Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાઃ
જામનગર તા. ૧૨: જામનગર નજીકના સિક્કામાં એમટીએફ વિસ્તારમાં એક ટેન્ક પર સમારકામ કરી રહેલા પરપ્રાંતીય શ્રમિક ગયા બુધવારે આકસ્મિક રીતે પડી ગયા પછી ઈજા પામ્યા હતા. તેઓનંુ રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયંુ છે.
જામનગર નજીકના સિક્કા ગામમાં આવેલી શ્રીજી સોસાયટીમાં વસવાટ કરતા મૂળ પશ્ચિમ બંગાળના પુરૂલીયા જિલ્લાના રૂચપ ગામના વતની સુશાંતા સુંબેદુ મહંતો (ઉ.વ.૨૪) નામના શ્રમિક સિક્કામાં એમટીએફ એરીયામાં ગઈ તા.૫ની સાંજે કામ કરી રહ્યા હતા. આ વેળાએ ચાલી રહેલા સમારકામ વચ્ચે સુશાંતા મહંતો આકસ્મિક રીતે પડી ગયા હતા. છાતી, હાથ તથા માથામાં ઈજા પામેલા આ યુવાનને નજીકમાં આવેલા રિલાયન્સ મેડિકલ સેન્ટરમાં સારવાર માટે ખસેડાયા હતા ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સ્થિત ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયેલા સુશાંતાનું ગઈકાલે સાંજે મૃત્યુ નિપજ્યું છે. જય કિશોરભાઈ દત્તાણીએ પોલીસને જાણ કરી છે. સિક્કા પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial