Sensex

વિગતવાર સમાચાર

વિનુ માંકડની પ્રતિમા પાસે નિરાશ્રિતોના ધામા

છે અનિશ્ચિત ઉછાળો ને ગતિ, ગૂગલી નાખ્યા કરે છે જિંદગી

                                                                                                                                                                                                      

'ક્રિકેટ અનિશ્ચિતતાઓનો ખેલ છે અને જિંદગી પણ'- જામનગરમાં ક્રિકેટ બંગલા નજીક વિનુ માંકડ માર્ગ પાસે મહારાણા પ્રતાપ સર્કલમાં આવેલ નગરના અને દેશના ક્રિકેટ રત્ન વિનુ માંકડની પ્રતિમાના ત્રિકોણમાં કેટલાક નિરાશ્રિતો ધામા નાખીને બેઠા છે, ત્યારે જિંદગી જાણે ગૂગલી નાખી રહી હોય અને આ લોકો ગમે તેમ વિકેટ (અસ્તિત્વ) બચાવી રહ્યા હોય એવી પ્રીતિની આ તસ્વીર પરથી થાય છે. આ તો પ્રતિકાત્મક વાત હતી, પરંતુ મહાનુભાવોની પ્રતિમાઓ પાસેથી આ પ્રકારના દૂષણ તંત્રએ હટાવવા જોઈએ, જેથી તેની ગરિમા અકબંધ રહે. અહીં ધામા નાખી બેઠેલા લોકોને ખ્યાલ પણ નહીં હોય કે તેઓ અજાણતા જિંદગીની ગૂગલી (મુશ્કેલ સંજોગો) નો સામનો કરી રહ્યા છે અને તેમની વિરૂદ્ધ અપીલ થઈ છે, પરંતુ થર્ડ અમ્પાયર (તંત્ર) શું એક્શન લે છે એ જોવાનું રહ્યું.

(તસ્વીરઃ પરેશ ફલીયા)        

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial