Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ગુલાબનગરમાં ઘુઘરાના વેપારીને દૂર કરવા માંગ

આડેધડ વાહનો પાર્ક થતા હોવાથી હાલાકીઃ

                                                                                                                                                                                                      

 જામનગર તા. ૧૯: જામનગરના ગુલાબનગર વિસ્તારમાં જાહેર રોડ ઉપર ઘુઘરા વેંચતા હોવાથી ત્યાં નાસ્તો કરવા આવતા ગ્રાહકો આડેધડ વાહનો પાર્ક કરતા હોવાથી ટ્રાફિક સમસ્યા ઊભી થાય છે. આ વિસ્તારમાં દુકાન ચલાવતા ધવલભાઈ ગૌસ્વામીએ મ્યુનિ. કમિશ્નરને પત્ર પાઠવી રજૂઆત કરતા જણાવ્યું છે કે ગુલાબનગરમાં પોતાની દુકાન પાસે ઘુઘરા વેચનાર ઊભો રહે છે ત્યાં નાસ્તો કરવા આવનારા ગ્રાહકો આડેધડ પોતાના વાહનો પાર્ક કરે છે. આથી પોતાની દુકાને આવનાર ગ્રાહકોને મુશ્કેલી પડે છે. પહેલા રેંકડી દ્વારા ઘુઘરા વેચાતા હતા, હવે થાલો રાખીને ઊભા રહે છે અને ત્યાં ગંદકી કરે છે, આથી સત્વરે ઘુઘરાવાળા ધંધાર્થીને ત્યાંથી ખસેડવામાં આવે તે જરૂરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh