દેવી કૃપાથી રાજા સુરથને તેનું રાજ્ય પાછું મળ્યું...

પૂર્વે સુરથ નામનો એક ધર્મપ્રેમી રાજા હતો. તે પોતાના રાજયનો વહીવટ ખૂબ જ સારી રીતે ચલાવતો હતો. એકવાર તેના દુશ્મનોએ તેના રાજ્ય પર હુમલો કરી દીધો. યુધ્ધમાં સુરથ રાજા હારી ગયો. આથી પોતાનો જીવ બચાવવા તે પોતાના ઘોડા ઉપર બેસી નીકળી પડ્યો. સુરથ રાજા, અચાનક સમેધા મુનિના આશ્રમે જઈ ચડ્યો. તે સુધા મુનિના ચરણોમાં દંડવત પ્રણામ કરી પોતાના જીવનની રક્ષા માટે આશિર્વાદ માગવા લાગ્યો. રાજા સુરથ પાસેથી વિગતો જાણી સુમેધા મુનિએ જણાવ્યું કે, "આ આશ્રમ તમારા માટે અત્યંત સુરક્ષિત જગ્યા છે માટે તમે અહીં જ રહી જાઓ."

સુરથ રાજીએ ત્યાં જ રહી જવાનો નિર્ણય કર્યો. ત્યાં તેની મુલાકાત સમાધિ નામના એક મોટા વેપારી સાથે થઇ. તે વેપારીની પત્ની અને પુત્રોએ વેપારીનું ધન હડપ કરી લઇ તેને કાઢી મુકેલો. તેથી તે પણ સુમેધા મુનિના આશ્રમમાં આવીને રહેતો હતો. બન્ને સમદુઃખીયા હતા. એકવાર બન્નેએ સાથે મળી સુમેધા મુનિને પૂછ્યું, "મહારાજ, અમે અત્યારે જે પરિસ્થિતિમાં રહીએ છીએ તેમાંથી અમે ક્યારે મૂક્ત થશે ? શું અમે પહેલાની જેમ સુખથી સંપન્ન થઈ શકીશું ?"

સુમેધા મુનિએ જણાવ્યું, જુઓ, આ સમગ્ર સંસાર મિથ્યા લોભ અને લાલચમાં ખૂબ જ ફસાયેલી છે. તે સંસાર મહાશક્તિ જગદંબાની ઇચ્છા અનુસાર ચાલે છે. તેમણે જ બ્રહ્મ અને મોહ ઉત્પન્ન કર્યા છે. આ માયાથી બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ પણ મુક્ત નથી રહી શક્યા. તો સામાન્ય એવો માનવી તેનાથી ક્યાંથી બચી શકે ? માટે તમે બન્નેય મા ભવાનીના શરણે જાવ. તે જ આદિશકિત જગદંબા છે. તેના પૂજન - અર્ચનથી તમારી મનોકામના પૂર્ણ થશે. આવતીકાલથી નવરાત્રી શરૃ થાય છે. તમે નવરાત્રીના નવા દિવસોમાં વ્રત રાખી તેની પૂજા - ઉપાસના કરી. ' સુમેધા મુનિ પાસેથી માતા ભવાનીના મંત્રની દિક્ષા લઈ રાજા સુરથ અને વેપારી સમાધિએ વિધિ - વિધાન સહિત નવરાત્રી વ્રતનો આરંભ કર્યો. નવમા દિવસે વ્રતનું ઉદ્યાપન કર્યું ત્યારે ભગવતી ભવાની માએ બન્નને સાક્ષાત દર્શન આપી વરદાન આપ્યું કે, " હે રાજા સુરથ, તને તારા રાજયનો મંત્રી અહીંથી આદર સહિત લઈ જશે અને ફરી રાજસિંહાસન પર બેસાડશે. અને સો વર્ષ સુધી તું ખુબ જ સુખ પૂર્વક રાજ્ય કરીશ તથા હે વેપારી સમાધિ તને પણ ખૂબ જ ધન - ધાન્યની પ્રાપ્તિ થશે.* પરંતુ વેપારી સમાધિએ મા ભવાનીના સાક્ષાત દર્શન કર્યા તેથી તેનું મન અત્યંત પ્રફુલ્લિત થઇ ગયું. તેનું હૃદયપરિવર્તન થઇ ગયું. તેણે માતાજી પાસે જ્ઞાનપ્રાપ્તિની ઈચ્છા વ્યક્ત કરી. માતાજીએ * તથાસ્તુ કહ્યું અને અંર્તધ્યાન થઈ ગયા . રાજા સુરથ અને વેપારી સમાધિ દેવી કૃપાથી સુખી થઈ ગયા.

શ્રીસપ્તશ્લોકી દુર્ગા

શિવ ઉવાચ-

દેવિ ત્વં ભક્તસુલભે સર્વકાર્યવિદ્યાયિની ા

કલૌ હિ કાર્યસિદ્ધયર્થમુપાયં યત્નતઃ ાા

દેવ્યુવાચ-

શૃણ દેવ પ્રવક્ષ્યામિ કલૌ સર્વષ્ટસાધનમ્ ા

મયા તવૈવ સ્નેહેનાપ્યમ્બાસ્તુતિઃ પ્રકાશ્યતે ાા

ઁ અસ્ય દુર્ગાસપ્તશ્લેકીસ્તોત્રમન્ત્રસ્ય નારાયણ ઋષિઃ,

અનુષ્ટુપ્ છન્દઃ, શ્રીમહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વત્યો દેવતાઃ,

ઁ જ્ઞાનિનામપિ ચેતાંસિ દેવી ભગવતી હિ સા ા

બલાદાકૃષ્ય મોહાય મહામાયા પ્રયચ્છતિ ાા૧ાા

દુર્ગે સ્મૃતા હરસિ મતિમતીવ શભાં દદાસી ા

દારિદ્રય દુઃખભયહારિણી કા ત્વદન્યા

સર્વોપકારકરણાય સદાર્દ્રચિત્તા ાારાા

સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે ા

શરણ્યે ત્ર્યમ્બકે ગૌરી નારાયણી નમોડસ્તુ તે ાા૩ાા

શરણાગતદીનાર્તપરિત્રાણપરાયણે

સર્વસ્યાર્તિહરે દેવિ નારાયણી નમોડસ્તુ તે ાા૪ાા

સર્વસ્વરૃે સર્વેશે સર્વશક્તિ સમન્વિતે ા

ભયેભ્યસ્ત્રાહિ નો દેવિ દુર્ગે નમોડસ્તુ તે ાાપાા

રોગાનશેષાનપહિંસા તુષ્ટા

રુષ્ટા તુ કામાન્ સકલાનભીષ્ટાન્ ા

ત્વામાશ્રિતાનાં ન વિપન્નરાણાં

ત્વામાશ્રિતા હ્યાશ્રયતાં પ્રયાન્તિ ાા૬ાા

સર્વાબાધાપ્રશમનં ત્રૈલોક્યસ્યાખિલેશ્વરિ ા

એવમેવ ત્વયા કાર્યમસ્મદ્વૈરિવિનાનમ્ ાા

ઈતિ શ્રીસપ્તશ્લેકી દુર્ગા સમ્પૂર્ણા ાા

ભાવાર્થ-

શિવજી બોલ્યા ઃ હે દેવી ! તમે ભક્તો માટે સુલભ છો અને સમસ્ત કાર્યોનું વિદ્યાન કરનારા છો. કળિયુગમાં કામનાઓની સિદ્ધિ માટે જો કોઇ ઉપાય હોય તો તેને તમે પોતાની વાણી વડે સમ્યક્-રૃપેવ્યક્ત કરો.

દેવીએ કહ્યું ઃ હે દેવ ! તમારો મારા પર ઘણો સ્નેહ છે . કળિયુગમાં સમસ્ત કામનાઓને સિદ્ધ કરનારું જે સાધન છે તે હું કહી બતાવીશ. સાંભળો. તે સાધનનું નામ છે. "અંબાસ્તુતિ"

ઁ આ દૂર્ગ સપ્તશ્લોકી સ્તોત્રમંત્રના નારાયણ ઋષિ છે. અનુરુપ છંદ છે, શ્રી મહાકાળી, શ્રી મહાલક્ષ્મી અને શ્રી મહાસરસ્વતિ દેવતાઓ છે. શ્રી દુર્ગાની પ્રસન્નતા માટે સપ્તશ્લોકી દૂર્ગા પાઠમાં આનો વિનિયોગ કરવામાં આવે છે.

તે ભગવતી મહાકાય દેવી જ્ઞાનીઓના પણ ચિત્તને બળપૂર્વક આકૃષ્ટ (ખેંચીને) મોહમાં નાખી દે છે. (૧) હે માં દુર્ગા ! સ્મરણ કરવાથી તમે બધા પ્રાણીઓના ભયને હરિ લો છો અને સ્વસ્થ મનુષ્ય વડે ચિંતન કરવાથી તમે તેને પરમ કલ્યાણમયી બુદ્ધિ આપો છો.

દુઃખ, દરિદ્રતા અને ભયને હરનારા હે દેવી ! તમારા સિવાય બીજું કોણ છે કે જેનું ચિત્ત બધાનો ઉપકાર કરવા સદેવ દયાર્દ્ર હોય ? (૨) હે નારાયણી ! તમે બધા પ્રકારનું મંગલ પ્રદાન કરનારા મંગલમયી છો. કલ્યાણ પ્રદાન કરનારા શિવા છો. બધા પુરુષાર્થોન સિધ્ધ કરનારા, શરણાગત - વત્સલા, ત્રણ નેત્રવાળા તેમજ ગૌરી છો. તમને નમસ્કાર છે. (૩) શરણમાં આવેલી દુઃખીયારા અને પીડિતોના રક્ષણમાં રત રહેનારા તથા બધાની પીડા દૂર કરનારા હે દેવી નારાયણી ! તમને નમસ્કાર છે. (૪) સર્વસ્વરૃપા, સર્વેશ્વરી તથા સર્વ પ્રકારની શક્તિઓથી સંપન્ન છે દિવ્યરૃપા દેવી દુર્ગા ! તમે અમારું તમામ ભયોમાંથી રક્ષણ કરો. તમને નમરકાર છે (૫) હે દેવી ! તમે પ્રસન્ન થવાથી બધા રોગોને નષ્ટ કરી દો છો અને ક્રોધિત થવાથી મનોવાંછિત બધી જ કામનાઓનો નાશ કરી દો છો, જે લોકો તમારા આશ્રયમાં (શરણમાં) આવી ચૂક્યા છે તેમના પર વિપત્તઓ તો આવતી જ નથી. તમારા શરણમાં આવેલા મનુષ્યો બીજાઓને શરણ આપનારા થઈ જાય છે (૬) હે સર્વેશ્વરી ! તમે આ જ પ્રમાણે ત્રણ લોકોના સમસ્ત વિઘ્નોનું શમન કરો અને અમારા શત્રુઓનો નાશ કરતા રહો. (૭) શ્રી સપ્તશ્લોકી દૂર્ગા સમાપ્ત

નોંધઃ આ સપ્તશ્લોકી દૂર્ગાના નિયમિત રૃપે પાઠ કરનારા ભક્તના સર્વ પ્રકારના દુઃખ નાશ પામે છે તેમજ માતાજીની કૃપાથી તેને સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

- દેવેન કે. વ્યાસ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દેવી કૃપાથી રાજા સુરથને તેનું રાજ્ય પાછું મળ્યું...

પૂર્વે સુરથ નામનો એક ધર્મપ્રેમી રાજા હતો. તે પોતાના રાજયનો વહીવટ ખૂબ જ સારી રીતે ચલાવતો હતો. એકવાર તેના દુશ્મનોએ તેના રાજ્ય પર હુમલો કરી દીધો. યુધ્ધમાં સુરથ રાજા હારી ગયો. આથી પોતાનો જીવ બચાવવા તે પોતાના ઘોડા ઉપર બેસી નીકળી પડ્યો. સુરથ રાજા, અચાનક સમેધા મુનિના આશ્રમે જઈ ચડ્યો. તે સુધા મુનિના ચરણોમાં દંડવત પ્રણામ કરી પોતાના જીવનની રક્ષા માટે આશિર્વાદ માગવા લાગ્યો. રાજા સુરથ પાસેથી વિગતો જાણી સુમેધા મુનિએ જણાવ્યું કે, "આ આશ્રમ તમારા માટે અત્યંત સુરક્ષિત જગ્યા છે માટે તમે અહીં જ રહી જાઓ."

સુરથ રાજીએ ત્યાં જ રહી જવાનો નિર્ણય કર્યો. ત્યાં તેની મુલાકાત સમાધિ નામના એક મોટા વેપારી સાથે થઇ. તે વેપારીની પત્ની અને પુત્રોએ વેપારીનું ધન હડપ કરી લઇ તેને કાઢી મુકેલો. તેથી તે પણ સુમેધા મુનિના આશ્રમમાં આવીને રહેતો હતો. બન્ને સમદુઃખીયા હતા. એકવાર બન્નેએ સાથે મળી સુમેધા મુનિને પૂછ્યું, "મહારાજ, અમે અત્યારે જે પરિસ્થિતિમાં રહીએ છીએ તેમાંથી અમે ક્યારે મૂક્ત થશે? શું અમે પહેલાની જેમ સુખથી સંપન્ન થઈ શકીશું?"

સુમેધા મુનિએ જણાવ્યું, જુઓ, આ સમગ્ર સંસાર મિથ્યા લોભ અને લાલચમાં ખૂબ જ ફસાયેલી છે. તે સંસાર મહાશક્તિ જગદંબાની ઇચ્છા અનુસાર ચાલે છે. તેમણે જ બ્રહ્મ અને મોહ ઉત્પન્ન કર્યા છે. આ માયાથી બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ પણ મુક્ત નથી રહી શક્યા. તો સામાન્ય એવો માનવી તેનાથી ક્યાંથી બચી શકે ? માટે તમે બન્નેય મા ભવાનીના શરણે જાવ. તે જ આદિશકિત જગદંબા છે. તેના પૂજન-અર્ચનથી તમારી મનોકામના પૂર્ણ થશે. આવતીકાલથી નવરાત્રી શરૃ થાય છે. તમે નવરાત્રીના નવા દિવસોમાં વ્રત રાખી તેની પૂજા-ઉપાસના કરી. ' સુમેધા મુનિ પાસેથી માતા ભવાનીના મંત્રની દિક્ષા લઈ રાજા સુરથ અને વેપારી સમાધિએ વિધિ-વિધાન સહિત નવરાત્રી વ્રતનો આરંભ કર્યો. નવમા દિવસે વ્રતનું ઉદ્યાપન કર્યું ત્યારે ભગવતી ભવાની માએ બન્નને સાક્ષાત દર્શન આપી વરદાન આપ્યું કે, "હે રાજા સુરથ, તને તારા રાજયનો મંત્રી અહીંથી આદર સહિત લઈ જશે અને ફરી રાજસિંહાસન પર બેસાડશે. અને સો વર્ષ સુધી તું ખુબ જ સુખ પૂર્વક રાજ્ય કરીશ તથા હે વેપારી સમાધિ તને પણ ખૂબ જ ધન-ધાન્યની પ્રાપ્તિ થશે.* પરંતુ વેપારી સમાધિએ મા ભવાનીના સાક્ષાત દર્શન કર્યા તેથી તેનું મન અત્યંત પ્રફુલ્લિત થઇ ગયું. તેનું હૃદયપરિવર્તન થઇ ગયું. તેણે માતાજી પાસે જ્ઞાનપ્રાપ્તિની ઈચ્છા વ્યક્ત કરી. માતાજીએ * તથાસ્તુ કહ્યું અને અંર્તધ્યાન થઈ ગયા. રાજા સુરથ અને વેપારી સમાધિ દેવી કૃપાથી સુખી થઈ ગયા.

શ્રીસપ્તશ્લોકી દુર્ગા

શિવ ઉવાચ -

દેવિ ત્વં ભક્તસુલભે સર્વકાર્યવિદ્યાયિની ા

કલૌ હિ કાર્યસિદ્ધયર્થમુપાયં યત્નતઃ ાા

દેવ્યુવાચ -

શૃણ દેવ પ્રવક્ષ્યામિ કલૌ સર્વષ્ટસાધનમ્ ા

મયા તવૈવ સ્નેહેનાપ્યમ્બાસ્તુતિઃ પ્રકાશ્યતે ાા

ઁ અસ્ય દુર્ગાસપ્તશ્લેકી

સ્તોત્રમન્ત્રસ્ય નારાયણ ઋષિઃ,

અનુષ્ટુપ્ છન્દઃ, શ્રીમહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વત્યો દેવતાઃ,

ઁ જ્ઞાનિનામપિ ચેતાંસિ દેવી ભગવતી હિ સા ા

બલાદાકૃષ્ય મોહાય મહામાયા પ્રયચ્છતિ ાા૧ાા

દુર્ગે સ્મૃતા હરસિ મતિમતીવ શભાં દદાસી ા

દારિદ્રયદુઃખભયહારિણી કા ત્વદન્યા

સર્વોપકારકરણાય સદાર્દ્રચિત્તા ાારાા

સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે ા

શરણ્યે ત્ર્યમ્બકે ગૌરી નારાયણી નમોડસ્તુ તે ાા૩ાા

શરણાગતદીનાર્તપરિત્રાણપરાયણે

સર્વસ્યાર્તિહરે દેવિ નારાયણી નમોડસ્તુ તે ાા૪ાા

સર્વસ્વરૃે સર્વેશે સર્વશક્તિ સમન્વિતે ા

ભયેભ્યસ્ત્રાહિ નો દેવિ દુર્ગે નમોડસ્તુ તે ાાપાા

રોગાનશેષાનપહિંસા તુષ્ટા

રુષ્ટા તુ કામાન્ સકલાનભીષ્ટાન્ ા

ત્વામાશ્રિતાનાં ન વિપન્નરાણાં

ત્વામાશ્રિતા હ્યાશ્રયતાં પ્રયાન્તિ ાા૬ાા

સર્વાબાધાપ્રશમનં ત્રૈલોક્યસ્યાખિલેશ્વરિ ા

એવમેવ ત્વયા કાર્યમસ્મદ્વૈરિવિનાનમ્ ાા

ઈતિ શ્રીસપ્તશ્લેકી દુર્ગા સમ્પૂર્ણા ાા

ભાવાર્થ -

શિવજી બોલ્યાઃ હે દેવી! તમે ભક્તો માટે સુલભ છો અને સમસ્ત કાર્યોનું વિદ્યાન કરનારા છો. કળિયુગમાં કામનાઓની સિદ્ધિ માટે જો કોઇ ઉપાય હોય તો તેને તમે પોતાની વાણી વડે સમ્યક્-રૃપેવ્યક્ત કરો.

દેવીએ કહ્યું ઃ હે દેવ! તમારો મારા પર ઘણો સ્નેહ છે. કળિયુગમાં સમસ્ત કામનાઓને સિદ્ધ કરનારું જે સાધન છે તે હું કહી બતાવીશ. સાંભળો. તે સાધનનું નામ છે. "અંબાસ્તુતિ"

ઁ આ દૂર્ગ સપ્તશ્લોકી સ્તોત્રમંત્રના નારાયણ ઋષિ છે. અનુરુપ છંદ છે, શ્રી મહાકાળી, શ્રી મહાલક્ષ્મી અને શ્રી મહાસરસ્વતિ દેવતાઓ છે. શ્રી દુર્ગાની પ્રસન્નતા માટે સપ્તશ્લોકી દૂર્ગા પાઠમાં આનો વિનિયોગ કરવામાં આવે છે.

તે ભગવતી મહાકાય દેવી જ્ઞાનીઓના પણ ચિત્તને બળપૂર્વક આકૃષ્ટ (ખેંચીને) મોહમાં નાખી દે છે. (૧) હે માં દુર્ગા! સ્મરણ કરવાથી તમે બધા પ્રાણીઓના ભયને હરિ લો છો અને સ્વસ્થ મનુષ્ય વડે ચિંતન કરવાથી તમે તેને પરમ કલ્યાણમયી બુદ્ધિ આપો છો.

દુઃખ, દરિદ્રતા અને ભયને હરનારા હે દેવી! તમારા સિવાય બીજું કોણ છે કે જેનું ચિત્ત બધાનો ઉપકાર કરવા સદેવ દયાર્દ્ર હોય? (૨) હે નારાયણી ! તમે બધા પ્રકારનું મંગલ પ્રદાન કરનારા મંગલમયી છો. કલ્યાણ પ્રદાન કરનારા શિવા છો. બધા પુરુષાર્થોન સિધ્ધ કરનારા, શરણાગત - વત્સલા, ત્રણ નેત્રવાળા તેમજ ગૌરી છો. તમને નમસ્કાર છે. (૩) શરણમાં આવેલી દુઃખીયારા અને પીડિતોના રક્ષણમાં રત રહેનારા તથા બધાની પીડા દૂર કરનારા હે દેવી નારાયણી ! તમને નમસ્કાર છે. (૪) સર્વસ્વરૃપા, સર્વેશ્વરી તથા સર્વ પ્રકારની શક્તિઓથી સંપન્ન છે દિવ્યરૃપા દેવી દુર્ગા ! તમે અમારું તમામ ભયોમાંથી રક્ષણ કરો. તમને નમરકાર છે (૫) હે દેવી! તમે પ્રસન્ન થવાથી બધા રોગોને નષ્ટ કરી દો છો અને ક્રોધિત થવાથી મનોવાંછિત બધી જ કામનાઓનો નાશ કરી દો છો, જે લોકો તમારા આશ્રયમાં (શરણમાં) આવી ચૂક્યા છે તેમના પર વિપત્તઓ તો આવતી જ નથી. તમારા શરણમાં આવેલા મનુષ્યો બીજાઓને શરણ આપનારા થઈ જાય છે (૬) હે સર્વેશ્વરી! તમે આ જ પ્રમાણે ત્રણ લોકોના સમસ્ત વિઘ્નોનું શમન કરો અને અમારા શત્રુઓનો નાશ કરતા રહો.  (૭) શ્રી સપ્તશ્લોકી દૂર્ગા સમાપ્ત

નોંધઃ આ સપ્તશ્લોકી દૂર્ગાના નિયમિત રૃપે પાઠ કરનારા ભક્તના સર્વ પ્રકારના દુઃખ નાશ પામે છે તેમજ માતાજીની કૃપાથી તેને સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

- દેવેન કે. વ્યાસ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ભસ્મની મહિમા

યજ્ઞ કરતા શેષ વધેલી ભસ્મનો અનેક ઘણો મહિમા શાસ્ત્રોમાં ગવાયો છે. ભસ્મ ધારણ કરીને ઘરેથી નીકળેલા મનુષ્યોની સર્વ મનોકામના પૂર્ણ થાય છે. બ્રાહ્મણો સંધ્યાવંદનમાં ભસ્મનો ઉપયોગ કરે છે. દરેક ધાર્મિકક્રિયામાં સર્વપ્રથમ ભસ્મ ધારણ કરવાની હોય છે. આ ઉપરથી જ ભસ્મનું મહત્વ સમજાય છે. ભસ્મ ધારણ કરતી વખતે તેનો શાસ્ત્રોક્ત મંત્ર જપવો અનિવાર્ય ગણાવ્યો છે. કપાળ, બન્ને હાથ, હૃદય, બન્ને ગોઠણ પર ભસ્મનું ત્રિપુંડ કરવાનું રહે છે. આ ત્રિપુંડની ત્રણ રેખાને બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશના સાક્ષાત પ્રતિક સમા ગણવામાં આવ્યા છે.

આ અંગેની એક કથા દેવી ભાગવત મહાપૂરાણમાં આવે છે કે, એકવાર મહાન મુનિ દુર્વાસાજી ફરતા ફરતા સ્વર્ગલોકમાં પહોંચ્યા. ત્યાંથી પાછા ફરી નરકલોકમાં ગયા, દુર્વાસામુનિના મસ્તક પરના વિશાળ ભાલપ્રદેશ (કપાળ) પર દિવ્ય ત્રિપુંડ શોભતું હતું. તેમના શરીર પર પણ દિવ્ય એવી ભસ્મ ધારણ કરેલી હતી. દેવીની પ્રસાદીરૃપે આ ભસ્મના કારણે તેમના તેજમાં પણ વધારો થયેલો જોવા મળતો હતો. તેઓ યમરાજીને મળ્યા અને તેમના ખબર-અંતર પૂછ્યા. ત્યારપછી આખીય યમપુરી ફરી વળ્યા. છેલ્લે તેઓ કુંભીપાક નરકમાં પહોંચ્યા. ત્યાં ભયાનક યાતનાઓને ભોગવી રહેલા જીવો દુર્વાસા મુનિને શરીરે લગાડેલી ભસ્મ તેમના પર ઉડવાથી તે સૌ પોતાના કષ્ટમાંથી મુક્ત થવા લાગ્યા. તેમને સ્વર્ગના સુખની પ્રાપ્તિ થવા લાગી. આ બધું જોઈ અને ત્યાં હાજર રહેલા યમદુતો પણ વિમાસણમાં પડી ગયા. દુર્વાસામુનિ તો ત્યાંથી ચાલ્યા ગયા. પછી આ ઘટના વિશે યમદુતોએ યમરાજાને પૂછયું ત્યારે યમરાજાએ જવાબ આપ્યો,

"આ બધી જ શક્તિનો પ્રતાપ છે. ભસ્મમાં દેવી શક્તિ રહેલી છે. તે ભસ્મ દુર્વાસામુનિએ ધારણ કરેલી. તેમાંથી ઉડેલી ભસ્મની કણોથી જીવાત્માઓ નરકના કષ્ટોમાંથી મુક્ત થઈ અને સ્વર્ગના સુખને પામ્યા છે."

આ પ્રસંગ ઉપરથી એવો બોધ મળે છે કે , દેવીની યજ્ઞની પ્રસાદીરૃપ ભસ્મના કણ માત્રથી પણ સ્વર્ગના આનંદની પ્રાપ્તિ થાય છે. માટે શિવ-શક્તિના પ્રસાદી રૃપ ભસ્મ મનુષ્યએ અવશ્ય ધારણ કરવી જોઇએ.

આરોગ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ માટેનો મંત્ર...

" દેહિ સૌભાગ્યમારોગ્યં

દેહી મેપરમંસુખમ,

રૃપં દેહિ જયં દેહિ

યશો દેહિ દ્વિષો નહિ."

આ મંત્રથી આરોગ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

 - દેવેન કે. વ્યાસ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

શક્તિના પ્રભાવની કથા

ઘણા વર્ષો પહેલાની કથા છે. એક વાર પૃથ્વી લોક ઉપર ભયંકર દુષ્કાળ પડયો. પરિસ્થિતિ ખૂબ જ વિકરાળ થઈ ગઈ. અન્ન-જળ વિના મનુષ્યો, પશુ - પક્ષીઓ મરવા લાગ્યા. આ ગંભીર પરિસ્થિતિને પામી જઈ લોકો મહાશોકમય બન્યા. તેઓ જુદા-જુદા ઋષિઓ તેમજ મુનિઓને શરણે જઈ આવી પડેલ વિકટ સમસ્યાનો ઉકેલ આણવા માટે પ્રાર્થના કરવા લાગ્યા પરંતુ એ ઋષિઓ અને મુનિઓ આ સંકટને દૂર ને કરી શક્યા. તેમાના કેટલાક ઋષિ - મુનિઓને પરમ ગાયત્રી ઉપાસક ગૌતમ ઋષિ પ્રત્યે ખૂબ જ ઇર્ષા હતી. તેઓએ લોકોને સુચવ્યું કે, આ વિકરાળ પરિસ્થિતિનો ઉકેલ એક માત્ર ગૌતમ ઋષિ જ લાવી શકે તેમ છે. માટે તમે સૌ ગૌતમ ઋષિના શરણે જાવ."

આમ, લોકો સૌ સાથે મળીને ગૌતમ ઋષિના શરણે ગયા. ગૌતમ ઋષિએ સૌને આવકાર આપી પોતાના આશ્રમમાં બેસાડ્યા તેમજ તેમને આવવાનું કારણ પૂછ્યું. ત્યારે તેમના એક વડિલે ગૌતમ ઋષિને કહ્યું, "હે પૂજનીય, આપ તો જાણો છો કે જગત પર દુષ્કાળે પોતાનો ક્રુર પંજો જમાવ્યો છે. મનુષ્ય, પશુઓ, પક્ષીઓ, અન્ન-જળ વિના ટપોટપ મરી રહ્યાં છે. આ મહાભયંકર પરિસ્થિતિમાંથી આપ જ માર્ગ કાઢી શકો તેમ છો તે જાણી અમે તમારા શરણે આવ્યા છીએ. માટે આ મહાસંકટમાંથી માર્ગ કાઢી આપવાની કૃપા કરો તેવી વિનંતી કરવા જ અમે સૌ આપની પાસે આવ્યા છીએ."

આ સાંભળી ગૌતમ ઋષિએ કહ્યું, " ું પણ આપ સૌ જેવો સામાન્ય મનુષ્ય જ છું. આપ સૌ અહીં રહો સાયંસંધ્યા બાદ હું તમને જણાવીશ કે તમારું વિઘ્ન દૂર થશે કે નહી." સંધ્યા સમયે સંધ્યા વંદન કરી ગૌતમ ઋષિએ માં ગાયત્રીને ખરા અંતઃકરણથી પ્રાર્થના કરી યાદ કર્યા, આથી સાક્ષાત સાવિત્રી દેવી પ્રસન્ન થઇ પ્રગટ થયા. દેવીએ કહ્યું, "બેટા, તેં મને શા માટે યાદ કરી?" ગૌતમ ઋષિ બોલ્યા, "હે દયાળુ, પરમકૃપાળુ મા, જગતમાં દુષ્કાળે કાળો કેર વર્તાવ્યો છે. ત્યારે તારા બાલુડા તેમજ મુંગા પશુ-પક્ષીઓ તડપી-તડપી અને મરી રહ્યાં છે તમે તે સારી રીતે જાણો છો. માટે લોકોના દુઃખને દૂર કરી આ જગતને ફરી લીલુંછમ બનાવી દો.'

ગૌતમ ઋષિની પ્રાર્થના સાંભળી ભગવતી ગાયત્રી દેવી "તથાસ્તુ કહી અંર્તધ્યાન થઈ ગયા. પછી ખૂબ જ સારો વરસાદ થયો. જગત ફરી નંદનવન સમું ભાસવા લાગ્યું, આથી ગૌતમ ઋષિના શરણે આવેલા સૌ માતા સાવિત્રી-ગાયત્રી દેવીની અને ગૌતમ ઋષિની જય જયકાર કરવા લાગ્યો. સૌ પોત પોતાના ક્ષેત્રમાં ગયા. ચો તરફ ગૌતમ ઋષિનો જય જયકાર સાંભળી, તેના વિરોધી ઋષિ મુનિઓ વધુ ઈર્ષ્યા કરવા લાગ્યા. સૌ વિરોધીઓએ સાથે મળી એક મરવા પડેલી ગાયને ગૌતમ ઋષિની ગૌશાળામાં બાંધી આવ્યા. વહેલી સવારે ગાયને પૂજવા જનારા ગૌતમ ઋષિ એક પછી એક ગાયને પૂજતા પૂજતા આ અત્યંત બિમાર અને નબળી એવી ગાયને કપાળે તિલક કરવા ગયા ત્યાં જ તે ગાય જમીન ઉપર ઢળી પડી અને મરણ પામી. ગૌતમ ઋષિ આ ઘટનાથી અત્યંત દુઃખી થઇ ગયા. તેમણે માન્યું કે પોતાના હાથે ગૌ હત્યા થઇ ગઇ. આથી તે વ્યથીત હૃદયે રડવા લાગ્યા. સાથે સાથે ભગવતી સાવિત્રી-ગાયત્રી દેવીનું સ્મરણ કરવા લાગ્યો.  તત્કાળ માં સાક્ષાત પ્રગટ થયા. તેમણે ગૌતમ ઋષિને સાંત્વના આપી. તેમજ ગૌતમ ઋષિને તેમની સાથે બનાવટ કરનારા તેમના ઈર્ષ્યાળુના કાવતરાની વાત કરી. તે ઈર્ષાળુને ભગવતી દેવીએ નિસ્તેજ બનાવી દીધા. જ્યારે ગૌતમ ઋષિના તેજમાં વધારો કરી તેના પર પોતાની પૂર્ણ કૃપા ઉતારી.

સ્વપ્નમાં સિદ્ધિ પ્રાપ્તિ માટેનો મંત્ર

" દુર્ગે દેવી નમસ્તુભ્યં સર્વકામાર્થસાધિકે,

મમ સિધ્ધિમસિધ્ધિં વા સ્વપ્ન સર્વ પ્રદર્શય"

આ મંત્રની દરરોજ ત્રણ માળા કરવાથી સ્વપ્નમાં સિધ્ધિની પ્રાપ્તિ થાય છે.

 - દેવેન કે. વ્યાસ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ગાયત્રી સાધના અધુરી છોડવાનું ફળ...

પાતાળ લોકમાં રહેનારો તરૃણ નામનો એક દૈત્ય હતો. આ દૈત્ય ગંગા નદીના કિનારો રહી તપ કરતો. તેણે નિરાહાર રહી અને એકાગ્ર ચિતે વર્ષો સુધી ગાયત્રી મંત્રનો જાપ કરેલો. તેને લીધે પ્રસન્ન થયેલા ગાયત્રી દેવી પાસે તરૃણ દૈત્યે વરદાન માંગ્યું કે "બે પગ વાળા (મનુષ્ય, વાનર વગેરે) તથા ચાર પગ વાળા કોઈ પણ પ્રકારના જીવો મને મારી ન શકે તેવું વરદાન આપો."

ત્યારે માતાજીએ તેને વચન આપ્યું કે, "જ્યાં સુધી તું મારા મંત્રનો જપ કરતો રહીશ અને મારામાં મન જોડીને રહીશ ત્યાં સુધી કોઇપણ તારો વાળ વાંકો નહી કરી શકે."

આમ દેવીની શક્તિથી બળવાન બનેલા તરૃણ દૈત્યએ દેવતાઓ સામે મોરચો ખોલ્યો. તે દેવોની શાંતિને હણવા લાગ્યો. યેનકેન પ્રકારે તે દેવોને હેરાન-પરેશાન કરવા લાગ્યો, તેથી કંટાળેલા દેવતાઓ તેનો સામનો કરવા છતાં તેમને પીછે હટ કરવાનો વખત આવ્યો. તેઓ બ્રહ્મા, વિષ્ણુ અને શિવજી ભગવાનના શરણે ગયા. પરંતુ તેઓ પણ આ તરૃણ દૈત્યની સામે હારી ગયા. ત્યારે દેવતાઓના ગુરૃ બૃહસ્પતિને સાથે રાખી સૌ વિચારવા લાગ્યા કે, તરૃણ દૈત્યની સમસ્યામાંથી કઇ રીતે મુક્ત થવું? આખરે બૃહસ્પતિજીએ ઉપાય બતાવ્યો કે, તરૃણ દૈત્ય જો ગાયત્રી મંત્ર કરવાનું છોડી દે તો તેની સામે આપણે વિજય મેળવી શકીએ. તેમજ પોતે બિડું ઝડપ્યું કે, હું ખુદ જાતે જૈઈને તરૃણ દૈત્યની યુક્તિપૂર્વક ગાયત્રી સાધના છોડાવી દઇશ. બૃહસ્પતિજી તરૃણ દૈત્ય પાસે ગયા અને તેના મનમાં ગાયત્રી મંત્ર પ્રત્યે શંકા ઉભી કરી દીધી. શંકા ઊભી થતાં તેણે ધીરે ધીરે ગાયત્રી મંત્રની સાધના કરવાનું છોડી દીધું. તેના કારણે તે ધીરે ધીરે નિસ્તેજ થવા લાગ્યો.

બીજી બાજુ દેવતાઓએ જગત જનની મા સાવિત્રીની પૂજાઅર્ચના શરૃ કરી દીધી. શ્રદ્ધા- ભક્તિપૂર્વક ગાયત્રી મંત્રના જાપથી પ્રસન્ન થયેલા સાવિત્રી દેવી દેવતાઓને વરદાન આપ્યું કે, "તરૃણ નામના દૈત્યના ત્રાસમાંથી હું તમને જરૃર મુક્ત કરાવીશ." પછી દેવીએ પોતાની શક્તિથી ભ્રમરોને ઉત્પન્ન કર્યા (ભ્રમરો એટલે બે પગ - ચાર પગ વગરના જીવ)એ ભમરોએ તરૃણ દૈત્ય ઉપર પ્રહાર કરી તેને દેશ મારી મારી તેને મારી નાખ્યો.

આમ, ગાયત્રી સાધના છોડી દેનાર તરૃણ દૈત્યનું મૃત્યુ થયું અને દેવતાઓ તેના ત્રાસમાંથી મુક્ત થયા.

સર્વત્ર રક્ષા માટે દેવી મંત્ર

"સુલેન પાહિ નો દેવિ પાહિ ખડ્ગેન ચામ્બિકે

ઘંટાસ્વનેન નઃ પાહિ ચાપ જ્વાનિ સ્વનેનચ."

ઉપરોક્ત મંત્રની દરરોજ ત્રણ માળા શ્રધ્ધા સાથે કરતા રહેવાથી દેવી માં સર્વત્ર રક્ષા કરે છે.

 - દેવેન કે. વ્યાસ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દેવી વિંધ્યવાસિની તરીકે જગપ્રસિદ્ધ થયા....

એકવાર મહર્ષિ નારદજી ફરતા ફરતા વિંધ્યાચળ પર્વત ક્ષેત્રે આવી પહોંચ્યા, આવેલા નારદજીને જોઇ વિંધ્યાચળે તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું. વાત વાતમાં મહર્ષિ નારદજીએ વિંધ્યાચળને કહ્યું , "હે વિધ્યાચળ મારી દૃષ્ટિએ તું પણ હિમાલય જેવો મહાન છે પરંતુ તું જાણે છે કે, સૂર્યનારાયણ હિમાલય, નીલ, ગંધમાદન આદિ પર્વતોની પરિક્રમા કરે છે તું પણ તેમના જેટલો જ મહાન છે છતાં પણ તે તારી પ્રદિક્ષણા ન કરી અને રોજે રોજ તારું અપમાન કરે છે, તારું રોજે રોજ થતું અપમાન મારાથી તો જોવાતું નથી.. તને આ બાબતે કોઈ તકલીફ નથી થતી ? તું તેજસ્વી હોવા છતાં તારું રોજે રોજ અપમાન થતું હોય તો તે તેજસ્વીતા શા કામની? *

આ પ્રમાણે મહર્ષિ નારદજી દ્વારા કાનભંભેરણી થતાં વિંધ્યાચળ ક્રોધે ભરાયો. તેણે નક્કી કરી લીધું કે, " કોઇપણ હિસાબે આ અભિમાની સુર્યનારાયણને જરૃર પાઠ ભણાવવો." બસ પછી તો પૂછવું જ શું ? મહાશક્તિ ધરાવતા વિધ્યાચળે પોતાની જિંચાઇમાં એટલી હદે વધારો કરી નાખ્યો કે, સૂર્યનારાયણનો રથ તે ઉંચાઇ ઉપરથી નીકળવો અશક્ય બની ગયો. જેથી અડધી ભૂમિ પર ઘોર અંધકાર છવાઇ ગયો. આ બનાવને કારણે લોકો દિવસને પણ રાત્રી સમજવા લાગ્યા તેથી યજ્ઞ, પૂજા-પાઠ વગેરે દેવકાર્યો અટકી ગયા. જેને કારણે દેવોને હવિભોજ મળવાનું બંધ થઇ ગયું. તેઓ ખૂબ જ દુઃખી બની ગયા. શું કરવું તેનો કોઇ માર્ગ દેખાતો ન હતો.

આખરે આ સંકટથી બચવા માટે બધાય દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા. તેમની પાસે પોતાના દુઃખની રજુઆત કરી પરંતુ બ્રહ્માજીએ કહ્યું, "આમાં હું કંઈ પણ કરી શકું તેમ નથી માટે આપણે સૌ શિવજી પાસે જઇએ, શિવજી પાસે જઈ સૌએ આવી પડેલા દુઃખમાંથી માર્ગ કાઢી આપવા વિનંતી કરી. તેમની વિનંતીને ધ્યાને લઇ શિવજીએ કહ્યું, "તમે સી જે દુઃખ દૂર કરવા માટે આવ્યા છો, તેમાં હું મદદરૃપ થઇ શકું તેમ નથી. તે માટે તો આપણે વિષ્ણુ પાસે જવું પડે તેમ છે. તેથી બ્રહ્માજી, શિવજી અને બધાય દેવતાઓ વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા. તેમના આગળ વિંધ્યાચળને લીધે ઉભી થયેલી વાત કરી, વિષ્ણુ ભગવાન બોલ્યો, "આ આખીય સમસ્યામાંથી બહાર નીકળવાનો રસ્તો અગત્ય મુનિ નામના એક મહાન દેવી ભક્ત પાસે છે. આ વિધ્યાચળ, તેનો શિષ્ય છે. મુનિના તપોબળના તેજને કારણે જ તે સૂર્યના સ્થાનને રોકી શક્યો છે. તેમાં હું વચ્ચે પડી દેવીભક્તના ક્રોધનો ભોગ બનવા માંગતો નથી. માટે તમે સૌ દેવતાઓ સાથે મળી મુનિ અગત્ય પાસે જાવ. તે અત્યારે કાશી નગરીમાં તપ કરી રહ્યા છે. તેમની પાસે જઇને વિનંતી કરો તો તમારું કષ્ટ અવશ્ય દૂર થશે."

આ સાંભળી સૌ દેવતાઓ સાથે મળી અને સુંદર એવી શિવજીની કાશી નગરીમાં આવ્યા. ત્યાં આવી સૌએ અગત્ય મુનિને વિનંતી કરી, " હે મુનિ, વિંધ્યાચળ પર્વત તમારો શિષ્ય છે. તેના કારણે અમને એક મોટી તકલીફ ઉભી થઇ છે. તેણે પોતાની ઉંચાઇ વધારી સૂર્યનારાયણનો રથ રોકી રાક્યો છે. જેથી પૃથ્વી લોકના અડધા ભાગમાં અંધકાર છવાયો છે. તેના લીધે અનેક જાતની સમસ્યાઓ ઉભી થયેલ છે. માટે અમારા કષ્ટને દૂર કરો. ત્યારે અગમ્ય મુનિએ દેવતાઓને ધીરજ રાખવા કહ્યું. પછી પોતે વિંધ્યાચળ પર્વત પાસે ગયા, ગુરૃઆવેલા જાણી વિંધ્યાચળ તેને પગે લાગવા નમ્યો. ત્યારે સૂર્યનારાયણના રથને જવાનો માર્ગ ખુલ્લો થયો. ત્યારે ગુરૃએ તેને એમને એમ નમી રહેવાની આજ્ઞા આપી. આથી દેવી ભક્ત અગત્ય મુનિની આજ્ઞાથી આજ દિવસ સુધી તે નમતો રહેલ છે. તેથી સૌ દેવતાઓએ દેવી માતાનો જય જયકાર કર્યો અને અગસ્ત મુનિનો ખુબ ખુબ આભાર માન્યો. વિંધ્યાચળે પોતાના ગુરૃ અગમ્ય મુનિને પ્રાર્થના કરી, " હે ગુરૃ મારો પણ મહિમા વધે તેવું કંઇક કરો.* ત્યારે દેવી ભક્ત અગત્ય મુનિએ દેવી માને પ્રાર્થના કરી કે, "હે મા તમે આ પર્વત ઉપર નિવાસ કરી પર્વતનું મહત્વ વધે તેમ કરો.'

આથી આ ભગવતીએ ત્યાં પોતાનું સ્થાન સ્થાપ્યું અને તે પર્વતનો મહિમા વધે તે માટે વિધ્યાવાસીની તરીકે જગતમાં પ્રસિધ્ધ થયા.

પાપના નાશ માટેનો મંત્ર

" હિનસ્તિ દૈત્યતેજાંસિ સ્વનેનાપૂર્ય યા જગત્

સા ઘંટા પાતુનો દેવિ પાપેભ્યોડનઃ સુતાનિવ."

ઉપરોક્ત મંત્રની દરરોજ ત્રણ માળા કરવાથી પાપનો ક્ષય થાય છે.

 - દેવેન કે. વ્યાસ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ગાયત્રી મહામંત્ર ખરેખર દિવ્ય છે...

ગાયત્રી મંત્રને મહામંત્રની ઉપમા આપવામાં આવી છે. વેદ - પૂરાણોએ મહામંત્ર ગાયત્રી મંત્રનો ખૂબ જ મહિમા ગાયો છે, તો વશિષ્ઠ ઋષિ, વિશ્વામિત્ર ઋષિ, ઋષિ દયાનંદ સરસ્વતિ, સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ, ૫.મદનમોહન માલવિયાજી વગેરે મહાપુરૃષોએ પણ મહામંત્રની ખૂબ જ પ્રસંશા કરી છે. ભાગવત પુરાણ ઉપરાંત શ્રીમદ્ ભાગવત ગીતામાં પણ ગાયત્રી મંત્રના મહિમાનો ઉલ્લેખ મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ બહ્મમુહુર્તમાં ઉઠી, દિનચર્યા પૂર્ણ કરી અને ગાયત્રી મંત્રનો જાપ કરતા હતા. "ગાયત્રી મંજરી'' માં ઉલ્લેખ મળે છે કે સાક્ષાત શિવજી મહારાજે જગત માતા પાર્વતી પાસે ગાયત્રી મંત્રના ગુણગાન ગાયા છે.

ગાયત્રી મંત્રના ચોવીસ અક્ષરો મનુષ્યના શરીરના ચોવીસ અંગો પર સુમ અસર કરી મનુષ્યને ઉન્નતિના રસ્તે લઈ જાય છે. આ અંગે એક જર્મન વૈજ્ઞાનિક સંશોધન પણ કરેલું અને શાસ્ત્રોની આ વાતને અનુમોદન પણ આપેલું છે. ગાયત્રી મંત્રનો મહિમા દર્શાવતી એક ઘટના છે. પૂર્વે  વાગ્ભટ્ટ નામના એક વિદ્વાન થઈ ગયા. તેમને જીવનમાં કંઈને કઈ સમસ્યા રહ્યા કરતી આ તમામ સમસ્યાઓની નિવૃત્તી માટે તેમણે ગાયત્રી મંત્ર વડે ગાયત્રી ઉપાસના કરવાનું નક્કી કર્યું. આમ ગાયત્રી સાધના કરવા માટે તેમણે વૃન્દાવનને પસંદ કર્યું. વૃન્દાવનમાં જઇ અને તેમણે સતત બાર વર્ષ સુધી વિધીવત ગાયત્રી મંત્રના જાપ કર્યા. સતત બાર વર્ષ સુધી ગાયત્રી મંત્રનો જપ કરવા છતાં તેમણે ધાર્યું હતું તેમ તેના કષ્ટ દૂર ન થયો. આથી તે વ્યથીત થયા. વ્યથીત હૃદયે તેમણે વૃન્દાવન છોડી અને ત્યાંથી કાશી જવાનું નક્કી કર્યું. - વૃન્દાવન છોડી તેઓ કાશી આવ્યા. કાશીમાં તેઓ ફરી રહ્યા હતા. ફરતાં ફરતાં એકવાર વાગ્ભટ્ટ મણિકર્ણિકા ઘાટ ઉપર પહોંચ્યા. ત્યારે એ ઘાટ પર એક તાંત્રિક પોતાની " તંત્ર - સાધના ' ' માં વ્યસ્ત હતા. તેમને જોઈ મનમાં ને મનમાં વાગભટ્ટજી વિચરાવા લાગ્યા કે , "આ બધું જ વ્યર્થ છે. પાઠ- પૂજા કરવાથી કોઇ જ લાભ નથી.  * પોતાની શક્તિ દ્વારા એ તાંત્રિક વાગ્ભટ્ટજીના વિચારોને જાણી ગયા તેથી તેમણે વાગ્ભટ્ટજીને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, " જો ભાઇ હું ગાયત્રી મંત્રનો જાપ નથી કરતો. હું તો એક અલગ જ મંત્રનો જાપ કરું છું. તેની સાધના તમને શિખડાવું છું. તે મંત્રનો જાપ કરો પછી જુઓ કે એક વર્ષમાં તમને જે જોઇએ તે મળે છે કે નહિ! આમ, વાનમ તાંત્રિક પાસેથી મંત્રની દિક્ષા લીધી અને મંત્રની સિધી માટે સાધના શરૃ કરી દીધી. છ મહિનામાં જ એક ચમત્કાર સર્જાયો. એક ઓળો વાગ્ભટ્ટની પાછળ આવીને ઊભો રહ્યો. તેણે વાગ્ભટ્ટને કહ્યું , " માંગ માંગ માગે તે આપું ... ' ' વાગ્ભટ્ટ કહે છે કે, " તું મારી સામે આવ, તું કોણ છે ? તે મારે જવું છે ... " ત્યારે તે ઓળાએ જવાબ આપ્યો, " જો , હું તમારી સામે આવી શકું તેમ નથી. કારણ કે તમે મહામંત્ર ગાયત્રી મંત્રની ખૂબ જ સાધના કરેલી છે. તે શક્તિશાળી મંત્રના સાધક સામે આવી શકવાની મારી તાકાત નથી. હું એક સ્મશાન સિદ્ધિવાળી શક્તિ છું.'' ત્યારે વામ્ભટ્ટ બોલ્યા, "જે એમ જ હોય તો એ ગાયત્રી મંત્રના જાપ કરવાથી મારા દુઃખો દૂર કેમ ન થયા? જો તું એ જાણી શકતી હો તો મને બતાવ.'

ત્યારે તે શક્તિ બોલી, " તમારા સાત ભવના પાપ ભેગા થયા છે. જે ગાયત્રી મંત્રના જાપથી ધીરે-ધીરે બળવો લાગેલા બાર વર્ષમાં તમારા મોટા ભાગના પાપ બળી ગયા. એ દરમ્યાન જ તમે ગાયત્રી મંત્રની સાધના છોડી દીધી. બોલ હવે બીજું હું તમને શું આપું? " ત્યારે વાગભટ્ટ બોલ્યા, "ક્ષમા કરો! મારે તમારી પાસેથી કંઇ જ નથી જોઇતું." એમ કહી વાગભટ્ટે ત્યાંથી ઉઠી કાશી નગરીને છોડી ફરી વૃન્દાવનમાં પ્રવેશ કર્યો અને ત્યાં ફરી ગાયત્રી મંત્રની સાધના કરી, તેના પરીણામ સ્વરૃપ તેમને આયુર્વેદનું અલૌકીક જ્ઞાન પ્રાપ્ત થયું અને આજે પણ તેમના "અષ્ટાંગ ગ્રંથ* ને આમૂલ્ય માનવામાં આવે છે. આ પ્રમાણે ગાયત્રી મહામંત્ર મહાશક્તિશાળી મંત્ર છે. તેના દ્વારા આ જગતના દરેક જીવોએ અનેક પ્રકારના સંતાપોમાંથી મૂક્તિ મેળવી અને પરમસુખની પ્રાપ્તી કરી છે. એટલે જ હાલના યુગપુરૃષ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ "ગાયત્રી ચાલીશા''માં ગાયત્રી મહામંત્રના ગુણગાન ગાતા કહ્યું છે કે,

"મહામંત્ર જીતને જગ માહીં કાઉ ગાયત્રી સજા નાહી." આ મહામંત્ર ગાયત્રીનો શ્રધ્ધાપૂર્વક જાપ કરી અને મનુષ્યએ પોતાની આધ્યાત્મક ઉન્નતિ માટે પ્રયત્ન કરવો જોઇએ.

રોગોનો નાશ કરવા માટેનો મંત્ર

"રોગોનશેષાનપહંસી તુષ્ટા

રુષ્ટા તુ કામાન્ સકલાનભીષ્ટાન્ ા

ત્વામાશ્રિતાનાંન વિપન્નરાણાં

ત્વામાશ્રિતા હૃાાશ્રયતાં પ્રયાન્તિ ાા

 - દેવેન કે. વ્યાસ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

close
Ank Bandh