કિશોર ચેરી. ટ્રસ્ટના આર્થિક સહયોગથી
ભાટિયા તા. રરઃ કિશોર ચેરીટેબલ ટ્રસ્ટ-ભાટિયાના આર્થિક સહયોગથી અને રણછોડદાસજી બાપુ ચેરીટેબલ આંખની હોસ્પિટલ-રાજકોટના નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાનનો ૧૧પ મો કેમ્પ યોજવામાં આવ્યો છે. આ કેમ્પ તા. ર૩/ર ને રવિવારે સવારે ૯ થી ૧૧ સરકારી દવાખાનું, ભાટિયામાં રાખવામાં આવ્યો છે. જેમાં મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રણછોડદાસ બાપુ હોસ્પિટલ-રાજકોટ મોકલવામાં આવશે. જ્યાં દર્દીઓને આવવા-જવા, રહેવા-જમવા સહિતની વ્યવસ્થા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે. કેમ્પમાં આવનારે તેમના આધાર કાર્ડની બે નકલ સાથે લાવવાની રહેશે. વધુ વિગત માટે મો. ૯૪ર૭૪ ર૦૧૧૧ નો સંપર્ક કરવો. જનતાને આ કેમ્પનો લાભ લેવા કિશોર ચેરી. ટ્રસ્ટ-ભાટિયાના પ્રમુખ કિશોરભાઈ દત્તાણી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial