Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

શ્વાસની બીમારીની સારવાર માટે હોસ્પિટલ ખસેડાયેલા વૃદ્ધાનું મૃત્યુ

મૃતકના વાલીવારસની પોલીસ દ્વારા શોધખોળઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: જામનગરની જી.જી. હોસ્પિટલમાં શ્વાસની બીમારીની સારવાર માટે ખસેડવામાં આવેલા એક અજાણ્યા વૃદ્ધાનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે મૃતકના વાલી વારસની શોધ શરૂ કરી છે.

જામનગરની જી.જી. હોસ્પિટલમાં ૧૦૮ એમ્બ્યુલન્સમાં એક અજાણ્યા વૃદ્ધાને શ્વાસની બીમારીની સારવાર માટે ખસેડવામાં આવ્યા પછી આ વૃદ્ધાનું મૃત્યુ નિપજ્યું છે. સમાજ સેવક હિતેશગીરી ગોસાઈએ પોલીસને જાણ કરી છે.  અંદાજે સિત્તેર વર્ષની વયના આ વૃદ્ધાના કોઈ વાલીવારસ મળી આવ્યા નથી. મૃતકના શરીર પર આછા બ્લુ રંગનું બ્લાઉઝ ધારણ કરેલુ હતું. ઘઉંવર્ણાે વાન, મધ્યમ બાંધો ધરાવતા ઉપરોક્ત તસ્વીરવાળા વૃદ્ધા અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ એએસઆઈ બી.કે. જાડેજા-૭૯૮૪૧ ૪૦૩૬૧ અથવા ૬૩૬૯૬ ૨૯૩૫૩નો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial