Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

જામનગર તાલુકા પંચાયતના સભ્યનું ભાજપમાંથી રાજીનામું

સરકારમાં લોકોના કામ થતા નથી...!!

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગર તાલુકા પંચાયતના સભ્ય એવા વિરલભાઈ માંડવીયાએ ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. સરકાર રજૂઆતો સાંભળતી નહીં હોવાથી નારાજ થઈને આ રાજીનામું આપ્યું છે. જામનગર તાલુકાના ખીમરાણા ગામની બેન્કના તાલુકા પંચાયતના સદસ્ય એવા વિરલભાઈ નાનજીભાઈ માંડવીયાએ ભાજપમાંથી રાજીનામું ઘરી દીધું છે.

તેમણે જિલ્લા ભાજપ પ્રમુખને રાજીનામાપત્ર પાઠવી જણાવ્યું કે, હાલના સમયમાં ખેડૂતો અને સામાન્ય લોકોની હાલત ખરાબ છે. લોકોનો દિવસે-દિવસે સરકાર ઉપરથી વિશ્વાસ ઉઠતો જાય છે. લોકોના પ્રશ્નો અંગે સરકારમાં રજૂઆત કરવા છતાં દાદ આપવામાં આવતી નથી.

ખેડૂતોને કપાસના ભાવ વીમો મળતા નથી. શિક્ષણ, આરોગ્ય, રોડ-રસ્તાની વ્યવસ્થા પડી ભાંગી છે. આથી ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપવાની ફરજ પડી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial