Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાથે રહેલા સાળા તથા કાકાજી સસરાને પણ ઈજાઃ
જામનગર તા. ૨૭: ધ્રોલના માણેકપર ગામની ચોકડી પાસે ગઈકાલે બપોરે અઢી વાગ્યે રોડ પર દોડેલા રોઝડાની સાથે ત્રિપલ સવારીમાં જતું બાઈક ટકરાઈ પડતા મૂળ મધ્યપ્રદેશના એક શ્રમિકે જિંદગી ગૂમાવી છે. સાથે રહેલા તેના સાળા તથા કાકાજી ઘવાયા છે. મૃતકના ત્રણ બાળકોએ પિતાની શિતળ છાયા ગૂમાવી છે. પોલીસે મૃતકના ભાઈનું નિવેદન નોંધ્યું છે.
ધ્રોલ તાલુકાના થોરીયાળી ગામમાં આવેલા અશ્વિનભાઈ પટેલ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ગલવાની ગામના વતની કૈલાસભાઈ ગમનસિંગ ભુરીયા (ઉ.વ.૩૦) નામના આદિવાસી યુવાન ગઈકાલે બપોરે પોતાના કાકાજી નગરસિંગ તથા સાળા સાથે જીજે-૩-બીએચ ૩૪૫૩ નંબરના બાઈકમાં ધ્રોલ તરફ આવવા માટે નીકળ્યા હતા.
ઉપરોક્ત ત્રણેય વ્યક્તિ ધ્રોલમાંથી મોબાઈલ લેવાનો હોવાથી ધ્રોલ આવતા હતા. ત્યારે માણેકપર ચોકડીથી આગળ પેટ્રોલપંપ પાસે જ્યારે તેઓનું મોટરસાયકલ પહોંચ્યું ત્યારે જ એક રોઝડુ રોડ પર આવી જતા તેની સાથે મોટર સાયકલ ટકરાઈ પડ્યું હતું.
આ અકસ્માતમાં બાઈક પરથી ફંગોળાયેલા કૈલાસભાઈને ગંભીર ઈજા થઈ હતી. જ્યારે સાથે રહેલા નગરસિંગ સહિતના બે વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હતી. માથામાં ઈજા પામેલા કૈલાસભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી ટૂંકી સારવારના અંતે તેમનું મૃત્યુ નિપજ્યું છે.
આ અકસ્માતની મૃતકના મોટાભાઈ ચીમનભાઈ ગમનસિંગે પોલીસને જાણ કરી છે. વધુમાં જાણવા મળ્યા મુજબ મૃતક કૈલાસભાઈ ત્રણ સંતાનના પિતા હતા. જેમાંથી મોટુ સંતાન પાંચ વર્ષનું છે, આ ત્રણેય બાળકોએ પિતાની છત્રછાયા ગૂમાવી છે. પોલીસે ચીમનભાઈનંુ નિવેદન નોંધી અપમૃત્યુ અંગે નોંધ કર્યા પછી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial