Sensex

વિગતવાર સમાચાર

ડિલેઈડ સ્લીપ ફૈઝ સિન્ડ્રોમ : સતત રહેતી અનિદ્રાનું ઉકેલ માંગતું કારણ

સર્કેડિયન રિધમ મુજબ શરીરની અંદરની ઘડિયાળ મુજબ રોજિંદો શિડ્યુલ ગોઠવાતો હોય છે

શું નિંદર આવવામાં તકલીફ પડે છે? નિંદર મોડી આવે અને ઊઠવામાં મોડા થાય છે? શું દિવસ ભર સુસ્તી લાગે છે? તો તે ડિલેઈડ સ્લીપ ફૈઝ સિન્ડ્રોમના કારણે હોય શકે છે.

આ રોગને સામાન્ય વ્યવહારમાં અનિદ્રા જ કહેવામાં આવે છે પણ તેમાં કારણો અને ઉપાય કરવાથી લાભ થઈ શકે છે.  આ રોગમાં રોગી માટે માનસિક અને શારીરિક રીતે પીડાકારક હોય છે અને ટ્રાન્કયુલાઇઝરના ઉપયોગ પછી પણ સમસ્યા રહી શકે છે. ડિલેઇડ સ્લીપ શું છે?

સામાન્ય રીતે વ્યક્તિને ૧૦.૩૦ નિંદર આવવા લાગે અને ૬ વાગ્યાની આસપાસ જાગે જેને સામાન્ય ક્રમ કહે છે. પણ  જ્યારે આ ક્રમમાં ફેરફાર થાય અને નિંદરની માત્ર (નિંદરના કલાકમાં ફેરફાર થતો નથી) પણ નિંદર આવવાના સમયમાં ફેરફાર થાય છે એટલે કે નિંદર ૧૦.૩૦ અથવા ૧૧ વાગ્યે આવવાના બદલે ૧૨ અથવા ૧ અથવા ૨ વાગે આવે અને ઊઠવાનો સામે તે જ રીતે મોડો થાય. નિંદરના આ ક્રમનો ફેરફારને ડિલેઇડ સ્લીપ ફૈઝ સિન્ડ્રોમ કહે છે.

નિંદર, ભૂખ, મળ અને મૂત્રની હાજત વિગેરે એક ચોક્કસ પ્રકારના ઘટનાક્રમ પ્રમાણે અને ચોક્કસ સમયે થતા હોય છે  જે શરીરની અંદરની ઘડિયાલને આભારી હોય છે જે એક રિધમ પ્રમાણે થતું હોય તેને સર્કેડિયન રિધમ કહે છે.

ડિલેઇડ સ્લીપના કારણો

આ રોગના અનેક કારણો હોય શકે છે જેમાંના અગત્યના કારણોમાં આનુવાંસીક (જીનેટિક વારસાગત), માનસિક તાણ, માનસિક વિકારો (ડિપ્રેશન, એન્ઝાઇટી, વિ.) જ્ઞાન તંતુના વિકારો (સ્ટ્રોક લકવા પછી જોવા મળે શકે), ઉંમર, કામ, વ્યવસાયના પ્રભાવ (શિફ્ટ જોબ, કોમ્પ્યુટર પર કામ કરનારા, વિદેશી કંપનીઓમાં ઓનલાઈન જોબ કરનારા વિ.), મોડે  સુધી જાગવાની સતત ટેવ અને વધતી ઉંમર.

ડિલેઇડ સ્લીપના લક્ષણો

આ રોગના લક્ષણોમાં નિંદર આવવામાં મોડું થવું, દિવસ દરમ્યાન ઘેનની અસર રહેવી, કામ કરવામાં તકલીફ પડાવી, ખોરાકના પાચનમાં અનિયમિતતા થવી, પેટની તકલીફ થવી, અને સતત રીતે થતી નિંદરમાં ફેરફાર થવાના પરિણામે સતત માનસિક તાણની અનુભૂતિ થવી જે લાંબા સમયે સ્ટ્રેસના કારણે થતાં રોગો જેમ કે ડાયાબિટીસ, બીપી, હાર્ટ ડી સીઝ, વિગેરે.

શું ડિલેઇડ સ્લીપ અતિ ગંભીર રોગ છે?

આ રોગ માં જીવ નું જોખમ કે ઇર્મજન્સી નથી હોતી પણ જો રોગ લાંબા સમય  સુધી તકલીફ આપતો હોય શકે. જેના પ રિણામ ગંભીર હોય શકે જેમ કે લાંબાગાળાના શારીરિક, માનસિક અને ઈમ્યુનોલૉજીક ફેરફાર કરી શકે છે.

ડિલેઇડ સ્લીપ ડીસીઝની

આયુર્વેદમાં સારવાર

આ રોગ સારવાર આયુર્વેદ વિજ્ઞાનમાં છે; આયુર્વેદ ના ગ્રંથો જેવા કે ચરક સંહિતા, સુશ્રુત સંહિતા વિગેરે ગ્રંથો માં રોગનું  વિસ્તારપૂર્વક વર્ણન છે તેમ કહેવું અયોગ્ય નથી. રોગની ચિકિત્સા માટે આયુર્વેદ ચિકિત્સક રોગીને તપાસી અને રોગની ચિકિત્સાનું પ્લાન કરે. જેમાં દવાઓ, પંચકર્મ, મૂર્ધતૈલ ચિકિત્સા, આહાર ચિકિત્સા, લાઈફ સ્ટાઈલ ટ્રીટમેન્ટ હોય શકે.

આ રોગમાં વપરાતી મુખ્ય દવાઓમાં સર્પગંધા, બ્રાહ્મી, શંખપુષ્પી, અશ્વગંધા, નિદ્રોદય, જટામાંસી, તગર, ખુરાસાની  અજમો, મુખ્ય છે. રોગીની તાસીર, રોગની ગંભીરતા, રોગીનું ટોલરન્સ વિગેરેના આધારે રોગીને દવાઓનો ઉપયોગ  કરી શકાય.

ડિલેઇડ સ્લીપ ડીસીઝમાં

ખોરાક અને લાઈફ સ્ટાઈલ

આ રોગ સારવારમાં ખોરાક અને લાઈફ સ્ટાઈલનું વિશેષ મહત્ત્વ છે. ખોરાક માં ફાસ્ટ ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ, તળેલો  આઠેલો  ખોરાક, પચવામાં સમય વધુ લાગતો હોય તેવો ખોરાક, અતિ મસાલાવાળો ખોરાક અને અતિશય માત્રામા લીધેલો ખોરાક  રોગ ને વધારી શકે તેથી ન લેવો જોઈએ. તેમાં પણ વિશેષ કરીને સાંજના ખોરાકમાં ઉપરની વસ્તુઓ ન જ લેવી હિતાવહ  છે. અમુક લોકો સાંજે મેજર મિલ લેતા હોય છે એટલે કે ડિનર હેવી લેતા હોય છે. જે ભારતીય પરંપરામાં પ્રદોષ સાથે સરખાવી શકાય જેમ પ્રદોષમાં સાંજના સંધ્યાના સમય (જેને પ્રદોષ કાળ પણ કહે છે) તેમાં ખોરાક લેવો જોઈએ (સાંજે ૭  વાગ્યા સુધી).

લાઇફ સ્ટાઈલમાં યોગ્ય ફેરફાર કરવો રોગની શાંતિ માટે અનિવાર્ય છે જેમાં રાત્રે ટીવી જોવું, બહાર ફરવું, ઇલેક્ટ્રોનિક  માધ્યમનો અતિ ઉપયોગ વિગેરે ઓછું કરવું જોઈએ. નિંદરની રિધમમાં લાવવા સતત ૩-૪ પખવાડિયા સુધી રાત્રે વહેલા  સૂવું, જો નિંદર ના આવે તો ઊંડા શ્વાસ લેવા, માથા-પગ પર માલીસ કરવું, આંખ બંધ કરી ધ્યાન કરવું, યોગ-યોગાસન શ્વસન કરવું વિગેરે.

ડિલેઇડ સ્લીપમાં ચિકિત્સા

કરવી જરૂરી શું કામ છે?

આ રોગ સારવારની જરૂરિયાત ખૂબ જ વધુ છે, રોગ પોતે ભલે જીવલેણ ના હોય પણ તેના પરિણામે ગંભીર માનસિક,  શારીરિક, ઈમ્યુનોલૉજીક સમસ્યા, મેટાબોલિક ડીસીઝ થઈ શકે છે તેથી રોગની સારવાર જરૂરી હોય છે. સામાન્ય રીતે જે રોગમાં લાંબા સમય સુધી દવા લેવાની જરૂરી હોય તેમાં કુદરતી ઉપચાર આયુર્વેદનો ઉપયોગ કરવો જ વધુ હિતાવહ માનવામાં આવે છે જે વિશેષ માં.

વધુ માહિતી અને પરામર્શ માટે આયુર્વેદ ચિકિત્સકનો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial