
આશ્રિતો માટે ચા-નાસ્તો, ભોજન-રહેવાની સુવિધા ઉપલબ્ધઃ
જામનગર તા. ૯: જામનગરમાં શ્રી જલારામ સેવા ટ્રસ્ટ હાપા, પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ, તેમજ જલારામ મંદિર, હાપા દ્વારા કડકડતી ઠંડીમાં રેન બસેરા "જલારામનો આશરો" તૈયાર કરવામાં આવ્યો છે. હાલમાં કડકડતી ઠંડીમાં નિરાશ્રિતો માટે જલારામનો આશરો તૈયાર કરવમાં આવ્યો છે, જેમાં રહેવા માટે અને સુવા માટેના બેડ, ઉપરાંત હીટર વડે ગરમ પાણી, ચા-નાસ્તો સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં કોઈ નાગરિકોને આવા નિરાધાર અથવા નિરાશ્રિતો નજરે પડે તો તેઓને તુુરંત જ હાપા જલારામ મંદિરે પહોંચાડવા અથવા તો તેઓને અહીં પહોંચવા માટે સહયોગ આપવા અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial