Sensex

વિગતવાર સમાચાર

સીદી બાદશાહ જમાતની નવી કારોબારી અંગે વકફ ટ્રિબ્યુનલમાં નોંધાવાઈ અપીલ

હંગામી રીસીવરની નિમણૂકની માગણીઃ

જામનગર તા.૧ : જામનગરની સીદી બાદશાહ જમાતની નવી કારોબારી સામે દાદ અને મનાઈહુકમ માંગતી અપીલ વકફ ટ્રિબ્યુનલમાં કરવામાં આવી છે.

જામનગરની સીદી બાદશાહ જમાતના અખ્તર ઈસ્માઈલ વગીંડા ઉર્ફે મુન્ના બાદશાહે કારોબારી સભ્યોના નામ અંગે વકફ બોર્ડમાં ફેરફાર રિપોર્ટ રજૂ કર્યાે હતો.

તેઓએ જણાવ્યા મુજબ જમાતમાં ઈકબાલ પીરભાઈનું ગ્રુપ વકફ બોર્ડમાં તકરાર ઉભી કરી, અધ્યક્ષને ગેરમાર્ગે દોરી, જોગવાઈનો ભંગ કરી રિપોર્ટ મંજૂર કરાવ્યા પછી બોર્ડને જાણ કર્યા કે પરવાનગી લીધા વગર જમાતની ઓફિસ અને દુકાનનું તાળુ તોડી તેનો કબજો જમાવી લેવાયો છે. તેથી વકફ ટ્રિબ્યુનલ સમક્ષ અપીલ દાખલ કરી અખ્તર વગીંડાએ હંગામી ધોરણે જમાતમાં રીસીવરની નિમણૂક માટે દાદ માંગી મનાઈ હુકમ પણ માંગ્યો છે. અખ્તર વગીંડા તરફથી વકીલ ઈમ્તિયાઝહુસેન ડી. કોરેજા રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial