ગાયત્રી શાંતિવન દ્વારકા દ્વારા જનજાગૃતિ પત્રિકાનું વિતરણઃ
આજના યુગમાં હૃદયરોગ, બ્લડપ્રેસર, કેન્સર વગેરેની જેમ ડાયાબિટીસનાં રોગનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે. ઘણાં જુનાં કાળથી માનવીને પીડતા અને આખા શરીરનું આરોગ્ય કથળાવતો આ રાજરોગ મધુપ્રમેહ (ડાયાબિટીસ) વિશે આયુર્વેદનાં મહર્ષિ ચરક, સુશ્રુતે રસપ્રદ વર્ણન આયુર્વેદના ગ્રંથોમાં કરેલ છે. જીવનભર પરેશાન કરનારા આવા મહારોગથી બચવા પ્રત્યન કરવો, તે સૌ કોઈની ફરજ છે.
શરીરનું વધારે પડતું વજન વધવા ન દેવું. ચાલી વર્ષની ઉંમર બાદ તો આ બાબતે દરેક વ્યકિતએ સજાગ રહેવું હિતાવહ છે.
આચાર્ય ચરકે મધુપ્રમેહ (ડાયાબિટીસ) થવાનાં મુખ્ય કારણોમાં જણાવ્યું છે કે, ખોરાકમાં પોતાની જીભને વશમાં ન રાખી શકનાર અર્થાત વધારે પડતું ખાનારને અને પગલે ચાલવાનો કંટાળો કરનાર અર્થાત બેઠાડું જીવન જીવવાવાળાને આ રોગ ભરડો લે છે, આ બાબત ધ્યાનમાં રાખવી.
કુટુંબમાં કોઈને આ રોગ છે કે કેમ ? તે જાણી લેવું, જો તે હોય તો પોતે એના ભોગ બનવાની શકયતા ધ્યાનમાં રાખવી. સાવચેતીનાં પગલાં તરીકે વધારે પડતી મીઠાઈ અને વધારે પડતું ન ખાવું, વજનનો વધારો થતો રોકવો, સમયાંતરે લોહી અને પેશાબની તપાસ કરાવવી.
મોડા ઉઠવાની આદત, બપોરે જમ્યા પછીની દિવસની વધુ ઊંઘ, બેઠાડું-આળસું જીવન છોડવું જ રહ્યું.
દરરોજ નિયમિત કસરત કરવી, યોગાસનો કરવા, તેમજ ઝડપથી ચાલવું જરૂરી છે.
વારંવાર મીઠી ચા કે કોફી પીવાનું વ્યસન પણ છોડવું હિતકારક છે.
પચવામાં ભારે, દહીં વગેરે જેવા ચીકણાં પદાર્થો, ગળ્યાં દ્રવ્યો, ઠંડા પદાર્થો, કોલ્ડ્રીંકસ, આઈસ્ક્રીમ વગેરે બહુ વધારે પ્રમાણમાં લેવા નહીં.
કફ પ્રકૃતિવાળી વ્યકિત કફ કરનાર પદાર્થો (જેમ કે વધુ પ્રમાણમાં દૂધ પીવું, વધુ પ્રમાણમાં દહીં ખાવું, ગોળ નાખેલા પદાર્થોનું વધારે સેવન કરવું)નું વધુ પ્રમાણમાં સેવન કરે તો, સુખી-એશ-આરામી વ્યકિત અને સ્વાદપ્રિય તથા ઊંઘણશી વ્યકિત ડાયાબિટીસના સકંજામાં ઝડપથી આવી જાય છે.
પૌષ્ટિક ખોરાક ખાઈ શરીર શ્રમ વિના વેપાર- રોજગાર કરતા સુખી વેપારીઓ, વેપાર ધંધામાં વારંવાર ચિંતા કરી, વ્યાયામ અને હરવું-ફરવું-ચાલવાની કસરત પણ ઓછી કરનાર, તેમજ જુદી-જુદી મહત્વાકાંક્ષાથી ભરેલા અન્ય માણસો કે જે માનસિક રીતે પૂરતો આરામ કરતા નથી, તેઓ સજાગ રહે.!
દૈનિક ખોરાકમાં શકય એટલા વધુ પ્રમાણમાં ખોરાક સાથે સૂકી-લીલી હળદર, મેથી, કારેલા, સૂકા-લીલાં આમળાં, આદુ, હરડે, મામેજવો, રસાયણ ચૂર્ણ, સુદર્શન ચૂર્ણ, સાચું મધ વગેરે લેવાથી ડાયાબિટીસથી બચી શકાય છે. નાના બાળકોને કડવાણી આપવી હિતકારક છે.
ડાયાબિટીસને આગળ વધતો અટકાવવા માટે ખાન-પાન બાબતમાં લોક જાગૃતિ આવશ્કય છે.
બાળકોને થતું ડાયાબિટીસઃ જુવેનાઈલ ડાયાબિટીસ બાળકોની અયોગ્ય રહેણીકરણીને કારણે થાય છે. જંક ફૂડનું જે પશ્ચિમી કલ્ચર બાળકોમાં અપનાવાઈ રહ્યું છે, તેને કારણે તેમના સ્વાસ્થ્યમાં ઘણાં ફેરફાર થાય છે. આ પ્રકારનું ડાયાબિટીસ ઘણીવાર વારસાગત હોય છે, અને કયારેક સ્થૂળતાને કારણે પણ થાય છે.
ડાયાબિટીસના દર્દી માટે અગત્યની ટીપ્સ
આ રોગનાં દર્દી જો ખાવાની બાબતમાં પોતાની જાતને કાબૂમાં રાખી શકે તો ડાયાબિટીસ અંકુશમાં રહે છે.
ડાયાબિટીસથી પીડાતી વ્યકિતએ નિયમિત તેમનું બ્લડ સુગર ચેક કરાવવું અત્યંત આવશ્યક છે.
પોતાના પગની ખાસ સંભાળ રાખવી જરૂરી છે.
નિયમિત યોગાસનો અને કસરત કરવાથી પણ ડાયાબિટીસને અંકુશમાં રાખી શકાય છે.
જો આ રોગની યોગ્ય સારવાર ન લેવામાં આવે તો અંધાપો, હૃદયરોગ, કિડનીની બીમારી જેવા મહારોગને નોતરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial