કેન્દ્રિય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ
જામનગર તા. ૧: હાલાર પંથકના બાકી રહેલા મંડલ અને વોર્ડના પ્રમુખની વરણી કરી દેવામાં આવી છે. કેન્દ્રિય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા બુથ પ્રમુખ સંવાદ તેમજ વિધાનસભા સંકલન સમિતિ સાથે સંવાદ કરી સકારાત્મક્તા અને સમરસતા સાથે મંડલ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી છે.
જેના આધારે જામનગર મહાનગરના બાકી વોર્ડના પ્રમુખોનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જામનગર મહાનગરના બાકી વોર્ડના વોર્ડ પ્રમુખમાં વોર્ડ નં. ર ના પ્રમુખ રિદ્ધિશભાઈ વાશુરભાઈ ડેર અને વોર્ડ નં. ૧પ ના પ્રમુખ જયેશભાઈ તુલસીભાઈ અકબરીની નિમણૂક કરવામાં આવી છે તેવી જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકા માટે કશ્યપ લખમણભાઈ આહિર તેમજ ઓખા શહેર માટે સુરેશ મોહનભાઈ ગોહિલની નિમણૂક કરવામાં આવી છે તેમ ઉદય કાનગડ (પ્રદેશ ચૂંટણી અધિકારી)એ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial