Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભરપાઈ થયેલી રકમ પર ચૂકવવું પડશે વ્યાજઃ
જામનગર તા. ૧૪: જામનગરના એક આસામીને ૧ર વર્ષ પહેલાં રૂ.૫૬ હજાર ઉપરાંતનું પુરવણી બીલ આપી ફોજદારી ફરિયાદ કરાઈ હતી. વાંધા સાથે બીલ ભર્યા પછી ગ્રાહકે અદાલતમાં દાવો કર્યાે હતો. ભરપાઈ થયેલી રકમ વ્યાજ સાથે પરત આપવા અદાલતે વીજ કંપનીને હુકમ કરી દાવાનો ખર્ચ ચૂકવવા આદેશ કર્યાે છે.
જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં રવિકુટી કુંજુચેરૂકન અય્યપન નામના આસામીને ત્યાં જૂન ૨૦૧૩માં વીજ કંપનીએ જૂનું મીટર કબજે કરી નવું મીટર લગાડ્યું હતું. તે પછી વીજચોરીનો આક્ષેપ મૂકી રવિકુટીને રૂ.૫૬,૯૧૭નું બીલ અપાયું અને ફોજદારી ફરિયાદ કરાઈ હતી.
તે રકમ વાંધા સાથે ભર્યા પછી રવિકુટીએ અદાલતમાં દાવો કર્યાે હતો. તે દાવો ચાલી જતા અદાલતે વીજચોરીનો આક્ષેપ ખોટો ઠરાવી ગ્રાહકે ભરેલી રકમ છ ટકા વ્યાજ સાથે પરત આપવા અને દાવાનો ખર્ચ પણ ચૂકવી આપવા વીજ કંપનીને હુકમ કર્યાે છે. વાદી તરફથી વકીલ ચિરાગ નથવાણી, ધર્મેશ રાઠોડ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial