નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ
વિશ્વમાં ભારત જ એકમાત્ર ધર્મભૂમિ છે. ધર્મગ્લાનિને દૂર કરવા ઈશ્વર ભારત માં જ અવતાર લે છે આનાથી એ સિદ્ધ થાય છે ધર્મ ભારતમાં જ છે. જ્યાં ધર્મ હશે ત્યાં જ તો ગ્લાનિ પણ થશે અને અભ્યુત્થાન પણ થશે. વિશ્વમાં અન્ય જે કોઈ પણ ધર્મ તરીકે ઓળખવામાં આવે છે તે ખરેખર તો અલગ અલગ કાળાંતરે વ્યક્તિવિશેષ દ્વારા પ્રવર્તિત સંપ્રદાય કે પાર્ટીમાત્ર જ છે. ભારત માં પણ જ્યારે ધર્મ અનેક મત મતાંતરો માં વિભકત થઈને સંકીર્ણતા પ્રાપ્ત કરી સ્વયં ને જ ધર્મ નામથી ખ્યાપિત કરવા લાગે છે ત્યારે ઈશ્વર અવતાર ધારણ કરીને આ સંકીર્ણતાને દૂર કરી અભ્યુદય નિઃશ્રેયસકારી ધર્મની શુદ્ધિ કરે છે.
ભારતભૂમિમાં શિવ આરાધના અત્યંત પ્રાચીનકાળથી થતી આવી છે. આદિ શંકરાચાર્ય જ્યારે કાશ્મીરની યાત્રા પર ગયા હતા તે સમયે તે શિવઆરાધનાનું મુખ્ય કેન્દ્ર હતું. આદિ શંકરાચાર્યજીએ બોત્તેર મતોનું ખંડન કરીને અદ્વૈતમતની સ્થાપના કરી. બોત્તેર મતોમાંથી એક શૈવ સંપ્રદાય પણ હતો જેનું ખંડન કરીને આદિગુરૂએ શૈવ સંપ્રદાયનો વિલય પણ અદ્વૈતમતના અંતર્ગત કર્યો. ભારતમાં આજે પણ વિભિન્ન શૈવ સંપ્રદાય અસ્તિત્વમાં છે જે આગમથી સંચાલિત થાય છે. શૈવાગમના અનેક ગ્રંથ કાશ્મીર, દક્ષિણ ભારતમાં મળે છે. આજે દુર્ભાગ્યવશ દક્ષિણભારતના લિંગાયત શૈવ પોતાને હિન્દુ માન્યતાથી અલગ કરી અલપસંખ્યક થઈ ગયા છે. આ હિન્દુ ધર્મને દુર્બળ કરવાનું કાર્ય થયું છે. જો આવી જ રીતે વિભિન્ન સંપ્રદાય પોતપોતાની સ્વતંત્ર સત્તા બનાવવા લાગશે તો આજથી અઢી હજાર વર્ષ પહેલાવાળી પરિસ્થિતિ ફરીથી નિર્મિત થશે માટે આ ચિંતાજનક છે. શૈવ વૈષ્ણવ ભેદ આજે પણ અસ્તિત્વમાં છે.
ગોસ્વામી તુલસીદાસજીના ગ્રંથ રામચરિતમાનસને કારણે ઉત્તરભારતમાં ધર્મનું સંતુલન ટકી રહૃાું છે. રામચરિતમાનસમાં તેમણે શ્રીરામના મુખે કહેવડાવ્યું છે-
ઔરઉ એક ગુપુત મત
સબહી કહઉ કરજોરી ા
સંકર ભજન બીના
નર ભગતિ ન પાવઈ મોરી ાા
પરંતુ દક્ષિણભારતમાં આ વૈષ્ણવવાદ આજે ઉગ્રતા ધારણ કરી રહૃાો છે જે ચિંતાજનક છે. શંકરાચાર્ય પરંપરાને પણ શૈવ દૃષ્ટિકોણથી જોતાં મધ્વ સંપ્રદાય જે રીતે શંકરાચાર્યના પ્રત્યે વિષવમન કરે છે તે તેમના હૃદયની સંકીર્ણતા અને અપરાધિક કૃત્ય છે. શંકરાચાર્ય માત્ર શૈવ નહીં પરંતુ પંચદેવોપાસક હતા. તેમણે શિવ વિષ્ણુ ગણેશ દેવી સૂર્યની ઉપાસનાનો સમાનભાવથી પ્રચાર કર્યો. વેદમાં રૂદ્રાષ્ટાધ્યાયીના નમક ચમક અધ્યાયમાં ભગવાન શિવના વ્યાપક સ્વરૂપનું વર્ણન કરતાં કરતાં કણ કણમાં તેમની વ્યાપ્તિનું ગાન કરવામાં આવ્યું છે. વસ્તુતઃ આ જ વેદ પ્રતિપાદિત શિવ સ્વરૂપ આદિકાળથી ભારતમાં પૂજિત કરવામાં આવી રહૃાું છે નહીં કે સપ્રદાયગત શિવસ્વરૂપ.
ઉપાસનાના મહાપર્વ મહાશિવરાત્રિમાં બહુસંખ્યક ભારતવાસી વેદોક્ત શિવઆરાધના થકી નિઃશ્રેયસ અને અભ્યુદય પ્રાપ્ત કરે છે તો તે આદિ શંકરાચાર્યની પંચદેવોપાસનાનો જ પ્રચાર છે. શિવરાત્રિના યોજાયેલા પાવન અવસર પર ભગવાન ચંદ્રમૌલેશ્વરને ભારતના અભ્યુદયની કામના કરીએ છીએ.
:: આલેખન :: સ્વામી સદાનંદ સરસ્વતી
જગદગુરૂ શંકરાચાર્ય શારદાપીઠ, દ્વારકા (ગુજરાત)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial