Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલમાં એક દિવસ બંધ પડેલા મકાનમાંથી સોના-ચાંદીના દાગીનાની થઈ ગઈ ચોરી

કુલ રૂ.૧.પપ લાખની મત્તાની ચોરી થતાં ચકચારઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: ધ્રોલમાં મોરબી નાકા રોડ પર આવેલા એક મકાનમાં સોમવારની રાત્રિથી મંગળવારની બપોર સુધીમાં ચોરી થઈ છે. તે મકાનના નીચેના ઓરડામાં કબાટમાંથી સોના-ચાંદીના દાગીના તથા ડબ્બો મળી રૂ.૧ લાખ પપ હજારની મત્તા ચોરાઈ ગઈ છે. પોલીસે અજાણ્યા તસ્કર સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. ધ્રોલ શહેરમાં મોરબી નાકા રોડ પર પોસ્ટ ઓફિસ પાસે વસવાટ કરતા અબદેઅલી મુસ્તુફાભાઈ કાદીયાણી નામના આસામીનું મકાન સોમવારે રાત્રિથી મંગળવારની બપોર સુધી બંધ રહ્યું હતું. તે દરમિયાન તેમના મકાનમાં ખાતર પડ્યું છે.

ઉપરોક્ત મકાનમાં મુખ્ય દરવાજાનો આગળીયો ખોલી નાખી ઘૂસી ગયેલા કોઈ તસ્કરે નીચેના ભાગમાં આવેલા ઓરડા સ્થિત કબાટમાંથી સોના-ચાંદીના રૂ.૧ લાખ ૫૩ હજારની કિંમતના દાગીના તથા રૂ.ર હજારની કિંમતનો ચાંદીનો ડબ્બો ઉઠાવી લીધા હતા.

ચોરીની મંગળવારે બપોરે એકાદ વાગ્યે ઘેર આવેલા અબદેઅલીને જાણ થતાં તેઓએ મંગળવારે રાત્રે ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કુલ રૂ.૧ લાખ પપ હજારની મત્તા ચોરી જવા અંગે અજાણ્યા તસ્કર સામે ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh