Advertisement
Author: નોબત સમાચાર

સંત ફગુણરામ સાહિબના ૪૩ મી વર્ષી મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો

નાનકપુરી-જામનગરમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: સંત ફગુણરામ સાહેબના ૪૩ મા વર્ષી મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો શ્રી ગુરુનાનક દેવ મંદિર-સંત ફગુણરામ સાહેબ દરબાર, નાનકપુરી, જામનગરમાં યોજવામાં આવ્યા છે. જેમાં તા. ર૦/૭ ના 'એક શામ સાઈ ઝુલેલાલ અને સંત ફગુણરામ સાહેબ કે નામ' કાર્યક્રમ, બપોરે ૧-૧૩ વાગ્યે દુઆ સાહિષ નેમ, સાંજે ૭ વાગ્યે ઉલ્લાસનગરના ગાદિપતિ બાબા સાઈ કાલિરામનો સત્સંગ અને કથાનો કાર્યક્રમ, ત્યારપછી લંગર પ્રસાદ (ભંડારા) રાખવામાં આવ્યો છે.

તા. રર/૭ ને સવારે ૧૦ વાગ્યે અખંડપાઠ સાહિબનો પ્રારંભ, તા. ર૪/૭ ના સવારે ૬-૩૦ વાગ્યે પ્રભાતફેરી અને સવારે ૧૦ વાગ્યે અખંડપાઠ સાહિબ પ્રારંભ અને અખંડપાઠ ભોગ સાહિબ યોજાશે. ઉલ્લેખનિય છે કે ઉલ્લાસનગરના ગાદિપતિ બાબા સાઈ કાલીરામ અને સાઈ વસણસાહ દરબાર જામનગરમાં પ્રથમ વખત પધારી રહ્યા છે. વધુ વિગત માટે વિક્કી આીહુજા મો. ૯૦૩૩૦ પ૧૩૧૩ નો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh