Sensex

વિગતવાર સમાચાર

સિદ્ધાર્થનગરમાં યુવાનની થયેલી હત્યાના મહિલા સહિતના આઠેય આરોપી દબોચાયા

શનિવારે રાત્રે કરી નખાઈ હતી યુવાનની હત્યાઃ

જામનગર તા.૧ : જામનગરના દિગ્જામ સર્કલ પાસે રેતીના ઢગલા પરથી શનિવારે રાત્રે લોહીલુહાણ હાલતમાં મળેલા યુવાનનું મૃત્યુ નિપજતા તેના માતાએ અગાઉ થયેલી માથાકૂટનો ખાર રાખી એક મહિલા સહિત આઠ વ્યક્તિએ તે યુવાનની હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી હતી. આ તમામ આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે.

જામનગરના દિગ્જામ સર્કલ નજીકના સિદ્ધાર્થનગરની શેરી નંં.૪માં રહેતા કાનજીભાઈ ધનજીભાઈ પરમાર નામના યુવાનને અગાઉની માથાકૂટનું સમાધાન કરવા માટે શનિવારે રાત્રે બોલાવી કેટલાક શખ્સોએ અપહરણ કર્યા પછી હીનાબેન દેપાળભાઈ મકવાણાના ઘેર લઈ જઈ પાઈપથી માર મારી લોહીલુહાણ હાલતમાં તેઓને રેતીના ઢગલા પર ફેકી દીધા હતા. ત્યાં આ યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવની મૃતકના માતા રામીબેને પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રાહુલ દેપાળ મકવાણા, પ્રકાશ નારણ પરમાર, હિતેન દેપાળ, દિલીપ દિનેશ પરમાર, મનોજ દેવશી મકવાણા, આશિષ રાજુભાઈ વારસાકીયા, દેપાળ સોમાભાઈ મકવાણા તથા હીનાબેન દેપાળ મકવાણા સામે ગુન્હો નોંધ્યો હતો. આ આરોપીઓને પકડી પાડવા માટે પીઆઈ વી.બી. ચૌધરીની સૂચનાથી પીએસઆઈ વી.બી. બરબસીયા તથા સ્ટાફે શરૂ કરેલી તજવીજમાં મહિલા સહિતના આઠેય આરોપી ઝડપાઈ ગયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial