અન્ય વેપારીએ અદાલતમાં નાખી ધાઃ
જામનગર તા.૧ : જામનગરમાં સોપારીનો વ્યવસાય કરતા એક આસામી સામે રૂ.દોઢ લાખના ચેક પરતની અદાલતમાં ફરિયાદ કરવામાં આવી છે.
જામનગરમાં શ્રીરામ ટ્રેડર્સ નામની દુકાન ચલાવતા બિપીન ભાઈ તુલસીદાસ વિઠ્ઠલાણી પાસેથી રૂ.૧૩,૧૮,૬૩૫ની સોપારી ચામુંડા એજન્સીવાળા ધવલ દિનેશભાઈ રાઠોડે ખરીદી હતી. તે રકમની ચૂકવણી માટે ધવલે ચેક આપ્યો હતો.
તે ચેકમાંથી રૂ.૭પ હજારના બે ચેક પરત ફરતા નોટીસ પાઠવ્યા પછી બિપીન ભાઈએ કોર્ટમાં ધવલ દિનેશભાઈ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી તરફથી વકીલ નાથાલાલ ઘાડીયા, પરેશ સભાયા, હીરેન સોનગરા, રાકેશ સભાયા, ગજેન્દ્રસિંહ ઝાલા, નૈમિષ ઉમરેટીયા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial