Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

જામરાવલમાં આવતીકાલે સંત પૂ. દેવુભગતની પૂણ્યતિથિ નિમિતે અનેક સેવાકાર્યોનું આયોજન

૨૧ હજાર બાળકોનું બટુક ભોજન, ૧૫૦૦ ગંગાસ્વરૂપ બહેનોને રાશનકીટ, રક્તદાન-સર્વરોગ નિદાન કેમ્પ સાથે

                                                                                                                                                                                                      

જામરાવલ તા. ૧૭: જામરાવલમાં અગ્રણી દાતા અને સમાજસેવક મનોજભાઈ સોની દ્વારા સૌ કોઈના સહયોગથી આવતીકાલે તા. ૧૮મી જુલાઈના પૂ. સંત દેવુભગતની પૂણ્યતિથિ નિમિતે ઢગલાબંધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરેલ છે.

રાવલ અને આજુબાજુના ડઝનેક ગામોના લગભગ ૨૧ હજાર બાળકોનું બટુકભોજન, ૧૫૦૦ જેટલી ગંગાસ્વરૂપ બહેનોને રાશનકીટ ઉપરાંત રક્તદાન કેમ્પ, બાળકોને ધાર્મિક સાહિત્ય સાથે નોટબૂક-પેનનું વિતરણ ઉપરાંત માનપર તથા રાણા કંડોરણા ગામે બ્રહ્મચોર્યાસી વગેરે કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. આ તમામ પ્રવૃત્તિઓ સમસ્ત રાવલનગર, મનોજભાઈ સોનીનું ગ્રુપ, સંબંધિત તમામ ગામો સહિત સૌ કોઈના સહયોગથી દર વર્ષે યોજાતી રહી છે. આ કાર્યક્રમોમાં સંતો-મહંતો, સ્થાનિક અગ્રણીઓ પણ જોડાશે. સર્વરોગ નિદાન કેમ્પમાં રાજકોટ અને પોરબંદરના નિષ્ણાત તબીબો પણ સેવા આપશે.

આ તમામ કાર્યક્રમોનો લાભ લેવા રાવલ અને તેની આજુબાજુના ગામો અને રાણા કંડોરણા અને માનપરના સંબંધિત લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial