Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભવ્યા ફાઉન્ડેશન દ્વારા અનેરી સિદ્ધિઓ માટે
જામનગર તા. ૧૯: જામનગરના ૯૨ વર્ષીય કાંતાબેન સિદ્ધપુરાને તેમની અનેરી સિદ્ધિઓ માટે જયપુરમાં ભવ્યા ફાઉન્ડેશન દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય મૈત્રી સંમેલનમાં "ભારત શ્રી સન્માન" થી સન્માનિત કરાયા હતા. કાંતાબેને જામનગરના પ્રસિદ્ધ હિન્દી સાહિત્યકાર ડો. હંસા સિદ્ધપુરાના માતાને જયપુરમાં યોજાયેલા વૈશ્વિક મૈત્રી સંમેલનમાં તેમની અનોખી સિદ્ધિઓ જેવી કે ૧૮ પુરાણોનું ગહન અધ્યયન, હરિવંશ, ભક્તમાળ, અનેક મીમાંસા તથા લગભગ બધા ધાર્મિક ગ્રંથોનું અધ્યયન કર્યું છે, હજુ આ ઉંમરે પણ તેઓનું વાચન કાર્ય સતત ચાલુ છે, કૃષ્ણ ભક્તિ ભજન ગાયન-લેખન તેમનો શોખ છે, ક્રિએટિવ આઈડિયાથી સુંદર આસન બનાવવા, મોતીના આકર્ષક રમકડાં, રંગોળી ડ્રોઈંગ તથા અનેક મિષ્ટાન બનાવામાં પારંગત કાંતાબેનની હસ્તકલાથી પ્રભાવિત થઈ ભવ્યા ફાઉન્ડેશનના સંસ્થાપક ડો. શૈલેન્દ્ર માથુર અને ડો. નિશા માથુરે કાંતાબેનને "ભારત શ્રી સન્માન" થી નવાજ્યા હતાં. ૯૨ વર્ષની વયે આજે પણ પોતાનું કામ જાતે જ કરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial