Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

આદ્યશક્તિ આશાપુરા તથા ધણશેરીયા હનુમાન દાદા પદયાત્રી સંઘ રવાના

નવરાત્રિ નિમિત્તે 'છોટીકાશી' થી 'માતાનાં મઢ' પદયાત્રા

                                                                                                                                                                                                      

જાડેજા રાજપૂતોનાં કુળદેવી શ્રી આશાપુરા માતાજીનું મંદિર લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે ત્યારે નવરાત્રિ પર લાખો શ્રદ્ધાળુઓ માતાનાં મઢ ઉમટી પડે છે. 'છોટીકાશી' કહેવાતા જામનગરમાંથી પણ નવરાત્રિ પહેલા અનેક પદયાત્રી સંઘ કચ્છમાં માતાનાં મઢ જવા માટે રવાના થાય છે.આજે શહેરનાં શ્રી આદ્યશક્તિ આશાપુરા પદયાત્રી સંઘ તથા શ્રી ધણશેરીયા હનુમાન દાદા પદયાત્રી સંઘ અંતર્ગત ૩૦૦ થી વધુ પદયાત્રિકોએ દિગ્વિજય પ્લોટ વિસ્તાર તથા કાલાવડ નાકા બહારથી પદયાત્રા આરંભ કરી હતી. માતાજીનાં જયઘોષ સાથે અને ધ્વજાઓ સાથે તમામ પદયાત્રિકો શ્રદ્ધાનાં બળે સૈંકડો કિલોમીટરની યાત્રાએ નીકળી પડ્યા છે.પદયાત્રી સંઘોનાં પ્રસ્થાન સમયે સ્નેહીજન દ્વારા  પદયાત્રિકોનું અભિવાદન કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial