Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મંગળવારે થયેલા ઝઘડા પછી કરાઈ હતી હત્યાઃ
જામનગર તા. ૨૭: જામજોધપુરમાં શ્રમિક દંપતી વચ્ચે થયેલા વિખવાદ પછી મંગળવારે પત્નીના આડાસંબંધની શંકાથી પીડાતા પતિએ પત્નીની હત્યા નિપજાવી હતી. પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ પરથી ગુન્હો નોંધી શરૂ કરેલી તપાસમાં આરોપી ઝડપાઈ ગયો છે.
જામજોધપુર શહેરમાં માર્કેટીંગ યાર્ડ પાસે ઝૂંપડામાં વસવાટ કરતા મૂળ મધ્યપ્રદેશના જાંબવા જિલ્લાના વતની નરીયાભાઈ સમરીયાભાઈ બામણીયા નામના શ્રમિકે પોતાના પત્ની ગુલીબેન પર ચારિત્ર્ય બાબતની શંકા કરવાનું શરૂ કર્યા પછી આ દંપતી વચ્ચે ઝઘડા થતા હતા.
તે દરમિયાન મંગળવારે બપોરે ફરીથી ઝઘડો થતાં ઉશ્કેરાયેલા નરીયાભાઈએ પત્ની પર લાકડુ તથા પથ્થરથી હુમલો કરી જીવલેણ ઈજા પહોંચાડી હતી. સારવારમાં ખસેડાઈ રહેલા આ મહિલાનું મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાઈ ગયો હતો. પોલીસે મૃતકના ભાઈ ખીમશીભાઈ ભુરીયાની ફરિયાદ પરથી હત્યાનો ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી.
આરોપીને પકડી પાડવા માટે લાલપુરના એએસપી પ્રતિભાના વડપણ હેઠળની પોલીસ ટીમે ગઈકાલે સાંજે નરીયાભાઈ સમરીયાભાઈ બામણીયાની ધરપકડ કરી લીધી છે. આ શખ્સની રિમાન્ડ માટે તજવીજ કરાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial