Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

ઉત્તમ પૂજા

                                                                                                                                                                                                      

એક જંગલમાં એક અતિપ્રાચીન શિવ મંદિર હતું. ત્યાં તે વિસ્તારનો જે રાજા હતો તે દરરોજ શિવલીંગની પૂજા કરવા આવતો. તે ભક્તિયુક્ત થઈને વિવિધ પ્રકારના સંગધિત પુષ્પો અને પુજાની સામગ્રી પોતાના દિવ્યરથમાં લાવી નિયમિત નિર્મળ જળ અને સંગધિત પુષ્પો વડે શિવપૂજન કરતો.

આ વિસ્તારમાં ભીલ જાતિનો કઠીયારો પણ રહેતો હતો. તેને પણ આ શિવ મંદિર અને તેમાં બિરાજતા શિવલીંગ પર અપાર શ્રધ્ધા હતી. તેની પાસે કોઈ વાસણ ન હતુ. તેથી પાસેથી નદીમાંથી ખોબા ભરી આવી અને શિવલીંગ પર ચડાવતો. તે ઉપરાંત જંગલમાં આસપાસ ઉગેલા છોડ પર થી ફૂલ વગેરે લાગી શિવલીંગ પર ચડાવતો. રાજા અને ભીલ જાતિનો કઠીયારો બન્નેય પોતાની શ્રધ્ધ અને ભક્તિપ્રમાણે શિવજીની પૂજા કરતા હતા.

આ બન્નેયની નિયમિત રીેત પૂજા થતી જોઈ એક વખત પ્રાતઃ કાળે માતા પાર્વતીજીએ શિવજીને ઉદ્દેશીને એક પ્રશ્ન કર્યો, 'હે નાથ, છેલ્લા કેટલાક સમયથી એક રાજા અને એક ભીલ જાતિનો કઠીયારો નિયમિત રીતે શ્રધ્ધાભક્તિ સાથે તમારી ઉત્તમ પ્રકારે પૂજા કરે છે. હવે મને પ્રશ્ન એ થાય છે કે, આ બન્નેયમાંથી ઉત્તમ પૂજા ખરેખર કોની ગણાય ?'

શિવજીએ પાર્વતીજીની મુંઝવણ દૂર કરતાં તેમના પ્રશ્નનો ઉત્તર આપતા જણાવ્યું, 'હે દેવી, તમારા આ પ્રશ્નનો જવાબ તમને આવતીકાલે અવશ્ય મળી જશે.'

બીજા દિવસ સવારે હંમેશાંની જેમ જ ભીલ જાતિનો કઠીયારો શિવજીની પૂજા કરવા માટે નીકળ્યો. આ સમયે વરસાદ પડવા શરૂ થઈ ગયો હતો. આકાશમાં વીજળી ચમકારા કરી રહી હતી. વાદળા ગરજવાનો ભયંકર અવાજ પણ આવી રહ્યો હતો. આવા ભયંકર વાતાવરણ વચ્ચે પણ શિવપૂજન કરવા નીકળેલો ભીલ જાતિનો કઠીયારો પોતાના રોજ ના નિયમ મુજબ શિવજીને જળાભિષેક કરવા લાગ્યો તે શિવ મંદિરમાં હતો ત્યાં જ વીજળી શિવ મંદિર પર ત્રાટકી મંદિરની છત તુટી પડી. શિવ મંદિરમાં રહેલા ભીલ જાતિના કઠીયારાએ વિચાર કર્યો, મંદિરનો કાટમાળ શિવલીંગ પર પડે તો તેમને ઈજા થાય. તેથી તેણે પોતાના શરીર વડે શિવલીંગને ઢાંકી દીધુ. તેણે પોતાની પીઠ ઉપર ઉપરથી પડતો કાટમાળ ઝીલી લીધો.

બીજી બાજુ બરાબર આ જ સમયે રાજા સુગંધિત ફૂલો અને શુદ્ધ જળ લઈ અને શિવ મંદિર પાસે આવ્યો. પરંતુ મંદિર તુટી પડેલ છે તે જોઈને ત્યાંથી જ પાછો વળી ગયો. તે પોતાના રાજમહેલ પરત ગયો. જ્યારે ભીલ જાતિના કઠીયારાએ જ્યારે વાતાવરણ શાંત થયું ત્યારે મંદિરમાંથી સફાઈ કરી ફરી ખોબે ખોબે શિવલીંગ પર અભિષેક કરી. ખુશ્બુદાર ફૂલો શિવલીંગ પર ચડાવ્યા. પોતાને થયેલ ઈજાની પણ તેણે પરવા ન કરી.

ત્યારે હસતાં હસતાં શિવજીએ પાર્વતીજીને સંબોધીને કહ્યું, ' દેવી , ગઈકાલે તમે જે પ્રશ્ન મને પુછેલો તેનો જવાબ તમને મળી ગયો ?

- દેવેન કનકચંદ્ર. વ્યાસ (અંજાર, કચ્છ)

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial