પ્રપંચી પાકિસ્તાનની પોકળ પ્રતિક્રિયા
ઈસ્લામાબાદ તા. ૨૩ઃ પહલગામ હુમલામાં પાકિસ્તાનનો નહીં પણ ભારતના જ સરકાર વિરોધી બળવાખોરોનો હાથ હોઈ શકે, તેવા નિવેદન સાથે પાકિસ્તાનના રક્ષામંત્રીએ ભારતના લોકો પર જ આ હુમલો કરવાનો આક્ષેપ કર્યો છે.
જમ્મુ-કાશ્મીરના પહલગામના બેસરનમાં મોટો આતંકી હુમલો થયો હતો જેમાં ૨૬ થી ૨૮ લોકોના મૃત્યુ થયા છે. તેમજ ડઝનેકથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. એવામાં આ હુમલાને લઈને પાડોશી દેશ પાકિસ્તાનની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે.
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહૃાું કે આ (હુમલા) સાથે પાકિસ્તાનને કોઈ સંબંધ નથી. પાકિસ્તાન તમામ પ્રકારના આતંકવાદનુ વિરોધી હતા.
પાકિસ્તાની ટીવી ન્યૂઝ ચેનલને નિવેદન આપતાં પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફે આરોપ લગાવ્યો કે, 'આ હુમલા પાછળ ભારતના લોકોનો જ હાથ છે. ત્યાંના લોકોએ સરકાર સામે બળવો કર્યો છે. ત્યાં, નાગાલેન્ડથી લઈને મણિપુર અને કાશ્મીર સુધી, લોકો સરકારની વિરુદ્ધ છે. ભારતમાં હિન્દુત્વ સરકાર લોકોના અધિકારોનો નાશ કરી રહી છે અને તેમનું શોષણ કરી રહી છે. આથી લોકો આનો વિરોધ કરી રહૃાા છે.'
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ એક વિવાદાસ્પદ નિવેદન આપતા કહૃાું કે, 'ભારતની વર્તમાન સરકાર ત્યાં રહેતા લઘુમતીઓને હેરાન કરી રહી છે. આમાં બૌદ્ધ, ખ્રિસ્તી અને મુસ્લિમોનો સમાવેશ થાય છે. લોકોનો નરસંહાર થઈ રહૃાો છે. લોકો આની સામે અવાજ ઉઠાવી રહૃાા છે. આવી આતંકી ઘટનાઓ સાથે અમારો કોઈ સંબંધ નથી. હું આવા હુમલાઓની નિંદા કરું છું. ખાસ કરીને નાગરિકો પર આવા હુમલા ન કરવા જોઈએ.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial