રામનવમીના દિવસે લોહાણા મહાજન વાડીમાં
જામનગર તા. ૧: જામનગર લોહાણા મહાજન દ્વારા પરંપરાગત રામનવમીના પરમકુપાળુ મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીની અસીમ કૃપાથી તેમજ સંત શિરોમણી પ.પૂ.જલારામ બાપાના આશીર્વાદથી ભગવાન શ્રી રામચંદ્રજીનો પ્રાકટય મહોત્સવ ઉજવવાનું આયોજન કરેલ છે.
શ્રી મોદી લોહાણા મહાજનવાડી જામનગરમાં તા.૫-૪-૨૦૨૫ શનિવારના રાત્રે ૮-૦૦ થી ૧૦-૦૦ રામધૂન અને સંવત ર૦૮૧ ચૈત્ર સુદ - ૯ તા.૬-૪-૨૦૨૫ને રવિવારના રામનવમીના પવિત્ર દિને ભગવાન શ્રી રામચંદ્રજીનો પ્રાકટય મહોત્સવ ધામધુમથી ઉજવવામાં આવનાર છે, આ મંગલમય દિવસે સવારે ૧૦-૩૦ કલાકથી પૌરાણિક ધર્મસ્થાન શ્રી રામચંદ્રજી મંદિરમાં પૂજનવિધિ તથા ભગવાન શ્રી રામચંદ્રજી મંદિરના શિખરે ધ્વજારોહણ ચેતનભાઈ રતિલાલ માધવાણી,શિલ્પાબેન ચેતનભાઈ માધવાણી, નિલેષભાઈ હિરાલાલ ઠકરાર, હિનાબેન નિલેષભાઈ ઠકરાર, મુકેશભાઈ છેલભાઈ રાડીયા, ભાવનાબેન મુકેશભાઈ રાડીયા, જગદીશકુમાર વિઠ્ઠલદાસ દતાણી, આશાબેન જગદીશકુમાર દતાણી, વિરાજભાઈ અશોકભાઈ લાલ, રિદ્ધિબેન વિરાજભાઈ લાલ દ્વારા કરવામાં આવશે તથા ભગવાન શ્રી રામચંદ્રજી પ્રાકટય આરતી બપોરે ૧૨-૦૦ કલાકે કરવામાં આવશે તો આ પ્રસંગે સર્વે જ્ઞાતિજનો તેમજ રામભકતોને પધારવા પ્રમુખ ભરતભાઈ મોદી અને માનદ્દમંત્રી રાજુભાઈ કોટેચા દ્વારા અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial