Advertisement
Author: નોબત સમાચાર

વસંતપંચમી પર્વે ખીજડા મંદિરમાં સંતોના હસ્તે મહાશિલા પૂજન

અખાત્રીજના દિવસે શિલાન્યાસ સંપન્ન થયા પછી

જામનગરમાં શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મનિજાનંદ સંપ્રદાયની આચાર્યપીઠ શ્રી પ નવતનપુરી ધામ ખીજડા મંદિરનું ૪૦૦ વર્ષ પછી ર૦ર૪ માં અક્ષય તૃતીયા-અખાત્રીજના શુભ દિવસે શિલાન્યાસ સંપન્ન થયા પછી વસંતપંચમીના પાવન અવસરે શ્રીકૃષ્ણ પ્રણામી સંપ્રદાયના જગદ્ગુરુ આચાર્ય અનંતશ્રી વિભૂષિત શ્રી કૃષ્ણમણિજી મહારાજ, શ્રી પ મહામંગલ પૂરી ધામ-સુરતના આચાર્ય શ્રી ૧૦૮ સૂર્યનારાયણજી મહારાજ સહિતના અનેક સંતો-મહંતો અને સુંદરસાથજી ભાવિકોની ઉપસ્થિતિમાં શિલા મહાપૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રણામી ધર્મના અનુયાયીઓ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતાં. આ પ્રસંગે દાતા પરિવાર અને સુંદરસાથ ભાવિકો શિલા સ્થાપન વેળાના સાક્ષી પણ બન્યા હતાં તેમ પ્રણામી ધર્મના યુવા અગ્રણી કિંજલ કારસરિયાએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh