Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેન્દ્ર સરકારે મંજુર કરેલા રૂ. ૧૪૭૪ કરોડના પ્રોજેક્ટને આવકાર
જામનગર તા. ર૭: પૂર્વ મંત્રી હકુભા જાડેજાએ કાનાલૂસથી દ્વારકા ડબલ ટ્રેક રેલવે પ્રોજેક્ટને વડાપ્રધાને મંજુર કરતા હાલારની જનતા વતી આભારની લાગણી વ્યક્ત કરી છે.
કાનાલૂસથી દ્વારકા સુધીના રેલવે ડબલ ટ્રેકની ૧૪૭૪ કરોડની યોજનાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા મંજુરી આપવામાં આવતા હાલારની જનતા વતી ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ મેરુભા જાડેજા (હકુભા) એ આભારની લાગણી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે, આ પ્રોજેક્ટથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિકાસને વેગ મળશે.
ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં અંત્યોદય અને જનજનને સુવિધાઓના ભાવ સાથે મળેલી કેબિનેટ મિટિંગમાં રજૂઆતના પ્રતિસાદ સમાન, પશ્ચિમ ભારતના છેવાડાના વિસ્તાર, કાનાલૂસથી દ્વારકા સુધીના રેલવે ડબલ ટ્રેક પ્રોજેક્ટ માટે રૂપિયા ૧૪૭૪ કરોડની યોજના પીએમ-ગતિશક્તિ હેઠળ મંજુર કરવામાં આવી છે.
આ જાહેરાતને આવકારતા હકુભાએ જણાવ્યું છે કે, દેશ-વિદેશના અસંખ્ય યાત્રાળુઓ જે તીર્થક્ષેત્ર દ્વારકા આવે છે તેઓને રેલવેની આ ડબલ ટ્રેક સુવિધાનો લાભ મળશે તેમજ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વેપાર, ઉદ્યોગ, પ્રવાસીઓને સુવિધાનો લાભ બેવડાયો મળશે. આમ દેશના છેવાડાના માનવીને વિકાસના ફળ મળે તેવા ઉત્તમ ઉદ્દેશને ભાજપે ફરી એકવાર સાબિત કર્યું છે. કાનાલૂસથી દ્વારકા ડબલ રેલવે ટ્રેક પ્રોજેક્ટને મંજુર કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પ્રત્યે હાલારના સર્વે પ્રજાજન વતી હકુભાએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial