Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં સ્થાનિક રહેવાસીઓ દ્વારા
જામનગર તા. ૧૯: જામનગરના લાલવાડી વિસ્તારમાં માર્ગોમાં ઠેર-ઠેર ખાડા-કાદવ-કિચડ જોવા મળે છે. આ મુદ્દે તંત્રને ઢંઢોળવાના હેતુથી વિસ્તારના સ્થાનિક રહેવાસીઓ દ્વારા ધાર્મિક વિધિ સાથે ખાડાપૂજન કરવામાં આવ્યું હતું.
શહેરના લાલવાડી વિસ્તારની સીતવન અને સંસ્કારધામ સોસાયટીમાં કાદવ-કિચડ જોવા મળે છે, રોડમાં ખાડા પડ્યા છે, સ્ટ્રીટલાઈટોનો અભાવ છે, આ તમામ પ્રાથમિક સુવિધાની સમસ્યાથી રહેવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.
આ બાબતે સ્થાનિક નગર સેવકો સમક્ષ રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. આથી નારાજ લોકોએ ખાડાનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરી નવતર વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને તંત્રને જગાડવા પ્રયત્ન કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial