપરાંત લાખાબાવળમાં એક યુવાનને ધોકો ફટકારી પગ ભાંગી નખાયો હતો અને બે સપ્તાહ પહેલાં બાલાજી પાર્કમાં થયેલી મારામારીની સામા ... વધુ વાંચો »

Mar 19, 2024
રોકડ, મોબાઈલ, બાઈક સહિત પોણા લાખનો મુદ્દામાલઃ જામનગર તા. ૧૯ઃ જામજોધપુરના સતાપર ગામમાં ગઈકાલે બપોરે ગંજીપાના વડે જુગાર રમતા ચાર શખ્સને પોલીસે પકડી પાડ્યા હતા. પોલીસને જોઈને બે નાસી ગયા હતા. પટમાંથી રોકડ, મોબાઈલ, બે બાઈક સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જામજોધ૫ુર તાલુકાના સતાપર ગામ પાસે ગઈકાલે બપોરે એક ઝાડ નીચે જુગાર રમાતો હોવાની બાતમી મળતા જામજોધપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાં ઝાડના છાંયડે ... વધુ વાંચો »

Mar 19, 2024
આજથી તમામ ધોરીમાર્ગાે પર થશે સઘન ડ્રાઈવઃ લોકસભાની ચંંંૂટણીઓનું આગામી ૭ મેના દિને મતદાન યોજાવાનું છે તે પહેલા લાગુ પડેલી આચારસંહિતાના પગલે આજથી ચૂંટણીપંચ અને પોલીસ દ્વારા ધોરીમાર્ગાે પર ચાંપતી નજર રાખવાનું શરૃ કરી દેવામાં આવ્યું છે. રોકડ રકમ કે ચૂંટણી લડત સાહિત્ય સહિતની ચીજવસ્તુઓની હેરફેર પર નજર રાખવા માટે આજથી ડ્રાઈવનો પ્રારંભ કરાયો છે.   જો આપને આ  વધુ વાંચો »

Mar 19, 2024
ભાવિ મંગેતરે પિતાને કર્યાે હતો ફોનઃ જામગનર તા. ૧૯ઃ કાલાવડમાં સપ્તાહ પૂર્વે એક દેવીપૂજક યુવતીએ ઝેરી દવા પી લીધી હતી. તેણીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. સગાઈ પછી મંગેતરના ઘેર ગયેલી યુવતીને ત્યાં રાત્રે સુવા માટે બોલાચાલી થયા પછી ભાવિ પતિએ તેણીના પિતાને ફોન કરીને જાણ કરતા તેણીએ આ પગલું ભર્યાનું ખૂલ્યું છે. રાજકોટ જિલ્લાના લોધિકા (કોટડાસાંગાણી) તાલુકાના નોંધણચોરા ગામના મૂળ વતની અને હાલમાં કાલાવડના કુંભનાથપરામાં ઈદ મસ્જિદ પાસે રહેતા ... વધુ વાંચો »

Mar 19, 2024
એક શખ્સની ધરપકડ, બેના નામ ખૂલ્યાઃ જામનગર તા. ૧૯ઃ જામજોધપુરના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતી એક બોલેરોને રોકાવી પોલીસે ચેક કરતા તેમાંથી ૧૨૦૦ લીટર દેશી દારૃ મળી આવ્યો હતો. આ જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરાઈ છે અને બેના નામ ખૂલ્યા છે. જામજોધપુરમાં પોલીસ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમિયાન બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતી જીજે-૧૫-વાયવાય ૨૦૨૪ નંબરની બોલેરો નીકળતા તેને શકના આધારે રોકવામાં આવી હતી. તે બોલેરોની તલાશી લેવાતા ... વધુ વાંચો »

Mar 19, 2024
બે સપ્તાહ પૂર્વે બન્યો હતો બનાવઃ જામનગર તા. ૧૯ઃ જામનગરના ગોકુલનગર પાસે શિવનગરમાં બે સપ્તાહ પૂર્વે રમતા રમતા એક બાળક જીવંત વીજવાયરને અડકી જતાં તેને વીજ આંચકો લાગ્યો હતો. આ બાળકનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. પોલીસે તેના પિતાનું નિવેદન નોંધ્યું છે. જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા પાણાખાણ પાસેના શિવનગરની શેરી નં.૮માં રહેતા મૂળ બિહાર રાજ્યના ભાગલપુર જિલ્લાના ઇંગ્લીશ ગામના વતની રામજીભાઈ હલદરભાઈ રાય નામના શ્રમિક મજૂરીકામ કરી પેટીયુ રળે છે. વધુ વાંચો »

Mar 19, 2024
ફાયરબ્રિગેડના જવાનો દોડ્યાઃ જામનગરના બેડી વિસ્તારમાં પોલીસચોકી પાછળ આવેલી ગિરીરાજસિંહ રાઠોડ નામના આસામીની ખેતરની વીડીમાં સોમવારે બપોરે કોઈ કારણથી આગ ભભૂકતા દોડી ગયેલા ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી તેને કાબુ કરી હતી.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો વધુ વાંચો »

Mar 19, 2024
દ્વારકામાં યોજાનારા ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે આવી રહેલા પદયાત્રીઓની સલામતી માટે  દ્વારકા જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયની સૂચના અને ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના સુપરવિઝન હેઠળ જિલ્લા ટ્રાફિક શાખાના પીએસઆઈ વી.એમ. સોલંંકી, ટ્રાફિક પોલીસ દ્વારા રેડિયમ રીફલેક્ટર પટી લગાવવામાં આવી રહી છે અને યાત્રીકોને સૂચન કરવામાં આવી રહ્યું છે. જો આપને આ પોસ્ટ ગમી હોય વધુ વાંચો »

Mar 19, 2024
હોળી-ધૂળેટી માટે દારૃ મંંગાવવાની કરતા હતા તજવીજઃ ખંભાળિયા તા. ૧૯ઃ ખંભાળિયામાં હોળી-ધૂળેટી પર્વને અનુલક્ષીને કેટલાક શખ્સો દારૃનો જથ્થો મંગાવવાની પેરવી કરતા હોવાની બાતમી પરથી ગઈકાલે દ્વારકા એલસીબીએ ચાર શખ્સને દબોચી લીધા છે. ખંભાળિયા શહેરમાં કેટલાક શખ્સો અંગ્રેજી શરાબ મંગાવવા માટે તજવીજ કરતા હોવાની અને તે માટે એકત્ર થઈ રહ્યા હોવાની બાતમી દેવભૂમિ દ્વારકા એલસીબીના પીએસઆઈ એસ.એસ. ચૌહાણને મળતા પીઆઈ કે.કે. ગોહિલને વાકેફ કરાયા પછી ગઈકાલે એલસીબીએ વોચ રાખી હતી. વધુ વાંચો »

Mar 19, 2024
બોલેરોએ ગોથું માર્યુ અને બાઈક-મોટર ટકરાયાઃ ખંભાળિયાથી કલ્યાણપુર વચ્ચેના રોડ પર રવિવારે જીજે-૧૦-ટીવાય ૪૪૫૪ નંબરની એક બોલેરો દેવરીયા ગામના પાટિયા પાસે ગોથું મારી ગઈ હતી. તેમાં જઈ રહેલા વ્યક્તિઓને સારવાર માટે ખંભાળિયા ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ખંભાળિયા બાયપાસ પાસે મોટર તથા હીરો બાઈક સાથે અકસ્માત થતાં બાઈક પર જતા પિતા-પુત્રીને ઈજા થઈ હતી.   જો આપને આ  વધુ વાંચો »

Mar 19, 2024
ખંભાળિયા-ભાણવડ રોડ પર અકસ્માતઃ ખંભાળિયા તા. ૧૯ઃ ખંભાળિયા-ભાણવડ રોડ પર રવિવારે સાંજે એક પદયાત્રીને પાછળથી આવતા બાઈકે ઠોકર મારતા પદયાત્રી તથા બાઈક ચાલક રોડ પર પછડાવવાના કારણે ઈજા પામ્યા હતા. અકસ્માત પછી બાઈકમાંથી દારૃની કોથળી નીકળી પડતા અકસ્માત સર્જનાર બાઈક ચાલક સામે રોષ પ્રસર્યાે છે. ખંભાળિયાથી ભાણવડ તરફના રોડ પર રવિવારે એક પદયાત્રીને પાછળથી આવતા બાઈકે ટક્કર મારી દીધી હતી. જેના પગલે બાઈકચાલક તથા પદયાત્રી રોડ પર ફંગોળાઈ ગયા ... વધુ વાંચો »

Mar 19, 2024
૨૦ પવનચક્કીમાં ચોરી કર્યાની કબૂલાતઃ જામનગર તા. ૧૯ઃ ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ પરથી ગઈકાલે દ્વારકા એલસીબીએ સિક્કામાં રહેતા એક શખ્સને પકડી પાડી પૂછપરછ કરતા આ શખ્સે ખંભાળિયા, દ્વારકા, જામનગરના લાલપુર તાલુકામાં વીસ પવનચક્કી ટાવરમાંથી કોપર વાયરની ચોરી કર્યાની કબૂલાત આપી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક ગુન્હાશોધક શાખા દ્વારા ગઈકાલે કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફના મશરીભાઈ, ભરત ભાઈ, લાખાભાઈને મળેલી બાતમીના આધારે ખંભાળિયા નજીક પાયલ હોટલ પાસે વોચ રાખવામાં આવી હતી. વધુ વાંચો »

Mar 19, 2024
રોગચાળો વકરવાની દહેશતઃ જામ્યુકો કૃપયા ધ્યાન દે.. જામનગર તા. ૧૯ઃ જામનગરના અમુક વિસ્તારમાં વિતરણ થતું પાણી ડહોળું હોવાથી અને પીવા લાયક નહીં હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. જામનગરના બેડીના અમુક વિસ્તારમાં ડહોળુ પાણી વિતરણ થતું હોવાની ફરિયાદ સ્થાનિક આગેવાન અનવર નુરમામદ સંઘાર દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. આ પછી હવે પંચેશ્વર ટાવર, હવાઈ ચોક સેન્ટ્ર્રલ બેંક, સેતાવાડ, વિસ્તારમાં પણ ડહોળા પાણી વિતરણ અંગેની ફરિયાદ ઉઠવા પામી છે. વધુ વાંચો »

Mar 19, 2024
ગુલાબનગરમાંથી પકડાઈ ચાર બોટલઃ જામનગર તા. ૧૯ઃ જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી પોલીસે એક શખ્સને દારૃની ચાર બોટલ સાથે પકડી પાડ્યો છે. જ્યારે શંકરટેકરી સ્થિત સિદ્ધાર્થ કોલોનીમાં એક મકાનમાંથી દારૃની ૧૮ બોટલ પોલીસે કબજે કરી છે. જામનગરના ગુલાબનગર વિસ્તારમાં અખાડા ચોક પાસે ગઈકાલે સાંજે પસાર થતાં મુન્ના લાખાભાઈ પીપરીયા નામના શખ્સને પોલીસે રોકાવી ચેક કરતા તેના કબજામાંથી દારૃની ચાર બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ તથા એક મોબાઈલ કબજે કરી ગુન્હો નોંધ્યો ... વધુ વાંચો »

Mar 19, 2024
સાડા પાંચ કરોડનો ખર્ચ લેખે લાગેઃ ખંભાળીયા તા. ૧૯ઃ ખંભાળીયા શહેરમાં વર્ષો જુની રાજાશાહીના સમયની તથા જામનગરના રાજા જામ રણજીતસિંહ દ્વારા જેનું ઉદ્ઘાટન થયેલું તે એક વખતની જાજરમાન બિલ્ડીંગ કે જેને પીડબ્લ્યુડીએ તોડી નાખવા હુકમ કરેલો પરંતુ આ શાળાના પૂર્વ છાત્રો તથા પૂર્વ શિક્ષકો તથા આગેવાનોની જહેમતથી સાડા પાંચ કરોડના જંગી ખર્ચ હતું તેવું આ બિલ્ડીંગ બની ગયું છે. ત્યારે શહેરના અગ્રણીઓ દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રી ડો. ડીંડોરને રજુઆત કરીને આ નવા બિલ્ડીંગમાં ... વધુ વાંચો »

Mar 19, 2024
આચારસંહિતા લાગુ થયા પછી ખંભાળિયા તા. ૧૯ઃ આચારસંહિતાના અમલ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી ૯ર૮ પ્રચારાત્મક સામગ્રીઓ દૂર કરાઈ હતી. ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાનય ચૂંટણી ર૦ર૪ ની તારીખો જાહેર થતા જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. લોકસભાની ચૂંટણી જાહેર થતા જ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૃ કરી દેવામાં આવ્યો છે. જિલ્લાની સરકારી અને ખાનગી મિલકતો પરની પ્રચારાત્મક સામગ્રીઓ હટાવવાની કામગીરી શરૃ કરી દેવામાં આવી છે. વધુ વાંચો »

Mar 19, 2024
ખંભાળીયા તાલુકાના શક્તિનગર વિસ્તારમાં માલધારીના ઘેટાઓના ફૂડ પોઈઝનીંગથી સામૂહિક રીતે પ્રથમ પાંચ ઘેટા તથા પછી ચાર એમ નવ ઘેટા મૃત્યુ પામ્યા હતાં. બનાવ અંગે વિહિપના પ્રવિણસિંહ કંચવા તથા ભમબાપુ દ્વારા પશુપાલન વિભાગને જાણ કરાતા જિલ્લા પશુપાલન અધિકારી ડો. ગોરીયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પશુ ડોકટર અતુલ પટેલ તથા સ્ટાફ દ્વારા તુરત દોડી જઈને મૃતક ઘેટાના નિકાલ તથા પી.એમ. અને બાકીના જે ફૂડ પોઈઝનીંગ થયેલ તેવા ૧૪ ઘેટાઓની સારવાર સમયસર કરાવીને તેમને બચાવી લેતા ગરીબ માલધારીને રાહત ... વધુ વાંચો »

Mar 19, 2024
જામનગરના વકીલની હત્યાના સંદર્ભમાં જામનગરના એડવોકેટ હારૃનભાઈ પલેજાની ગયા બુધવારે બેડી વિસ્તારમાં કુખ્યાત શખ્સોએ નિપજાવેલી હત્યા પછી આ બનાવના આરોપીઓને તાત્કાલિક પકડી પાડી કડક કાર્યવાહી કરવાની માગણી સાથે લાલપુર બાર એસો.ના સદસ્યોએ લાલપુરના પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવવાની માંગ ઉઠી છે.   જો આપને આ પોસ્ટ  વધુ વાંચો »

Mar 19, 2024
સમાજની યોજાયેલી બેઠકમાં ઘડી કઢાયો કાર્યક્રમઃ જામનગરમાં આગામી તા.૧૦ના દિને સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ-ઝૂલેલાલ જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવશે. તે માટે સમગ્ર સિંધી સમાજની બેઠક યોજવામાં આવી હતી. આ દિને સવારે સમૂહ યજ્ઞોપવિત, બાઈક રેલી, શોભાયાત્રા તથા તીનબત્તી પાસે ઝૂલેલાલ મંદિરે પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. સમાજના પ્રમુખ જી.કે. ગંગવાણી, જનરલ સેક્રેટરી કિશોર સંતાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તા.૧૦ એપ્રિલના દિવસને સિંધી લેંગ્વેજ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે.   વધુ વાંચો »

Mar 19, 2024
જામનગર સહિત અન્ય જિલ્લાઓમાંથી દ્વારકા શહેરમાં યોજાનારા આગામી ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે સંખ્યાબંધ પદયાત્રીઓ દ્વારકા તરફ કૂચ કરી રહ્યા છે. ત્યારે જામનગરના પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.કે. પટેલ તથા સ્ટાફે પદયાત્રીઓને રીફલેક્ટર જેકેટ તથા રેડીયમ પટી વિતરણ કરી હતી.   જો આપને આ પોસ્ટ ગમી હોય વધુ વાંચો »

Mar 19, 2024
ભાટીયા તા. ૧૯ઃ સૌરાષ્ટ્ર કેલ્સાઈન બોકસાઈટ એન્ડ  એલાઈડ ઈન્ડસ્ટ્રીઝ લિ. (સ્કેબલ) કંપની દ્વારા દર વર્ષની જેમ આ વરસે પણ દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં જઈ રહેલા પદયાત્રીઓ માટે ઝાંખર રોડ પર સેવા કેમ્પનું આયોજન તા. ૧૭-૩ થી તા.રર-૩ સુધી કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં પદયાત્રીઓ માટે દરરોજ સવારે ગાઠીયા-જલેબી સાંજે મીકસ ભજીયા તેમજ ચા-શેરડીનો રસ, બન્ને ટાઈમ બન્ને ટાઈમ ભોજન (અલગ અલગ મીઠાઈ સાથે), આરામ કરવાની વ્યવસ્થા, ડી.જે.ના સથવારે રાસ-ગરબા, તેમજ જરૃરી દવાઓ વિગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કેમ્પનું આયોજન કંપનીના ડિરેકટર ... વધુ વાંચો »

Mar 19, 2024
ગ્રામજનોએ ટીડીઓને રજૂઆત કરી જામનગર તા. ૧૯ઃ જામનગર તાલુકાના આમરા ગામમાં ચાલતા ભૂગર્ભ ગટરના કામીન ગુણવત્તા નબળી હોવાથી તાલુકા વિકાસ અધિકારીને પત્ર પાઠવી રજુઆત કરી છે. આમરા ગામના દિલીપ રાઠોડ, ઘનશ્યામ નકુમ સહિતના ગ્રામજનો દ્વારા આજે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરતા જણાવ્યું કે ભૂગર્ભ ગટરની કામગીરીમાં બેદરકારી દાખવવામાં આવે છે. કામ નબળુ થઈ રહ્યું છે. પાઈપમાં લેવલ જાળવવામાં આવતું નથી. પાઈપના પોઈન્ટમાં વારા ભરવામાં આવ્યા નથી. અમ કામમાં ... વધુ વાંચો »

Mar 19, 2024
કલેક્ટરે બેન્ક મેનેજરોની બેઠક યોજીઃ ખંભાળીયા તા. ૧૯ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારીની અસામાન્ય અને શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન અંગે વિવિધ બેન્ક મેનેજરો સાથે ચૂંટણી સંદર્ભે બેઠક યોજાઈ હતી જેમાં અસામાન્ય ટ્રાન્ઝેક્શન અંગે ચૂંટણી તંત્રનું ધ્યાન દોરવા બેન્ક મેનેજરોને કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી જી.ટી.પંડ્યાએ સૂચનાઓ આપી હતી. લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જી.ટી. પંડ્યાએ જિલ્લાની વિવિધ બેન્કોના મેનેજરો અને પ્રતિનિધિઓ સાથે કલેકટર કચેરીમાં ખાસ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર જી.ટી. પંડ્યાએ ... વધુ વાંચો »

Mar 19, 2024
પરવાનાવાળા હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા જામનગર તા. ૧૯ઃ લોકસભા સામાન્ય ચૂંટણ ર૦ર૪ અંગે ચૂંટણીપંચ દ્વારા તા. ૧૬-૩-ર૦ર૪ ના જાહેરાત કરાવમાં આવતા સમગ્ર રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ પડેલી છે. આથી સમગ્ર જામનગર જિલ્લામાં જાહેર સુલેહ-શાંતિ અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ બી.કે. પંડ્યા દ્વારા શસ્ત્ર અધિનિયમ ૧૯પ૯ ની કલમ રર(૧૬) હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તે અનુસંધાને જામનગર જિલ્લાના આત્મરક્ષણના તથા પાકરક્ષણના તમામ પરવાનેદારોએ (અપવાદ સિવાયના) તેમના હથિયાર ૭ ... વધુ વાંચો »

Mar 19, 2024
પબ્લિક મનીનો જરા પણ હિસ્સો હોય તેવી જામનગર તા. ૧૯ઃ જાહેર નાણાનો હિસ્સો ધરાવતી તમામ સંસ્થાઓ, કચેરીઓ તથા રાજકીય પક્ષોએ ચૂસ્તપણે આદર્શ આચારસંહિતાનો અમલ કરવાનો રહેશે. તેમ જિલ્લા ચૂંટણી અધિકારી બી.કે. પંડ્યાએ જણાવ્યું છે. ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ તા. ૭-પ-ર૦ર૪ ના યોજવા માટેનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. આથી તા. ૧૬-પ-ર૦ર૪ ના ભારતના ચૂંટણી પંચે બહાર પાડેલ રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે આદર્શ ... વધુ વાંચો »

Mar 19, 2024
ખંભાળીયા તા. ૧૯ઃ ખંભાળીયામાં પાલિકા દ્વારા અકસ્માત કે હોસ્પિટલમાં મૃત્યુ પામનારનો મૃતદેહ પાલિકાની ગાડીમાં તેમના ઘેર પહોંચાડવા વ્યવસ્થા કરવામાં આવે છે પરંતુ ફાયર બ્રિગેડમાં ફાયર સિવાયના કામે ડ્રાયવરો ના હોય કેટલીક વખત મૃતકના પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. તાજેતરમાં હૃદયરોગ હુમલાથી એક વિપ્ર પ્રૌઢનું અવસાન થતાં ફાયર ઈમરજન્સી સિવાય ડ્રાયવરના હોય આ ગરીબ પરિવાર મુશ્કેલીમાં મુકાયા હતા છેવટે પાલિકાના એક અગ્રણીને કહીને ડ્રાઈવરની વૈકલ્પીક વ્યવસ્થા કરતા આ મૃતદેહ ઘેર પહોંચ્યો હતો. ખંભાળીયા જિલ્લાનું વડું ... વધુ વાંચો »

Mar 19, 2024
લોકસભા ચૂંટણી ર૦ર૪ જામનગર તા. ૧૯ઃ લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ નું મતદાન મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે જોવાનો ચૂંટણી પંચનો અધિકાર રહેલો છે. તે માટે ચૂંટણી સંબંધી પ્રચાર માટે કે આવેદનપત્ર આપવાના હેતુથી કે દેખાવો યોજવાના હેતુથી જાહેર સ્થળોએ લોકો ટોળા સ્વરૃપે એકઠા કે પ્રસાર થાય તો લોકોમાં ભયમુક્ત વાતાવરણ ઊભું કરવાનો હેતુ જળવાય નહીં તેથી સમગ્ર જિલ્લામાં જરૃરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું ભાવેશ એન. ખેર, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, જામનગર દ્વારા બહાર ... વધુ વાંચો »

Mar 19, 2024
ફૂલડોલ ઉત્સવના ધસારાને પહોંચી વળવા જામનગર તા. ૧૯ઃ ગુજરાત રાજ્ય વાહન વ્ય્વહાર નિગમ જામનગર દ્વારા તા. ૧૭ થી ર૬ માર્ચ સુધી દ્વારકાથી અન્ય શહેરમાં જવા માટે વધારાની બસ સેવા શરૃ કરવામાં આવી છે. દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ માટે દૂર દૂરથી લોકો દ્વારકા પહોંચી રહ્યા છે ત્યારે મુસાફરી ધસારાને પહોંચી વળવા માટે એસ.ટી. વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવામાં આવી રહી છે. જેમાં દ્વારકાથી જામનગર (ભાડું રૃા. ૧૯૦), દ્વારકાથી રાજકોટ ... વધુ વાંચો »

Mar 19, 2024
લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ ખંભાળીયા તા. ૧૯ઃ લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આત્મરક્ષણ તથા પાક રક્ષણના તમામ પરવાનેદારને તેમના હથિયારો સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેવા તાકીદ કરવામાં આવી છે. લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ અંતર્ગત ૧ર જામનગર સંસદીય મતવિભાગમાં સમાવિષ્ટ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૮૧ ખંભાળીયામાં મતદાર વિભાગ તથા ૮ર દ્વારકા મતદાર વિભાગનું મતદાર તા. ૭-પ-ર૪ ના યોજાનાર છે. ભારતના ચૂંટણીપંચ દ્વારા ચૂંટણી યોજવા અંગેની જાહેરાત તા. ૧૬-૩-ર૦ર૪ ના કરવામાં ... વધુ વાંચો »

Mar 19, 2024
લોકસભા ચૂંટણી ર૦ર૪ જામનગર તા. ૧૯ઃ ચૂંટણીના હેતુ માટે ખોલવાનું થતું ચૂંટણી કાર્યાલય મતદાન મથકથી ર૦૦ મીટરના વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થા, હોસ્પિટલ તેમજ ધાર્મિક સ્થળની લગોલગ ખોલવા માટે પ્રતિબંધ મૂકાયો છે. લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ અનુસંધાને કોઈપણ ઉમેદવાર કે સંભવિત ઉમેદવાર કે કોઈપણ રાજકીય પક્ષ કે કોઈપણ વ્યક્તિ/સંસ્થાને ચૂંટણીના હેતુ માટે ખોલવાનું થતું ચૂંટણી કાર્યાલય ઉક્ત ચૂંટણી માટે નિયત થયેલ મતદાન મથકથી ર૦૦ મીટરના વિસ્તારમાં તેમજ કોઈપણ માન્ય શૈક્ષણિક સંસ્થા, હોસ્પિટલ ... વધુ વાંચો »

Mar 19, 2024
રેડિયો, ટીવી, કેબલના નેટવર્ક દ્વારા જાહેરાતો અંગે જામનગર તા. ૧૯ઃ જામનગર જિલ્લામાં ૭મે ના લોકસભા ચૂંટણીનું મતદાન થનાર છે. પ્રવર્તમાન ચૂંટણી દરમ્યાન પ્રચાર તથા જાહેરાતો રાજકીય પક્ષો,  ઉમેદવારો, સંસ્થાઓ તરફથી તેમજ ઉમેદવારોના ટેકેદારો તરફથી ઈલેકટ્રોનિક મીડિયાના માધ્યમથી,  પ્રસારણ સ્થાનિક કંટ્રોલરૂમથી તથા ટી.વી. ચેનલના રાજય, આંતરરાજય કે આંતરરાષ્ટ્રીય તેમજ એ.એમ. અને એફ.એમ. રેડિયો નેટવર્કના નિયંત્રણ માટે કેબલ ટેલીવિઝન (નિયમન) અધિનિયમ-૧૯૯પ તથા કેબલ ટેલીવિઝન નેટવર્ક (વિનિમયો) નિયમો-૧૯૯૪ અમલમાં છે. જે મુજબ જાહેરાત નિયત કરેલ આચાર સંહિતાને અનુરૂપ હોય તે સિવાય કોઈપણ વ્યકિત કોઈ ... વધુ વાંચો »

Mar 19, 2024
માર્ચ એન્ડીંગના કારણે જામનગર તા. ૧૯ઃ ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ જામનગર (હાપા માર્કેટ યાર્ડ) તા. રર થી ૩૧ માર્ચ સુધી બંધ રાખવામાં આવનાર છે. માર્ચ એન્ડીંગના કારણે આ દિવસો દરમ્યાન માર્કેટ યાર્ડ (હાપા)માં તમામ જણસીની આવકો તેમજ હરાજીની કામગીરી બંધ રાખવામાં આવશે તેમ યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલની યાદીમાં જણાવાયું છે.   જો આપને આ પોસ્ટ વધુ વાંચો »

Mar 19, 2024
દર મહિનાના ચોથા શુક્રવારે રાજકોટ તા. ૧૯ઃ રાજકોટ શિવ હોસ્પિટલ, મહાપૂજા ધામ ચોક, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટના સ્પાઈન સર્જરીના નિષ્ણાત અમિષ સંઘવી જામનગરમાં શુક્રવાર તા. ૨૨-૦૩-૨૪ના તપાસ માટે આવશે. કમર તેમજ ડોકનો દુખાવો, ગાદીની તકલીફ, ચાલવાની તકલીફ, હાથ-પગની નસનો દુખાવો, મણકાના ફ્રેક્ચર તથા પેરાલિસીસ, સાયટીકા, મણકાના ફ્રેક્ચર અને ટીબી, બાળકોના ખૂંધની તકલીફ માટે સ્થળ ઈમેજ પોઈન્ટ ડાયોગ્નોસ્ટીક, પહેલો માળ, અમરીશ કોમ્પ્લેક્ષ, ઈન્દિરા માર્ગ, જામનગરમાં મળશે. નામ લખાવા માટે ૦૨૮૮ ... વધુ વાંચો »

Mar 19, 2024
જામનગરના લાલબંગલા સર્કલ નજીકની જામનગર તા. ૧૯ઃ આગામી તા. ૧૪ મી એપ્રિલે ડો. આંબેડકર જયંતી છે ત્યારે લાલબંગલા સર્કલ પાસે આવેલ ડો. આંબેડકરની પ્રતિમા તથા આસપાસના પરિસરમાં યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા એડ. ગૌતમ ગોહીલે માંગણી કરી છે. આ પ્રતિમાની સફાઈ કરવા, પોલીસ કરવા, પેડસ્ટલને ગ્રાઈન્ડીંગ કરવા, સીડી-સ્ટેન્ડને કલર કરવા, મંડપ લગાવવા, કમ્પાઉન્ડ વોલને કલર કરવા, લાઈટીંગ ડેકોરેશન કરવા, ખુરશીઓ રાખવાની  વ્યવસ્થા કરવા માંગણી કરવામાં આવી છે. જો આપને આ વધુ વાંચો »

Mar 19, 2024
નિમણૂકો ગેરકાયદે હોવા છતાં ચૂકવણાં ? જામનગર તા. ૧૯ઃ જામનગર મહાનગરપાલિકાના ઓડીટ શાખા કાર્યરત છે પરંતુ તેની કામગીરી કાયમ વિવાદમાં રહી છે. તેનાથી ઉપરની લોકલ ફંડ ઓડીટના અધિકારીએ કરેલ નોટીંગનું મહત્ત્વ રાખવામાં આવતું નથી. તેમણે કરેલ આદેશનો પણ ઉલાળીયો કરીને બે નિવૃત્ત કર્મચારીને કોઈ શેહ શરમ રાખ્યા વગર પગાર ચુકવી દેવાતા વિવાદ સર્જાયો છે. જામનગર મહાનગર પાલિકામાં ફરજ બજાવતા કર્મચારી બિપીન પરમાર અને સેક્રેટરી અશોક પરમાર વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા પછી તેમને ... વધુ વાંચો »

Mar 19, 2024
સ્થાનિક રહીશોની રજુઆતઃ જામનગરની જામનગર તા. ૧૯ઃ જામનગરના કોટવાળ ફળીમાં જોખમી ઝાડ દૂર કરવા અને ભૂગર્ભ ગટરની સફાઈ કરાવવા માટે કમિશનર સમક્ષ રજુઆત કરવામાં આવી છે. સુભાષ માર્કેટ, શાક માર્કેટ નાના આશાપુરા મંદિર પાસેની કોટવાળ ફળીમાં મંદિર પાસે એક વૃક્ષ છે તે ગમે ત્યારે તૂટી પડે તેમ છે. આથી તેને તોડી પાડવું જોઈએ. ઉપરાંત ભૂગર્ભ ગટર કાયમી રીતે છલકાતી હોય છે. આથી તેનું પણ નિરાકરણ લાવવું જોઈએ તેવી રજુઆત સ્થાનિક ... વધુ વાંચો »

Mar 19, 2024
જામનગર તા. ૧૯ઃ જામનગરના વી.વી.ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી અને પ્રફુલભાઈ શેઠ(પ્રમુખ, જીવદયા પરિવાર સેવા સંસ્થા- જામનગર)ના સહકારથી નિઃશુલ્ક નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ નિદાન સારવારનો મેગા કેમ્પ યોજવામાં આવ્યો છે. આ કેમ્પ તા. ર૧-૩ ને ગુરૃવારે સવારે ૯ થી ૧ર મુખ્ય સ્વામિનારાયણ મંદિર, બેડી ગેઈટ, ખાદી ભંડાર સામે,જામનગરમાં રાખવામાં આવ્યો છે. જેમાં ડો. હિરાબેન જોષી, સર્વરોગનું નિદાન અને સારવાર કરશે. ડો. જયસુખ મકવાણા (ડીવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટ) અને તેમની ટીમ દાંતના દર્દોની તપાસ ... વધુ વાંચો »

Mar 19, 2024
સ્થાનિક /     વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો....  મ્યુચ્યુઅલ ફંડો દ્વારા સેબી, એમ્ફીના આદેશ મુજબ તાણ પરિક્ષણ પરિણામો-સ્ટ્રેસ ટેસ્ટ રિઝલ્ટ જાહેર થવાની સાથે સાથે બજારમાં ફરી તાણ વધતાં અને લોકસભા ચૂંટણીની તૈયારી અને નાણા વર્ષ ૨૦૨૩-૨૪ના અંતની એટલે કે માર્ચ એન્ડિંગની તૈયારીઓ સાથે આજે સપ્તાહના બીજા દિવસે ફંડોએ આઈટી શેરોમાં ટીસીએસલિ., ઈન્ફોસીસ લિ., એચસીએલ ટેકનોલોજી તેમજ ફ્રન્ટલાઈન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, લાર્સન લિ., એચડીએફસી બેન્ક, ટાટા મોટર્સ વેચવાલી કરતા સેન્સેક્સ, નિફટી નેગેટીવ ઝોનમાં ટ્રેડ થઇ રહ્યા હતા. વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો શુક્રવારે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૦૫%ના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસશ્પી ૫૦૦ ૦.૬૩% અને નેસ્ડેક ૦.૮૨% વધીને સેટલ થયા હતા. ... વધુ વાંચો »

Mar 19, 2024
પાકિસ્તાનના હવાઈ હુમલાનો જડબાતોડ જવાબ આપતું અફઘાનિસ્તાનઃ કાબુલ તા. ૧૯ઃ તાલિબાને હવાઈ હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે, અને પાક. આર્મીની ચોકીઓ નષ્ટ કરી દીધી છે. તાલિબાને જવાબી કાર્યવાહીની ચેતવણી આપતા કહ્યું કે અમે અમારી સંપ્રભૂતા અને અખંડિતતાનું ઉલ્લંઘન સહન નહીં કરીએ. તે પહેલા પાકિસ્તાનના હવાઈ હુમલામાં આઠ અફઘાની માર્યા ગયા હતાં. તાલિબાને અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની હવાઈ હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે. તાલિબાન દળોએ અનેક પાકિસ્તાની સૈન્ય ચોકીઓને નષ્ટ કરી દીધી. અફઘાન મીડિયાએ સંરક્ષણ મંત્રાલયને ટાંકીને હુમલાની પુષ્ટિ કરી છે. મીડિયા રિપોર્ટસ અનુસાર અફઘાન સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાનની આક્રમક્તાના જવાબમાં તાલિબાન ... વધુ વાંચો »

Mar 19, 2024
અપીલ અંગેની વધુ સુનાવણી આવતા મહિને થશેઃ જામનગર તા. ૧૯ઃ જામનગરના ઉદ્યોગપતિએ રૃા.૧ કરોડ ૧૦ લાખના ૧૧ ચેક પરત ફર્યાની ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષી સામે કરેલી ફરિયાદમાં આરોપીને બે વર્ષની કેદ અને રૃા.ર કરોડ ૨૦ લાખનો દંડ ફટકારાયો છે. તે હુકમ સામે અપીલમાં જવા આરોપી ગઈકાલે જામનગર કોર્ટમાં ઉપસ્થિત થયા હતા. અદાલતે રૃા.૨૨ લાખ જમા કરાવવા અને વિદેશ ન જવા સહિતની શરતો મૂકી છે અને આવતા મહિને વધુ સુનાવણી મુકર્રર કરી છે. જામનગરના જાણીતા ઉદ્યોગપતિ અશોકભાઈ લાલ પાસેથી હિન્દી ફિલ્મજગતના દિગ્દર્શક રાજકુમાર પ્યારેલાલ સંતોષીએ વર્ષાે પહેલાં રૃા.૧ કર કરોડ ૨૦ ... વધુ વાંચો »

Mar 19, 2024
રેડિયો, ટીવી, કેબલના નેટવર્ક દ્વારા જાહેરાતો અંગે જામનગર તા. ૧૯ઃ જામનગર જિલ્લામાં ૭મે ના લોકસભા ચૂંટણીનું મતદાન થનાર છે. પ્રવર્તમાન ચૂંટણી દરમ્યાન પ્રચાર તથા જાહેરાતો રાજકીય પક્ષો,  ઉમેદવારો, સંસ્થાઓ તરફથી તેમજ ઉમેદવારોના ટેકેદારો તરફથી ઈલેકટ્રોનિક મીડિયાના માધ્યમથી,  પ્રસારણ સ્થાનિક કંટ્રોલરૂમથી તથા ટી.વી. ચેનલના રાજય, આંતરરાજય કે આંતરરાષ્ટ્રીય તેમજ એ.એમ. અને એફ.એમ. રેડિયો નેટવર્કના નિયંત્રણ માટે કેબલ ટેલીવિઝન (નિયમન) અધિનિયમ-૧૯૯પ તથા કેબલ ટેલીવિઝન નેટવર્ક (વિનિમયો) નિયમો-૧૯૯૪ અમલમાં છે. જે મુજબ જાહેરાત નિયત કરેલ આચાર સંહિતાને અનુરૂપ હોય તે સિવાય કોઈપણ વ્યકિત કોઈ જાહેરાત પ્રસારિત કે પુનઃપ્રસારિત કરી શકે નહી.  તેમજ જાહેરાતો કોઈ ધાર્મિક  કે રાજકીય હેતુ પ્રત્યે દિશા નિર્દેશ કરતી હોવી જોઈએ ... વધુ વાંચો »

Mar 19, 2024
ગઈકાલે કંડકટરના ઘેર ધસી જઈ હાથ પકડી લીધોઃ જામનગર તા. ૧૯ઃ દ્વારકાના એસટી વિભાગમાં આસી. ટ્રાફિક ઈન્સ. તરીકે ફરજ બજાવતા એક અધિકારીએ સોમવારે સવારે મહિલા કંડકટરના ઘેર જઈ તેણીનો હાથ પકડી લઈ આબરૃ લેવાનો પ્રયત્ન કરતા આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે કંડકટરની ફરિયાદ પરથી ગુન્હો નોંધ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસટી વિભાગમાં આસીસ્ટન્ટ ટ્રાફિક ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા દેવાભાઈ હાથીયા નામના કર્મચારીએ ગઈકાલે સવારે સાડા પાંચેક વાગ્યે એસટી વિભાગમાં જ કંડકટર તરીકે નોકરી કરતા એક મહિલા કર્મચારીના ઘેર જઈ જબરદસ્તી આચર્યાનો આરોપ મૂકતી ફરિયાદ પોલીસમાં થઈ છે. વધુ વાંચો »

Mar 19, 2024
જામનગર તા. ૧૯ઃ જામનગરના એડવોકેટની હત્યામાં સંડોવાયેલા સાયચા ગેંગના ૧૫ આરોપીને પકડી  પાડવા એસઆઈટીની રચના કરવામાં આવી છે. તેમાં રચવામાં આવેલી સાત ટૂકડી આરોપીઓના સગડ દબાવી રહી છે. જામનગરના બેડી વિસ્તારમાં ગયા બુધવારે સાંજે સાડા છએક વાગ્યે બુલેટ મોટર સાયકલ પર રોઝુ છોડવા જઈ રહેલા એડવોકેટ હારૃનભાઈ પલેજાની ૧૫ શખ્સના ટોળાએ પથ્થરમારો કર્યા પછી પાઈપ, છરી, લોખંડના ગોળા ઝીંકી કરપીણ હત્યા નિપજાવી હતી. આ બનાવના ઘેરા પડઘા પડયા પછી પોલીસે તમામ આરોપીઓને પકડી પાડવા શરૃ કરેલી તજવીજ દરમિયાન રેન્જ આઈજી અશોકકુમાર યાદવની સૂચનાથી જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ ડીવાયએસપી જે.એલ. ઝાલાના માર્ગદર્શન હેઠળની સાત જુદી જુદી પોલીસ ટૂકડીને તપાસાર્થે રવાના કરી છે. ઉલ્લેખનીય છે ... વધુ વાંચો »

Mar 19, 2024
નિમણૂકો ગેરકાયદે હોવા છતાં ચૂકવણાં ? જામનગર તા. ૧૯ઃ જામનગર મહાનગરપાલિકાના ઓડીટ શાખા કાર્યરત છે પરંતુ તેની કામગીરી કાયમ વિવાદમાં રહી છે. તેનાથી ઉપરની લોકલ ફંડ ઓડીટના અધિકારીએ કરેલ નોટીંગનું મહત્ત્વ રાખવામાં આવતું નથી. તેમણે કરેલ આદેશનો પણ ઉલાળીયો કરીને બે નિવૃત્ત કર્મચારીને કોઈ શેહ શરમ રાખ્યા વગર પગાર ચુકવી દેવાતા વિવાદ સર્જાયો છે. જામનગર મહાનગર પાલિકામાં ફરજ બજાવતા કર્મચારી બિપીન પરમાર અને સેક્રેટરી અશોક પરમાર વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા પછી તેમને કોન્ટ્રાકટ બેઝ ઉપર એજ સ્થાને પુનઃ નોકરીમાં રાખવામાં આવ્યા હતાં અને પગાર ચૂકવાયો હતો. થોડા સમય પહેલા લોકલ ફંડ ઓડીટની ... વધુ વાંચો »

Mar 19, 2024
રાજ્યના મુખ્ય નિર્વાચીન અધિકારી શ્રીમતી પી. ભારતીએ અમદાવાદ તા. ૧૯ઃ રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં રાજકીય પક્ષોને આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે આદર્શ આચારસંહિતાના અમલીકરણ, ખર્ચ નિરીક્ષણ, વિવિધ આઈટી ઍપ્લિકેશન્સ સહિતની બાબતો અંગે અવગત કરવામાં આવ્યા હતાં. આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદમાં મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચૂંટણી સમય દરમિયાન રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારોએ ધ્યાનમાં રાખવાના વિવિધ વિષયો અંગે ચર્ચા કરી જરૂરી બાબતો અંગે રાજકીય પક્ષોના ... વધુ વાંચો »

Mar 19, 2024
૭ કિલો ૯૪૬ ગ્રામ ગાંજો કરાયો ઝબ્બેઃ જામનગર તા. ૧૯ઃ ખંભાળિયાના સલાયાથી માંઢા વચ્ચેના રોડ પર ગઈકાલે પુર્વ બાતમીના આધારે વોચમાં ગોઠવાયેલી એસઓજી ટીમે એક બાઈકને રોકાવી ચેક કરતા તેના પર જઈ રહેલા સલાયાના શખ્સ પાસેથી ૭ કિલો ૯૪૬ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. સિક્યુરિટી તરીકે નોકરી કરતા આ શખ્સે અન્ય ત્રણ સાગરિતના નામ પોલીસને આપ્યા છે. ખંભાળિયા તાલુકાના સલાયા નજીક માંંંઢા રોડ પર એક શખ્સ ગાંજાની હેરાફેરી કરતો હોવાની બાતમી પરથી ગઈકાલે સાંજે દેવભૂમિ દ્વારકા એસઓજીના સ્ટાફે વોચ ગોઠવી હતી. તે દરમિયાન માંઢા રોડ પર જઈ ... વધુ વાંચો »

Mar 19, 2024
રોકડ, મોબાઈલ, બાઈક સહિત પોણા લાખનો મુદ્દામાલઃ જામનગર તા. ૧૯ઃ જામજોધપુરના સતાપર ગામમાં ગઈકાલે બપોરે ગંજીપાના વડે જુગાર રમતા ચાર શખ્સને પોલીસે પકડી પાડ્યા હતા. પોલીસને જોઈને બે નાસી ગયા હતા. પટમાંથી રોકડ, મોબાઈલ, બે બાઈક સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જામજોધ૫ુર તાલુકાના સતાપર ગામ પાસે ગઈકાલે બપોરે એક ઝાડ નીચે જુગાર રમાતો હોવાની બાતમી મળતા જામજોધપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાં ઝાડના છાંયડે તીનપત્તી રમી રહેલા ગોપાલ ભીમાભાઈ ગુજરાતી, મહેશ અરજણભાઈ સોંદરવા, ભગાભાઈ સીદીભાઈ ગુજરાતી, હરદાસ મેરામણભાઈ ઓડેદરા નામના ચાર શખ્સ મળી આવ્યા ... વધુ વાંચો »

Mar 19, 2024
ખંભાળિયા-ભાણવડ રોડ પર અકસ્માતઃ ખંભાળિયા તા. ૧૯ઃ ખંભાળિયા-ભાણવડ રોડ પર રવિવારે સાંજે એક પદયાત્રીને પાછળથી આવતા બાઈકે ઠોકર મારતા પદયાત્રી તથા બાઈક ચાલક રોડ પર પછડાવવાના કારણે ઈજા પામ્યા હતા. અકસ્માત પછી બાઈકમાંથી દારૃની કોથળી નીકળી પડતા અકસ્માત સર્જનાર બાઈક ચાલક સામે રોષ પ્રસર્યાે છે. ખંભાળિયાથી ભાણવડ તરફના રોડ પર રવિવારે એક પદયાત્રીને પાછળથી આવતા બાઈકે ટક્કર મારી દીધી હતી. જેના પગલે બાઈકચાલક તથા પદયાત્રી રોડ પર ફંગોળાઈ ગયા હતા. આ વેળાએ દોડી આવેલી ૧૦૮માં ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી. જ્યારે રોડ પર પડી ગયેલા બાઈકમાંથી ... વધુ વાંચો »

Mar 19, 2024
જામનગર તા. ૧૯ઃ જામનગરના વી.વી.ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી અને પ્રફુલભાઈ શેઠ(પ્રમુખ, જીવદયા પરિવાર સેવા સંસ્થા- જામનગર)ના સહકારથી નિઃશુલ્ક નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ નિદાન સારવારનો મેગા કેમ્પ યોજવામાં આવ્યો છે. આ કેમ્પ તા. ર૧-૩ ને ગુરૃવારે સવારે ૯ થી ૧ર મુખ્ય સ્વામિનારાયણ મંદિર, બેડી ગેઈટ, ખાદી ભંડાર સામે,જામનગરમાં રાખવામાં આવ્યો છે. જેમાં ડો. હિરાબેન જોષી, સર્વરોગનું નિદાન અને સારવાર કરશે. ડો. જયસુખ મકવાણા (ડીવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટ) અને તેમની ટીમ દાંતના દર્દોની તપાસ અને સારવાર કરશે. મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ (રાજકોટ) મોકલવામાં આવશે. જનતાને આ કેમ્પનો લાભ લેવા નટુભાઇ ... વધુ વાંચો »

Mar 19, 2024
ફૂલડોલ ઉત્સવના ધસારાને પહોંચી વળવા જામનગર તા. ૧૯ઃ ગુજરાત રાજ્ય વાહન વ્ય્વહાર નિગમ જામનગર દ્વારા તા. ૧૭ થી ર૬ માર્ચ સુધી દ્વારકાથી અન્ય શહેરમાં જવા માટે વધારાની બસ સેવા શરૃ કરવામાં આવી છે. દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ માટે દૂર દૂરથી લોકો દ્વારકા પહોંચી રહ્યા છે ત્યારે મુસાફરી ધસારાને પહોંચી વળવા માટે એસ.ટી. વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવામાં આવી રહી છે. જેમાં દ્વારકાથી જામનગર (ભાડું રૃા. ૧૯૦), દ્વારકાથી રાજકોટ (ભાડું રૃા. રપ૦), દ્વારકાથી પોરબંદર (ભાડું રૃા. ૧૬૦), દ્વારકાથી સોમનાથ (ભાડું રૃા. ર૭પ) અને દ્વારકાથી જૂનાગઢ (ભાડું રૃા. ર૪૦ નો ... વધુ વાંચો »

Mar 19, 2024
સમાજની યોજાયેલી બેઠકમાં ઘડી કઢાયો કાર્યક્રમઃ જામનગરમાં આગામી તા.૧૦ના દિને સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ-ઝૂલેલાલ જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવશે. તે માટે સમગ્ર સિંધી સમાજની બેઠક યોજવામાં આવી હતી. આ દિને સવારે સમૂહ યજ્ઞોપવિત, બાઈક રેલી, શોભાયાત્રા તથા તીનબત્તી પાસે ઝૂલેલાલ મંદિરે પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. સમાજના પ્રમુખ જી.કે. ગંગવાણી, જનરલ સેક્રેટરી કિશોર સંતાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તા.૧૦ એપ્રિલના દિવસને સિંધી લેંગ્વેજ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે.   જો આપને આ પોસ્ટ વધુ વાંચો »

Mar 19, 2024
બસ, ટ્રક તથા મોપેડ વચ્ચે ત્રિપલ અકસ્માતઃ જામનગર તા. ૧૯ઃ જામનગરના ઠેબા બાયપાસ પાસે ગઈકાલે સાંજે એસટીની એક બસ ટ્રક સાથે ટકરાયા પછી વચ્ચે એક મોપેડ આવી જતાં તેના પર જઈ રહેલા કારખાનેદારનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્રએ બસના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જામનગર-કાલાવડ માર્ગ પર આવેલા ઠેબા બાયપાસ પાસેથી ગઈકાલે સાંજે છએક વાગ્યે જીજે-૧૮-ઝેડટી ૫૩૪ નંબરની દ્વારકા રૃટની બસ પસાર થતી હતી. ત્યારે આ બસ એક ટ્રક સાથે ટકરાઈ પડ્યા પછી બંને ભારે વાહનોની વચ્ચે મોપેડ આવી ગયું હતું. આ મોપેડ પર ... વધુ વાંચો »

Mar 19, 2024
જામીનની શરતનો ભંગ કરી ઘરમાં આવ્યો હતોઃ જામનગર તા. ૧૯ઃ સલાયાના એક શખ્સને હાઈકોર્ટે હત્યા પ્રયાસના ગુન્હામાં દ્વારકા જિલ્લામાં નહીં પ્રવેશવાની મુદ્દતે જામીન આપ્યા પછી આ શખ્સ ગઈકાલે પોતાના ઘરેથી મળી આવ્યો હતો. તેને પકડવા ગયેલી પોલીસ સાથે આ શખ્સ તથા તેના પત્નીએ ધમાલ કરી ફરજમાં રૃકાવટ સર્જી હતી. આ શખ્સે પોતાના હાથમાં બ્લેડથી છરકા પણ મારી દીધા હતા. ખંભાળિયા તાલુકાના સલાયામાં ગોદી૫ાડામાં રહેતા રીઝવાન રઝાક સંઘાર નામના શખ્સ સામે વર્ષ ૨૦૨૧માં હત્યા પ્રયાસનો એક ગુન્હો નોંધાયો હતો. તે ગુન્હામાં જામીન મુક્ત થવા વર્ષ ૨૦૨૨માં આરોપી રીઝવાને ગુજરાત હાઈકોર્ટમાં અરજી ... વધુ વાંચો »

Mar 19, 2024
વાડીનાર તા. ૧૯ઃ જામનગર-ખંભાળીયા ધોરીમાર્ગ પર કજુરડાના પાટીયા પાસે વાડીનાર જવા માટે ડિવાઈડરમાં જગ્યા રાખવામાં આવી હતી. તંત્ર દ્વારા અચાનક આ ડિવાઈડર ઉપર પથ્થરો, બેરીગેટ મૂકીને જગ્યા બંધ કરવામાં આવી છે. જેથી વાડીનાર, ભરાણા, નાના આંબલા, મોટા આંબલા, ટીંબડી, કજુરડા સહિતના ગામ લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. હવે ખંભાળીયા જવા માટે રોંગસાઈડમાં જઈને દોઢ કિમી દૂર સિંહણના પાટીયા પાસે ઊભું રહેવું પડે છે. વાહનોને પણ જીવના જોખમે રોંગ સાઈડમાં અવરજવર કરવી પડે છે. ત્રણ દિવસ પહેલા કજુરડાના પાટીયા પાસે અકસ્માત થયા પછી તંત્ર દ્વારા રસ્તો જ બંધ કરી દેવામાં ... વધુ વાંચો »

Mar 19, 2024
સ્થાનિક રહીશોની રજુઆતઃ જામનગરની જામનગર તા. ૧૯ઃ જામનગરના કોટવાળ ફળીમાં જોખમી ઝાડ દૂર કરવા અને ભૂગર્ભ ગટરની સફાઈ કરાવવા માટે કમિશનર સમક્ષ રજુઆત કરવામાં આવી છે. સુભાષ માર્કેટ, શાક માર્કેટ નાના આશાપુરા મંદિર પાસેની કોટવાળ ફળીમાં મંદિર પાસે એક વૃક્ષ છે તે ગમે ત્યારે તૂટી પડે તેમ છે. આથી તેને તોડી પાડવું જોઈએ. ઉપરાંત ભૂગર્ભ ગટર કાયમી રીતે છલકાતી હોય છે. આથી તેનું પણ નિરાકરણ લાવવું જોઈએ તેવી રજુઆત સ્થાનિક રહીશો દ્વારા મ્યુનિ. કમિશનર સમક્ષ કરવામાં આવી છે.   જો આપને  વધુ વાંચો »

Mar 19, 2024
ગ્રામજનોએ ટીડીઓને રજૂઆત કરી જામનગર તા. ૧૯ઃ જામનગર તાલુકાના આમરા ગામમાં ચાલતા ભૂગર્ભ ગટરના કામીન ગુણવત્તા નબળી હોવાથી તાલુકા વિકાસ અધિકારીને પત્ર પાઠવી રજુઆત કરી છે. આમરા ગામના દિલીપ રાઠોડ, ઘનશ્યામ નકુમ સહિતના ગ્રામજનો દ્વારા આજે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરતા જણાવ્યું કે ભૂગર્ભ ગટરની કામગીરીમાં બેદરકારી દાખવવામાં આવે છે. કામ નબળુ થઈ રહ્યું છે. પાઈપમાં લેવલ જાળવવામાં આવતું નથી. પાઈપના પોઈન્ટમાં વારા ભરવામાં આવ્યા નથી. અમ કામમાં ભયંકર ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. આથી ન્યાયીક તપાસ કરવી જોઈએ, અને કામની ગુણવતા માટે જરૃરી સૂચના આપવી જોઈએ.   વધુ વાંચો »

Mar 19, 2024
હોળી-ધૂળેટી માટે દારૃ મંંગાવવાની કરતા હતા તજવીજઃ ખંભાળિયા તા. ૧૯ઃ ખંભાળિયામાં હોળી-ધૂળેટી પર્વને અનુલક્ષીને કેટલાક શખ્સો દારૃનો જથ્થો મંગાવવાની પેરવી કરતા હોવાની બાતમી પરથી ગઈકાલે દ્વારકા એલસીબીએ ચાર શખ્સને દબોચી લીધા છે. ખંભાળિયા શહેરમાં કેટલાક શખ્સો અંગ્રેજી શરાબ મંગાવવા માટે તજવીજ કરતા હોવાની અને તે માટે એકત્ર થઈ રહ્યા હોવાની બાતમી દેવભૂમિ દ્વારકા એલસીબીના પીએસઆઈ એસ.એસ. ચૌહાણને મળતા પીઆઈ કે.કે. ગોહિલને વાકેફ કરાયા પછી ગઈકાલે એલસીબીએ વોચ રાખી હતી. કલ્યાણપુરના મેવાસા ગામના રાહુલ ચાવડા, હંસ્થળના દિલીપ ગોગન દેથરીયા તથા સુરત જિલ્લાના માંગરોળના દિવ્યેશ અરવિંદ સોની, સોહેલ અબ્દુલહમીદ ... વધુ વાંચો »

Mar 19, 2024
ગુજરાતમાં ધારાસભ્ય ઈનામદારના રાજીનામાથી હલચલ વધીઃ નવી દિલ્હી તા. ૧૯ઃ દેશમાં લોકસભાની ચૂંટણીમાં સમીકરણો ગોઠવાઈ રહ્યા છે, ત્યારે એનડીએમાં સખળડખળ ચાલી રહ્યું હોવાના અહેવાલોએ ચર્ચા જગાવી છે. આજે વહેલી સવારે જ અહેવાલો આવ્યા હતાં કે કેન્દ્રિય મંત્રી પશુપતિ પારસે આજે પ્રેસકોન્ફરન્સ બોલાવી છે, તેમાં ધમાકો થવાનો છે. એવું કહેવાય છે કે સ્વ. રામવિલાસ પાસવાન જે સીટ પરથી ચૂંટણી લડીને જીતતા રહ્યા છે, તે બેઠક પરથી જ લડવા ચિરાગ પાસવાન અને કાકા પશુપતિ પારસ વચ્ચે વિવાદ હોવાથી આ મડાગાંઠ સર્જાઈ હતી. ગુજરાતમાં પણ ભારતીય જનતા પક્ષના વર્તુળોમાં સવારથી હલચલ જોવા મળી ... વધુ વાંચો »

Mar 19, 2024
માર્ચ એન્ડીંગના કારણે જામનગર તા. ૧૯ઃ ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ જામનગર (હાપા માર્કેટ યાર્ડ) તા. રર થી ૩૧ માર્ચ સુધી બંધ રાખવામાં આવનાર છે. માર્ચ એન્ડીંગના કારણે આ દિવસો દરમ્યાન માર્કેટ યાર્ડ (હાપા)માં તમામ જણસીની આવકો તેમજ હરાજીની કામગીરી બંધ રાખવામાં આવશે તેમ યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલની યાદીમાં જણાવાયું છે.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો  વધુ વાંચો »

Mar 19, 2024
લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ ખંભાળીયા તા. ૧૯ઃ લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આત્મરક્ષણ તથા પાક રક્ષણના તમામ પરવાનેદારને તેમના હથિયારો સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેવા તાકીદ કરવામાં આવી છે. લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ અંતર્ગત ૧ર જામનગર સંસદીય મતવિભાગમાં સમાવિષ્ટ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૮૧ ખંભાળીયામાં મતદાર વિભાગ તથા ૮ર દ્વારકા મતદાર વિભાગનું મતદાર તા. ૭-પ-ર૪ ના યોજાનાર છે. ભારતના ચૂંટણીપંચ દ્વારા ચૂંટણી યોજવા અંગેની જાહેરાત તા. ૧૬-૩-ર૦ર૪ ના કરવામાં આવેલી છે. જેના સંદર્ભમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા મેજીર્ટ્રેટે તેમને મળેલ સતાની રૃએ એક જાહેરનામું પ્રસિદ્ધ કરી સમગ્ર દેવભૂમિ દ્વારકા ... વધુ વાંચો »

Mar 19, 2024
ગયા સપ્તાહે નાઘેડી પાસે પડાયો હતો દરોડોઃ જામનગર તા. ૧૯ઃ જામનગર નજીકના નાઘેડી પાસેના ઔદ્યોગિક વિસ્તારમાં એક કારખાનામાં ગયા અઠવાડિયે દરોડો પાડી ખેતીમાં વપરાતું નીમ કોટેડ યુરિયા ખાતર પકડી પાડવામાં આવ્યું હતું. તેનો નમૂનો પરીક્ષણમાં મોકલાયા પછી કારખાનેદાર પિતા-પુત્ર સામે ખેતીમાં વપરાશના ખાતરનો ઔદ્યોગિક વપરાશ કરવા અંગે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા નાઘેડી ગામના ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં લક્ષ્મી એન્ટરપ્રાઈઝ નામના કારખાનામાં ગયા સપ્તાહે જામનગરની નાયબ ખેતી નિયામક કચેરીના સ્ટાફે દરોડો પાડ્યો હતો. તે દરોડામાં કારખાનામાંથી સબસિડીવાળા રાસાયણિક ખાતરનો નીમ કોટેડ યુરિયાનો જથ્થો મળી આવ્યો હતો. વધુ વાંચો »

Mar 19, 2024
મૃતદેહનો નિકાલ કરવાનો પણ કરાયો હતો પ્રયાસઃ જામનગર તા. ૧૯ઃ જામજોધપુરના જામસખપુર ગામના એક ખેતરમાં છ મહિના પહેલાં રાત્રિના સમયે પાણી વાળતા એક પરપ્રાંતિય શ્રમિક બાજુના જ ખેતરની ફેન્સીંગને અકસ્માતે અડકી ગયા હતા. તે ફેન્સીંગમાં વહેતો કરાયેલો વીજ પ્રવાહ આ શ્રમિકને ભરખી ગયો હતો. વીજ પ્રવાહ વહેતો મુકનાર ખેડૂત સામે મૃતકના પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ખેડૂતે શ્રમિકના મૃત્યુ પછી મૃતદેહને નજીકમાં આવેલી બાવળની ઝાળીઓમાં ફેંકીને પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન પણ કર્યાે હતો. જામજોધપુર તાલુકાના જામસખપુર ગામમાં રૃડાભાઈ આલાભાઈ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપુર ... વધુ વાંચો »

Mar 19, 2024
ખંભાળીયા તા. ૧૯ઃ ખંભાળીયામાં પાલિકા દ્વારા અકસ્માત કે હોસ્પિટલમાં મૃત્યુ પામનારનો મૃતદેહ પાલિકાની ગાડીમાં તેમના ઘેર પહોંચાડવા વ્યવસ્થા કરવામાં આવે છે પરંતુ ફાયર બ્રિગેડમાં ફાયર સિવાયના કામે ડ્રાયવરો ના હોય કેટલીક વખત મૃતકના પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. તાજેતરમાં હૃદયરોગ હુમલાથી એક વિપ્ર પ્રૌઢનું અવસાન થતાં ફાયર ઈમરજન્સી સિવાય ડ્રાયવરના હોય આ ગરીબ પરિવાર મુશ્કેલીમાં મુકાયા હતા છેવટે પાલિકાના એક અગ્રણીને કહીને ડ્રાઈવરની વૈકલ્પીક વ્યવસ્થા કરતા આ મૃતદેહ ઘેર પહોંચ્યો હતો. ખંભાળીયા જિલ્લાનું વડું મથક હોય ફાયર બ્રિગેડમાં ઈરજન્સીમાં આવા કાર્યો માટે ડ્રાયવરની વ્યવસ્થાની માંગણી ઉઠવા પામી છે.   જો  વધુ વાંચો »

Mar 19, 2024
ભાવિ મંગેતરે પિતાને કર્યાે હતો ફોનઃ જામગનર તા. ૧૯ઃ કાલાવડમાં સપ્તાહ પૂર્વે એક દેવીપૂજક યુવતીએ ઝેરી દવા પી લીધી હતી. તેણીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. સગાઈ પછી મંગેતરના ઘેર ગયેલી યુવતીને ત્યાં રાત્રે સુવા માટે બોલાચાલી થયા પછી ભાવિ પતિએ તેણીના પિતાને ફોન કરીને જાણ કરતા તેણીએ આ પગલું ભર્યાનું ખૂલ્યું છે. રાજકોટ જિલ્લાના લોધિકા (કોટડાસાંગાણી) તાલુકાના નોંધણચોરા ગામના મૂળ વતની અને હાલમાં કાલાવડના કુંભનાથપરામાં ઈદ મસ્જિદ પાસે રહેતા હેતલબેન ધનાભાઈ વાઘેલા નામના ૨૪ વર્ષના દેવીપૂજક યુવતીએ ગઈ તા.૧૦ની બપોરે કાલાવડમાં કોઈ ઝેરી દવા ગટગટાવી હતી. વધુ વાંચો »

Mar 19, 2024
આ પહેલા પણ રાજીનામું આપ્યું હતું, પણ સમાધાન થતા પાછું ખેંચ્યું હતું વડોદરા તા. ૧૯ઃ વડોદરા ભાજપમાં ભડકો થયો છે, અને ધારાસભ્ય પદેથી કેતન ઈનામદારે ઈ-મેઈલથી વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું ધરી દીધા પછી તાલુકા પંચાયતના ઉપપ્રમુખે પણ રાજીનામું આપ્યું હોવાના વાવડ છે. તે પછી કેતન ઈમાનદારને ગાંધીનગરનું તેડું આવ્યું હોવાના અહેવાલો આવ્યા છે. લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન થઈ ચૂક્યું છે અને ગુજરાતમાં ૭ મે ર૦ર૪ ના ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાશે. ગુજરાતની ર૬ લોકસભાની બેઠકો અને પાંચ વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. ત્યારે વિધાનસભાની વડોદરા જિલ્લાની સાવલી બેઠકના ભાજપના ધારાસભ્ય ઈનામદારે આજે ... વધુ વાંચો »

Mar 19, 2024
દર મહિનાના ચોથા શુક્રવારે રાજકોટ તા. ૧૯ઃ રાજકોટ શિવ હોસ્પિટલ, મહાપૂજા ધામ ચોક, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટના સ્પાઈન સર્જરીના નિષ્ણાત અમિષ સંઘવી જામનગરમાં શુક્રવાર તા. ૨૨-૦૩-૨૪ના તપાસ માટે આવશે. કમર તેમજ ડોકનો દુખાવો, ગાદીની તકલીફ, ચાલવાની તકલીફ, હાથ-પગની નસનો દુખાવો, મણકાના ફ્રેક્ચર તથા પેરાલિસીસ, સાયટીકા, મણકાના ફ્રેક્ચર અને ટીબી, બાળકોના ખૂંધની તકલીફ માટે સ્થળ ઈમેજ પોઈન્ટ ડાયોગ્નોસ્ટીક, પહેલો માળ, અમરીશ કોમ્પ્લેક્ષ, ઈન્દિરા માર્ગ, જામનગરમાં મળશે. નામ લખાવા માટે ૦૨૮૮ ૨૬૭૩૩૮૮, વધુ માહિતી માટે ૭૪૮૬૮ ૫૭૭૫૦નો સંપર્ક કરવો. ડો. અમિષ સંઘવી દર મહિનાના ચોથા શુક્રવારે જામનગરમાં મળી શકશે.   વધુ વાંચો »

Mar 19, 2024
જામનગરના વકીલની હત્યાના સંદર્ભમાં જામનગરના એડવોકેટ હારૃનભાઈ પલેજાની ગયા બુધવારે બેડી વિસ્તારમાં કુખ્યાત શખ્સોએ નિપજાવેલી હત્યા પછી આ બનાવના આરોપીઓને તાત્કાલિક પકડી પાડી કડક કાર્યવાહી કરવાની માગણી સાથે લાલપુર બાર એસો.ના સદસ્યોએ લાલપુરના પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવવાની માંગ ઉઠી છે.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો  વધુ વાંચો »

Mar 19, 2024
સાડા પાંચ કરોડનો ખર્ચ લેખે લાગેઃ ખંભાળીયા તા. ૧૯ઃ ખંભાળીયા શહેરમાં વર્ષો જુની રાજાશાહીના સમયની તથા જામનગરના રાજા જામ રણજીતસિંહ દ્વારા જેનું ઉદ્ઘાટન થયેલું તે એક વખતની જાજરમાન બિલ્ડીંગ કે જેને પીડબ્લ્યુડીએ તોડી નાખવા હુકમ કરેલો પરંતુ આ શાળાના પૂર્વ છાત્રો તથા પૂર્વ શિક્ષકો તથા આગેવાનોની જહેમતથી સાડા પાંચ કરોડના જંગી ખર્ચ હતું તેવું આ બિલ્ડીંગ બની ગયું છે. ત્યારે શહેરના અગ્રણીઓ દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રી ડો. ડીંડોરને રજુઆત કરીને આ નવા બિલ્ડીંગમાં જીવીજે હાઈસ્કૂલના હાલ અભ્યાસ કરતા છાત્રોને ભણવા માટે બિલ્ડીંગનો ઉપયોગ થાય તે માટે માંગ કરવામાં આવી છે. વધુ વાંચો »

Mar 19, 2024
૨૦ પવનચક્કીમાં ચોરી કર્યાની કબૂલાતઃ જામનગર તા. ૧૯ઃ ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ પરથી ગઈકાલે દ્વારકા એલસીબીએ સિક્કામાં રહેતા એક શખ્સને પકડી પાડી પૂછપરછ કરતા આ શખ્સે ખંભાળિયા, દ્વારકા, જામનગરના લાલપુર તાલુકામાં વીસ પવનચક્કી ટાવરમાંથી કોપર વાયરની ચોરી કર્યાની કબૂલાત આપી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક ગુન્હાશોધક શાખા દ્વારા ગઈકાલે કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફના મશરીભાઈ, ભરત ભાઈ, લાખાભાઈને મળેલી બાતમીના આધારે ખંભાળિયા નજીક પાયલ હોટલ પાસે વોચ રાખવામાં આવી હતી. તે દરમિયાન મૂળ વાડીનાર ધારના રહેવાસી અને હાલમાં સિક્કાના કારા-ભુંગા વિસ્તારમાં રહેતો મહેબુબ ઉર્ફે ડાડલો જુનસ સુંભણીયા નામનો ... વધુ વાંચો »

Mar 19, 2024
બોલેરોએ ગોથું માર્યુ અને બાઈક-મોટર ટકરાયાઃ ખંભાળિયાથી કલ્યાણપુર વચ્ચેના રોડ પર રવિવારે જીજે-૧૦-ટીવાય ૪૪૫૪ નંબરની એક બોલેરો દેવરીયા ગામના પાટિયા પાસે ગોથું મારી ગઈ હતી. તેમાં જઈ રહેલા વ્યક્તિઓને સારવાર માટે ખંભાળિયા ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ખંભાળિયા બાયપાસ પાસે મોટર તથા હીરો બાઈક સાથે અકસ્માત થતાં બાઈક પર જતા પિતા-પુત્રીને ઈજા થઈ હતી.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો વધુ વાંચો »

Mar 19, 2024
જામનગરના લાલબંગલા સર્કલ નજીકની જામનગર તા. ૧૯ઃ આગામી તા. ૧૪ મી એપ્રિલે ડો. આંબેડકર જયંતી છે ત્યારે લાલબંગલા સર્કલ પાસે આવેલ ડો. આંબેડકરની પ્રતિમા તથા આસપાસના પરિસરમાં યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા એડ. ગૌતમ ગોહીલે માંગણી કરી છે. આ પ્રતિમાની સફાઈ કરવા, પોલીસ કરવા, પેડસ્ટલને ગ્રાઈન્ડીંગ કરવા, સીડી-સ્ટેન્ડને કલર કરવા, મંડપ લગાવવા, કમ્પાઉન્ડ વોલને કલર કરવા, લાઈટીંગ ડેકોરેશન કરવા, ખુરશીઓ રાખવાની  વ્યવસ્થા કરવા માંગણી કરવામાં આવી છે. જો આપને આ પોસ્ટ ગમી હોય  વધુ વાંચો »

Mar 19, 2024
લોકસભા ચૂંટણી ર૦ર૪ જામનગર તા. ૧૯ઃ ચૂંટણીના હેતુ માટે ખોલવાનું થતું ચૂંટણી કાર્યાલય મતદાન મથકથી ર૦૦ મીટરના વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થા, હોસ્પિટલ તેમજ ધાર્મિક સ્થળની લગોલગ ખોલવા માટે પ્રતિબંધ મૂકાયો છે. લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ અનુસંધાને કોઈપણ ઉમેદવાર કે સંભવિત ઉમેદવાર કે કોઈપણ રાજકીય પક્ષ કે કોઈપણ વ્યક્તિ/સંસ્થાને ચૂંટણીના હેતુ માટે ખોલવાનું થતું ચૂંટણી કાર્યાલય ઉક્ત ચૂંટણી માટે નિયત થયેલ મતદાન મથકથી ર૦૦ મીટરના વિસ્તારમાં તેમજ કોઈપણ માન્ય શૈક્ષણિક સંસ્થા, હોસ્પિટલ તેમજ ધાર્મિક સ્થળની લગોલગ ખોલવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. આ વિસ્તારમાં ચૂંટણી કાર્યાલયો ખોલવામાં આવે તો ... વધુ વાંચો »

Mar 19, 2024
પરવાનાવાળા હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા જામનગર તા. ૧૯ઃ લોકસભા સામાન્ય ચૂંટણ ર૦ર૪ અંગે ચૂંટણીપંચ દ્વારા તા. ૧૬-૩-ર૦ર૪ ના જાહેરાત કરાવમાં આવતા સમગ્ર રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ પડેલી છે. આથી સમગ્ર જામનગર જિલ્લામાં જાહેર સુલેહ-શાંતિ અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ બી.કે. પંડ્યા દ્વારા શસ્ત્ર અધિનિયમ ૧૯પ૯ ની કલમ રર(૧૬) હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તે અનુસંધાને જામનગર જિલ્લાના આત્મરક્ષણના તથા પાકરક્ષણના તમામ પરવાનેદારોએ (અપવાદ સિવાયના) તેમના હથિયાર ૭ દિવસમાં સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવી તે અંગેની પહોંચી મેળવી લેવી. પોલીસ સ્ટેશન તરફથી સૂચના મળવાની રાહ જોયા વિના આ ... વધુ વાંચો »

Mar 19, 2024
આચારસંહિતા લાગુ થયા પછી ખંભાળિયા તા. ૧૯ઃ આચારસંહિતાના અમલ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી ૯ર૮ પ્રચારાત્મક સામગ્રીઓ દૂર કરાઈ હતી. ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાનય ચૂંટણી ર૦ર૪ ની તારીખો જાહેર થતા જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. લોકસભાની ચૂંટણી જાહેર થતા જ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૃ કરી દેવામાં આવ્યો છે. જિલ્લાની સરકારી અને ખાનગી મિલકતો પરની પ્રચારાત્મક સામગ્રીઓ હટાવવાની કામગીરી શરૃ કરી દેવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી જી.ટી. પંડ્યાના નિર્દેશ મુજબ આચારસંહિતા અમલીકરણ સમિતિ દ્વારા તત્કાલ કામગીરી શરૃ ... વધુ વાંચો »

Mar 19, 2024
ટ્રકની એનઓસી બાબતે અંબર ચોકડી પાસે યુવકને ધોકાવાયોઃ જામનગર તા. ૧૯ઃ જામનગરના ભીમવાસમાં ગઈકાલે એક યુવાને પિતા પાસે વાપરવાના પૈસા માગતા અને માતાએ કામ-ધંધો કરવાનું કહેતા પુત્રએ ગાળો ભાંડી ધમકી આપી હતી. જ્યારે એક ટ્રકની એનઓસી બાબતે બોલાચાલી પછી અંબર ચોકડી પાસે યુવાન પર ત્રણ શખ્સે ધોકા, પાઈપથી હુમલો કરી ફ્રેક્ચર કરી નાખ્યા હતા. ઉપરાંત લાખાબાવળમાં એક યુવાનને ધોકો ફટકારી પગ ભાંગી નખાયો હતો અને બે સપ્તાહ પહેલાં બાલાજી પાર્કમાં થયેલી મારામારીની સામા પક્ષે વળતી ફરિયાદ નોંધાવી છે. જામજોધપુરમાં બીજાના ઝઘડામાં વચ્ચે પડેલા યુવાનને બે મહિલા સહિત ચારે માર માર્યાે હતો. વધુ વાંચો »

Mar 19, 2024
ખંભાળીયા તાલુકાના શક્તિનગર વિસ્તારમાં માલધારીના ઘેટાઓના ફૂડ પોઈઝનીંગથી સામૂહિક રીતે પ્રથમ પાંચ ઘેટા તથા પછી ચાર એમ નવ ઘેટા મૃત્યુ પામ્યા હતાં. બનાવ અંગે વિહિપના પ્રવિણસિંહ કંચવા તથા ભમબાપુ દ્વારા પશુપાલન વિભાગને જાણ કરાતા જિલ્લા પશુપાલન અધિકારી ડો. ગોરીયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પશુ ડોકટર અતુલ પટેલ તથા સ્ટાફ દ્વારા તુરત દોડી જઈને મૃતક ઘેટાના નિકાલ તથા પી.એમ. અને બાકીના જે ફૂડ પોઈઝનીંગ થયેલ તેવા ૧૪ ઘેટાઓની સારવાર સમયસર કરાવીને તેમને બચાવી લેતા ગરીબ માલધારીને રાહત થઈ હતી.   જો આપને આ  વધુ વાંચો »

Mar 19, 2024
રોગચાળો વકરવાની દહેશતઃ જામ્યુકો કૃપયા ધ્યાન દે.. જામનગર તા. ૧૯ઃ જામનગરના અમુક વિસ્તારમાં વિતરણ થતું પાણી ડહોળું હોવાથી અને પીવા લાયક નહીં હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. જામનગરના બેડીના અમુક વિસ્તારમાં ડહોળુ પાણી વિતરણ થતું હોવાની ફરિયાદ સ્થાનિક આગેવાન અનવર નુરમામદ સંઘાર દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. આ પછી હવે પંચેશ્વર ટાવર, હવાઈ ચોક સેન્ટ્ર્રલ બેંક, સેતાવાડ, વિસ્તારમાં પણ ડહોળા પાણી વિતરણ અંગેની ફરિયાદ ઉઠવા પામી છે. આથી સત્વરે મહાનગર પાલિકાની વોટર વર્કસ શાખાએ વિતરણ થતાં પાણીના નમુનો લઈ તેને ટેસ્ટીંગ કરાવવું જોઈએ અથવા તો લાઈન ... વધુ વાંચો »

Mar 19, 2024
એક શખ્સની ધરપકડ, બેના નામ ખૂલ્યાઃ જામનગર તા. ૧૯ઃ જામજોધપુરના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતી એક બોલેરોને રોકાવી પોલીસે ચેક કરતા તેમાંથી ૧૨૦૦ લીટર દેશી દારૃ મળી આવ્યો હતો. આ જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરાઈ છે અને બેના નામ ખૂલ્યા છે. જામજોધપુરમાં પોલીસ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમિયાન બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતી જીજે-૧૫-વાયવાય ૨૦૨૪ નંબરની બોલેરો નીકળતા તેને શકના આધારે રોકવામાં આવી હતી. તે બોલેરોની તલાશી લેવાતા તેમાંથી ૧૨૦૦ લીટર દેશી દારૃ નીકળી પડ્યો હતો. પોલીસે દારૃનો જથ્થો, એક મોબાઈલ, રૃા.સાડા ત્રણ લાખની બોલેરો ... વધુ વાંચો »

Mar 19, 2024
ભાટીયા તા. ૧૯ઃ સૌરાષ્ટ્ર કેલ્સાઈન બોકસાઈટ એન્ડ  એલાઈડ ઈન્ડસ્ટ્રીઝ લિ. (સ્કેબલ) કંપની દ્વારા દર વર્ષની જેમ આ વરસે પણ દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં જઈ રહેલા પદયાત્રીઓ માટે ઝાંખર રોડ પર સેવા કેમ્પનું આયોજન તા. ૧૭-૩ થી તા.રર-૩ સુધી કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં પદયાત્રીઓ માટે દરરોજ સવારે ગાઠીયા-જલેબી સાંજે મીકસ ભજીયા તેમજ ચા-શેરડીનો રસ, બન્ને ટાઈમ બન્ને ટાઈમ ભોજન (અલગ અલગ મીઠાઈ સાથે), આરામ કરવાની વ્યવસ્થા, ડી.જે.ના સથવારે રાસ-ગરબા, તેમજ જરૃરી દવાઓ વિગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કેમ્પનું આયોજન કંપનીના ડિરેકટર શૈલેષભાઈ રાયચૂરા તથા કિશનભાઈ પાબારી અને જયભાઈ પાબારી  અને દ્વારા સફળતા પૂર્વક અને દેખરેખ હેઠળ કરવામાં આવ્યું છે. વધુ વાંચો »

Mar 19, 2024
પબ્લિક મનીનો જરા પણ હિસ્સો હોય તેવી જામનગર તા. ૧૯ઃ જાહેર નાણાનો હિસ્સો ધરાવતી તમામ સંસ્થાઓ, કચેરીઓ તથા રાજકીય પક્ષોએ ચૂસ્તપણે આદર્શ આચારસંહિતાનો અમલ કરવાનો રહેશે. તેમ જિલ્લા ચૂંટણી અધિકારી બી.કે. પંડ્યાએ જણાવ્યું છે. ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ તા. ૭-પ-ર૦ર૪ ના યોજવા માટેનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. આથી તા. ૧૬-પ-ર૦ર૪ ના ભારતના ચૂંટણી પંચે બહાર પાડેલ રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે આદર્શ આચારસંહિતા, અધિકારી તથા કર્મચારીઓની બદલી પર પ્રતિબંધ સહિતની મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટેની તમામ સૂચનાઓ અમલમાં આવેલ છે. વધુ વાંચો »

Mar 19, 2024
ગુલાબનગરમાંથી પકડાઈ ચાર બોટલઃ જામનગર તા. ૧૯ઃ જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી પોલીસે એક શખ્સને દારૃની ચાર બોટલ સાથે પકડી પાડ્યો છે. જ્યારે શંકરટેકરી સ્થિત સિદ્ધાર્થ કોલોનીમાં એક મકાનમાંથી દારૃની ૧૮ બોટલ પોલીસે કબજે કરી છે. જામનગરના ગુલાબનગર વિસ્તારમાં અખાડા ચોક પાસે ગઈકાલે સાંજે પસાર થતાં મુન્ના લાખાભાઈ પીપરીયા નામના શખ્સને પોલીસે રોકાવી ચેક કરતા તેના કબજામાંથી દારૃની ચાર બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ તથા એક મોબાઈલ કબજે કરી ગુન્હો નોંધ્યો છે. જામનગરની શંકરટેકરીમાં આવેલી સિદ્ધાર્થ કોલોનીની શેરી નં.૬માં દીપ અનિલભાઈ સોંદરવા નામના શખ્સના મકાનમાં ગઈકાલે સાંજે પોલીસે ... વધુ વાંચો »

Mar 19, 2024
જેના પર ૩૬ લાખનું ઈનામ હતુ તેવા રાયપુર તા. ૧૯ઃ છતીસગઢમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટર દરમિયાન ૩૬ લાખનું ઈનામ ધરાવતા ચાર નકસલીને ઠાર કર્યા છે. છત્તીસગઢ-મહારાષ્ટ્ર સરહદે આ એન્કાઉન્ટર થયું હતું. છતીસગઢમાં નકસલવાદીઓને મોટો ઝટકો લાગ્યો છે. મંગળવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં ૩૬ લાખ રૃપિયાનું ઈનામ ધરાવતા ચાર નકસલવાદી કમાન્ડર માર્યા ગયા હતાં. મંગળવારે સવારે છતીસગઢ અને મહારાષ્ટ્રની સરહદ પર આ એન્કાઉન્ટર થયું હતું. મળતી માહિતી મુજબ, સી૬૦ કમાન્ડોને નકસલવાદીઓની હિલચાલની માહિતી મળી હતી, જેના પછી આસપાસના વિસ્તારમાં નાકાબંધી કરવામાં આવી હતી અને નકસલવાદીઓને ઘેરી લેવામાં આવ્યા હતાં. બંને ... વધુ વાંચો »

Mar 19, 2024
ઉનાળાએ પકડી રફ્તાર... રહેજો તૈયાર... જામનગર તા. ૧૯ઃ જામનગરમાં ઉનાળાએ ગતિ પકડી લીધી છે. આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો વધુ ૧.પ ડીગ્રી ઊંચકાયને ૩૬.પ ડીગ્રીએ પહોંચી ગયો હતો. જામનગરમાં માર્ચ માસના મધ્યાંતર પછી ઉનાળાએ હવે ગતિ પકડી લીધી છે. ૪ દિવસમાં તાપમાન ૬ ડીગ્રી વધ્યા પછી આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો વધુ ૧.પ ડીગરી ઊંચકાયને ૩૬.પ ડીગ્રીએ પહોંચી ગયો હતો. આમ ગત્ પાંચ જ દિવસમાં તાપમાનમાં ૭.પ ડીગ્રીનો વધારો થયો છે. મહત્તમ તાપમાનમાં થઈ રહેલા વધારાના પગલે દિન-પ્રતિદિન ગરમીમાં વધારો ... વધુ વાંચો »

Mar 19, 2024
લોકસભા ચૂંટણી ર૦ર૪ જામનગર તા. ૧૯ઃ લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ નું મતદાન મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે જોવાનો ચૂંટણી પંચનો અધિકાર રહેલો છે. તે માટે ચૂંટણી સંબંધી પ્રચાર માટે કે આવેદનપત્ર આપવાના હેતુથી કે દેખાવો યોજવાના હેતુથી જાહેર સ્થળોએ લોકો ટોળા સ્વરૃપે એકઠા કે પ્રસાર થાય તો લોકોમાં ભયમુક્ત વાતાવરણ ઊભું કરવાનો હેતુ જળવાય નહીં તેથી સમગ્ર જિલ્લામાં જરૃરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું ભાવેશ એન. ખેર, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, જામનગર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ ની કલમ ૧૪૪ હેઠળ જામનગર જિલ્લામાં ચાર કરતા વધારે વ્યક્તિઓની મંડળી કોઈએ ... વધુ વાંચો »

Mar 19, 2024
કલેક્ટરે બેન્ક મેનેજરોની બેઠક યોજીઃ ખંભાળીયા તા. ૧૯ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારીની અસામાન્ય અને શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન અંગે વિવિધ બેન્ક મેનેજરો સાથે ચૂંટણી સંદર્ભે બેઠક યોજાઈ હતી જેમાં અસામાન્ય ટ્રાન્ઝેક્શન અંગે ચૂંટણી તંત્રનું ધ્યાન દોરવા બેન્ક મેનેજરોને કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી જી.ટી.પંડ્યાએ સૂચનાઓ આપી હતી. લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જી.ટી. પંડ્યાએ જિલ્લાની વિવિધ બેન્કોના મેનેજરો અને પ્રતિનિધિઓ સાથે કલેકટર કચેરીમાં ખાસ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર જી.ટી. પંડ્યાએ બેન્ક પ્રતિનિધિઓને ચૂંટણી સમયગાળા દરમિયાન થનારા પ્રત્યેક શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનની જાણકારી બાબતે દેખરેખ રાખી ચૂંટણી વિભાગને માહિતીગાર કરવા  જણાવ્યું હતું. કોઈ સામાન્ય ... વધુ વાંચો »

Mar 19, 2024
આજથી તમામ ધોરીમાર્ગાે પર થશે સઘન ડ્રાઈવઃ લોકસભાની ચંંંૂટણીઓનું આગામી ૭ મેના દિને મતદાન યોજાવાનું છે તે પહેલા લાગુ પડેલી આચારસંહિતાના પગલે આજથી ચૂંટણીપંચ અને પોલીસ દ્વારા ધોરીમાર્ગાે પર ચાંપતી નજર રાખવાનું શરૃ કરી દેવામાં આવ્યું છે. રોકડ રકમ કે ચૂંટણી લડત સાહિત્ય સહિતની ચીજવસ્તુઓની હેરફેર પર નજર રાખવા માટે આજથી ડ્રાઈવનો પ્રારંભ કરાયો છે.   જો આપને આ પોસ્ટ ગમી હોય  વધુ વાંચો »

Mar 19, 2024
દ્વારકામાં યોજાનારા ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે આવી રહેલા પદયાત્રીઓની સલામતી માટે  દ્વારકા જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયની સૂચના અને ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના સુપરવિઝન હેઠળ જિલ્લા ટ્રાફિક શાખાના પીએસઆઈ વી.એમ. સોલંંકી, ટ્રાફિક પોલીસ દ્વારા રેડિયમ રીફલેક્ટર પટી લગાવવામાં આવી રહી છે અને યાત્રીકોને સૂચન કરવામાં આવી રહ્યું છે. જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો વધુ વાંચો »

Mar 19, 2024
બે સપ્તાહ પૂર્વે બન્યો હતો બનાવઃ જામનગર તા. ૧૯ઃ જામનગરના ગોકુલનગર પાસે શિવનગરમાં બે સપ્તાહ પૂર્વે રમતા રમતા એક બાળક જીવંત વીજવાયરને અડકી જતાં તેને વીજ આંચકો લાગ્યો હતો. આ બાળકનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. પોલીસે તેના પિતાનું નિવેદન નોંધ્યું છે. જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા પાણાખાણ પાસેના શિવનગરની શેરી નં.૮માં રહેતા મૂળ બિહાર રાજ્યના ભાગલપુર જિલ્લાના ઇંગ્લીશ ગામના વતની રામજીભાઈ હલદરભાઈ રાય નામના શ્રમિક મજૂરીકામ કરી પેટીયુ રળે છે. આ શ્રમિકનો દસ વર્ષનો પુત મનીષ ગઈ તા.૩ની સાંજે પોતાના ઘર પાસે રમતો હતો ત્યારે આ બાળક ઘર ... વધુ વાંચો »

Mar 19, 2024
ફાયરબ્રિગેડના જવાનો દોડ્યાઃ જામનગરના બેડી વિસ્તારમાં પોલીસચોકી પાછળ આવેલી ગિરીરાજસિંહ રાઠોડ નામના આસામીની ખેતરની વીડીમાં સોમવારે બપોરે કોઈ કારણથી આગ ભભૂકતા દોડી ગયેલા ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી તેને કાબુ કરી હતી.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us:  વધુ વાંચો »

Mar 19, 2024
એકલી લોકસભાની ચૂંટણીમાં જ રૃા. ૧.ર૦ લાખ કરોડના ખર્ચની ધારણા નવી દિલ્હી તા. ૧૯ઃ ભારતમાં પંચાયતથી પાર્લામેન્ટ સુધીની ચૂંટણીઓ પાછળ અંદાજે પ્રત્યેક મુદ્ત દીઠ રૃા. ૧૦ લાખ કરોડથી વધુનો ખર્ચ થતો હોય છે. આનો કોઈ ઉપાય શોધવો જોઈએ, તેવા જનપ્રત્યાઘાતો છે. વિશ્વની સૌથી મોંઘી ચૂંટણી ભારતમાં યોજાય છે. આ સમયગાળા દરમિયાન રાજકીય પક્ષો પાણીની જેમ પૈસા ખર્ચે છે. જો આપણે ગ્રામ પંચાયતથી લઈને લોકસભા સુધીની ચૂંટણીઓ માટેનો એક વખતનો ખર્ચ ઉમેરીએ તો તે રૃા. ૧૦ લાખ કરોડને પાર કરે છે. સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝ અનુસાર જો એકસાથે એક સપ્તાહમાં તમામ ... વધુ વાંચો »

Mar 19, 2024
જામનગર સહિત અન્ય જિલ્લાઓમાંથી દ્વારકા શહેરમાં યોજાનારા આગામી ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે સંખ્યાબંધ પદયાત્રીઓ દ્વારકા તરફ કૂચ કરી રહ્યા છે. ત્યારે જામનગરના પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.કે. પટેલ તથા સ્ટાફે પદયાત્રીઓને રીફલેક્ટર જેકેટ તથા રેડીયમ પટી વિતરણ કરી હતી.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... વધુ વાંચો »

Mar 19, 2024
બીઆરએસ મહિલા નેતાએ પોતાની ધરપકડને સુપ્રિમ કોર્ટમાં પડકારીઃ નવી દિલ્હી તા. ૧૯ઃ ઈ.ડી.એ દાવો કર્યો છે કે કેજરીવાલ અને મનિષ સિસોદિયાને દક્ષિણ ભારતની મહિલા નેતા કે. કવિતાએ પોતાને અનુકૂળ શરાબનીતિ દિલ્હી સ્ટેટ માટે ઘડવાના હેતુથી રૃા. ૧૦૦ કરોડ આપ્યા હતાં. સૂત્રોના જણાવ્યા મુજબ આ અંગે ઈ.ડી.એ ર૪પ દરોડા પાડીને અત્યાર સુધી ૧પ ની ધરપકડ કરી છે. દક્ષિત ભારતની મહિલા નેતા કે. કવિતાએ અરવિંદ કેજરીવાલ, મનિષ સિસોદીયા સહિતના આપના ટોચના નેતાઓ સાથે મળીને દિલ્હી એક્સાઈઝ નીતિનો લાભ ઊઠાવવા માટે કાવતરૃ ઘડ્યું હતું તેમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ એક નિવેદનમાં જણાવ્યું છે. વધુ વાંચો »

Mar 19, 2024
મંગળની અમંગળ પ્રભાતઃ મુંબઈ તા. ૧૯ઃ શેરબજારની શરૃઆત આજે પણ શુભ રહી ન હતી. અઠવાડિયાના બીજા જ દિવસે બજારમાં કડાકો જોવા મળી રહ્યો છે. આજે બીએસઈ સેન્સેકસ અને એનએસઈ નિફટીની શરુઆત નુકસાન સાથે થઈ હતી. જેથી મંગળવારની સવાર શેરબજાર માટે અમંગળ રહી હતી. સવારે બીએસઈ સેન્સેકસ ર૮પ પોઈન્ટના જંગી ઘટાડા સાથે ૭ર૪૬ર પર ખુલ્યો હતો, જ્યારે એનએસઈ નિફટીએ ૧૦૯ પોઈન્ટ ઘટાડા સાથે ર૧૯૪૬ ના સ્તર પર આજના કારોબારની શરૃઆત કરી હતી. છેલ્લા અહેવાલો મુજબ સેન્સેકસ ૬૦૦ થી વધુ પોઈન્ટ તૂટ્યો હતો. જ્યારે નિફટી ૧૭૧ પોઈન્ટના જંગી ઘટાડા સાથે ર૧૮૮૪ ના ... વધુ વાંચો »

Mar 19, 2024
સ્વીસ સંસ્થાના વર્લ્ડ એર કર્વોલિટી રિપોર્ટમાં દાવો નવી દિલ્હી તા. ૧૯ઃ દુનિયામાં પ્રદૂષણના મામલે દેશની રાજધાની દિલ્હી વિશ્વભરની રાજધાનીઓમાં પ્રથમ સ્થાને રહી છે. સ્વીસ સંસ્થાના એર ક્વોલિટી રિપોર્ટ મુજબ ૧૩૪ દેશોમાં ભારતનું પ્રદૂષણના મામલે ત્રીજુ સ્થાન છે, જ્યારે શહેરોમાં બિહારનું બેગુસરાય સૌથી વધુ પ્રદૂષિત ગણવામાં આવ્યું છે. સ્વીસ જુથ આઈક્યુ એરએ વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરો અને દેશની રાજધાનીઓની યાદી બહાર પાડી છે. જેમાં ભારતની રાજધાની દિલ્હી ફરી એકવાર વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની બની ગઈ છે. પીઈટીએઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર બિહારનું બેગુસરાય વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં છે. વધુ વાંચો »

અર્ક

  • જે વ્ય્કતિ સારૃં કામ કરે છે તે ક્યારેય આદરનો ભૂખ્યો નથી હોતો, તેનું કામકાજ તેને સન્માનને પાત્ર બનાવે છે.

વિક્લી ફિચર્સ

ફોટો સમાચાર

રાશિ પરથી ફળ

Aries (મેષ: અ-લ-ઈ)

તા. ૧૯-૦૩-ર૦૨૪, મંગળવાર અને ફાગણ સુદ-૯: નોકરી-ધંધાના કામમાં આપે શાંતિથી દિવસ પસાર કરી લેવો. જમીન-મકાન-વાહનના કામમાં ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તા. ૧૯-૦૩-ર૦૨૪, મંગળવાર અને ફાગણ સુદ-૯: મહત્ત્વના નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં. સંતાનના પ્રશ્ને ચિંતા-ઉચાટ-ખર્ચ જણાય. શુભ ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

તા. ૧૯-૦૩-ર૦૨૪, મંગળવાર અને ફાગણ સુદ-૯: કોર્ટ-કચેરીના કાર્યમાં આપને કોઈને કોઈ રૂકાવટ-આવ્યા કરે. નાણાકીય લેવડ-દેવડમાં ધ્યાન ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

તા. ૧૯-૦૩-ર૦૨૪, મંગળવાર અને ફાગણ સુદ-૯: માનસિક પરિતાપ-વ્યગ્રતા રહ્યાં કરે. વિચારોની દ્વિધા-અસમંસતાને લીધે નિર્ણય લેવામાં મુશ્કેલી ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

તા. ૧૯-૦૩-ર૦૨૪, મંગળવાર અને ફાગણ સુદ-૯: સામાજિક, વ્યવહારિક કામમાં આપે ઉતાવળ કરવી નહીં. નાણાકીય કાર્યમાં સાવધાની ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તા. ૧૯-૦૩-ર૦૨૪, મંગળવાર અને ફાગણ સુદ-૯: આડોશ-પાડોશ-સહકાર્યકર વર્ગ, નોકર-ચાકરવર્ગ સાથે વાદ-વિવાદ, ગેરસમજથી સંભાળવું પડે. શુભ રંગઃ ગ્રે ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

તા. ૧૯-૦૩-ર૦૨૪, મંગળવાર અને ફાગણ સુદ-૯: આપ હરો-ફરો, કામકાજ કરો, પરંતુ આપના હ્ય્દય-મનને શાંતિ-રાહત જણાય નહીં. ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તા. ૧૯-૦૩-ર૦૨૪, મંગળવાર અને ફાગણ સુદ-૯: વાણીની સંયમતા રાખીને કામકાજ કરવું. સંતાનના પ્રશ્ને આપને ચિંતા-પરેશાની જણાય. ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તા. ૧૯-૦૩-ર૦૨૪, મંગળવાર અને ફાગણ સુદ-૯: આપના કાર્યમાં હરીફવર્ગ, ઈર્ષા કરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરવાના પ્રયાસ ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

તા. ૧૯-૦૩-ર૦૨૪, મંગળવાર અને ફાગણ સુદ-૯: જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં ઉતાવળ કરવી નહીં. મહત્ત્વના નિર્ણય ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

તા. ૧૯-૦૩-ર૦૨૪, મંગળવાર અને ફાગણ સુદ-૯ : તબિયતની અસ્વસ્થતાને લીધે કામમાં મન લાગે નહીં. નાણાકીય રોકાણ-વ્યવહારના ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તા. ૧૯-૦૩-ર૦૨૪, મંગળવાર અને ફાગણ સુદ-૯: યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતમાં સાવધાની રાખવી પડે. પરદેશના કામમાં મુશ્કેલીનો સામનો કરવો ... વધુ વાંચો »

Aries (મેષ: અ-લ-ઈ)

તમારા માટે આનંદદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના માટે ઉત્સાહવર્ધક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

તમારા માટે વાદ-વિવાદ ટાળવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

આપના માટે કાર્યબોજ વધારનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

તમારા માટે તડકા-છાયા જેવી પરિસ્થિતિનો અનુભવ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના માટે સ્વાસ્થ્યની કાળજી રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

આપના માટે આકસ્મિક લાભ અપાવતું સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે. આ સપ્તાહમાં નાણાનો પ્રવાહ ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તમારા માટે ખર્ચ-વ્યય કરાવતું સપ્તાહ શરૂ થાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન સુખ-સગવડ પાછળ નાણાનો ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના માટે ભાવનાત્મક સપ્તાહ શરૂ થઈ ચૂક્યું છે. આ સમય દરમિયાન ઘર-પરિવારના સદસ્યો સાથે સમય ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

આપના માટે પ્રવાસ-મુસાફરી કરાવતું સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે. આ સમયગાળા દરમિયાન બહારગામ જવાનું ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

તમારા માટે નવી કાર્યરચનાનું આયોજન કરતું સપ્તાહ શરૂ થઈ રહ્યું છે. આ દિવસો દરમિયાન રોજબરોજના ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના માટે શુભ-સમાચાર સાથે લાવતું સપ્તાહ શરૂ થઈ રહ્યું છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ભાગ્યનો ... વધુ વાંચો »

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

MARKET

શબ્દવ્યુહ

crossword

હવામાન

Jamnagar, Gujarat, India

વિક્લી ફિચર્સ

Advertisement
close
Ank Bandh