Advertisement
Author: નોબત સમાચાર

હાલારમાં બેંક કર્મચારીઓએ કાળી ૫ટી-બેજ બાંધી વિરોધ કર્યો

નવા શ્રમ કાયદાનો વિરોધઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૭: આગામી સમયમાં દેશમાં નવા શ્રમ કાયદાની અમલવારી કરવામાં આવનાર છે. જેમાં કામદાર વિરોધી અનેક જોગવાઈ છે તેવા આક્ષેપ સામે હાલારના બેંક કર્મચારીઓ દ્વારા કાળી પટી-બેજ લગાવી ફરજ બજાવી હતી.

ગુજરાત બેંક વર્કસ યુનિયનના સેક્રેટરી કુલીન ધોળકીયાના જણાવ્યા મુજબ અગાઉ સરકારના શ્રમ વિભાગ દ્વારા મજુર કાયદામાં ફેરફાર કરવા અંગે યુનિયનો સાથે બેઠક-પરામર્શ કરવામાં આવ્યું હતું. વર્ષ-ર૦૧૪ પછી સરકાર દ્વારા આવો કોઈ પરામર્શ થયો નથી. હાલ ર૯ મજુર કાયદા જ  કાયદા રહે તેવી સ્થિતિ છે. લેબર કાયદા મુજબ લઘુતમ વેતન દર રૂ. ૩પર છે. તેમાં ઘટાડો થવાની શક્યતા છે. ઉપરાંત જે સંસ્થામાં ૧૦૦ જેટલા કામદારો કામ કરતા હોય, તેવી સંસ્થા, કારખાનું રાતોરાત બંધ કરી શકાય નહીં તેવી જોગવાઈ છે.

આ જોગવાઈમાં કામદારોની સંખ્યા મર્યાદા ૩૦૦ થઈ રહી છે. એટલે કે, ૩૦૦ થી ઓછા કામદારો ધરાવતા કોઈપણ ધંધાકીય યુનિટ ગમે ત્યારે બંધ થઈ શકશે.

આવા સંજોગોમાં નોકરિયાતનો અવાજ પહોંચાડવા અસંગઠીત કર્મચારીઓનો અવાજ પહોંચાડવા માટે દેશના ૯ ટ્રેડ યુનિયનો (બેંક, એલઆઈસી, વિવિધ નિગમો વિગેરે) દ્વારા રાષ્ટ્ર વ્યાપી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે.

આ કાર્યક્રમની શ્રૃંખલા અન્વયે બેંક કર્મચારીઓ દ્વારા કાળી પટી - બેજ લગાવી ફરજ બજાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh