ખંભાળિયાના આસામીએ પોલીસમાં નોંધાવી ફરિયાદઃ
જામનગર તા.૧ : ખંભાળિયાના ચુનારાવાસમાં રહેતા અને કોટા ગામ પાસે કરમદીમાં ગોડાઉન ધરાવતા આસામી દ્વારા રાખવામાં આવેલી અને સોના-ચાંદીના કામમાં વપરાતી ધૂળમાંથી કોઈ શખ્સો ગોડાઉનનું તાળું તોડીને પાંચ ટન ધૂળ ઉસેડી ગયા છે.
ખંભાળિયા શહેરના ચુનારા વાસમાં રહેતા અને ખંભાળિયા તાલુકાના કોટા ગામમાં કરમદી પાસે ખેતર તથા ગોડાઉન ધરાવતા રાજુભાઈ છનભાઈ પરમારે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં રૂ.૫ લાખની કિંમતની સોના-ચાંદીના કામમાં લેવાતી પાંચ ટન ધૂળ ચોરાઈ ગયાની ફરિયાદ કરી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ તેના ગોડાઉનમાં સોના-ચાંદીના કામમાં લેવાતી ધૂળ રાખવામાં આવી હતી. તેમાંથી કોઈ શખ્સો તાળુ તોડી અંદર ઘૂસ્યા પછી રૂ.પ લાખની કિંમતની પાંચ ટન ધૂળ ઉસેડી ગયા છે. બીએનએસએસની કલમ ૩૩૧ (૪), ૩૦૫ હેઠળ ગુન્હો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial