Sensex

વિગતવાર સમાચાર

જામનગરના સત્યનારાયણ મંદિર રોડ પરથી અકસ્માતજનક કાટમાળ હટાવવા અંગે રજૂઆત

જર્જરિત મકાનને તોડ્યાના મહિનાઓ પછી પણ કાટમાળ !

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગરમાં સત્યનારાયણ મંદિર રોડ પર ભંગાર બજારના ખૂણા પર એક જર્જરિત મકાનને આઠ-નવ મહિના પહેલા તોડી પાડવામાં આવ્યું હતું જે પછી તેનો કાટમાળ હજુ પણ જેમ નો તેમ જ પડ્યો છે. ઉલ્લેખનિય છે કે આ મકાન ગોળાઈમાં હોય, અને તેનો કાટમાળ રસ્તા પર અકસ્માતજનક સ્થિતિમાં હોય, વાહન ચાલકો માટે જોખમી છે.

આ કાટમાળ હટાવવા માટે તંત્રને અનેક વખત ઓનલાઈન રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલાં ન લેવામાં આવ્યા હોવાના દાવા સાથે તાત્કાલિક કાટમાળ ઉપાડવા માટે સામાજિક કાર્યકર એડવોકેટ ગૌતમ ગોહિલ દ્વારા તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial