મહાશિવરાત્રિના મેળાને લક્ષ્યમાં લઈને
અમદાવાદ તા. રરઃ મહાશિવરાત્રિને ધ્યાને લઈને અમદાવાદથી વાયા સુરેન્દ્રનગર-રાજકોટ થઈ જૂનાગઢ સુધી સ્પેશિયલ ટ્રેન દોડાવાશે.
મહાશિવરાત્રિને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળામાં સાધુ-સંતો સહિત મોટી સંખ્યામાં લોકો આવે છે. મેળામાં આવતા હજારો લોકો માટે ભારતીય રેલવે દ્વારા વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થઈને વેરાવળ-ગાંધીગ્રામ મહાશિવરાત્રિ મેળા સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. રેલવે વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી આ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર દોડાવવામાં આવશે.
તદ્નુસાર ટ્રેન નં. ૦૯પ૬૮, વેરાવળ-ગાંધીગ્રામ મહાશિવરાત્રિ મેળા સ્પેશિયલ ટ્રેન વેરાવળથી ર૧-ર૦ કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે ૮ કલાકે ગાંધીગ્રામ પહોંચશે. ટ્રેન નં. ૦૯પ૬૭ ગાંધીગ્રામ - વેરાવળ મહા-શિવરાત્રિ મેળા સ્પેશિયલ ટ્રેન ૧૦-૧૦ વાગ્યે ઉપડશે અને તે જ દિવસે સવારે ૧૭-૪૦ વાગ્યે વેરાવળ પહોંચશે.
ટ્રેન નં. ૦૯પ૬૮ ઉપરોક્ત સમય મુજબ શિવરાત્રિ મેળા સ્પેશિયલ ટ્રેન ર૩ ફેબ્રુઆરીથી ર૭ ફેબ્રુઆરી ર૦રપ સુધી દોડાવવામાં આવશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ કોચ હશે. ટ્રેન નં. ૦૯પ૬ ઉપરોક્ત સમય મુજબ ર૪ ફેબ્રુઆરી ર૦રપ થી ર૮ ફેબ્રુઆરી ર૦રપ સુધી દરરોજ ચાલશે.
તે ઉપરાંત ટ્રેન નં. ૦૯પ૬૮ શિવરાત્રિ મેળા સ્પેશિયલ ટ્રેન માળિયા હાટીન કેશોદ, જૂનાગઢ, જેતલપર, વિરપુર, ગોંડલ, ભક્તિનગર, રાજકોટ, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર જંકશન, બોટાદ, ધંધુકા, ધોળકા, બાવળા અને ખરખેજ સ્ટેશન પર ઊભી રહેશે.
ટ્રેન નં. ૦૯પ૬૭ શિવરાત્રિ મેળા સ્પેશિયલ ટ્રેન સરખેજ, બાવળા, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, ધસા, લાઠી, ચિતલ, વડિયા દેવળી, જેતલસર, જૂનાગઢ, કેશોદ અને માળિયા હાટીના સ્ટેશન પર ઊભી રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial