
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીની ઉમેદવારી માટે
જામનગર મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી સંદર્ભમાં જામનગર શહેર કોંગ્રેસ દ્વારા તમામ ૧૬ વોર્ડના કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોને સાંભળવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પૂર્વ ધારાસભ્ય અને પ્રભારી લલીતભાઈ વસોયા તથા પ્રદેશ નિયુકત રહીમભાઈ સોરાની ઉપસ્થિતિમાં શહેર કોંગ્રેસ કાર્યાલયમાં સવારે ૯ થી ૧ સુધી વોર્ડ નં. ૧ થી ૮ ના દાવેદારો ઉમટી પડયા હતા. જયારે બાકીના વોર્ડ નં. ૯ થી ૧૬ના દાવેદારો માટે બપોરે ૩ થી ૬ નો સમય રાખવામાં આવ્યો છે. આ પ્રક્રિયા સમયે શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા (દિગુભા જાડેજા), મહામંત્રી ભરતભાઈ વાળા, મીડિયા ઈન્ચાર્જ સંજયભાઈ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial