Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

દ્વારકા અને ખંભાળિયા નગરપાલિકાઓ 'સી' માંથી 'બી' કેટેગરીમાં થશે અપગ્રેડ

ગુજરાતના બજેટની જોગવાઈ મુજબ

દ્વારકા તા. ૨૨: ગુજરાત બજેટમાં દ્વારકા તથા ખંભાળિયા નગરપાલિકાને નગર અપગ્રેડ કરવા જોગવાઈ થઈ છે. બંને નગરપાલિકાઓનું સી માંથી બી કેટેગરીમાં અપગ્રેડેશન થશે.

ગુજરાત રાજ્યના નાણાંમંત્રી દ્વારા રજૂ કરાયેલ અંદાજપત્રમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની બે નગરપાલિકાઓ- દ્વારકા તથા ખંભાળિયાને અપગ્રેડ કરવાની જોગવાઈ કરાતા બંને શહેરોમાં આનંદની લાગણી ફેલાઈ છે.

દ્વારકા નગરપાલિકાની વર્ષ ૨૦૧૧ની સ્થિતિએ વસ્તી ૩૮ હજાર હતી જે હાલ ૭૫ હજારથી વધુ થઈ ગઈ છે. દ્વારકામાં જલારામ વિસ્તાર, ઘનશ્યામ નગર, બીરલા કોલોની સહિતના વિસ્તારોનો વધારો ઉપરાંત સતત ચાલતા વિકાસકાર્યોને લીધે પાંચ કિમી વિસ્તારમાં ઔદ્યોગિક એકમોમાં સતત વધારો થયો હોય નગરપાલિકાનું સી કેટેગરીમાંથી બી કેટેગરીમાં રૂપાંતર કરાશે. ખંભાળિયા શહેરની વસ્તી ૨૦૧૧ની સ્થિતિએ ૪૧ હજાર હતી જે હાલ ૮૦ હજારથી વધારે છે. તાજેતરમાં ખંભાળિયાની ચાર ગ્રામ પંચાયતો તથા અનેક સોસાયટી વિસ્તારને નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ કરવા હિલચાલ ચાલી રહી હોય ખંભાળિયા નગરપાલિકાનું પણ સી કેટેગરીમાંથી બી કેટેગરીમાં રૂપાંતરણ કરાશે.

દ્વારકા નગરપાલીકાના અપગ્રેડેશનને હોટલ એસોસિએશનના અગ્રણીઓ, ચેમ્બર ઓફ કોમર્સ તથા અન્ય વ્યાપારિક સંસ્થાના અગ્રણીઓ દ્વારા વધાવવામાં આવેલ છે. અને આગમી દાયકામાં દ્વારકામાં સતત ચાલતા ડેવલોપમેન્ટ પ્રોજેકટને લીધે તેમજ રોડ રસ્તાના વિસ્તૃતીકરણ, આગામી કોરીડોર પ્રોજેકટ, શ્રીકૃષ્ણની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જેવા પ્રોજેકટસ અમલમાં લાવનાર હોય શહેરના ધાર્મિક દૃષ્ટિએ તેમજ સંપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રકચરલ ડેવલોપમેન્ટ માટે પાયાથી ફેરફારના ભાગરૂપે નગર પાલિકાના અપગ્રેડેશના નિર્ણયને તમામ અગ્રણીઓએ એકસૂરમાં વધાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર અને રાજય સરકારના ડેવલોપમેન્ટ પ્રોજેકટમાં દ્વારકાને અગ્રતા અપાઈ હોય શહેરી વિકાસ મંત્રાલયે પાછલા વર્ષોમાં દ્વારકા નગરપાલિકા વિસ્તારના યાત્રાધામના પ્રમુખ ધાર્મિક સ્થળોના વિકાસ માટે તેમજ દ્વારકા ક્ષેત્રના શિવરાજપુર, બેટ દ્વારકા, નાગેશ્વર, ગોપી તળાવ, રૂક્ષ્મણી મંદિર સહિતના સ્થળોના વિકાસ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરાઈ છે યા તો ભવિષ્યમાં આ સ્થળોનો વિકાસ હાથ ધરવામાં આવનાર છે.

તાજેતરમાં દ્વારકા નગરપાલિકાની ચૂંટણીમાં પણ સરકારની દ્વારકા માટેની વિકાસલક્ષી યોજનાઓને જોતાં ભાજપ પક્ષમાં વિશ્વાસ વધુ સુદ્રઢ કરતા નગરપાલીકાના સાતેય વોર્ડની તમામ ૨૮ બેઠકો ભાજપનો જયજયકાર કર્યો છે તો બીજી તરફ સરકારે પણ દ્વારકાના વિકાસને દાખલારૂપ બનાવવા સતત વિકાસલક્ષી પ્રોજેકટસની ઘોષણા પાછલા વર્ષોમાં અવિરત રીતે કરાઈ હોય સતત વિકાસકાર્યો હાથ ધરવામાં આવી રહયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial