Sensex

વિગતવાર સમાચાર

પદ્મશ્રી આચાર્ય પૂ. ચંદનાજી મહારાજનો ૮૯મો જન્મ મહોત્સવ

રાજગીરી-બિહાર એટલે એ પુનીત અને પવિત્ર ભૂમિ છે કે જયાં પ્રભુ મહાવીર સ્વામીના પાવન પગલા પડયાં છે. અને ખરા અર્થમાં આશીર્વાદ પામી છે. આવી મહાન અને પાવન ભૂમિ ૫૨ પ્રભુ મહાવીરના ઉપદેશો, સિધ્ધાંતો અને દેષ્ણાઓને ખરા અર્થમાં ચરીતાર્થ કરતાં પ્રચાર અને પ્રસારનું ઉત્તમ માધ્યમ બનીને ઉભરી આવ્યા છે એક જૈન સાધ્વીજી, કે જેઓ આચાર્ય ચંદનાજીના નામથી ખ્યાતી પામ્યા છે. અને તાંઈ મહારાજ ના વિશીષ્ટ ઉપનામ સાથે પણ શ્રાવકોમાં ઓળખાય છે.

પૂ.આચાર્ય ચંદનાજી આગામી તા. ૨૬ મી જાન્યુઆરીના રોજ પોતાના જીવનકાળના ૮૮ વર્ષ પૂર્ણ કરીને ૮૯ માં વર્ષમાં સંપૂર્ણ સ્વસ્થતા અને ઉત્તમ સ્વાસ્થય સાથે મંગલ પ્રવેશ કરી રહૃાા છે. ત્યારે તેમનો પરિચય તાજો કરવો અસ્થાને નહીં ગણાય.

૨૬ મી જાન્યુઆરી ૧૯૩૭ ના રોજ મહારાષ્ટ્રના ચાસ્કામન મુકામે કટારીયા પરિવારના સુશ્રાવક પિતા માણેકચંદજી અને સુશ્રાવીકા માતા પ્રેમકુંવરબાના ખોરડે પુત્રી રતન તરીકે જન્મયાં શકુંતલા સાંસારીક નામ સાથે તેમનો ઉછેર થયો ફકત ૩ ધોરણ સુધી પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યુ સમય જતાં તેમના નાનાજીની સલાહને અનુસરીને જૈન પૂ. સાધ્વી સુમતીકુંવર સાથે જોડાયા કે જેથી જૈનત્વ અને જનસેવા વિષયક વધુ અભ્યાસ કરી શકે. માત્ર ચૌદ વર્ષની વયે જૈન દિક્ષા અંગીકાર કરી અમરમુની સંપ્રદાયના પૂજય ગુરૂૂદેવ ઉપાધ્યાય અમરમુનજી મહારાજે દિક્ષા આપી અને સાઘ્વી ચંદનાજી નામ આપ્યું. દિક્ષા પર્યાય દરમ્યાન જૈન સ્ક્રીત્યના અભ્યાસ અર્થે ૧૨ વર્ષ સુધી મૌન રહેવાની આકરી પ્રતિજ્ઞા લીધી. ઉપરાંત ભારતીય વિદ્યા ભવન, મુંબઈમાંથી દર્શનાચાર્યની ડીગ્રી મેળવી, પ્રયાગ ખાતેથી સાહિત્ય રત્નની ઉપાધી મેળવી બનારસ હિન્દુ યુનિવર્સિટી ખાતેથી નાવ્યન્યાય અને વ્યાકરણ વિષયોમાં શાસ્ત્રીની વિશેષ ઉપાધી મેળવી.

તેઓએ વર્ષ ૧૯૭૨ થી બિહારના ગરીબીથી પ્રભાવિત વિસ્તારોમાં માનવતાવાદી સેવાકીય કાર્યોનો શુભારંભ કર્યો ૧૯૭૪ માં વિરાયતનની સ્થાપના કરી જે હાલ વિશ્વના ૧૦ રાષ્ટ્રોમાં ફેલાયેલી છે. વિરાયતનની સંસ્થા ઃ રાજગીર (ઝારખંડ) પાવાપુરી (કચ્છ) - રૂૂદ્રાણી (કચ્છ) - પાલીતાણા - વ્યોમ આગરા - ઓસિયાજી (રાજસ્થાન) - સંચોર - ખંડોબા (પૂના) તથા ઈન્ટરનેશનલ સંસ્થા અમેરીકા - બ્રિટન - કેન્યા - નેપાલ - દુબઈ દેશ-વિદેશ દરેક જગ્યા સંસ્થા કાર્યરત છે. વિરાયતન દ્વારા શાળાઓ, કોલેજીસ ઉપરાંત હોસ્પિટલ્સનું અધતન સંચાલન ક૨વામાં આવ્યું છે. ઉપરાંત જરૂૂરતમંદો માટે વ્યવસાયીક તાલીમી કાર્યક્રમોનું પણ સંચાલન કરવામાં આવી રહૃાું છે. કુદરતી આપતીઓ બાદ પ્રભાવીત પરિસ્થિતિઓના પુનઃવસવાટ માટે પણ વ્યાપક રીતે સેવાઓ કરવામાં આવેલ છે. જૈનોની પવિત્ર તિર્થભૂમિ અને શ્રેષ્ઠ યાત્રાધામ રાજગીરી મુકામે જૈન તીર્થંકરોની દેક્ષણાઓના વ્યાપક પ્રસાર હેતુ ડીવાઈન વર્લ્ડ નામના અંતગર્ત એક યોજનાનું કામ હાથ ધર્યુ હતું, અને પુરૂૂ કરેલ છે.

તીર્થંકર મહાવીર પ્રભુનો અહિંસા, પ્રેમ અને કરૂૂણાનો સંદેશ જેમનો જીવનમંત્ર હોય, ચોવીસ કલાક, ત્રણસો પાંસઠે દિવસ જેઓ માનવ કલ્યાણની પ્રવૃતિઓમાં જ નિસ્વાર્થ ભાવે સંલગ્ન હોય, સબળ, સક્ષમ અને ગતિશીલ નેતૃત્વ જેમના ડગલે પગલે ભારોભાર અભિવ્યકત થતું અનુભવી શકાય તેમની વિદવતાપૂર્ણ, અસ્ખલિત રણકતી મધુરવાણી સાંભળતા અભિભૂત થઈ જવાય એવી કોઈ સૌમ્યતા અને શાલીનતા સભર, મમતાની મૂર્તિજોવા મળે તો તેઓ નિશ્ચિતપણે પૂ. ચંદનાજી મહારાજ તથા પૂ. સાધ્વીજી શિલાપીજી મહારાજ હશે. તેમ કહેવામાં કોઈ અતિશ્યોકિત નહી ગણાય. તેઓની સાથો સાથ સૌરાષ્ટ્રમાં કચ્છ સ્થિત વિરાયતન વિદ્યાપીઠના સાધ્વીશ્રી શિલાપીજી મહારાજ આવા બહુમુખી પ્રતિભાવંત અને અનોખા વ્યક્તિત્વનો જાતે જ અનુભવ કર્યા વિના રહી શકશે નહીં.

વિરાયતન રાજગીરીનો એક પરિચય

૫૨મ પૂજય ગુરુદેવ ઉપાધ્યાય અમરમુનિજીની પ્રેરણા અને આશીર્વાદ ૫૨મ શ્રદ્ધેય આચાર્ય ચંદનાજી દ્વારા વિરાયતનનો પ્રારંભ સન ૧૯૭૩ માં રાજગીરી - બિહારમાં થયો. સેવા, શિક્ષા અને સાધનાના હેતુઓની સાથે માનવ કલ્યાણ અને સામાજીક વિકાસના કાર્યોમાં સમર્પિત વિરાયતન, એક સોશ્યોરીલિજીયસ આંતરરાષ્ટ્રીય સંસ્થાન છે. જે સેવાના માધ્યમથી ભગવાન મહાવીરની કરૂૂણા અને અહિંસાની તેજસ્વિતાને અનેક લોકો સુધી પહોંચાડવાનો સફળ પ્રયાસ કરી રહી છે.

૫૨મ શ્રદ્ધેય આચાર્ય ચંદનાજીના નેતૃત્વમાં વિરાયતન-સમર્પિત અને કુશળ સાધ્વી સંઘ, કાર્યકારિણી સમિતિના સદસ્યને ઉત્સાહિત સ્વયંસેવકોના સંયુકત પ્રયત્નોથી ચાલતી સંસ્થા છે. સમગ્ર માનવજાતિના ઉત્કર્ષ માટે વિરાયતનનું કાર્ય કોઈ જાતિ કે પંથ, ધર્મ કે સમુદાયના ભેદભાવ વગર સંપન્ન કરવામાં આવી રહૃાું છે. વિરાયતનનો પ્રયાસ છે કે એવું વાતાવરણ બનાવવામાં આવે જેમાં બધા લોકો, લાભાર્થી, સ્વયંસેવકો અને કાર્યકતાઓનો સહયોગ અને સર્વ હિતની વાત વિચારી શકે અને બીજાના કલ્યાણની સુંદર યાત્રામાં સહભાગી બની શકે. છેલ્લા ૪૫ વર્ષોમાં વિરાયતને લાખો લોકોના જીવનને સ્પર્શ કર્યો છે અને પ્રોત્સાહન, સહયોગ અને નિસ્વાર્થ પ્રેમ દ્વારા તેમનામાં નવી આશાઓનો સંચાર કર્યો છે.

આચાર્ય ચંદનાજી જૈન ધર્મને તો વરેલા રહૃાા છે, સાથોસાથ જૈન સમાજને સંપૂર્ણ રીતે સમર્પિત રહૃાા છે. સમાજના ઉત્થાન અર્થે શિક્ષણને પ્રાધાન્ય આપ્યું. તેઓ દ્રઢતાપૂર્વક માને છે કે, જે સમાજ શિક્ષિત હોય તે સમાજ સદૈવ સુરક્ષીત હોય અને રહેશે જ. સમાજની દરેક પ્રકારની સેવાઓ પછી તે શિક્ષણ હોય કે આરોગ્ય, ધર્મ ઉપદેશની વાત હોય કે પછી ગરીબોના ઉત્થાનની બાબત હોય. પૂ. તાઈ મૉં સદાય તત્પર, અગ્રેસર અને સમર્પિત રહૃાા છે. પાંચ દાયકા ઉપરાંતની તેમની આ સેવાઓની ભારત સરકારે રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લીધી અને તેને આપેલા આ ઉત્તમ યોગદાન બદલ તેમને વર્ષ ૨૦૨૨ માં *પદ્મશ્રી એવોર્ડથી વિભુષીત કરાયા અને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

પદ્મશ્રી આચાર્ય ચંદનાજી જે જે ભૂમી પર પગરણ માંડે છે તે દરેક ભૂમીની તાસીર અને કિસ્મત બદલાઈ જાય છે.

વિરાયતન કચ્છમાં આગમન

૨૬ જાન્યુ-૨૦૦૧ માં કચ્છમાં વિનાશક ભૂકંપ ત્રાટકયો એ સમયે સાધ્વીજી પૂ. શિલાપીજી મહારાજ લંડન ખાતે જૈન ધર્મ વિશે પી.એચ.ડી. નું અધ્યયન કરી રહૃાા હતા. વિકરાળ ભૂકંપે તબાહી મચાવ્યાની જાણ થતાં જ પી.એચ.ડી. નો અભ્યાસ અધુરો છોડી પૂ. શિલાપીજી મહારાજ કચ્છ દોડી આવ્યા અને આચાર્ય ચંદનાજી મહારાજના આશીર્વાદ સાથે ભૂકંપપીડીતોના અશ્રુ લુછવાના ભગીરથ કાર્યનો પ્રારંભ કર્યો ત્યારથી આજ સુધી તેઓ કચ્છવાસીઓના કલ્યાણ માટે અવિરત સંલગ્ન છે.

૨૪ વર્ષ પૂર્વ કચ્છમાં આવેલા ભૂકંપ બાદ આપત્તિગ્રસ્ત લોકો માટે રાહત અને પુનવર્સનની બેનમુન કામગીરી કરનાર વિરાયતન સંસ્થાએ કચ્છમાં ઉચ્ચ વ્યવસાયિક શિક્ષણની વિશ્વકક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ બનાવી જે આજે કચ્છની વિકાસક્રાંતિના એક સુવર્ણપુષ્ઠ બની ચૂકી છે. પરમ શ્રદ્ધેય આચાર્ય ચંદનાજી મહારાજના આશીર્વાદથી એનો પ્રારંભ કરનારા સાઘ્વી શિલાપીજી મહારાજ છે. એમની દ્રષ્ટિ, સૂઝબૂઝ, અથાક મહેનત, સબળ નેતૃત્વ અને અસરકારક દોરવણીના કા૨ણે આજે કચ્છમાં વિરાયતન શિક્ષણના મહામથક તરીકે ઉભરી આવ્યું છે. અહી આજે જિલ્લાની સર્વપ્રથમ ફાર્મસી ડિગ્રી કોલેજ, મેનેજમેન્ટ કોલેજ, વિશ્વસ્તરની ઈજનેરી કોલેજ, પ્રાથમીક અને માધ્યમિક કક્ષાની ચાર શાળાઓ તેમજ બે તબીબી કેન્દ્રો કાર્યરત છે. જેમાં હજારો વિદ્યાર્થીઓ કોઈ જાતિ, ધર્મ, સંપ્રદાયના ભેદ વગર નિશુલ્ક શિક્ષણ પણ પ્રાપ્ત કરી રહૃાા છે.

પૂ. ચંદનાજી મહારાજના આશીર્વાદથી પૂ. સાધ્વી શિલાપીજી મહારાજ દિલ્હી યુનિવર્સિટીમાંથી એમ.કોમ. અને લંડનની કિંગ્સ કોલેજમાંથી એમ.ફિલની ઉપાધિ મેળવનાર સાધ્વી શિલાપીજી સંસ્કૃત, પ્રાકૃત, મારવાડી (રાજસ્થાની), મરાઠી, ગુજરાતી, હિન્દી તેમજ અંગ્રેજી તેમ સાત ભાષાઓમાં પારંગત છે અને જૈન તત્વજ્ઞાન તેમજ માનવજીવનની સમસ્યાઓ વિશે અગાધ જ્ઞાન તથા ઉડી સમજ ધરાવે છે. ઓકસફર્ડ, હાવર્ડ તેમજ અન્ય ટોચની વિદેશી યુનિવર્સિટીઓમાં સાધ્વીજીના વ્યાખ્યાનો અવારનવાર યોજાતા રહે છે. ભારત દર્શન વિશે પશ્ચિમની યુનિવર્સિટીમાં અભ્યાર કરનાર તેઓ પહેલા જૈન સાધ્વી છે.

કચ્છ વિરાયતન ઈન્સ્ટીટયુટ ઓફ એન્જીનીયરીંગ હરિપર ગામમાં સ્થાપના કરવામાં આવેલ છે. જેમાં ઉચ્ચ શિક્ષણ સંકુલ બનાવવામાં આવેલ છે. જેમાં અનુભવી સ્ટાફ તથા પ્રધ્યાપકો શિક્ષણ આપે છે. આ ઈન્સ્ટીટયુટમાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથો સાથ ટેકનીકલી, ખેલકૂદ તેમજ સાંસ્કૃતીક કાર્યક્રમો કરવામાં આવે છે.

આ શિક્ષણ સંસ્થા ૫ લાખ ફૂટની જગ્યામાં બનાવવામાં આવેલ છે, જેમાં કેમ્પસની અંદર હોસ્ટેલ તથા કોમ્પલેક્ષ આધુનિક સુવિધાથી સજજ છે. જેમાં આઈ.ટી., ઈલેકટ્રોનીક અને કોમ્પ્યુટર, સીવીલ મીકેનીકલ, કેમીકલ, કોમ્યુપટર અને ઈલેકટ્રોનીક એન્જીનીયર ડિગ્રીના વર્ગો તથા ડીપ્લોમા પ્રોગ્રામ કરાવવામાં આવે છે તેમજ જરૂૂરીયાત મંદ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે. ખાસ નોંધનીય છે કે આ ઈન્સ્ટીટયુટમાંથી ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી સારી કંપનીના કેમ્પ ઈન્ટરવ્યુમાં જોબ મળી જાય છે.

૫.પૂ.તાઈમાં મહારાજના માર્ગદર્શન મુજબ પ.પૂ. શિલાપીજી મહારાજની દેખરેખ હેઠળ વર્ષ ૨૦૨૨ માં અદ્યતન આધુનીક ૭૮૦ શીટનો ઓડીટોરીયમ હોલ બનાવી અને ખુલ્લો મૂકવામાં આવ્યો. જેનું નામાધિકરણ 'અદાણી ઓડીટોરીયમ હોલ' રાખવામાં આવેલ.

વર્ષ-૨૦૨૨માં પ્રરીણી મહારાજ સાહેબએ દિક્ષા અંગીકાર કરેલ. તેમની નાની બહેન માનવી બહેન જૈન તા. ૨૫-૧-૨૦૨૫ના રોજ દિક્ષા અંગીકાર કરશે તેમનો વરઘોડો શોભાયાત્રા ૭૨ જિનાલયથી સવારે ઃ ૮ વાગ્યે નીકળશે અને ૧૦વાગ્યે દિક્ષાનો પાઠ ભણાવવામાં આવશે.

સંકલનઃ- શશીકાંત ઉદાણી,

મો. ૯૪૨૭૨ ૪૦૬૭૮

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial