Sensex

વિગતવાર સમાચાર

પૂનામાં જોવા મળેલા જીયે બુરે સિન્ડ્રોમ શું છે ? આયુર્વેદ મતે તેની ચિકિત્સા...

ઓટો ઈમ્યુનિટી એટલે શું?  નિદાન કેવી રીતે થાય? લક્ષણો શું છે?...જાણો...

એક અહેવાલમાં જણાવ્યું છે કે પૂનામાં જીયે બુરે સિન્ડ્રોમ આઉટબ્રેક જોવા મળ્યો છે અને તેના પરિણામે એક મૃત્યુ પણ નોંધવામાં આવ્યું છે. ય્ેૈઙ્મઙ્મટ્ઠૈહ-મ્ટ્ઠિિી જીઅહઙ્ઘર્દ્બિી (જીયે બુરે સિન્ડ્રોમ)માં શરીરના જ્ઞાન તંતુ (નર્વ)ને અસર કરતો રોગ છે જેનું કારણ ઓટોઇમ્યુનિટી માનવામાં આવે છે. ઓટો  ઇમ્યુનનો અર્થ થાય કે શરીરનું રોગ પ્રતિરક્ષણ તંત્ર જેને ઇમ્યુનિટી કહે છે તે પોતે જ શરીરના પોતાના કોષોને બાહ્ય આક્રમણ માંની તેને નુકસાન કરે. આ રોગમાં ઇન્ફ્લેમેશન (સોજો) જ્ઞાનતંતુમાં કોઈપણ પ્રકારના બાહ્ય સંક્રમણના કારણે નહીં પણ ઓટો ઇમ્યુનિટીના પરિણામે થાય છે.

ઓટો ઈમ્યુનિટી શું છે?

ઓટો ઇમ્યુનિટી એક પ્રકારનો ઇમ્યુન સિસ્ટમનો રોગ છે જેમાં શરીરની ઇમ્યુન સિસ્ટમ શરીરના પોતાના કોષોને નુકસાન કરે છે અને તેના પરિણામે રોગ થાય છે. આયુર્વેદ ના મતે ઇમ્યુનિટી એટલે કે ઓજના વિસંસની સ્થિતિ છે અને તેના પરિણામે શરીરમાં સોજો (ઓટો ઇમ્યુન ઇન્ફ્લેમેશન આવે છે). અહી ઇમ્યુનિટીને વધારવી સામાન્ય રીતે ખરાબ પરિણામ લાવી શકે છે તેથી ઓટો ઇમ્યુન રોગોમાં આધુનિક ચિકિત્સામાં ઇમ્યુનો સપ્રેસર ઇમ્યુનિટીને ઓછી કરાતી દવાઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.

ઇમ્યુનિટીના કારણે થનાર રોગોમાં લો-ઇમ્યુનિટી જન્ય રોગો, ઇમ્યુન ડેફિસયન્સીના કારણે થનાર રોગો, હાઇટનડ ઇમ્યુન રિસ્પોન્સ (જે કોવિડમાં જોવા મળતો હતો જેને ઓછું કરવા સ્ટીરોઇડ વાપરવામાં આવતી), ઓટો-ઇમ્યુન રોગો મુખ્ય છે. ઓટો ઇમ્યુનિટીના કારણે શરીરના દરેક અવયવના રોગો થઈ શકે છે. ઓટો ઇમ્યુન એક રોગ નથી પણ રોગ થવાની એક વિશેષ પ્રક્રિયા હોય છે. જેની ચિકિત્સા પણ વિશેષ રીતે કરવાની થતી હોય છે.

જીયે બુરે સિન્ડ્રોમને

કેવી રીતે ઓળખાવો

જીયે બુરે સિન્ડ્રોમમાં શરીરની જ્ઞાનતંતુના પડ (માયલીન શિથને નુકસાન થતું હોય છે) જેમાં શરૂઆતમાં હાથ અને પગમાં ખાલી ચડવી, કમજોરી લાગવી જેવો લક્ષણો જોવા મળે છે જે સમયાંતરે પેરાલીસીસ જેવી પરિસ્થિતિ જેમાં હાથ અને પગના કામ કરવાની શક્તિ રહેતી નથી  પક્ષાઘાત થતો જોવા મળે. શરૂઆતના ઓછા લક્ષણો જોવા મળે છે જે ક્રમશઃ દરેક અવયવ ઉપર અસર જોવા મળે છે જે નીચે મુજબ હોય શકે.

૧) હાથ-પગમાં સુન્ન પડે છે. જો કોઈ ટાંકણી જેવી વસ્તુ વાગે તો તેની જાણ થતી નથી, ૨) ચાલવામાં અને દાદર ચડવામાં તકલીફ પડે  પગ લડખડતા હોય તેવું લાગે, (૩) બોલવામાં, ચાવવામાં, ખોરાક-પાણી ઉતારવામાં તકલીફ થાય, (૪) જોવામાં તકલીફ પડે (બે  બે વસ્તુઓ દેખાય), (૫) સ્નાયુમાં દુખાવો થવો તોડતું  મરડતું હોય વિશેષ કરીને રાત્રિના સમયે વધુ જોવા મળે, (૬) પેશાબ-મળ માર્ગની તકલીફ, (૭) શ્વાસ લેવામાં તકલીફ થવી, બ્લડપ્રેશરમાં ફેરફાર થવા વિગેરે.

જીયે બુરે સિન્ડ્રોમનું નિદાન

જીયે બુરે સિન્ડ્રોમનું નિદાન રોગીને તપાસી અને હિસ્ટ્રી લીધા પછી જરૂરી રિપોર્ટ કરવાથી થઈ શકે છે. ઉપરના લક્ષણો જણાતા આયુર્વેદ ચિકિત્સકનો સંપર્ક કર્યા પછી તપાસ પછી જરૂરી રિપોર્ટ જેવા કે નર્વ કન્ડક્શન ટેસ્ટ, સ્પાઇનલ ટેપ, એલેક્ટ્રોમીઓગ્રાફી, એએનએ વિગેરેની તપાસ કર્યા પછી કરી શકાય છે.

જીયે બુરે સિન્ડ્રોમની આયુર્વેદ સારવાર

જીયે બુરે સિન્ડ્રોમની ચોક્કસ સારવાર નથી તેમ આધુનિક વિજ્ઞાન માને છે અને ચિકિત્સા માટે નયુરાઇન ટોનિક, ઇમ્યુનો-સપ્રેશન્ટ અને સપોર્ટીવ મેડિસિન આપવામાં આવે છે. સામાન્ય રીતે રોગ આગળ ના વધે તે માટે ચિકિત્સા સતત ચાલુ રાખવાની સલાહ આપવામાં આવતી હોય છે. આયુર્વેદના મતે પણ રોગમાં સારવાર અને કાળજી સતત લેવી પડે.

રોગીની પરીક્ષા કર્યા પછી અને રોગ અને રોગીની અવસ્થા જાણ્યા પછી આયુર્વેદ ચિકિત્સક તેને મેડિસિન ટ્રીટમેન્ટ દવાથી ચિકિત્સા કરે છે જેમાં અશ્વગંધા, ચોપચીની, પીપરમૂળ, દશમૂલ, પંચમૂલ, વાતવિધવાંશ, તિંદૂક, વિગેરે ઔષધિ આપી શકે છે.

આહારમાં રોગીને અનુકૂળ હોય તેવા આહાર જે શરીર માં આમ ઉત્પન્ન ન કરે તેવા એટલે કે મેંદાની બાનવટ, તેલિબિયા નટ્સ, રિફાઈન્ડ ફ્લોર, રેડી ટુ કૂક અને રેડી ટુ સર્વ ફૂડ પરિસર્વેટિવ નાખેલ ખોરાકોનો ઉપયોગ ન જ કરવો. તલનું તેલ, જવ, મગ, વરસાદનું પાણી, સીંધાલૂણ, મધ, ગાયનું ઘી જેવી વસ્તુથી બનેલા ખોરાક જ લેવા હિતાવહ છે.

રાત ઉજાગરા કરવા, અતિ શ્રમ કરવો, તડકો, પવન લાગે તેવા કામ કરવા, ચિંતા કરવી, સતત માનસિક વિચારોમાં રહેવું રોગની તકલીફમાં વધારો કરે છે. નિશ્ચિંત રહેવું, સબળા વિચારો કરવા, હળવા કામ કરવા અને પ્રવૃત્તિશીલ રહેવાથી રોગ વધવાની ઝડપને ઓછી કરી શકાય. ઉંમર વધવાની સાથે જે ન્યુરૉન્સ (જ્ઞાન તંતુ) નાશ પામે છે તે ફરી બને શક્યતા નથી તેથી રોગની ચિકિત્સામાં બેકાળજી થવું યોગ્ય નથી. સતત નિયમિત ચિકિત્સાથી રોગથી થનારા ઉપદ્રવની ઝડપ ઓછી કરી શકાય.

સલાહ

ઉપરોક્ત રોગ અને રોગ-અવસ્થા વિશે વધુ જાણવા અને ચિકિત્સકિય અભિપ્રાય માટે આયુર્વેદ ચિકિત્સકનો સંપર્ક કરવો.

ડૉ. નિશાંત શુક્લ, જામનગર

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial