
ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચો રમતી નેશનલ ટીમો હોય કે લીગ મેચો હોય, લોકલ ટુર્નામન્ટો હોય કે વિવિધ ટ્રોફીઓ હોય, તેનું આયોજન, સંચાલન, નિયંત્રણ અને નિયમન બીસીસીઆઈ કરે છે. સુરક્ષા કે વૈશ્વિક દ્વિપક્ષિય સંબંધો, યુદ્ધની સ્થિતિ કે કુદરતી આફતો ચૂંટણી કે રાષ્ટ્રીય કટોકટી, રોગચાળા જેવા સંજોગોમાં સરકારી નિયમો-સૂચનાઓને ધ્યાને લેવી પડે છે, પરંતુ આવક-જાવક, ટાઈમ ટેબલ, ફંડીંગ, ક્રિકેટના નિયમો, ખેલાડીઓ-મેનેજમન્ટને લગતા નિયમો તથા કોચ, સ્ટાફ, મેનજેરની નિમણૂકો વગેરેનું સંપૂર્ણ નિયમન બીસીસીઆઈ જ કરે છે, જેમાં ભારત સરકાર કે અન્ય કોઈ રાજ્ય સરકાર અથવા બંધારણીય સંસ્થાનું નિયમન હોતું નથી, જો કે કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગો સાથે સંકલન જાળવવું પડતું હોય છે.
બીસીસીઆઈ પર સરકારનું પ્રત્યક્ષ કે પ્રશાસનિક નિયંત્રણ હોતું નથી. આ એક સંપૂર્ણ સ્વતંત્ર, સ્વાયત અને ખેલજગતની એવી ખાનગી સંસ્થા છે, જેને સરકાર કોઈ ગ્રાન્ટ આપતી નથી, અને આ સંસ્થા આવક સ્વયં મેળવે છે, જો કે હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ક્રિકેટ મેચો નિહાળવા આવતા પ્રેક્ષકો પાસેથી ટિકિટના દર વસૂલવા કરતા અનેેકગણી વધુ કમાણી મેચોના લાઈવ ટેલિકાસ્ટની છે. સ્પોન્સરશીપ વેચીને કરે છે, જે હવે અબજો રૂપિયા સુધી પહોંચી છે. આ સરકારી સંસ્થા હોવાથી તેને માહિતી અધિકારનો કાયદો લાગુ નથી થતો હોવાની ચર્ચા ઘણાં સમયથી થતી રહી છે, જો કે આ સંસ્થાએ પણ દેશના નિયમ-કાયદા તથા સરકારની વખતોવખતની સૂચનાઓ અન્ય સંસ્થાઓની જેમ જ બીસીસીઆઈએ પણ માનવી પડતી હોય છે. આ ખેલ સંસ્થા હવે વિશ્વની ધનાઢ્ય ખેલ સંસ્થાઓની હરોળમાં આવી ગઈ હોવાથી તેને આવકવેરાના કાયદા હેઠળ આવરી લેવા તથા દેશનું પ્રતિનિધિત્વ કરીને આંતરરાષ્ટ્રીય મેચો રમતી હોવાથી તેની કાનૂની અને કરવેરાની જવાબદારીઓ વધારવાની માંગ પણ વખતોવખત ઊઠતી રહે છે.
બીસીસીઆઈની સ્થાપનાને પણ ૯૮ વર્ષ થયા છે. વર્ષ ૧૯ર૮ માં રચાયેલી આ સંસ્થા આજે અબજો રૂપિયાનું ટર્નઓવર ધરાવે છે. બીસીસીઆઈની પ્રગતિયાત્રાની વાતો તો થતી જ રહે છે, પરંતુ તાજેતરમાં બીસીસીઆઈ દ્વારા ટૂંક સમયમાં લેવાનારા એક નિર્ણયનો મુદ્દો ખેલજગત અને મીડિયા વર્ગમાં ચર્ચાનો વિષય બન્યો છે.
બીસીસીઆઈની એપેક્સ કાઉન્સિલની એક બેઠકમાં 'કૂલીંગ ઓફ પીરિયડ'નો કડક નિયમ લાગુ કરવાનો નિયમ લાગુ કરવા અંગે ગંભીરતાપૂર્વક ચર્ચા થઈ, તેવા અહેવાલો પછી નિવૃત્તિ જાહેર કરીને વિદેશી લીગ મેચોમાં તરત જ જોડાઈ જતા બીસીસીઆઈની વિવિધ ક્રિકેટ ટીમોના ક્રિકેટરો પર અંકુશ લાવવાનો મુદ્દો 'ટોફ ઓફ ધ સ્પોર્ટસ વર્લ્ડ' બન્યો છે.
તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમના એક ઓલરાઉન્ડર ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી અને તરત જ વિદેશી લીગ મેચમાં જોડાયા હોવાના અહેવાલો આવ્યા, તે પછી 'સંન્યાસી' ક્રિકેટરોનો કૂલીંગ ઓફ પીરિયડ હેઠળ આવરી લેવાની ચર્ચા તેજ બની છે.
અહીં સંન્યાસી એટલે સંસારમાંથી સંન્યાસ લેનાર નહીં, પરંતુ બીસીસીઆઈ હેઠળ રમતા ક્રિકેટરો જ્યારે ચોક્કસ મેચો (વન-ડે, ટેસ્ટ, ટી-ર૦ વગેરે) માંથી નિવૃત્તિ જાહેર કરે, ત્યારે તેને તેટલા પૂરતો સંન્યાસ લીધો કહેવાય, કેટલાક ક્રિકેટરો તમામ પ્રકારની સત્તાવાર રમાતી બીસીસીઆઈના નેજા હેઠળની ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરે તેને સંપૂર્ણ સંન્યાસ લીધો એવું કહી શકાય. આ પ્રકારની નિવૃત્તિની જાહેરાત સચિન તેંદુલકર સહિતના ઘણાં દિગ્ગજોએ કરી છે, પરંતુ તે પછી તેઓ કોઈ વિદેશી લીગ મેચમાં જોડાયા નથી, જો કે કેટલાક ક્રિકેટરો વિદેશી લીગમાં તત્કાળ જોડાવા માટે જ બીસીસીઆઈ અંતર્ગત રમાતી ટુર્નામેન્ટોમાંથી નિવૃત્તિ જાહેર કરતા હોવાનું ધ્યાને આવ્યા પછી હવે બીસીસીઆઈ 'કૂલીંગ ઓફ પીરિયડ'નો નિયમ લાગુ કરવાની તૈયારી કરી રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ નિયમ એવો હશે કે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેેર કરનાર કોઈપણ ક્રિકેટર નિવૃત્તિના પાંચ વર્ષ સુધી કોઈપણ વિદેશી લીગમાં રમી શકશે નહીં, અને જો નિયમભંગ કરે તો તેને ભારતીય ક્રિકેટના કોઈપણ ભાગ કે પ્રવૃત્તિમાં જોડાઈ શકશે નહીં.
હકીકતે અત્યારની બીસીસીઆઈની નીતિ મુજબ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અંતર્ગત ડોમેસ્ટિક ક્રિકેટ, આઈપીએલ કે આંતરરાષ્ટ્રીય મેચો-રમતોમાં કોઈપણ ખેલાડી વિદેશી લીગમાં ભાગ લઈ શકતો નથી. જો એવું કર્યું હોય તો ભારતીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવો પડે. આ નીતિના કારણે જ કેટલાક ખેલાડીઓ પારિવારિક અને અન્ય અંગત કારણો અથવા ઉંમરના કારણે નહીં પણ વિદેશી લીગમાં રમવાના પ્રોફેશ્નલ હેતુથી જ નિવૃત્તિ જાહેર કરવા લાગ્યા હોવાનું જણાતા હવે બીસીસીઆઈ પાંચ વર્ષના કૂલીંગ ઓફ પીરિયડ લાગુ કરવા જઈ રહ્યું હોવાના સંકેતો મળ્યા પછી આ મુદ્દો ખેલજગત અને મીડિયા જગતમાં તો ચર્ચાનો વિષય બન્યો જ છે, પરંતુ આ જ કોન્સેપ્ટ અથવા ભૂમિકા હેઠળ રાજકીય ક્ષેત્ર પણ કેટલાક કડક નિયમો બનવા જોઈએ, તેવા સૂચનો થવા લાગ્યા છે.
વાસ્તવિક વયનિવૃત્તિ સુધીનો કૂલીંગ ઓફ પીરિયડ રાખવો જોઈએ. આવું થાય તો રાજકીય ક્ષેત્ર બંધારણીય માર્ગે થતી અયોગ્ય રાજકીય બદવૃત્તિ અટકાવી શકાશે.
આ ઉપરાંત વયનિવૃત્ત થયા પછી કેટલાક ન્યાયવિંદે (જજો) ને પણ ટૂંક સમયમાં જ કોઈ રાજકીય પક્ષ તરફથી કોઈ માનનીય પદવી કે રાજ્યસભાના સભ્ય થવાની તકો અપાતી હોય છે, તેથી જજો માટે વયનિવૃત્તિ પછી પાંચ વર્ષનો કૂલીંગ ઓફ પીરિયડ રાખવાની સિફારીશ પણ થઈ રહી છે.
આ ઉપરાંત ચૂંટણી કમિશનર, કેગ, કેન્દ્રિય એજન્સીઓના વડાઓ તથા અન્ય બંધારણીય સંસ્થાઓના ઉચ્ચ પદાધિકારીઓ માટે પણ નિવૃત્તિ પછી ચોક્કસ સમયનો એવો કૂલીંગ ઓફ પીરિયડ લાગુ કરવો જોઈએ, જેથી લાલચ કે પ્રેસર આપીને તેઓનો રાજકીય ગેરલાભ લેવાની સંભાવના જ ન રહે. વિવિધ ચર્ચાઓના તારણોમાંથી નીકળતા આ સૂચનો ગંભીરતાથી વિચારવા જેવા ખરા..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial