Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

જામનગર-લાલપુર-પોરબંદર રોડ પરનો માઈનોર બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું:

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૭: દેવભૂમિ દ્વારકા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ હેઠળ મળેલ સત્તાની રૂએ જાહેરનામું બહાર પાડેલ છે, જે મુજબ જામનગર-લાલપુર-પોરબંદર રોડમાં હયાત માઇનોર બ્રિજ સીડી નં.૭૬/૧ ના સ્લેબ તથા પિયર અને એબટમેન્ટ ડેમેજ થયેલ હોય, જેથી સલામતીના ભાગરૂપે તમામ પ્રકારના ભારે વાહનોને આ બ્રીજ ઉપરથી પસાર થવા પર મનાઇ છે.

જામનગર-લાલપુર-પોરબંદર આવતા-જતા તમામ પ્રકારના ભારે વાહનોએ વૈકલ્પિક રસ્તા તરીકે ભાણવડ-ઘુમલી-કપુરડી નેસ જતા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. વૈકલ્પિક રોડ સમારકામ તેમજ પહોળો કરવાની વ્યવસ્થા કરવાની રહેશે. વૈકલ્પિક રસ્તા માટે યોગ્ય સ્થળોએ ડાયવર્ઝન અંગેના સાઇનેજ બોર્ડ જાહેર જનતા સરળતાથી વાંચી શકે અને સ્પષ્ટ રીતે જોઇ શકે તે મુજબ ફરજીયાતપણે લગાવવાના રહેશે. તેમજ ભયજનક માઇનોર બ્રિજને જરૂરીયાત મુજબ બેરીકેટીંગ કરી અને ભારે વાહનો ન પ્રવેશે તે રીતે બંધ કરવાનો રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ હેઠળ સજાને પાત્ર ઠરશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial