તાજેતરમાં જામનગરની મુલાકાત દરમ્યાન
જામનગર તા. ૨૩, ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ તાજેતરમાં જામનગર શહેરની મુલાકાતે આવ્યા હતા. જે દરમિયાન તેઓએ પોતાના કાર્યક્રમો પૂર્ણ કરી લીધા બાદ રવિવારે સાંજે જામનગરના સુપ્રસિદ્ધ બાલા હનુમાનજીના મંદિરે મુલાકાત લીધી હતી, અને ત્યાં ભગવાન શ્રી રામચંદ્ર-લક્ષમણજી અને જાનકીજી ઉપરાંત બાલા હનુમાનજીની પ્રતિમા સમક્ષ શીશ ઝુકાવીને દર્શન કર્યા હતા. જેઓની સાથે જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી જોડાયા હતા.
આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ તેમજ ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી વગેરેએ સંપૂર્ણ બાલા હનુમાનજી મંદિર પરિસરની મુલાકાત લીધી હતી, અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન પામેલી અને બ્રહ્મલિન પરમ પૂજ્ય પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત' શ્રી રામ જય રામ જય જય રામ'ની અખંડ રામધૂનના જાપ વગેરે ની વિસ્તૃત માહિતી મેળવીને અભિભૂત થયા હતા.
આ સમયે તેઓની સાથે બાલા હનુમાન સંકીર્તન મંડળ ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલ તેમજ અન્ય ટ્રસ્ટી ગણમાં કનુભાઈ કોટક, કિરીટભાઈ ભદ્રા, પાર્થભાઈ પંડ્યા, વગેરે પણ જોડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial