
સુર્યોદય : ૭-૦૦ - સુર્યાસ્ત : ૬-૫૫
દિવસના ચોઘડીયા
(૧) લાભ (ર) અમૃત (૩) કાળ (૪) શુભ (પ) રોગ (૬) ઉદ્વેગ (૭) ચલ (૮) લાભ
રાત્રિના ચોઘડીયા
(૧) ઉદ્વેગ (ર) શુભ (૩) અમૃત (૪) ચલ (પ) રોગ (૬) કાળ (૭) લાભ (૮) ઉદ્વેગ
વિક્રમ સંવતઃ ર૦૮૨, ફાગણ વદ-૦૮ :
તા. ૧૧-૦૩-ર૦૨૬, બુધવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૯,
મુસ્લિમ રોજઃ ૨૧, નક્ષત્રઃ જયેષ્ઠા,
યોગઃ વજ્ર, કરણઃ બાલવ
તા. ૧૧ માર્ચના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં આપે આપના સ્વાસ્થ્યની કાળજી રાખવી પડે. જુની કે વારસાગત બીમારીમાં વધારે ધ્યાન આપવું પડે. વ્યાવસાયિક બાબતે વર્ષના ઉત્તરાર્ધમાં આપને સંપૂર્ણ રાહત થતી જાય. કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને ચિંતા-ઉચાટ-ખર્ચ જણાય. સંયુક્ત માલ-મિલકતના પ્રશ્ને આપની મુશ્કેલી વધે. નાણાકીય રોકાણ કરવામાં સાવધાની રાખવી.
બાળકની રાશિઃ વૃશ્ચિક ૨૨:૦૦ સુધી પછી ધન