Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના બહેનપણીએ પણ કર્યાે હતો આપઘાતઃ
ખંભાળિયા તા. ૧૮: ખંભાળિયાના આથમણાબારા ગામની એક પરિણીતાએ પોતાના પતિને કૌટુંબિક ભાઈ સાથે થયેલી માથાકૂટ પછી ઝેરી દવા પીધી હતી. તે દરમિયાન એક અપરિણીત યુવતીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ યુવતીની બહેનપણીએ આત્મહત્યા કર્યા પછી મૃતક યુવતી તથા તેના ભાઈ પર થતાં આક્ષેપથી આ યુવતીએ આત્મહત્યા કર્યાની ફરિયાદ થતાં પોલીસે સાત આરોપીની ધરપકડ કરી જેલહવાલે કર્યા છે.
ખંભાળિયા તાલુકાના આથમણાબારા ગામમાં રહેતા ધર્મિષ્ઠાબા રાજેન્દ્રસિંહ પરમાર નામના મહિલાએ પતિ રાજેન્દ્રસિંહને પોતાના કૌટુંબીક ભાઈ સાથે થયેલી બોલાચાલીનું દુખ રાખી ગયા મહિનામાં ઝેરી દવા પી લીધી હતી. તે પછી ધર્મિષ્ઠાબાનું સારવારમાં મૃત્યુ નિપજ્યું હતું. ઉપરોક્ત બનાવ પછી હરપાલસિંહ મહિપતસિંહ પરમારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ તેમના કૌટુંબિક ભાઈ રાજેન્દ્રસિંહ સાથે જયપાલસિંહ મહિપતસિંહ પરમારને બોલાચાલી થતાં ધર્મિષ્ઠાબાએ દવા પીધી હતી. હરપાલસિંહના બહેન ઈલાબા મહિપતસિંહ પરમાર ઉર્ફે કુસુમબા (ઉ.વ.ર૪) અગાઉ ધર્મિષ્ઠાબાના બહેનપણી હતા. ધર્મિષ્ઠાબાની આત્મહત્યા પછી રાજેન્દ્રસિંહે જયપાલસિંહ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેથી ધર્મિષ્ઠાબાએ દવા પી લીધી હતી.
ઉપરોક્ત ગુન્હામાં ભીખુભા ઉમેદસંગ જાડેજા, રાજેન્દ્રસિંહ નવુભા, નટુભા દેવુભા, ભગીરથસિંહ નટુભા, માનકુંવરબા નટુભા, મહોબતસિંહ જોરૂભા જાડેજા, પૂજાબા મહોબતસિંહ જાડેજા નામના આઠ વ્યક્તિ સામે ગુન્હો નોંધાયો હતો. જેમાંથી સાત આરોપીની પોલીસે ધરપકડ કરી અદાલતમાં રજૂ કરતા તેઓને જેલહવાલે કરાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial