
ભોગાતમાં મનદુખના કારણે બે શખ્સ તૂટી પડ્યાઃ
જામનગર તા. ૭: જામનગરના ધરારનગરમાં એક યુવાને પોતાના બનેવીના ઝઘડામાં સમાધાન કરાવ્યા પછી બુધવારે રાત્રે બે શખ્સે હુમલો કરી તેનો હાથ ભાંગી નાખ્યો હતો. જ્યારે અગાઉની બોલાચાલીનો ખાર રાખી ભોગાતમાં એક યુવાન પર બે શખ્સ તૂટી પડયા હતા.
જામનગરના સરૂ સેક્શન રોડ પર આવેલા ધરારનગર-રમાં રહેતા સમીરભાઈ ઈસ્માઈલ હાલેપોત્રા નામના યુવાનને બુધવારની રાત્રે નવેક વાગ્યે ધરારનગરમાં આંતરી લઈ નવાઝ ઉમર સમા તથા એક અજાણ્યા શખ્સે હુમલો કર્યાે હતો.
વીસેક દિવસ પહેલાં સમીરના બનેવી તથા નવાઝ વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. તેનું સમાધાન સમીરે કરાવ્યા પછી બુધવારની રાત્રે સમીર ઘરની બહાર નીકળતા તેના પર પાઈપ, ઢીકાપાટુથી હુમલો કરી નવાઝ તથા તેના સાગરિતે માર મારતા સમીરનો ડાબો હાથ કાંડા પાસેથી ભાંગી ગયો છે. તેણે ફરિયાદ નોંધાવી છે.
કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામના અજુભાઈ નારણભાઈ લુણા નામના યુવાનને અગાઉ હરજુગ રેણાભાઈ લુણા સાથે બોલાચાલી થઈ હતી. તેનો ખાર રાખી બુધવારે સાંજે હરજુગ તથા વિપુલ નામના બે શખ્સે ઢીકાપાટુ તથા બેટથી હુમલો કરી અજુભાઈને માર માર્યાે હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial