Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં ૧૯૩૭૯ ઘરોમાં ગાયત્રી યજ્ઞ

ગૃહે-ગૃહે ગાયત્રી યજ્ઞ કાર્યક્રમ હેઠળ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા સમગ્ર વિશ્વમાં બુદ્ધ પૂર્ણિમાના પાવન અવસરે પર્યાવરણ શુદ્ધિકરણ અર્થે ગૃહે-ગૃહે ગાયત્રીયજ્ઞના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેના અનુસંધાને જામનગર જિલ્લામાં તા. ૧૨-૫-૨૫ ના સોમવારે ખૂબજ ઉત્સાહના વાતાવરણમાં સૂર્યોદયથી સૂર્યાસ્ત દરમ્યાન ગૃહે-ગૃહે ગાયત્રીયજ્ઞ કરવામાં આવ્યા.

આ માટે ગાયત્રી શક્તિપીઠ દ્વારા હવનસામગ્રી, મંત્રની પત્રિકા અને ગાયના ગોબરના છાણાંનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. વધુ સુગમતા માટે ઓડિયો વિડિયો ક્લિપની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

જામનગર શહેર, જામનગર-ધ્રોલ-જોડિયા તાલુકામાં ૧૫૦૪૪ યજમાનો અને જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ગૃહે-ગૃહે ગાયત્રીયજ્ઞ કાર્યક્રમ અંતર્ગત જામજોધપુર તાલુકામાં ૧૨૮૪ યજમાનો, કાલાવડ તાલુકામાં ૧૯૫૧ યજમાનો, લાલપુર તાલુકામાં ૧૧૦૦ યજમાનોએ યજ્ઞમાં આહૂતિ આપી હતી. સમગ્ર જિલ્લાના કુલ ૧૯૩૭૯ ઘરોમાં યજ્ઞ કરવામાં આવ્યા હતા. શાંતિકુંજ હરિદ્વારની સૂચના અનુસાર પ્રત્યેક ઘરોમાં ૧૮ યુગનિર્માણ સત્સંકલનો પાઠ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા જામનગર ગાયત્રી શક્તિપીઠના ભાઈઓ-બહેનોએ ખૂબજ જહેમત ઉઠાવી હતી. લોકોનો ખૂબ સહકાર મળ્યો હતો, તેમ શ્રી ગાયત્રી શક્તિપીઠ, જામનગર દ્વારા જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh