દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોે. ૧૦-૧ર બોર્ડની પરીક્ષા
ખંભાળીયા તા. રરઃ આગામી તા. ર૭-ફેબ્રુઆરીથી ૧૭ માર્ચ દરમિયાન યોજાનાર ધો. ૧૦ અને ધો. ૧ર ની બોર્ડની પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓને પરીક્ષાઓ આપવામાં કોઈ અડચણ ન રહે અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રોમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-ર૦ર૩ ની જોગવાઈઓ અનુસાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે., જે મુજબ જિલ્લામાં નક્કી કરાયેલા પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારની હદમાં કોપી (ઝેરોક્ષ) સેન્ટરો બંધ રાખવાના રહેશે અને કેન્દ્રો આસપાસના વિસ્તારમાં પરીક્ષા સમય દરમિયાન લાઉડ સ્પીકર બંધ રાખવાના રહેેશે. ઉપરાંત પરીક્ષા કેન્દ્રોની આસપાસ પરીક્ષાર્થીઓ અને અધિકૃત વ્યક્તિઓ સિવાય અન્ય વ્યક્તિઓએ ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ આદેશોનો ભંગ કરનાર ભારતીય ન્યાય સંહિતા-ર૦ર૩ ની જોગવાઈઓ અનુસાર શિક્ષાને પાત્ર થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial